Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ તે વખતે આ જાતની આ બધી ક્રિયાઓ તેઓમાં પ્રત્યક્ષરૂપે જોવામાં આવે છેઆ રીતે શ્રોતાઓ પણ તલ્લીન થઈને સાંભળવા માંડે છે. યોગ્ય સમયે તેઓ હાથ જોડવારૂપ કિયાએ પણ કરે છે. આ જાતની ક્રિયાઓથી ચક્ત હોવા બદલ તે વાંચનારા તેમજ સાંભળનારાઓમાં ને આગમતા પણ છે. કેમકે “રિયા ગામો હો” ક્રિયા આગમ માનવામાં આવતી નથી આ સિદ્ધાન્તનું કથન છે. “નો સામ” માં નો શબ્દ આગમના એક દેશને વાચક છે. એટલા માટે ક્રિયારૂપ એકદેશમાં આગમને સંપૂર્ણપણે અભાવ હોવાથી તેમાં આગમની એકદેશતા માનવામાં આવે છે. ભારત વગેરે ગ્રંથમાં આગમતાનું કથન લોકની અપેક્ષાથી જ કરવામાં આવ્યું છે કેમકે લોકમાં બીજા વ્યવહારી લેકે પણ એમાં આગમતારૂપ વ્યવહાર કરતાં જોવાય છે. આ રીતે પૂર્વ કે અપરાદ્ધમાં કોઈ પણ નિર્દિષ્ટ સમયમાં ભારત વગેરે ગ્રંથ ને જ્ઞાતા તેઓમાં ઉપયુક્ત થઈને જે તેમનું વાંચન વગેરે કાર્ય કરે છે અથવા તે જે શ્રોતાઓ ઉપયુકત થઈને તેમનું શ્રવણ કરે છે તે બધું વાંચન શ્રવણ વગેરે કાર્ય આગમની અપેક્ષાએ લૌકિક ભાવ આવશ્યક છે.
જે ચરક, ચીરિક વગેરે લોકે ઉપયુકત થઈને આવશ્યક કાર્યસ્વરૂપ ઈયા. અંજલિ, હેમ, જપ, ઉદુરુકક અને નમસ્કાર વગેરે ભાવરૂપ આવશ્યકત કરે છે, તેઓના આ બધા કાર્યો કુમારચનિકભાવ આવશ્યક છે. સંધ્યાની ઉપાસના કરવી એ ઈજ્યા છે, સૂર્યને માટે પાણીની અંજલિ આપવી તે અંજલી છે, દરરોજ હવન કરવું તે હમ, ગાયત્રી પાઠ કરે તે જ૫ અને ધૂપ કરે તે ઉદુરુક્ત અને નમસ્કાર એ વંદના કર્મ છે. આ બધા કાર્યો ચરક વગેરે લેકે વડે હમેશાંઅવશ્ય કરવાગ્ય હોય છે. એટલા માટે આમાં તેમની માન્યતા મુજબ જ આવશ્યકપણું કહેવામાં આવ્યું છે. એમના આચરણથી તેમના હૃદયમાં તેના અર્થ પ્રત્યે ઉપગ અને શ્રદ્ધા વગેરે ૩૫ પરિણતિ ને સદૂભાવ મળે છે. આ અપેક્ષાએ ત્યાં ભાવતા અને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૫૭