________________
૭૬
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ- ૧
નેમિનાથ વિષયક કૃતિઓમાં જોવા ન મળતા હોય એવા એક-બે પ્રસંગો આ કૃતિમાં મળે છે. એક તો, પોતાનાથી બળવાન નેમિકુમારના લગ્ન કરાવવા એ રીતે એને સંસારમાં જોડી બળહીન કરવા)નો કષ્ણપ્રયત્ન વિશિષ્ટ છે. એ માટે વસંતખેલનું આયોજન અને કૃષ્ણવધૂઓ (ગોપીઓ) દ્વારા દિયરને પરણવા માટે રાજી કરવાની યુક્તિ કવિની આગવી કલ્પના છે. એમાં કૃષ્ણ-ગોપીઓના રાસનું સાદશ્ય જોઈ શકાય તેમ છે. આ સંદર્ભે પ્રયોજાયેલો ચંદ્રાઉલી (કડી ૧-૫૬) શબ્દ રાસલીલાની પરંપરા વિશે કવિની જાણકારી સૂચવે છે. દિયર ભોજાઈના રંગોત્સવ (હોળી)નો સામાજિક સંદર્ભ પણ તેમાં જોઈ શકાય. આ પ્રસંગમાં ગોપીઓ- નેમિકુમાર વચ્ચેનો સંવાદ નેમિનાથવિષયક પૂર્વકૃતિઓનાં નથી તેવું કવિનું પોતીકું ઉમેરણ છે. તેમાં ગૃહસ્થજીવનની મુશ્કેલીઓ અને સ્ત્રીસ્વભાવનું, સ્ત્રી દ્વારા પતિ પર થતા અત્યાચારોનું સમાજચિત્ર ઝિલાયું છે. એ દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે. એ જ રીતે, કાવ્યના અંતે નેમિનાથનો રાજિમતીને ઉપદેશ પણ કવિનો વિશિષ્ટ ઉમેરો છે.
મધ્યકાળમાં, ઝડઝમક પ્રાસાનુપ્રાસવાળી ભાષામાં ને વિવિધ માત્રામેળ (ચારણી) છંદોના લખાયેલી કૃતિને છંદ તરીકે ઓળખાવવાની રૂઢ પરંપરા હતી. એ પ્રણાલિકામાં આ કૃતિને નેમિરંગરત્નાકર છંદ એવું નામ આપવામાં આવ્યું છે. જો કે એક હસ્તપ્રતમાં રંગરનાકર પ્રબંધ એવું શીર્ષક જોવા મળે છે. સ્વયં કવિએ જ મંગલાચરણના અનુષુપમાં આ બન્ને પ્રકારોનો એક સાથે નિર્દેશ કર્યો છે :
મૃત્વા શ્રી શારદાં નેમેછિન્દોભિર્વિવિર્ધવરે પ્રબન્ધ બધુરે કુર્વે રંગરત્નાકરાભિધમ્ અને નવ છંદબંધઈ કિય પ્રબંધઈ, સ્તવિક નેમિજિણસરો (ર.૧૫૫)
જો કે કાન્હડદે પ્રબંધ કે આ જ કવિની વિમલપ્રબંધ જેવી પ્રબંધ-રચનાઓની જેમ એમાં ઐતિહાસિક કથાસંદર્ભનું લક્ષણ જણાતું નથી, જૈન તીર્થંકર નેમિનાથનું ચરિત્ર એમાં કેન્દ્રસ્થાને છે, એટલે એ ચરિત્રાત્મક કથાનકનું પ્રબંધલક્ષણ ધરાવે છે. અહીં વળી, તે સળંગ, સુસંકલિત ને વ્યવસ્થિત રચના-આયોજનનું લક્ષણ પણ જાળવે છે, નવ નવ છંદઈ કવિત કહઉં (૧૫) એ પંક્તિમાં છંદ ઉપરાંત કવિત એ શબ્દપ્રયોગ તેમજ કહઉ લિખી નહીં) એ ક્રિયાપદ એ ત્રણે દ્વારા ચારણી શૈલીનાં રચનાલક્ષણો સ્પષ્ટ રીતે સૂચવાયાં છે.
કૃતિમાં છંદોવૈવિધ્ય ઘણું છે. દુહા, રોળા, છપ્પો, હરિગીત, આર્યા ચરણાકુળ (સૌથી વધુ આ છંદ પ્રયોજાયો છે.), પદ્માવતી, ત્રિભંગી, મરહઠા (આ ત્રણે નિકટના છંદ છે) દુમિલ, પધડી પધ્ધરિ) વગેરે છંદોમાં કવિ કૌશલ્યનો પરિચય મળી રહે