Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004666/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત સાધુસાધ્યદ્વાઝિશિકા શબ્દશઃ વિવેચન છઠ્ઠી બત્રીશી વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Private & Personal Use Ontys jainen Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયાજી મહારાજ વિરચિત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા અંતર્ગત સાધુસામગ્રદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન * મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર * લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષગ્દર્શનવેત્તા પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ગણિવર્ય પરમપૂજ્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ * વિવેચનકાર * પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૭ સંકલન-સંપાદનકારિકા ૭ પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ ૫. પૂ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની તથા ૫. પૂ. પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી ચંદનબાલાશ્રી : HSIRIS : તાર્થ: ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ સાધુસામથ્યાત્રિશિકા શબ્દશઃ વિવેચન - વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ વિ. સં. ૨૦૧૩ આવૃત્તિ : પ્રથમ ક નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૫૦-૦૦ coooooooooooooooooooooooooooooooooooooooooooooooos * આર્થિક સહયોગ - શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સુરત. પરમપૂજ્ય મહારાષ્ટ્રદેશોદ્ધારક સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, અધ્યાત્મયોગી, પ.પૂ.પં.પ્ર.શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન, મધુરભાષી પ.પૂ.આ.ભ.શ્રીમવિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તથા વાત્સલ્યનિધિ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પ્રવચનકાર પૂ. મુ. શ્રી યુગપ્રભવિજયજી મ.સા. ના સદુપદેશથી ગ્રી પ્રકાશનનો સંપૂર્ણ લાભ જ્ઞાનખાતાની રકમમાંથી લેવામાં આવ્યો છે. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : (પ) સાતા વાડી પ, જૈન મર્ચન્ટ સોસાયટી, સ્નેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક * મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન * અમદાવાદ : ગીતાર્થ ગંગા” શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. 8 (૦૭૯) ૨૬૪૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ ૨ (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ * મુંબઈ : નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના વેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ ૪ પૂના : શ્રી લલિતભાઈ ધરમશી Shri Maheshbhai C. Patwa ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, 1/14, Vrindavan Society, B/h. Mira Society, જવાહરલાલ નહેરુ રોડ, Nr. Anand Marg, સર્વોદય પાર્શ્વનાથનગર, Off. Shankar Sheth Road, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. Pune-411037. 8 (૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ = (020) 6456263 - રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. = (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. = (080) (O)22875262, (R) 22259925 ૯ જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ,જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧OOR. (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે ૫. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલા વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. - -- Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ગુજરાતી વ્યાખ્યાનકાર :- ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા 3. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદૃષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય . ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો Page #7 -------------------------------------------------------------------------- ________________ ક જ માથા નાજિત કરી ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો (હિન્દી) व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना २. चित्तवृत्ति ३. श्रावक के बारह व्रत एवं विकल्प ४. प्रश्नोत्तरी संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ 8835 ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો ગુજરાતી વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક વિરાધક