________________
૬૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
થતો. મધ્યકાળનું સાહિત્ય ધાર્મિક કે સામાજિક રૂઢિમાંથી ઉદ્ભવ્યું હોવા છતાં એમાં રસ, આલેખનરીતિ તથા વસ્તુમાં સારા પ્રમાણમાં વિવિધતા રહેતી.
n
ઉપર મધ્યકાળના મહત્ત્વના સાહિત્યપ્રકારોનો પરિચય કરાવ્યો છે. તેમ છતાં, એ સમયમાં પ્રચલિત અસંખ્ય પ્રકારો વિશે વિગતે લખવું અહીં શક્ય નથી. જૈન સાહિત્યનો પરિચય આપતા લેખોમાં તેમજ અન્યત્ર પણ કેટલાક સાહિત્યપ્રકારો વિશે તે તે સ્થળે નિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં, સંક્ષેપમાં, કેટલાક પ્રકીર્ણ પ્રકારોનો ઉલ્લેખ કરીશું.
મધ્યકાળમાં ‘સલોકા સાહિત્ય' સારી પેઠે ખેડાયું છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' અને ‘જૈન ગૂર્જર કવિઓ', ‘સલોકાનો સંચય' (હી. ૨. કાપડિયા) તથા પ્રાચીન કાવ્યો કી રૂપ-પરમ્પરા' (અગરચંદ નાહટા) જેવાં પુસ્તકો જોવાથી એની પ્રતીતિ થશે. હરિવલ્લભ ભાયાણીએ કવિ શામળ ભટ્ટ રચિત ‘રૂસ્તમનો સલોકો’ ના સંપાદનની ભૂમિકામાં સલોકાસૂચિ આપી છે. એમાં આ કાવ્યપ્રકારની જૈન તથા જૈનેત૨ કૃતિઓ વિશે નોંધ છે.
‘સલોકો’ એ સંસ્કૃત શ્તો ૫૨થી સલોક-શલોક-સલોકો-શલોકો એ રીતે ઊતરી આવ્યો છે. મધ્યકાળમાં પદ્યબદ્ધ શૌર્યસ્તુતિના સ્વરૂપની રચના માટે આ શબ્દ પ્રયોજાયો છે. ‘ભાણનો સલોકો’, ‘રૂસ્તમનો સલોકો’, ‘રણછોડજીનો શલોકો’માં ઐતિહાસિક પ્રસંગ સાથે સંબદ્ધ વ્યક્તિની પદ્યબદ્ધ શૌર્યસ્તુતિ છે. આપણા પ્રબંધ અને પવાડાનો એ વારસ છે. પરંતુ આપણે ત્યાં ઘણી જ્ઞાતિઓમાં લગ્નાદિ ઉત્સવ પ્રસંગે શલોકા' બોલવાનો રિવાજ છે. એ પ્રસંગે પ્રાસબદ્ધ પંક્તિઓમાં જાહેરમાં પ્રશસ્તિગાન થાય છે. એક વ્યક્તિ લયબદ્ધ રીતે એક કડી બોલે અને સામેથી હોકારાનો લલકાર થાય એવી પદ્ધતિ એમાં હોય છે. માંહ્યરામાં વ૨ તેમજ કન્યા તરફથી એવા સલોકા બોલાતા. કવિ પ્રભુરામે ‘રામવિવાહના શલોકા’ લખેલા છે. ‘વર્ણક-સમુચ્ચય’માં પણ એવી એક કૃતિ સંગ્રહાઈ છે. વિદ્યા અને ચાતુરીની કસોટી માટે બોલાતા આવા શ્લોકો ક્રમેક્રમે પ્રાસબદ્ધ લયરચના તરીકે વિકસીને ફટાણાંની જેમ મહેણાં-ટોણાંવાળા બન્યા હોય એ સંભવિત છે. તેમ છતાં, ઉપલબ્ધ કૃતિઓ પરથી કહી શકાય કે રામવિવાહનો સલોકા’ જેવામાં દેવસ્તુતિને, ‘ભાણનો સલોકો’ (ગંગાદાસ), ‘રૂસ્તમનો સલોકો', ‘રણછોડજીનો સલોકો' (શામળ) જેવી કૃતિઓમાં વ્યક્તિની પરાક્રમસ્તુતિને મહત્ત્વ મળ્યું છે. આથી ‘સલોકો' અને પવાડો' વચ્ચેનો ભેદ લગભગ નષ્ટ થયો. ‘રૂસ્તમનો સલોકો’ ‘રૂસ્તમનો પવાડો’ તરીકે પણ જાણીતો