________________
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
એની આગવી એવી ૨સસંક્રાન્તિની કલાથી અત્યંત લોકપ્રિય બને છે. પ્રેમાનંદ પૂર્વે, ભાલણના ‘નળાખ્યાન’માં, કે ઉદ્ધવના રામાયણમાં ક્યાંક રસસંક્રાંતિ જડે છે. પરંતુ રસસંક્રાંતિની કળામાં ઉચ્ચોચ્ચ સ્થાનનો અધિકારી તો પ્રેમાનંદ જ છે. એ એક ૨સમાંથી એટલી ત્વરાથી, અને સરળતાથી સંક્રમણ કરે છે કે આપણને એ વિષે ખબર જ પડતી નથી. એનું કારણ એ છે કે એ ચાલુ રસના વિભાવને સ્થાનચ્યુત કર્યા વિના એ જ વિભાવને, અન્ય ૨સના વિભાવ તરીકે સ્થાપે છે. એથી રસસંક્રાંતિથી ૨સાસ્વાદમાં બાધા નડતી નથી. જેમ કે રણયજ્ઞ'માં ઈન્દ્રજીત અને રામના યુદ્ધમાં વી૨૨સનું નિરૂપણ થયું છે. યુદ્ધમાં રામ નાગપાશથી બંધાય છે. તે જોઈને સીતા આક્રંદ કરવા લાગે છે. વી૨૨સનો આલંબન વિભાવ રામ છે, તો સીતાના આક્રંદમાં જે કરુણ છે તેનો આલંબન વિભાવ પણ રામ છે. આમ વી૨૨સમાંથી કરુણમાં સંક્રમણ કરતી વખતે રામને જ વિભાવ રાખીને કવિ ૨સસંક્રમણ કરે છે. ‘નળાખ્યાન'માં પણ શૃંગાર, કરુણ, અદ્ભુત એમ સંક્રમણ થતું રહે છે.
આખ્યાનનું ચોથું મહત્ત્વનું લક્ષણ એ શ્રોતાઓ સમક્ષ સાભિનય ગવાતું હોવાથી, આખ્યાનકારો પોતાનાં કડવાં માટે મધુર રાગની દેશીઓ પસંદ કરતા, ને એ રાગમાં ગાઈ વાતાવરણને ગૂંજતું કરતા. જ્યારે દમયંતી પોતાનાં સંતાનોને મોસાળ પાઠવે છે ત્યારે એના કંઠમાં મૂકેલી મેવાડાની દેશી–મોસાળે પધારે રે મારાં બાડુઆં ... અથવા દમયંતીની કરુણ દશા વ્યક્ત કરતી રામગ્રી પ્રેમાનંદ ગાતો હશે, કે ‘વિનવે દેવડી હો, વીરાને વલવલી' એ મેવાડો, કે મારું માણકડું રિસાવ્યું રે શામળિયાં એ વેરાડી રાગમાં દેવકી કે જશોદાના વિલાપને એ ગાતો હશે, ત્યારે શ્રોતાઓની આંખોમાંથી અશ્રુનાં પૂર વહેતાં હશે. એ જ રીતે બીજા રસનાં કડવાં માટે પણ કહી શકાય. આમ વિવિધ રાગરાગિણીવાળાં કડવાં પણ આખ્યાનનું અનિવાર્ય અંગ હતું.
૫૪
આખ્યાનનું પાંચમું મહત્ત્વનું અંગ કવિએ પોતાનો અને કાવ્યનો પરિચય આપ્યો હોય તે છે. તે માટે કવિ કાવ્યના પ્રથમ કડવાનો અથવા અંતિમ કડવાનો ઉપયોગ કરે છે. એમાં કવિ પોતાના કુટુંબનો, ગામનો, કાવ્ય ક્યાં અને ક્યારે રચાયું ને આખ્યાન કયે સ્થળે ગવાયું તેનો પરિચય આપે છે, જેમકે ઃ નાકરના ઓખાહરણ’માં
દીસાવળ કૂડી અવતર્યો, વીરક્ષેત્રમાં વાસજી
કર જોડીને કરે વિનંતી, નાકર હિરનો દાસજી.
પ્રેમાનંદના નળાખ્યાન'માં કાવ્ય વિષે માહિતી આપતાં કવિ કહે છે :
આણિક પર્વની મૂળ કથામાં નૈષધની લીલા ભાખીજી મુહૂર્ત કીધું સુરત મધ્યે; થયું પૂરણ નંદરબારજી