ચતુર્થંગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદૃષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાત્રિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાત્રિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાત્રિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન * Page #9 -------------------------------------------------------------------------- ________________ E દ્વાચિંશદ્વાચિંશિકા ગ્રંથની “સાધુસામગ્ગદ્વાáિશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકડાન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા: વિશ્વકલ્યાણકર શ્રીજિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપ૨દર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃતસચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં એક Master Piece ઉત્તમ નમૂનારૂપ, જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી વિશદ છણાવટવાળો, તથા પ૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત, મનનીય, તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ “દ્વાત્રિશત્ ધાર્નાિશિકા' ગ્રંથ પૂ. ઉપાધ્યાયજીની એક અમર કૃતિ છે. આ પ્રાસ્તાવિક લખાણમાં ગ્રંથકાર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા અંગે કાંઈક લખવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે ત્યારે એમ થાય છે કે મહોપાધ્યાયજીના જીવનકવનથી કોણ અપરિચિત છે ? આમ છતાં એમના પ્રત્યેની અપાર ભક્તિથી પ્રેરાઈને એમના જીવનકવન વિષે કાંઈક લખવાનો પ્રયાસ કર્યો છે. એમના યોગમાર્ગ-અધ્યાત્મમાર્ગગર્ભિત ગ્રંથોનું જેમ જેમ વાચન થતું જાય છે, તેમ તેમ એ પ્રજ્ઞાધન, મકૃષ્ટ પ્રજ્ઞાવંત મહાપુરુષ પ્રત્યે હૃદય ઓવારી જાય છે. આ કાત્રિશદ્દ્ધાત્રિશિલા નામના ગ્રંથમાં પૂજ્યશ્રીએ અપૂર્વહૃદયંગમ-રોચક સર્વજ્ઞકથિત અનેક તાત્ત્વિક પદાર્થો ઉપર તાર્કિક શૈલીના નિરૂપણપૂર્વક, અનેક આગમગ્રંથો, તેમજ સૂરિપુરંદર પૂજ્ય આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિ મહારાજ રચિત યોગગ્રંથો, મહર્ષિ પતંજલિ મુનિ રચિત પાતંજલ યોગસૂત્ર આદિ અનેક ગ્રંથોના ઉદ્ધરણપૂર્વક, અપૂર્વ પ્રકાશ પાથર્યો છે. ગુજરાતના નાનકડા કનોડા ગામમાં એમનો જન્મ થયો હતો. આવા મહાપુરુષને જન્મ આપનાર રત્નકુક્ષિ માતા “સોભાગ્યદેવી' સૌભાગ્યશાલિની હતાં, અને Page #10 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના પિતા ‘નારાયણ’ના આ પનોતા પુત્ર જસવંતકુમારને પોતાના સહોદર પદ્મસિંહની સાથે જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પાટપરંપરામાં આવેલા પંડિત શ્રી નયવિજયજી મહારાજ પાસે સંવત-૧૯૮૮માં સુયોગ્ય માતાપિતાએ પારમેશ્વરી પ્રવ્રજ્યા અપાવી હતી. શૈશવકાળમાં જ શ્રવણમાત્રથી ભક્તામરને અણિશુદ્ધ કંઠસ્થ કરનાર આ મહાપુરુષ અવધારણ શક્તિના સ્વામી હતા. પદ્મસિંહમાંથી પદ્મવિજય બનેલા મુનિવરના આ સહોદરની બુદ્ધિપ્રતિભાથી અંજાયેલા ઉદારદિલ શ્રેષ્ઠી ધનજી સુરાએ વિશિષ્ટ અભ્યાસ માટે કાશીમાં ભણવા અંગેની સર્વ આર્થિક જવાબદારી ઉપાડી લીધી, અને ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં રહી કરેલા અભ્યાસથી પ્રગટેલી પ્રતિભાનો પરચો કાશીમાં જ બતાવી, પંડિતમૂર્ધન્યો પાસેથી ‘ન્યાયાચાર્ય’ અને ‘ન્યાયવિશારદ’નું બિરુદ પ્રાપ્ત કર્યું. પવિત્ર ગંગાનદીના કાંઠેડ઼ે કા૨ના જાપથી સરસ્વતીની કૃપાને પામેલા યશોવિજયજી મહારજાએ “ઐન્દ્ર” પદથી અંકિત અનેક ગ્રંથો રચ્યા, તો સ્વોપન્નવૃત્તિ સહિત/ વૃત્તિરહિત પણ અનેક ગ્રંથો સર્જી આ પૂજ્યશ્રીએ અન્યકર્તૃક ગ્રંથો પર પણ વૃત્તિઓ-અવસૂરિઓ રચી છે. સંસ્કૃત ભાષાને સમૃદ્ધ કરનારા આ મહાત્માએ સ્તવન, સજ્ઝાય, ઢાળ, ટબા વગેરે રચનાઓથી ગુર્જર ગિરાને પણ ગુણવંતી બનાવી ગૌરવાન્વિત કરી છે. સંઘના આગ્રહથી પૂજ્ય દેવસૂરિ મહારાજાની આજ્ઞાથી ૧૭૧૮માં ઉપાધ્યાયપદથી અલંકૃત થયેલા આ મહાપુરુષે ૧૭૪૩માં ડભોઈ મુકામે અનશનપૂર્વક છેલ્લો શ્વાસ મૂક્યો. એવા આ પરમ મહાપુરુષ રચિત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથની ૬ઠ્ઠી સાધુસામગ્ય બત્રીસીમાં સાધુનો સંપૂર્ણ ધર્મ કઈ રીતે પૂર્ણતાને પામે છે અર્થાત્ ક્ષાયિક ભાવના ચારિત્રની કઈ રીતે પ્રાપ્તિ કરાવે છે તે બતાવેલ છે. પાંચમી જિનભક્તિ બત્રીસીમાં ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, તે દેશથી ધર્મરૂપ છે, અને દેશથી ધર્મનું સેવન કરીને સાધક આત્મા પૂર્ણ ધર્મને પ્રાપ્ત કરે છે. તેથી દેશથી ધર્મરૂપ જિનભક્તિ બત્રીસીના પ્રતિપાદન પછી તે જિનભક્તિરૂપ દ્રવ્યસ્તવથી સાધ્ય પૂર્ણ ધર્મરૂપ સાધુસામગ્ટને ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ માટે કરાય છે અને ભાવસ્તવ ભગવાનના વચનાનુસાર પૂર્ણ ધર્મના સેવનરૂપ છે, તેથી દ્રવ્યસ્તવથી સાધ્ય સર્વવિરતિ ધર્મ Page #11 -------------------------------------------------------------------------- ________________ સાધુસાચ્ચઢાત્રિશિકા/પ્રસ્તાવના છે, અને તે સર્વવિરતિ ધર્મના સામર્થ્યની=ક્ષાયિકભાવરૂપ ચારિત્રની, પ્રાપ્તિ કઈ રીતે થાય તેનું સચોટ, તર્કસંગત, અષ્ટક ગ્રંથના ઉદ્ધરણોપૂર્વકનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સાધુસામગ્સ બત્રીશીમાં કરેલ છે. સાધુમાં ધર્મનું સમગ્રપણું છે અને તે પૂર્ણ ધર્મરૂપ સામર્થ્ય – (૧) ભગવાનના વચનાનુસાર યથાર્થબોધ હોવાને કારણે જ્ઞાનીભાવ, (૨) સર્વસંપન્કરી ભિક્ષાને કારણે ઉચિત યોગમાં પ્રવૃત્તિરૂપ ભિક્ષુભાવ, અને (૩) જગતના પદાર્થોનો યથાર્થ બોધ હોવાને કારણે વૈરાગ્યથી વિરક્ત ભાવસ્વરૂપ છે. પ્રસ્તુત બત્રીસીમાં (૧) વિષયપ્રતિભાસ જ્ઞાન, (૨) આત્મપરિણામવત્ જ્ઞાન અને (૩) તત્ત્વસંવેદન જ્ઞાન, એમ ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ; ત્રણ પ્રકારના જ્ઞાનને જાણવાનાં લિંગો (૧) સર્વસંપન્કરી ભિક્ષા, (૨) પૌરુષની ભિક્ષા અને (૩) વૃત્તિ ભિક્ષા, એમ ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ અને એ ત્રણ પ્રકારની ભિક્ષા કોને કોને હોય તેનું વર્ણન તથા (1) દુઃખાન્વિત વૈરાગ્ય, (૨) મોહાવિત વૈરાગ્ય અને (૩) જ્ઞાનાન્વિત વૈરાગ્ય,એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ બતાવેલ છે. ત્રણ પ્રકારના જ્ઞાનમાંથી તત્ત્વસંવેદન જ્ઞાન સાધુના સમગ્રભાવનું કારણ છે, તેમ સર્વસંપન્કરી ભિક્ષા સાધુના સમગ્ર ભાવનું કારણ છે, તેમ જ્ઞાનાન્વિત વૈરાગ્ય સાધુના સમગ્ર ભાવનું કારણ છે. પ્રસ્તુત બત્રીસીના છેલ્લા શ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્વયં કહ્યું છે કે “જે વિચારક જીવો સાધુની સમગ્રતાના કારણ એવા તત્ત્વસંવેદન જ્ઞાન, સર્વસંપન્કરી ભિક્ષા અને જ્ઞાનાન્વિત વૈરાગ્ય, આ ત્રણના પરમાર્થને જાણીને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે, તેઓ ક્રમે કરીને પરમાનંદ સ્વરૂપ મોક્ષના ફળને પામે છે.” પ્રસ્તુત બત્રીસીમાં પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજારચિત અષ્ટક પ્રકરણના અનેક ઉદ્ધરણો આપી ગ્રંથકારશ્રી મહોપાધ્યાયજી મહારાજાએ ત્રણ પ્રકારનાં જ્ઞાનોનું, ત્રણ પ્રકારની ભિક્ષાનું અને ત્રણ પ્રકારનાં વૈરાગ્યનું રસાળ, રોચક પદ્ધતિથી જે વર્ણન કરેલ છે, તેનો વાચકવર્ગને આ સાધુસામગ્સ દ્વાત્રિશિકાના ટીકા-ટીકાર્ય-શબ્દશઃ વિવેચનના વાચનથી સ્વયં ખ્યાલ આવશે કે ૩૨ શ્લોકની આ ધાત્રિશિકામાં કેવા કેવા રોચક અપૂર્વ તાત્ત્વિક પદાર્થોનું વર્ણન ગ્રંથકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ જ સાધુસામર્થ્યદ્વાર્ગિશિકા/પ્રસ્તાવના મારી નાદુરસ્ત તબિયતના કારણે જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરવાસ કરવાનું થયું છે, તે દરમ્યાન જીવનનું કાંઈક સદ્ભાગ્ય સમજું છું કે સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ પાસે યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોના વાચનનું સદુઆલંબન સાંપડ્યું. આગમોના સારભૂત કહી શકાય એવા અને જે ગ્રંથોમાં યોગમાર્ગને સાંગોપાંગ આવરી લેવાયો છે, એવા અનેક ગ્રંથોનું ક્રમશ: વાચન ચાલી રહ્યું છે. સાથે સાથે એ વાચનની સંકલના પણ રોજેરોજના પાઠની સ્વ સ્વાધ્યાય માટે કરીએ છીએ, અને તૈયાર થયેલી સંકલનાઓ, અનેક તત્ત્વજિજ્ઞાસુ વર્ગને આવા ઉત્તમ ગ્રંથો વાચવાની સુગમતા રહે એ દૃષ્ટિથી ટીકા-ટીકાર્ય-શબ્દશઃ વિવેચન સહિત, વચ્ચે વચ્ચે જોડાણ માટે અનેક ઉત્થાનો આપવાપૂર્વક ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે. ઘણા શ્રમથી સાધ્ય આ સઘળું કાર્ય હોય છે, છતાં પરમાત્માની અચિંત્યા કૃપાશક્તિ, યોગમાર્ગસંદર્શક ઉપકારી પૂજ્ય ગુરુવર્યોની સતત વરસતી કૃપાદૃષ્ટિ, અનેક તત્ત્વજિજ્ઞાસુ વર્ગની સંભાવનાઓ, આ બધાના ફળસ્વરૂપે, નાદુરસ્ત તબિયતમાં પણ વૈરાગ્યવર્ધક-સંવેગવર્ધક આ ગ્રંથોની શ્રુતભક્તિરૂપે જે આ કાર્ય થયું છે, અને તેનાથી વિશેષ તો છેલ્લા ૧૦ વર્ષોથી યોગગ્રંથોના શ્રવણમનન-ચિંતન વગેરે કારણે યોગમાર્ગ પ્રત્યે મને જે રુચિ ઉલ્લસિત થઈ છે, અને દેવ-ગુરુની કૃપાથી આવા મહામૂલા ગ્રંથોના વાચનથી જે યોગમાર્ગનો આંશિક બોધ પ્રાપ્ત થયો છે, તે પરિણતિના સ્તરે આ જન્મમાં કે છેવટે જન્માંતરમાં પણ સુદેવત્વ-સુમનુષત્વની પ્રાપ્તિ દ્વારા વિશેષ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ઉપકારક બને, એ જ ઉદ્દેશથી કરેલો આ પરિશ્રમ મારા માટે ખૂબ જ સાર્થક થયો છે. નાદુરસ્ત તબિયતમાં શરીર-સંયોગોની પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ આ ગ્રંથોના વિવેચનના પાઠ-લેખનના કાર્ય દ્વારા પ્રસન્નતા જળવાઈ રહી છે અને ખરેખર ! ચિત્તની પ્રસન્નતા માટે ઉત્તમોત્તમ આ યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોના સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય પ્રસ્તુત બત્રીસીના શ્લોક-૩૨માં મહોપાધ્યાયજી ભગવંતે કહ્યું તેમ મોક્ષના અર્થી એવા મને અને મોક્ષના અર્થી એવા સૌ કોઈને શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ કરાવે; તેમ જ પૂ. મહોપાધ્યાયજી ભગવંતે જે કહ્યું કે મુનિના સ્વરૂપને Page #13 -------------------------------------------------------------------------- ________________ સાપુતામસ્યદ્વાલિંશિકા/પ્રસ્તાવના જાણીને ગીતાર્થના સંગને કરનાર મતિમાન એવા સાધુ ત્રણ પ્રકારની શુદ્ધિથી ધર્મને