________________
જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦૦) ૬ ૭
બધી કૃતિઓનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સરળ નથી, કારણ કે તેમાંની ઘણીબધી હજી અપ્રકાશિત છે. એટલે શક્ય તેટલા કવિઓની અને તેમની કૃતિઓનો પિરચય અહીં આપણે કરીશું.
હરસેવક
હરસેવક નામના પ્રથમ ગ્રંથના સમય-ગાળામાં થયેલા) કવિએ મયણરેહાનો રાસ નામની એક રાસકૃતિની રચના સં. ૧૪૧૩ માં (ઈ.સ. ૧૩૫૭) કુકડી ગામમાં ચાતુર્માસ દરમિયાન કરેલી જણાય છે. કર્યો ચોમાસો શબ્દો પરથી જણાય છે કે આ કોઈ શ્રાવક-ગૃહસ્થ નહિ પણ સાધુ કવિ હોવા જોઈએ, જોકે એમાં એમણે પોતાના ગુરુનો કે પરંપરાનો કંઈ નિર્દેશ કર્યો નથી. આ રાસની રચના કવિએ ૧૮૭ કડીમાં કરી છે. એમાં એમણે મદનરેખાનો વૃત્તાંત વર્ણવ્યો છે. આરંભમાં કવિએ પરનારીગમનના વ્યસનનો નિર્દેશ કર્યો છે. અવંતિ દેશના સુદર્શન નામના નગરના રાજા મણિરથની કુદૃષ્ટિ પોતના નાના ભાઈ યુગબાહુની પતિવ્રતા પત્ની મદનરેખા ૫૨ ૫ડે છે, એટલે મદનરેખાને મેળવવા માટે કામસક્ત મણિ૨થ નાના ભાઈ યુગબાહુને મારી નાખે છે. મદનરેખાને તેની ખબર પડતાં તે નાસી છૂટે છે અને ચારિત્ર ધારણ કરે છે અને બીજી બાજુ મણિરથ રાજા સર્પદંશથી મૃત્યુ પામે છે. કવિની ભાષામાં રાજસ્થાની ભાષાની અસર વિશેષ જણાય છે.
શાલિસૂરિ
માણિક્યસુંદરસૂરિએ એમના પૃથ્વીચંદ્ર-ચરિત (૨.ઈ. ૧૪૨૨)માં, શાલિસૂરિના વિરાટપર્વમાંથી પંક્તિઓ ઉદ્ધૃત કરી છે એ ૫૨થી આ કવિનો સમય ઈ.૧૪૨૨ પહેલાંનો ગણી શકાય.
દક્ષિણગોગ્રહણ (૧૦૧ શ્લોક) અને ઉત્તરગોગ્રહણ (૮૨ શ્લોક) એવા બે ખંડોમાં રચાયેલી વિરાટપર્વ (મુદ્રિત) બેત્રણ બાબતે વિશેષ ધ્યાનપાત્ર છે : (૧) વિરાટપર્વના કથાનકનું આલેખન આ કૃતિમાં જૈન મહાભારતની પરંપરાને નહીં પણ મૂળ વ્યાસકૃત મહાભારતને અનુસરે છે. અને અન્ય મધ્યકાલીન કવિઓની વિરાટપર્વકથાઓને મુકાબલે એ સઘન છે. મહત્ત્વના પ્રસંગો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલા ખંડમાં, દ્રૌપદી ૫૨ મોહિત થયેલા કીચક અને એના ભાઈઓના ભીમદ્વારા થયેલા વધનું તેમજ સુશર્મા અને વિરાટ વચ્ચે થયેલા યુદ્ધનું આલેખન છે ને બીજા ખંડમાં વિરાટ રાજાના પુત્ર ઉત્તરે અર્જુનની મદદથી કૌરવોને હરાવ્યાનું કથાનક આલેખાયું છે. (૨) કવિએ માત્રામેળને બદલે વિવિધ અક્ષરમેળ છંદો પ્રયોજ્યા છે. ઇન્દ્રવજા- ઉપન્દ્રવજા, રથોદ્ધતા, સ્વાગતા, ક્રુતવિલંબિત, વસંતતિલકા, માલિની જેવા