________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૪૧
સાંકડી શેરીમાં મામો સામો મળ્યા રે લોલ ભાણેજ દેખીને મામો સંતાઈ ગયા રે લોલ
અહીં પાત્રોનાં નામ જ પૌરાણિક જ છે. પૌરાણિક કથા જોડે એનો કશો સંબંધ નથી.
ગરબા ગરબીનો રચનાની દ્રષ્ટિએ વિચાર કરતાં, એમાં પ્રથમ સંવાદ આવે છે. સાદ્યન્ત સંવાદ તો ફકત ગરબીમાં જ હોય છે. ને એ સંવાદ કષ્ણ અને ગોપી વચ્ચે હોય છે. સ્થળ પનઘટ હોય છે. અથવા દાણને માટે રાધા કે ગોપીઓ જોડે કૃષ્ણ વાયુદ્ધમાં ઊતરે છે. અને બન્ને પક્ષોની વાક્ચાતુરીની હરીફાઈ ચાલે છે. જેમાં અંતે કષ્ણ જ જીતતા હોય છે. લોકસાહિત્યની એક ગરબીમાં રાજા અને ભીલડીનો સંવાદ છે. રાજા ભીલડીના રૂપ પર મુગ્ધ થયો છે, અને એને જાતજાતનાં પ્રલોભનો આપે છે. જેને ભીલડી તુચ્છકારે છે. જેમ કે –
તને રાજા બોલાવે રંગ ભીલડી મારી મેડિયું, જોવા આવરે – રંગ ભીલડી તારી મેડિયું જોઈ હું શું કરું મારે છાપરાં સવા લાખનાં – રંગ ભીલડી
પછી ભેંસો જોવા બોલાવે છે. ત્યારે એના પાડા સવાલાખ છે એમ કહે છે. મૂછો જોવા બોલાવે છે, ત્યારે ભીલડી એનાં પાડાનાં પૂછડાં એનાથી સારાં છે એમ કહે છે. આ સંવાદમાં બન્ને પાત્રોના વ્યક્તિત્વની લાક્ષણિકતા સુપેરે દર્શાવાઈ છે.
સંવાદ પછી સંદેશના સ્વરૂપ પર આવતાં એ સ્વરૂપ પણ ફક્ત ગરબીઓમાં જ મળે છે. કૃષ્ણ જશોદા તથા ગોપીઓને ઉદ્ધવ દ્વારા જ્ઞાનનો સંદેશો મોકલે છે. ત્યારે જશોદા તથા ગોપીઓ કૃષ્ણને ઉપાલંભ આપતો વળતો સંદેશ કૃષ્ણને મોકલે છે. ગોપી અને જશોદાના સંદેશમાં એમની કરુણ દશાનું ચિત્ર સુપેરે દર્શાવાયું છે.
સંદેશા પછી સ્તુતિના પ્રકાર પર આવતાં, ગરબા ગરબી બન્નેમાં વિવિધ દેવીદેવતાનાં મહિમાગાન હોય છે. કેટલીકવાર સ્તુતિમાં કવિઓને ઔચિત્યનું ભાન રહેતું નથી. વલ્લભ ભટ્ટના આનંદનો ગરબોમાં દેવીની સ્તુતિ કરતાં વિષ્ણુના દશાવતારનું આરોપણ દેવીમાં કર્યું છે. તો જીવરાજે “શંકરસ્તુતિમાં શંકરે દ્રૌપદીનાં નવસે નવાણું ચીર પૂર્યા એમ કહ્યું છે.
ગરબાગરબીની રચનાવિષયક ચર્ચા કરતાં એ લક્ષમાં રાખવાનું છે કે બન્ને સંઘનૃત્યનાં સ્વરૂપો હોવાને કારણે અને સંઘગાન હોવાને લીધે, એની રચના ગેયતામૂલક હતી, એથી પ્રાસ, યમક, ટેક, પાંદાન્ત અથવા પાકની મધ્યમાં “લોલ”