________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૨૯
એક રજૂ કરી પોતાની કરુણસ્થિતિ અસરકારકતાથી વ્યક્ત કરતી દર્શાવાઈ છે. એ કહે છે –
લીવું ને ગંડું મારું આંગણું પગલીનો પાડનાર ધોને રન્નાદે વાંઝિયા મેણાં માડી દોહ્યલાં પાણીડાં ભરીને ઊભી રહી છેડાનો ઝાલનાર ઘોને રન્નાદે – વાંઝિયાં. ધોયો ને ધફોલો મારો સાળુડો ખોળાનો ખુંદનાર ધોને રન્નાદે – વાંઝિયાં.
નીચેના લોકગીતમાં આરંભની બે પંક્તિઓમાં કવિએ ભૂમિકા બાંધી છે. અને પછી આખું કાવ્ય પતિ અને પત્નીના સંવાદરૂપે રજૂ થયું છે. સમપંક્તિમાં પત્નીની ઉક્તિ છે. તો વિષમ પંક્તિમાં પતિની :
લવિંગ કેરી લાકડીયે રામે સીતાને માર્યા જો
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો. પત્ની, પતિને કહે છે :
રામ તમારે બોલડિયે, હું પરઘેર દળવા જઈશ જો તો પતિ, એને વળતો ઉત્તર આપે છે.
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો. એમ સંવાદ આગળ ચાલે છે.
પદનું સૌથી અગત્યનું અંગ ધ્રુવપદ કે ટેકની પંક્તિ છે. થોડે થોડે અંતરે જે પંક્તિ ફરી ફરી ગવાતી તે ટેકની પંક્તિ કહેવાતી. આખી પંક્તિને બદલે કેટલીકવાર થોડા શબ્દનું જ પુનરુચ્ચારણ થતું ત્યારે એ શબ્દો ધ્રુવપદ કહેવાતા. જૈન કવિઓ ટેકની પંક્તિને આંકણી પણ કહેતા. ઘણીવાર ટેકની પંક્તિમાં જ મુખ્ય વિચાર આવતો હોય છે. પછીની પંક્તિમાં તો મુખ્ય વિચાર વ્યક્ત કરવા દ્રષ્ટાન્તો જ આપ્યાં હોય છે, જેમ કે નરસિંહનાં પદમાં પહેલી પંક્તિમાં વિચાર રજૂ કર્યો છે.
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં'
પછીની પંક્તિમાં એના સમર્થનમાં હરિશ્ચન્દ્ર, રામ, નળ વગેરેનાં દ્રષ્ટાન્તો આપ્યાં છે. આ કારણે ટેકની પંક્તિ અથવા ધ્રુવપદ, ઘણાં ચોટદાર હોવાં જોઈએ. નરસિંહના