આચરતા પરમાનંદને પામે છે, એ પરમાનંદપદની પ્રાપ્તિ મને અને પરમાનંદપદની પ્રાપ્તિના અર્થી સૌ કોઈને થાય એ જ એકમાત્ર ઉદ્દેશથી કરેલ છે. આ સાધુસામથ્યાત્રિશિકાના ગુજરાતી વિવરણના મૂકસંશોધન કાર્યમાં હૃતોપાસક શ્રી શાંતિભાઈ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેમણે પણ આવી ઉત્તમ કાત્રિશિકાના વાચનનો-પ્રૂફસંશોધનનો લાભ મળવા બદલ કૃતાર્થતા વ્યક્ત કરેલ છે. પ્રસ્તુત દ્વાત્રિશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ' માંગું છું. પ્રાંતે સાધુસામર્થ્યને પ્રાપ્ત કરવા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને આ સંકલન-આલેખનકાર્ય અનુભવમાં પલટાય કે જેથી યોગીનાથ એવા પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામી, તત્ત્વસંવેદનશાનથી જ્ઞાનીભાવ, સર્વસંપન્કરી ભિક્ષાથી ભિક્ષુભાવ અને જ્ઞાનાન્વિત વૈરાગ્યથી વિરક્તભાવરૂપ મુનિની સમગ્રતાના સ્વરૂપને જાણીને, ગીતાર્થને પરતંત્ર બની, ત્રણ પ્રકારની શુદ્ધિથી ધર્મનું આચરીને ક્રમસર અસંગભાવને પામી, ક્ષાયિકભાવના ચારિત્રને પ્રાપ્ત કરી, પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ મને અને સૌ કોઈ યોગમાર્ગના આરાધક ભવ્ય જીવોને થાય એ જ શુભકામના. - જાપામતુ સર્વગીવાળામ” - વિ. સં. ૨૦૬ર, ચૈત્ર સુદ-૧૩, વ્યાખ્યાનવાચસ્પતિ પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મંગળવાર, તા. ૧૧-૪-૨૦૦૬ મહારાજના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. એફ-૨, જેઠાભાઈ પાર્ક, હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા નારાયણનગર રોડ, પાલડી, પ. પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી અમદાવાદ-૩૮૦૦૦૭. મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ સાધુસમસ્યદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાદિંશદ્વાäિશિકા” ગ્રંથની ૬ઠ્ઠી ‘સાધુસામગ્ગદ્વાચિંશિકા’ના પદાર્થોની સંકલના દેશવિરતિના પાલનથી સાધ્ય વસ્તુ “સાધુનું સમગ્રપણુંછે, તેથી દેશવિરતિને બતાવનાર પાંચમી ભક્તિ બત્રીસી બતાવ્યા પછી છઠ્ઠી સાધુસામર્થ્ય બત્રીસી બતાવેલ છે. વળી સાધુ સમગ્ર પાપથી વિરામ પામેલા છે, તેથી અપેક્ષાએ સાધુ સંપૂર્ણ ધર્મને સેવનારા છે અને તે સંપૂર્ણ ધર્મનું સેવન ક્રમસર વૃદ્ધિ પામીને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય ત્યારે તે સાધુનો સંપૂર્ણ ધર્મ પૂર્ણતાને પામે છે. વળી સાધુના આ સંપૂર્ણ ધર્મનું પાલન જ્ઞાનીભાવથી, ભિક્ષાભાવથી અને વિરક્તભાવથી પૂર્ણતાનું કારણ બને છે, તે બતાવવા માટે પ્રથમ ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. (૧) વિષયપ્રતિભાસજ્ઞાન, (૨) આત્મપરિણતિમતજ્ઞાન અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાન એમ ત્રણ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ : વિષયપ્રતિભાસજ્ઞાન મિથ્યાદૃષ્ટિ જીવોને છે અને આ વિષય પ્રતિભાસજ્ઞાન ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં છે અને મિથ્યાત્વની મંદ અવસ્થારૂપ યોગની પ્રથમની ચાર દૃષ્ટિ સુધી પણ છે, છતાં યોગની ભૂમિકામાં પ્રવેશેલા પ્રથમની ચાર દૃષ્ટિવાળા યોગીઓમાં જે વિષયપ્રતિભાસજ્ઞાન છે, તે ક્ષણ-ક્ષીણતર થતું જતું આત્મપરિણામવતું જ્ઞાનને અભિમુખભાવવાળું છે. પ્રથમની ચાર દૃષ્ટિવાળા યોગીઓ જ્યારે સમ્યક્ત્વ પામે છે, ત્યારે તેમનું વિષયપ્રતિભાસજ્ઞાન જ આત્મપરિણામવાળું બને છે; અને સમ્યગ્દષ્ટિ જીવોમાં અવિરતિ છે, તેથી અવિરતિના પરિણામના સંશ્લેષવાળું એવું આત્મપરિણામવતુજ્ઞાન તત્ત્વસંવેદનજ્ઞાનરૂપ નથી, અને આ આત્મપરિણામવત્જ્ઞાન પાંચમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી છે, અને જ્યારે સંપૂર્ણ અવિરતિઆપાદકકર્મનો લયોપશમભાવ થાય છે, ત્યારે તે આત્મપરિણામવત્જ્ઞાન જ તત્ત્વસંવેદનશાન Page #15 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/સંકલના બને છે, અને આ તત્ત્વસંવેદનજ્ઞાન આત્મામાં તત્ત્વના સંસ્કારોનું આધાન કરીને પ્રકર્ષને પામતું પામતું ક્ષાયિકભાવને પામે ત્યારે ૧૨મા ગુણસ્થાનકમાં સંપૂર્ણ મોહના સ્પર્શ વગરનું મતિવિશેષરૂપ બને છે, અને જ્ઞાનાવરણીય કર્મોનો નાશ થાય છે ત્યારે આ તત્ત્વસંવેદનશાનના બળથી જ કેવલજ્ઞાન પ્રગટે છે, તેથી મુનિનું તત્ત્વસંવેદનજ્ઞાન સાધુના પૂર્ણભાવની પ્રાપ્તિનું કારણ છે, તેમ કહેલ છે. ત્રણ પ્રકારના જ્ઞાનથી ત્રણ પ્રકારની પ્રવૃત્તિ : (૧) વિષયપ્રતિભાસજ્ઞાનમાં નિષ્કપ પાપની પ્રવૃત્તિ થાય છે, (૨) આત્મપરિણામવતજ્ઞાનમાં સકંપ પાપની પ્રવૃત્તિ થાય છે અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાનમાં નિરવદ્ય પ્રવૃત્તિ થાય છે. ગુણસ્થાનકથી બહારના જીવોને વિષયપ્રતિભાસજ્ઞાન હોય છે, તે વખતે સંપૂર્ણ નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે. પ્રથમ ગુણસ્થાનકવર્તી ચાર દૃષ્ટિવાળા જીવોને પણ વિષયપ્રતિભાસજ્ઞાન છે, છતાં તેઓ કાંઈક અંશથી પાપપ્રવૃત્તિ કરતા નથી, અને જે પાપપ્રવૃત્તિનો તેમને બોધ છે, તે પોતે છોડી ન શકતા હોય તો તેને સકંપ કરે છે. અને સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે જે પાપપ્રવૃત્તિને પાપપ્રવૃત્તિરૂપે જાણી શકતા નથી, તેને નિષ્કપ કરે છે અને તેને આશ્રયીને વિષયપ્રતિભાસજ્ઞાનવાળામાં નિષ્કપ પાપપ્રવૃત્તિ કહેલ છે. આથી જ જિનશાસનને પામેલ હોય, સાધુવેશ ગ્રહણ કરેલ હોય અને અપુનબંધક દશામાં હોય ત્યારે તે સાધુ આરાધક હોય, છતાં સૂક્ષ્મબોધના અભાવને કારણે ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય નથી, તેથી અગુપ્તિકાળમાં તેમની પ્રવૃત્તિથી કર્મબંધને અનુકૂળ એવી હિંસા થાય છે, તે પાપપ્રવૃત્તિ છે, છતાં આ મારી પાપપ્રવૃત્તિ છે, તેવું જ્ઞાન નહિ હોવાથી નિષ્કપ પાપપ્રવૃત્તિ કરે છે. આનાથી એ ફલિત થાય છે કે આ પાપપ્રવૃત્તિ પાપપ્રવૃત્તિરૂપ છે અને મારા અહિતનું કારણ છે, તેવો બોધ જેમને હોય તે જીવ પાપપ્રવૃત્તિ કરે નહિ, અને કદાચ સત્ત્વનો પ્રકર્ષ ન થયો હોય અને તે પાપપ્રવૃત્તિ કરે, તો તે પાપપ્રવૃત્તિ અવશ્ય સકંપ હોય છે. આથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો જે જે પાપપ્રવૃત્તિને પાપપ્રવૃત્તિરૂપે જાણે છે, તે તે પાપપ્રવૃત્તિનો શક્તિ અનુસાર ત્યાગ કરે છે, Page #16 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/સંકલના ત્યાગ ન કરી શકે તો તે પાપપ્રવૃત્તિ સકંપ કરે છે; અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો સૂક્ષ્મબોધના અભાવના કારણે અંતરંગ પરિણામરૂપ જે પાપપ્રવૃત્તિને પોતે પાપપ્રવૃત્તિરૂપે જાણી શકતા નથી, તે અંતરંગ પરિણતિરૂપ પાપપ્રવૃત્તિ નિષ્કપ કરે છે. વળી સમ્યગ્દષ્ટિ જીવને સૂક્ષ્મબોધ હોય છે. તેથી જો શક્તિ હોય તો પાપપ્રવૃત્તિ કરે નહિ અને જે પાપપ્રવૃત્તિને છોડવા માટે તે સમર્થ નથી, તે પાપપ્રવૃત્તિ પોતે કરે છે, તોપણ આ પાપપ્રવૃત્તિ મારા હિતનું કારણ નથી, પરંતુ અહિતનું કારણ છે, તેવો સ્પષ્ટ બોધ હોવાથી જે કાંઈ પાપપ્રવૃત્તિ કરે છે, તે સર્વ પાપપ્રવૃત્તિ સકંપ કરે છે. આથી સમ્યગ્દષ્ટિ જીવને અસંગભાવને અભિમુખ એવું ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય એકાંતે હિતનું કારણ દેખાય છે, અને તે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યની વૃદ્ધિને અનુકૂળ સર્વ ક્રિયાઓ કલ્યાણનું કારણ દેખાય છે, અને તેનાથી વિપરીત સર્વ ક્રિયાઓ પાપપ્રવૃત્તિરૂપ દેખાય છે. આથી સમ્યગ્દષ્ટિ જીવ ગૃહસ્થ અવસ્થામાં હોય તો સંસારના આરંભ-સમારંભની પ્રવૃત્તિ સકંપ કરે છે, અને સાધુવેશ ગ્રહણ કરેલ હોય તેવા સંવિગ્નપાક્ષિક પણ ત્રણ ગુપ્તિને વ્યાઘાતક એવી જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ સકંપ કરે છે; પરંતુ જેમ અપુનબંધક અવસ્થાવાળા સાધુવેશધારી મુનિ સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે ત્રણ ગુપ્તિને વ્યાઘાત કરે એવી કેટલીક અંતરંગ પરિણતિરૂપ પાપપ્રવૃત્તિ કરતા હોય તો પણ તે પાપપ્રવૃત્તિ નિષ્કપ કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક મુનિ ત્રણ ગુપ્તિને વ્યાઘાત કરે તેવી કોઈ અંતરંગ પરિણતિરૂપ પાપપ્રવૃત્તિ કરતા હોય તોપણ તે પાપપ્રવૃત્તિ નિષ્કપ કરતા નથી, પરંતુ સકંપ કરે છે. વળી સર્વવિરતિધર સાધુ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા હોય છે અને ત્રણ ગુપ્તિની વૃદ્ધિ અર્થે જે કાંઈ ઉચિત ક્રિયાઓ કરે છે તે સર્વ શાસ્ત્રાનુસારી કરે છે, તેથી તેઓની સર્વ પ્રવૃત્તિ નિરવદ્ય છે. આથી ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા મુનિ સંયમની વૃદ્ધિ અર્થે યતનાપૂર્વક નદી ઊતરતા હોય ત્યારે પણ તેઓની નદી ઊતરવાની પ્રવૃત્તિ પાપપ્રવૃત્તિરૂપ નથી, પરંતુ સંયમની વૃદ્ધિ કરીને અસંગભાવને પ્રાપ્ત કરવાના ઉપાયની પ્રવૃત્તિરૂપ છે. આથી નદી ઊતરવાની ક્રિયા સકંપ પાપપ્રવૃત્તિરૂપ નથી, પણ નિરવઘ પ્રવૃત્તિ છે. વળી જો તે નદી ઊતરવાની ક્રિયા સમ્યગ્દષ્ટિ શ્રાવક કરતા હોય તો, આ નદી Page #17 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાત્રિશિકા/સંકલના ઊતરવાની ક્રિયા મારા સંસારના પ્રયોજનને અર્થે જીવહિંસાને અનુકૂળ પ્રવૃત્તિરૂપ છે, તેથી મારા અહિતનું કારણ છે, માટે મારે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ તેવી બુદ્ધિ છે. આમ છતાં તેવા પ્રકારના મોહને વશ તે પ્રયોજનને છોડી ન શકે તો નદી ઊતરવાની પાપપ્રવૃત્તિ કરે, તોપણ તે પાપપ્રવૃત્તિ સકંપ કરે છે. વળી સાધુને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળું તત્ત્વસંવેદન જ્ઞાન છે અને ત્રણ ગુપ્તિના પાલનને કારણે જેમ જેમ ત્રણ ગુપ્તિના સંસ્કારો ઘનિષ્ઠ થાય છે, તેમ તેમ ક્ષયોપશમભાવનો મુનિભાવ પ્રકર્ષવાળો બને છે અને ક્રમે કરીને આત્મામાં અનાદિથી સ્થિર થયેલા અગુપ્તિના સંસ્કારોનો નાશ થાય છે, ત્યારે સંપૂર્ણ મોહના સંસ્કારોનું ઉન્મેલન થાય છે. વળી જેમ તત્ત્વસંવેદન જ્ઞાનથી મોહના સંસ્કારોનું ઉન્મેલન થાય છે, તેમ આત્મામાં રહેલા મોહનીય કર્મનું પણ ઉમૂલન થાય છે, તેથી ક્ષાયિકભાવનું ચારિત્ર પ્રગટે છે અર્થાત્ ક્ષાયિકભાવની ત્રણ ગુપ્તિઓ પ્રગટે છે, તેથી મુનિ પૂર્ણભાવને પામે છે. સર્વસંપત્કરી ભિક્ષા સાધુના સમગ્રભાવનું કારણ - જેમ તત્ત્વસંવેદનજ્ઞાન સાધુના સમગ્ર ભાવનું કારણ છે, તેમ સર્વસંપન્કરી ભિક્ષા પણ સાધુના સમગ્ર ભાવનું કારણ છે, અને સર્વસંપન્કરી ભિક્ષા શું છે, તે બતાવવા માટે ત્રણ પ્રકારની ભિક્ષા પ્રસ્તુત બત્રીસીમાં બતાવેલ છે. (૧) સર્વસંપન્કરી ભિક્ષા, (૨) પૌરુષદની ભિક્ષા અને (૩) વૃત્તિ ભિક્ષા. (૧) સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ : સાધુ સર્વથા પરિગ્રહ વગરના હોય છે, તેથી સાધુને જેમ ધનાદિનો પરિગ્રહ નથી, તેમ દેહનો પણ પરિગ્રહ નથી; ફક્ત પોતાનામાં પ્રગટ થયેલા નિષ્પરિગ્રહ ભાવનો પ્રકર્ષ કરવા અર્થે દેહને ધારણ કરે છે, તેથી સંસારી જીવોનો, સમ્યગ્દષ્ટિ જીવોનો કે દેશવિરતિધરનો દેહ જેમ તે તે જીવો માટે પરિગ્રહરૂપ હોય છે, તેમ સાધુનો દેહ પરિગ્રહરૂપ નથી, પરંતુ ધર્મનું ઉપકરણ છે; કેમ કે, આ દેહથી સાધુ કોઈ ભોગમાં પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી દેહનું અવલંબન લઈને પોતાનામાં પ્રગટ થયેલા ત્રણ ગુપ્તિના પરિણામના પ્રકર્ષ માટે પ્રયત્ન કરે છે, માટે ધર્મના ઉપકરણરૂપ દેહના પાલન અર્થે સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે. તે ભિક્ષા પણ ભિક્ષાના સર્વ દોષના પરિહારપૂર્વક ધર્મના સાધનભૂત Page #18 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/સંકલના ૧૦ એવા દેહના ઉપષ્ટભ માટે સાધુ ગ્રહણ કરે છે, અને તે ભિક્ષાથી ઉપખંભ પામેલ દેહના બળથી પોતાનામાં પ્રગટ થયેલ તત્ત્વસંવેદનજ્ઞાનને પ્રકર્ષ કરવા સાધુ સમર્થ બને છે, તેથી તત્ત્વસંવેદનજ્ઞાનના પ્રકર્ષનું અનન્ય અંગ હોવાથી સાધુની ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા છે. (૨) પૌરુષપ્ની ભિક્ષાનું સ્વરૂપ: જે જીવો સાધુવેષ ગ્રહણ કરીને નિર્દોષ ભિક્ષામાં યત્ન કરતા નથી, તેમની ભિક્ષા પૌરુષની ભિક્ષા છે. વળી જે સાધુઓ ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર કરીને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે, છતાં તે ભિક્ષાથી પુષ્ટ થયેલ દેહને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યનો પ્રકર્મ કરવા માટે પ્રવર્તાવતા નથી, તેમનો દેહ યથાતથા પ્રવૃત્તિ કરીને આરંભ-સમારંભ કરે છે, અને તે આરંભ-સમારંભને પુષ્ટ કરનાર એવી તે ભિક્ષા છે, તેથી ભિક્ષાના સર્વ દોષોના પરિહારપૂર્વકની ભિક્ષા ગ્રહણ કરેલ હોય તોપણ તે પૌરુષની ભિક્ષા છે. વળી સંવિગ્નપાક્ષિક જીવો સાધુવેષમાં છે, અને સ્વશક્તિ અનુસાર સંયમની ક્રિયાઓ કરે છે, છતાં ભાવથી મુનિપણામાં નથી, તેથી તેમનો દેહ પરિગ્રહરૂપ છે; અને તે પરિગ્રહરૂપ દેહને ઉપખંભ કરનારી તેમની ભિક્ષા છે, તેથી તે ભિક્ષા સર્વસંપન્કરી કહી શકાય નહિ, તોપણ તે ભિક્ષા દ્વારા સંવિગ્નપાક્ષિક જીવો પોતાના સર્વીર્યનો નાશ કરતા નર્થ માટે તેમની ભિક્ષા પૌરુષMી ભિક્ષા પણ કહી શકાય નહિ, પરંતુ તેમની ભિક્ષા સર્વસંપન્કરીનું કારણ એવી દ્રવ્ય સર્વસંપન્કરી ભિક્ષા છે, તેમ કહી શકાય. આનાથી એ ફલિત થાય કે જે ભિક્ષા દીક્ષાના પરિણામની વિરોધી હોય તે ભિક્ષા પૌરુષની ભિક્ષા કહેવાય અર્થાત્ જે ભિક્ષાથી દીલાવરણીય કર્મનો= ચારિત્રાવરણ કર્મનો, બંધ થાય તે ભિક્ષા પૌરુષક્ની છે અને તેનાથી ધર્મનું લાઘવ થાય છે. સંવિગ્નપાક્ષિક જીવો ભિક્ષા ગ્રહણ કરીને પણ તેનાથી પુષ્ટ થયેલા દેહ દ્વારા દીક્ષાના આવારક કર્મોને તોડીને દીક્ષાની અનુકૂળ શક્તિનો સંચય કરે છે, અને જે સાધુ નિર્દોષ ભિક્ષા આદિમાં યત્ન કરતા હોય, છતાં સ્વશક્તિ અનુસાર તપ-સંયમમાં કે નવું નવું અધ્યયન કરીને સંવેગની વૃદ્ધિમાં ઉદ્યમ કરતા નથી, અને જો તેમની ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહ દ્વારા ત્રણ ગુપ્તિનો અભિમુખભાવમાત્ર પણ થતો ન હોય તો તેમની ભિક્ષા દીક્ષાવરણીય= Page #19 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્રંદ્વાત્રિંશિકા/સંકલના ચારિત્રાવરણીય, કર્મોને તોડવા સમર્થ નથી, પરંતુ દીક્ષાવરણીયચારિત્રાવરણીય, કર્મબંધને અનુકૂળ એવી તે ભિક્ષા છે, માટે તેમની ભિક્ષા પૌરુષની છે. (૩) વૃત્તિ ભિક્ષાનું સ્વરૂપ ઃ જે જીવો આજીવિકા કરવા માટે સમર્થ નથી, તેઓ ભિક્ષા દ્વારા પોતાના જીવનનો નિર્વાહ કરે છે, તે વૃત્તિભિક્ષા છે, અને આ વૃત્તિભિક્ષા જેમ દીનઅંધાદિમાં છે, તેમ કેટલાક સિદ્ધપુત્રાદિમાં છે; તેનું સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૨માં કરેલ છે. ૧૧ અહીં સાધુનું સમગ્રપણું બતાવવા માટે ત્રણ પ્રકારનાં જ્ઞાનો બતાવ્યાં. તેમા પ્રથમ વિષયપ્રતિભાસજ્ઞાન બતાવ્યું, પછી આત્મપરિણામવતુજ્ઞાન બતાવ્યું અને પછી તત્ત્વસંવેદનજ્ઞાન બતાવ્યું. વસ્તુતઃ સાધુ તત્ત્વસંવેદનજ્ઞાનવાળા છે, તોપણ સાધુના તત્ત્વસંવેદનજ્ઞાનને બતાવવા માટે ત્રણે જ્ઞાનોનું સ્વરૂપ બતાવ્યું. તેમાં પ્રથમ તત્ત્વસંવેદનજ્ઞાન બતાવવાના બદલે વિષયપ્રતિભાસજ્ઞાન બતાવ્યું; કેમ કે, અનાદિકાળથી જીવમાં વિષયપ્રતિભાસજ્ઞાન છે, અને તે વિષયપ્રતિભાસજ્ઞાન જ વિવેક ખુલે ત્યારે આત્મપરિણામવજ્ઞાન બને છે, અને તે આત્મપરિણામવત્જ્ઞાન જ સત્ત્વનો પ્રકર્ષ થાય ત્યારે તત્ત્વસંવેદનશાન બને છે. તેથી પ્રાપ્તિના ક્રમને સામે