________________
૮૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ- ૧
લાંચનો સંદર્ભ આવે છે. (લેતા પર વંચા, નહીં ખલ પંચા : ૩.૩૮), એ તત્કાલીન રાજકારભારની દૃષ્ટિએ મહત્ત્વનો છે.
મધ્યકાલીન સાહિત્યની લાક્ષણિકતા પ્રમાણે આ કૃતિનું મુખ્ય પ્રયોજન ધર્મબોધનું છે એ સ્પષ્ટ છે. એમાં પણ આ વિશિષ્ટ કથાનક સાથે તો એ પહેલેથી સંકળાયેલું રહ્યું છે. આ કવિપ્રયોજન કૃતિમાં અનેક સ્થળે ઉપદેશ, બોધ, વ્યવહારજ્ઞાનની રીતે યથાપ્રસંગ પ્રગટે છે. ખાસ તો, સંગ-અલંગ, વેશ્યાગમન, ભોગવિલાસ જેવી બાબતોનો સંદર્ભ કવિ માટે અનુકૂળ બની રહે છે. ત્રીજા અધિકારના ૮૧ થી ૯૫ સુધીના છંદોમાં તો જૈન તત્ત્વજ્ઞાન અને આચારવિચારનું સૂક્ષ્મ સ્તરે આલેખન થયું છે. એ માટે ઘણા પારિભાષિક શબ્દો પણ પ્રયોજાયા છે. આ ઉલ્લેખો સાંપ્રદાયિક કવિતાનું લક્ષણ વિશેષપણ પ્રગટાવે છે. ઋષિદનારાસ (ઈ.સ. ૧૫૧૬)માં કવિએ ઋષિદત્તાના શીલનો મહિમા ગાયો છે, તેમાંની આરંભની થોડી પંક્તિઓ જુઓ, જે કવિના ભાષાપ્રભુત્વની પ્રતીતિ કરાવશે.
કઈ કવિત કરું મન ભવિ સાસણ દેવ તણઈ પરભાવિ, સિદ્ધસૂરિ ગુરુપય નમીય સીલ શિરોમણિ ગુણ સંયુતા, નમિ અનોપમા શ્રી ઋષિદતા જલધિસુતા જગિ તે સમય.
લાવણ્યરત્ન આ જ ગાળાના બીજા એક નોંધનીય કવિ તે લાવણ્યરત્ન છે. તેઓ તપગચ્છના સાધુપંડિત ધનદેવના શિષ્ય સુરહંસના શિષ્ય હતા. વત્સરાજ દેવરાજ રાસમાં કવિએ સુપ્રસિદ્ધ આચાર્ય સોમસુંદરસૂરિથી પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. લાવણ્યરત્ન આ રાસ ઉપરાંત યશોધરચરિત્ર (ઈ.સ. ૧૫૧૯), મત્સ્યોદર રાસ, કલાવતી રાસ અને કમલાવતી રાસની રચના કરી છે.
પાર્ધચન્દ્રસૂરિ વડતપગચ્છના પુણ્યરત્નના શિષ્ય સાધુરત્નના શિષ્ય પાર્વચન્દ્રસૂરિએ રાસના પ્રકારની બે જ કૃતિની રચના કરેલી જણાય છે અને તે પણ કદમાં ઘણી નાની છે. આ બે કૃતિઓ તે ઈ.સ. ૧૫૧૪માં રચેલી ૮૬ કડીની કૃતિ વસ્તુપાલ તેજપાલ રાસ અને ૪૨ કડીની રચના જિનપ્રતિમા સ્થાપના રાસ, પરંતુ તે ઉપરાંત એમણે સંખ્યાબંધ નાનીનાની કૃતિઓની રચના કરી છે. નાની કૃતિઓમાં પોતાના ગચ્છ, ગુરુપરંપરા ઈત્યાદિના ઉલ્લેખને અવકાશ નથી. ખંધકચરિત્ર સઝાયમાં એમણે પોતાના ગચ્છ અને ગુરુનો આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :