________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૪૯
કા૨ણે આખ્યાન કહી શકાય નહિ, પણ ધર્મોપદેશના આશયથી કોઈ પણ કથા, અભિનયસહિત ગાઈને, કહેવાની હોય એટલી છૂટ મૂકીએ તો સમગ્ર ગુજરાતી આખ્યાનને આ વ્યાખ્યામાં સમાવી શકાય. અહીં જે અભિનયનો ઉલ્લેખ છે તે વાચિક અને આંગિક અભિનય છે, આહાર્ય (વેષભૂષા વગેરે) નહીં.
આખ્યાનની મહત્ત્વની લાક્ષણિકતા તે એની કડવાંબદ્ધતા. આપણાં બધાં આખ્યાનો કડવાંબદ્ધ છે. કડવું સંસ્કૃત શબ્દ ‘કડવક’ પરથી આવ્યો છે. આમ આપણાં આખ્યાનોનાં કડવાં કડવક' સંધિબદ્ધ કાવ્યોમાંથી ઊતરી આવ્યાં છે. આ કડવાંને પણ પોતાનું સ્વયંપર્યાપ્ત બંધારણ છે. સામાન્ય રીતે કડવું ત્રણ વિભાગમાં વિભક્ત થયેલું હોય છે :
૧. મુખબંધ : જે રાગમાં આખું કડવું ચાલવાનું હોય છે, તે રાગની વિષયપ્રવેશ કરાવતી એક કે બે-ચાર પંક્તિઓ. મુખબંધમાં પંક્તિઓની સંખ્યા વિષે કોઈ નિશ્ચિત નિયમો નથી. પ્રેમાનંદના ‘નળાખ્યાન'માં પ્રથમ કડવાંનો મુખબંધ દોઢ પંક્તિનો, દસમા કડવાનો એક પંક્તિનો અને પચીસમા કડવાનો ત્રણ પંક્તિનો છે. જ્યારે એના ‘ચન્દ્રહાસાખ્યાન’માં પહેલા કડવામાં મુખબંધ ચાર પંક્તિનો અને ઓગણીસમા કડવાનો મુખબંધ દસ પંક્તિનો છે.
૨. ઢાળ : એ મુખબંધ પછી એ જ રાગનો ઢાળ ચાલ, કે દોઢી નામનો કડવાંનો ભાગ છે. એમાં પ્રસંગનું કે ઘટનાનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું હોય છે.
૩. વલણ અથવા ઉથલો : કડવાનો અંતિમ ભાગ છે. જેની અમુક વિશિષ્ટતાઓ છે. એ બે પંક્તિનો હોય છે અને પ્રથમ પંક્તિમાં ઢાળમાં કે પૂર્વછાયા'માં દ્વિતીય પંક્તિનો ઉત્તરાર્ધ તે ઢાળ કે વલણની પંક્તિનો પૂર્વાર્ધ બને છે. જેમકે પ્રેમાનંદકૃત મામેરુ'માં–
ઢાળ
જો નહિ આવો સુંદરશ્યામ, તો નાગર સાથે કામ
વલણ
નાગર સાથે કામ છે...
આ રીતે એક તરફ મુખબંધ યા પૂર્વછાયો અને ઢાળનું તો બીજા તરફ ઢાળ વા પૂર્વછાયો અને વલણનું પારસ્પરિક અનુસંધાન રહેતું. ઘણીવાર વલણ એક કડવા