રાખીને તત્ત્વસંવેદનજ્ઞાનને અંતે કહેલ છે. વળી ભિક્ષાના વર્ણનમાં પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષા બતાવી, પછી બીજી પૌરુષની ભિક્ષા બતાવી અને ત્રીજી વૃત્તિભિક્ષા બતાવી. તેનું કારણ ભિક્ષાની પ્રાપ્તિ વૃત્તિભિક્ષાથી થતી નથી, પરંતુ વૈરાગ્ય પામેલ જીવ સંયમ ગ્રહણ કરે અને સત્ત્વશાળી હોય તો પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષા પ્રાપ્ત થાય છે. વળી કોઈ જીવ કોઈક રીતે વૈરાગ્ય પામીને સંયમ ગ્રહણ કરે, છતાં જો તે ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહ દ્વારા ગુપ્તિની વૃદ્ધિમાં ઉદ્યમ ન કરે તો તે ભિક્ષા આત્મકલ્યાણનું કારણ બનતી નથી, પરંતુ સત્પુરુષાર્થના નાશનું કારણ બને છે, તેથી સર્વસંપત્કરી ભિક્ષા બતાવ્યા પછી પૌરુષની ભિક્ષા બતાવેલ છે. વળી સંસારમાં સર્વ જીવો ભિક્ષાવૃત્તિ કરતા નથી, પરંતુ જેઓ આજીવિકા કરવા માટે અસમર્થ છે, તેઓ ભિક્ષાવૃત્તિ કરે છે, તે ભિક્ષાવૃત્તિ સર્વસંપત્કરી અને પૌરુષઘ્ની ભિક્ષા કરતાં જુદી છે, તે બતાવવા માટે ત્રીજી વૃત્તિભિક્ષા બતાવેલ છે, તેથી જ્ઞાનમાં જેમ તત્ત્વસંવેદનજ્ઞાનને ત્રીજું બતાવ્યું, તેમ ભિક્ષામાં સર્વસંપત્કરી ભિક્ષા ત્રીજી બતાવેલ નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાધુસામય્યદ્વાત્રિશિકા/સંકલના જ્ઞાનાન્વેિતવૈરાગ્ય સાધુના સમગ્રભાવનું કારણ : જેમ સાધુના સમગ્રભાવની પ્રાપ્તિમાં તત્ત્વસંવેદનજ્ઞાન સાક્ષાત્ કારણ છે અને સર્વસંપન્કરી ભિક્ષા તત્ત્વસંવેદનજ્ઞાનના ઉપખંભકરૂપે કારણ છે, તેમ જ્ઞાનાન્વિત વૈરાગ્ય પણ તત્ત્વસંવેદનજ્ઞાનના પ્રકર્ષમાં કારણ છે. તેથી સાધુમાં રહેલો વૈરાગ્ય જ ક્રમે કરીને સાધુના સામર્થ્યનું કારણ છે, તે બતાવવા અર્થે ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવેલ છે :(૧) દુઃખાવિત વૈરાગ્ય, (૨) મોહાન્વિત વૈરાગ્ય અને (૩) જ્ઞાનાન્વિત વેરાગ્ય. વૈરાગ્ય એટલે સંસારના વિષયોમાં ઈચ્છાનો અભાવ. (૧) દુઃખાન્વિત વૈરાગ્યનું સ્વરૂપ - જે જીવોને પોતાની ઈચ્છા અનુસારના ભોગોનો અલાભ થયો હોય અને તેના કારણે ત્યાગમાર્ગ ગમે, તેઓને વિષયોની અનિચ્છા ઉત્કટ નથી, પરંતુ અનુત્કટ છે; અને જેમને વિષયોની અનુત્કટ અનિચ્છા હોય તે દુઃખાવિત વૈરાગ્ય છે. (૨) મોહાન્વિત વૈરાગ્યનું સ્વરૂપ : જે જીવોને ભવનું નિર્ગુણ સ્વરૂપ દેખાયેલું છે, છતાં તત્ત્વને જોવામાં પરમ મધ્યસ્થ દૃષ્ટિ પ્રગટી નથી, તેથી એકાંતવાદને ગ્રહણ કરે છે, તે જીવોનો વિરક્તભાવ મોહાન્વિત વૈરાગ્ય છે. (૩) જ્ઞાનાન્વિત વૈરાગ્યનું સ્વરૂપ : જે જીવોને સ્યાદ્વાદનો યથાર્થ બોધ થયો છે અને સ્યાદ્વાદની દૃષ્ટિના ઉઘાડને કારણે સંસારનું યથાર્થ સ્વરૂપ દેખાય છે; અને સંસાર વસ્તુતઃ નિર્ગુણ છે, તેથી નિર્ગુણ એવા સંસારને નિર્ગુણરૂપે જોઈને ભવથી વિરક્ત થયેલા છે, અને તત્ત્વને જોવાની મધ્યસ્થ દૃષ્ટિ હોવાથી સંસારના વિષયોથી વિરક્તભાવ ઉત્કટ છે અને માર્ગાનુસારી છે, તેમનો તે વિરક્તભાવ જ્ઞાનાન્વિત વૈરાગ્ય છે. આ જ્ઞાનાન્વિત વૈરાગ્ય સાધુના સમગ્રભાવનું કારણ છે. વળી દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય સામગ્રીને પ્રાપ્ત કરીને જ્ઞાનાન્વિત વૈરાગ્યરૂપે પરિણમન પામે તો કલ્યાણનું કારણ બને, અન્યથા નહિ. વળી દુઃખાવિત વૈરાગ્યવાળા અને મોહાન્વિત વૈરાગ્યવાળા જીવોમાં અસદ્ગહ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સાધુસામગ્ગદ્વાત્રિશિકા/સંકલના દઢ ન હોય અને ગુણવાન પુરુષનો યોગ થાય તો ગુણવાન પુરુષને પરતંત્ર થઈને ગુણવાન પુરુષના આલંબનથી અસદ્ગહનું નિવર્તન કરી શકે છે, અને અસગ્રહનું નિવર્તન થાય ત્યારે તેમનો વૈરાગ્યભાવ જ્ઞાનાન્વિત બને છે. તેથી તેમનામાં જે દુઃખાન્વિત વૈરાગ્ય અને મોહાન્વિત વૈરાગ્ય હતો તે પણ અસદુગ્રહ મંદ હોવાને કારણે અને ગુણવાન પુરુષનો યોગ થવાને કારણે કલ્યાણનું કારણ બને છે. તે સિવાય અનિવર્તનીય અસદ્ગહવાળા જીવોનો દુઃખાન્વિત વૈરાગ્ય હોય કે મોહાન્વિત વૈરાગ્ય હોય તોપણ તે કલ્યાણનું કારણ નથી. આનાથી એ ફલિત થાય કે જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા જીવો ભગવાનના વચનને પરતંત્ર છે, અને ભગવાનના વચનાનુસાર ચાલનારા ગીતાર્થ પુરુષને પરતંત્ર છે, તેથી તેઓનો વૈરાગ્ય સાધુના સમગ્રભાવનું કારણ છે. વળી જે જીવોને દુઃખાન્વિત વૈરાગ્ય અને મોહાન્વિત વૈરાગ્ય થયો છે, તે જીવોને પણ ગુણવાન પુરુષનો યોગ થાય, અને પ્રકૃતિભદ્રક એવા તે જીવો ગુણવાનને પરતંત્ર થાય, તો તેમનો પણ વૈરાગ્ય ક્રમે કરીને સાધુના સમગ્રભાવનું કારણ છે, તેથી ગુણવાનનું પાતંત્ર્ય જ વૈરાગ્યના પ્રકર્ષ દ્વારા સાધુની પૂર્ણતાનું કારણ છે, એમ ફલિત થાય છે. વળી જે વિચારક જીવો સાધુની સમગ્રતાના કારણ એવા -- ૦ તત્ત્વસંવેદનજ્ઞાન, • સર્વસંપન્કરી ભિક્ષા અને • જ્ઞાનાન્વિત વૈરાગ્ય આ ત્રણના પરમાર્થને જાણીને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે, તેઓ ક્રમે કરીને પરમાનંદસ્વરૂપ મોક્ષના ફળને પામે છે. છબસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૨, ચૈત્ર