________________
પ્રસ્તાવના - શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ આરાધના નામના પુસ્તકો શ્રી ઉગમરાજ ભંવરલાલાજી શાહજી પરિવાર તરફથી પ્રકાશીત થતાં આનંદની અનૂભુતિ થાય છે કે આપણા ચોવીશે ચોવીશ તીર્થકરોમાં સર્વશ્રેષ્ઠ અદિય નામ કર્મના પ્રબલ ઉપાર્જક, વચન સિદ્ધ, સ્મરણમાત્ર થી દુઃખ અને દર્દ-પીડા પાન શમી જાય, એવા પાર્શ્વનાથ ભગવંતના આ ભારતની ધરતી પર એમના નામના ૧૦૮ (એકસોને આઠ) તીર્થો પ્રસિદ્ધ છે. વ્યક્તિ તરીકે એકજ પરંતુ વ્યક્તિના નામ ૧૦૮. જરાક કલ્પના કરો તો સહજ પણે ખ્યાલ આવી જાય કે આ જગતમાં પાર્શ્વનાથ ભગવંતનો આભા કેવો જબરજસ્ત પુણ્ય ઉપાર્જન કરી આરાધના અને સાધના ઉપાસનાના બળે વીશસ્થાનક તપની વિશિષ્ઠ કોટીની આરાધના તથા જગતના સર્વ જીવોને સુખી કરૂં, સુખ આપું, સુખી બનાવવામાં નિમિત્ત બનું એ ભાવનાના બળે જ આ, આત્મા તીર્થંકર નામ કર્મ, જબરજસ્ત પુણ્ય કર્મ સાથે અદિય નામ કર્મ સાથે નિકાચીત કર્યું, કે આ આત્માના જન્મના અવસરે જગતમાં જેટલી પણ વિધમાન એટલી પુયરાશી એકત્રિત થઈ કે, જેના પ્રભાવે આ આત્મા જબરજસ્ત કોટીના અદિય નામ કર્મના પ્રભાવે જ્યાં પણ વિચરે કે તરતજ આ આત્માના નામે તીર્થની સ્થાપના થઈ જાય, અત્યારે પણ આપ જોતા જ હશો કે ભારતમાં સૌથી વધુ તીર્થો પાર્શ્વનાથ ભગવંતના નામે જ જોવા મળે છે. એની પાછળ કોઈપણ કામ કરતું હોય તે એકજ એમનું આય નામ કર્મ કે જે આત્માનો નામ લેવા માત્ર થી પરમ શાંતિ સંતોષ અને આધિ-વ્યાધિ, ઉપાધિના બંધનોમાંથી છૂટકારો