________________
૩૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
તે ગરબો અને ગરબી કહેવાયાં. બન્ને નવરાત્રીને સમયે ઠેરઠેર ગવાતાં. બન્ને શક્તિઉત્સવ જોડે સંકળાયેલાં હતાં. ગરબા નવરાત્રીને સમયે ગવાતા હતા તેનો ઉલ્લેખ મહિનાનાં કાવ્યોમાં થયો છે. પ્રેમાનંદની બારમાસીમાં આસો મહિનાનો ઉલ્લેખ આવતાં કહ્યું છે :
નવ રે દિવસ નવરાત્રીના ગોરી ગરબા ગાય.
રત્નેશ્વર અને રણછોડ ભક્તનાં બારમાસમાં પણ નવરાત્રીમાં ગરબા ગાવાનો ઉલ્લેખ છે. ગરબી વિષે દલપતરામે કહ્યું છે – “ગુજરાતનાં શહેરો અને ગામડાંમાં આસો મહિનાના પહેલા પક્ષમાં નવરાત્રીમાં) તે ગવાય છે. આમ ગરબો-ગરબી બને નવરાત્રીના શક્તિઉત્સવ જોડે સંકળાયેલાં હતાં.
ગરબો અને ગરબી મૂળ તો સ્વરૂપદર્શી નામ નથી પણ વસ્તુદર્શી નામ છે. ગરબો એટલે જેમાં છિદ્ર પાડ્યાં હોય એવો માટીનો ઘડો જે ગરબો કહેવાયો; અને દીવો પ્રગટાવવાની લાકડાની ઘોડીને ગરબી નામ અપાતું. એની આસપાસ વર્તુળાકારે ફરતાં ફરતાં જે ગીતો ગવાતાં તે પછીથી ગરબો અને ગરબી કહેવાયાં.
કૃતિનું ઓળખનું આંતઅમાણ આપણને ગરબામાં મળી રહે છે. જ્યારે ગરબીમાં મળતું નથી. ગરબો પૂલ સ્વરૂપનો હોવાથી, એ વિસ્તારવાળો હોવાથી એમાં મંગળાચરણ, ફળશ્રુતિ વગેરે હોય છે. અને ફળશ્રુતિમાં એ કૃતિ ગરબો છે એવો ઉલ્લેખ આવે છે. જયારે ગરબી લઘુરૂપ હોવાથી એમાં એ બધા માટે અવકાશ રહેતો નથી. ગરબીનું બંધારણ અને તેની રચના અત્યંત સુશ્લિષ્ટ હોય છે. એમાં એક જ ઊર્મિ કે એક જ પ્રસંગનું નિરૂપણ શક્ય છે. આ ઉપરાંત ગરબા અને ગરબીમાં એક મહત્ત્વનું પાર્થક્ય એ છે કે પુરુષો ગાય તે ગરબી અને સ્ત્રીઓ ગાય તે ગરબો'એમ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે. સામે પક્ષે ગરબો પુરુષ ગાય અને ગરબી સ્ત્રીઓ ગાય એવા લોકગીતના ગરબામાં આંતઅમાણો મળી રહે છે. ડોલરરાય માંકડ કહે છે, “આજે પણ તળ ગુજરાતમાં નવરાત્રિમાં ગવાય તેને ગરબા કહે છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં ગવાય તેને ગરબી કહે છે. હોય છે તો એનું એ જ વસ્તુ, એનાં એ જ કાવ્યો, પણ નામ પરત્વે બને પ્રદેશમાં આવો તફાવત છે.૧૫ આ બધું દર્શાવે છે કે ગરબાગરબીનો ગાનારની દ્રષ્ટિએ પણ ભેદ પાડવામાં આવ્યો
ગરબા અને ગરબીનો મૂળ સંબંધ દેવીભક્તિ જોડે હોવા છતાં ધીમેધીમે એનો વિસ્તાર થતાં વિષ્ણુ તથા કૃષ્ણભક્તિનો વિષય પણ એમાં આવરી લેવાયો. તેમ જ લોકગીતોમાં તથા વલ્લભ ભટના “કળિકાળનો ગરબો', 'કજોડાંનો ગરબો' તથા લોકગીતોની ગરબીમાં સમાજની સમસ્યાઓનું નિરૂપણ થતું ગયું, એથી સામાજિક