________________
નરસિંહ મહેતા ૧૨૧
અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છે: “પુરુષ પુરુષાતના લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...' એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. “વિવાહમાં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, “એક છે પુત્ર ને એક પુત્રી થઈ. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો. નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.
પુત્રના વિવાહ અંગે વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે. ૫ એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.
૩. કૃતિઓ
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ.૧૬ ૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં