________________
૮૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ- ૧
પચીસેક કડીમાં સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ કરવામાં આવી છે, તથા નેમિનાથ કથાને મુકાબલે સ્થૂલિભદ્રકથાની વિશેષતા બતાવવામાં આવી છે.
આટલા પ્રાસ્તાવિક પછી કૃતિ મૂળ કથા ભણી વળે છે : પાડલપુર (મૂળ પાટલિપુત્ર) નું વર્ણન નગરવર્ણનની મધ્યકાલીન પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું છે. નગરના રાજા નંદનો પરિચય અને તેમના બ્રાહ્મણમંત્રી શકટાલ અને તેની પત્ની લાછલદેવી (લાચ્છલ દે)ને ઘેર સ્થૂલિભદ્રના જન્મપ્રસંગ આગળ કવિ પહેલો અધિકાર પૂરો કરે છે.
બીજો અધિકાર પણ સરસ્વતીની સ્તુતિથી આરંભાય છે. સ્થૂલિભદ્રના જન્મમહોત્સવનું વર્ણન, શૈશવ-ઉછેર-વિદ્યાભ્યાસ વગેરે વિગતો સાથે માતાપિતાના વાત્સલ્યનું સ્થૂલિભદ્રના વૌવનસંક્રમણનું તેમજ વનવિહારનું વર્ણન વિશેષ નોંધપાત્ર છે.
આ પછી, સ્થૂલિભદ્રના કોશાને ત્યાં આગમનથી માંડીને સ્થૂલિભદ્ર-કોશાનો પ્રેમ સંવાદ, સ્થૂલિભદ્રને રીઝવવાના કોશાના પ્રયાસો, બન્નેના ભોગવિલાસ અને રંગરાગનાં વર્ણનો સાથે બીજો અધિકાર પૂરો થાય છે.
ત્રીજા અધિકારમાં, આરંભે, રાજખટપટને કારણે રાજા શકટાલના મૃત્યુનો નિર્દેશ છે, શ્રીયક રાજ્યના મંત્રીપદનો પ્રસ્તાવ લઈ મોટાભાઈ સ્થૂલિભદ્રને તેડવા આવે છે. સ્થૂલિભદ્રનું જીવનની સાર્થકતા વિશેનું મનોમંથન પિતાના મૃત્યુની પશ્ચાદભૂમાં આરંભાય છે. કોશા તેમને ન જવા વિનંતી કરે છે. કોશાને સમજાવી ધૂલિભદ્ર રાજસભામાં આવે છે, ને મંત્રીપદનો અસ્વીકાર કરે છે. રાજખટપટ સ્ત્રી-આસક્તિ વગેરેનું ચિંતન કર્યા પછી તે વૈરાગ્ય સ્વીકારવાનો નિર્ણય કરે છે. સૌ રાજપુરુષો એને ઠપકો આપે છે. આ બાજુ કોશા વિરહવેદના અનુભવે છે.
આ પછી સ્થૂલિભદ્રનું ગુરુને ત્યાં આગમન, શાસ્ત્રાભ્યાસ, ચાતુર્માસ ગાળવા માટે કોશાના ઘરની પસંદગી, ગુરુની ચેતવણી તથા આદેશ, સાધુવેશે યૂલિભદ્રનું કોશાને ત્યાં આગમન, કોશાનો આનંદ તથા તેણે કરેલા સ્વાગત વગેરેનું વીસ કડી (છંદ)માં સંક્ષિપ્ત વર્ણન સાથે ત્રીજો અધિકાર પૂરો થાય છે.
આ અધિકારમાં, સ્થૂલિભદ્રનો સંયમ સ્વીકાર અને કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા માટે ગુરુઆજ્ઞાનો પ્રસ્તાવ - આ બે મુખ્ય પ્રસંગોને આધારે કવિ સ્થૂલિભદ્રના મનોસંઘર્ષના તથા દઢ સંકલ્પશક્તિના તો બીજી બાજુ કોશાની વિરહવેદના ને હૃદયવ્યથાના કાવ્યાત્મક વર્ણન માટે સર્જનશક્તિને પ્રયોજે છે.
ચોથા- અંતિમ અધિકારમાં સાધુવ્રતધારી ધૂલિભદ્રને પુન મોહ પમાડવાના રીઝવવાના કોશાના પ્રયાસો ને તે કારણે સ્થૂલિભદ્ર કોશાને ઉપદેશ વચનોથી પ્રતિબોધ પમાડે છે તેનું આલેખન થયું છે.
સ્થૂલિભદ્ર સંયમશીલની કપરી કસોટી પાર કરી ગુરુ પાસે જાય છે. ગુરુ અન્ય