સુદ-૧૩, મંગળવાર, તા. ૧૧-૪-૨૦૦૬, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધુસામર્થ્યાત્રિશિકા/અનુક્રમણિકા ૌ અનુક્રમણિકા હીં શ્લોકન, વિષય પાનાન સાધુમાં પૂર્ણધર્મરૂપ સામગ્ટનું સ્વરૂપ. ૧-૩ ત્રણ પ્રકારના જ્ઞાનોનું સ્વરૂપ. ૩-૧૧ વિષયપ્રતિભાસજ્ઞાન કોને હોય અને કેવું હોય તેનું વર્ણન. ૧૨-૧૩ આત્મપરિણામવત્જ્ઞાન કોને હોય અને કેવું હોય તેનું વર્ણન. ૧૬-૨૦ તત્ત્વસંવેદનજ્ઞાન કોને હોય અને કેવું હોય તેનું વર્ણન. ૨૧-૨૪ ત્રણ પ્રકારનાં જ્ઞાનોને જાણવા માટેનાં લિંગો. ૨૪-૨૮ નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ, આ ત્રણ પ્રકારનાં લિંગોનો ક્યાં ઉપયોગ છે તેનું વર્ણન. ૨૮-૩૮ (i) તત્ત્વસંવેદનના યોગથી સાધુને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિનું સ્વરૂપ. (ii) અંત્યબોધ થવા છતાં અંત્યબોધના સંસ્કારના અભાવમાં આકર્ષગામી મુનિનું સ્વરૂપ. (ii) તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટ્યા પછી તત્ત્વસંવેદનના સંસ્કારોનો અભાવ હોય અને ફરીથી તત્ત્વસંવેદનનો યોગ થવાની શક્તિનો પણ અભાવ હોય એવા મુનિનું સ્વરૂપ. ૩૯-૪૪ ૯. | ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ. ૧૦. | (i) સર્વસંપન્કરી ભિક્ષાનું સ્વરૂ૫. (ii) સંવિગ્નપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં સદા અનારંભિતાનો અસંભવ. ૪૭-૫૬ પૌરુષક્ની ભિક્ષાનું સ્વરૂપ. ૫૯-૬૦ ૧૨. | વૃત્તિભિક્ષાનું સ્વરૂપ. ૬૦-૬૫ ૪૫-૪૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૬-૧૭ સાધુસમસ્યદ્વારિત્રશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય બની ગઈ હતી. પાના નં. ૧૩. સર્વસંપન્કરી ભિક્ષાથી સાધુને ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણાની પ્રાપ્તિ. ૯૫-૯૮ ૧૪. સંકલ્પિત પિંડનું અગ્રાહ્યપણું હોતે જીતે સગૃહસ્થોના ઘરમાં ભિક્ષા ઘટે નહિ, એ સંબંધી પૂર્વપક્ષીની શંકા. ૬૯-૭૧ ૧૫. યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડને દુષ્ટ કહેતા જૈન સંપ્રદાય વડે અસંકલ્પિત પિંડરૂપ વિષય દુર્વ્યય થશે, એ પ્રકારે પૂર્વપક્ષીનું કથન. ૭૨-૭૬ (i) સંકલ્પિત પિંડ સાધુને અગ્રાહ્ય સ્વીકારવામાં પૂર્વપક્ષીએ શ્લોક-૧૪-૧પમાં આપેલા દોષોનું ગ્રંથકારશ્રી દ્વારા શ્લોક-૧૦-૧૭માં સમાધાન. (ii) સાધુ અર્થે કૃતિ અને નિષ્ઠા દ્વારા નિષ્પન્ન ચતુર્ભગીમાં છેલ્લા બે ભાંગા શુદ્ધ. ૭૬-૮૩ ૧૮. | સાધુને અસંકલ્પિત પિંડ ગ્રાહ્ય સ્વીકારીએ તો ભિક્ષાની દુર્લભતા, અને આવો દુર્લભ ધર્મ બતાવનાર ભગવાન અનાપ્ત સિદ્ધ થશે, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ. ८४-८८ ગૃહસ્થના સંકલ્પને કારણે સાધુને પિંડગ્રહણમાં દોષની પ્રાપ્તિ કઈ રીતે કહી શકાય ? એ પ્રકારની શંકાનું નિવારણ. ૯૦-૯૩ સંકલ્પિત પિંડના ગ્રહણમાં સાધુને શું દોષ છે ? એ પ્રકારની શંકાનું ઉદુભાવન કરીને સમાધાન કર્યું તે સર્વ કથનનું નિગમન. ૯૩-૯૫ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ. ૯૫-૯૮ દુઃખગર્ભિતવૈરાગ્યનું વિશેષ સ્વરૂપ. (i) અલભ્યવિષયપણાના જ્ઞાનથી થતા દુખગર્ભિતવૈરાગ્યનું સ્વરૂપ. ૧૯. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૬ * 'ES - ૨૩. સાધુસામગ્રદ્ધાત્રિશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય ને ! આ પાના નં. (ii) સંસારના વિષયસુખમાં નિર્ગુણતાની દૃષ્ટિથી પેદા થયેલ દ્વેષથી થતા દુઃખગર્ભિતવૈરાગ્યનું સ્વરૂપ. ૯૮-૧૦૧ ૨૩. મોહગર્ભિતવૈરાગ્યનું સ્વરૂપ. ૧૦૧-૧૦૫ ૨૪. જ્ઞાનગર્ભિતવૈરાગ્યનું સ્વરૂપ. ૧૦૫-૧૦૭ ૨૫. (i) જ્ઞાનાન્વેિતવૈરાગ્યથી સાધુસામગ્યની પ્રાપ્તિ. (ii) દુઃખાન્વિત વૈરાગ્ય અને મોહાન્વિતવૈરાગ્ય, શુભના ઉદયને કારણે ગુણવાનના પરતંત્રપણાથી જ્ઞાનાન્વેિતવૈરાગ્યના કારણ. | ૧૦૭-૧૧૦ ગુણવાન એવા ગીતાર્થોની પરતંત્રતા વિનાની અપ્રજ્ઞાપ્ય બાળજીવોની સ્વ-આગ્રહાત્મિકા ભાવશુદ્ધિ કલ્યાણનું અકારણ. ૧૧૧-૧૧૪ ગુણવાનના પારતંત્રથી મોહનો અપકર્ષ થતો હોવાથી ગુણવાનનું પારતંત્ર ભાવશુદ્ધિનું કારણ. ૧૧૪-૧૧૭ (i) અન્યના ગુણોને નહિ જાણનારમાં ગુણવાનનું પારતંત્ર્ય નથી. (ii) સ્વના ગુણ-દોષોને નહિ જાણનારમાં ગુણવાનનું પાતંત્ર્ય નથી. (ii) આસન્નમહોદયવાળા જીવોમાં ગુણવાનનું પારતંત્ર્ય. ૧૧૮-૧૨૦ ૨૯. ગુણવાનના પારતંત્રથી થતા લાભો. ૧૨૦-૧૨૩ ૩૦. અનાભોગથી પણ શાસનનું માલિન્ય કરનારને મહાઅનર્થનું કારણ એવા મિથ્યાત્વનો બંધ. ૧૨૪-૧૨૬ ૩૧. સ્વેચ્છાચારથી શાસનનું માલિન્ય થતું હોવાથી ગુણવાનના પરતંત્રપણાથી જ જ્ઞાનાદિ ગુણોના સમગ્રપણાની પ્રાપ્તિ. |૧ ૨૬-૧૨૮ ૩૨. | શ્લોક-૧ થી ૩૧ સુધીના સર્વ કથનનું નિગમન. ૧૨૮-૧૨૯ ૨૮. Page #25 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः । ૐ છે નમઃ | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत સાઘુરામોધ્યdiáશol-૬ પાંચમી જિનભક્તિવાત્રિશિકા સાથે પ્રસ્તુતસાધુસામગ્રદ્ધાત્રિશિકાનોસંબંધ : जिनभक्तिप्रतिपादनान्तरं तत्साध्यं सामग्र्यमाह - અર્થ : જિનભક્તિ પ્રતિપાદન પછી તેનાથી સાધ્ય=જિનભક્તિથી સાધ્ય, સાધુસમગ્રપણાને ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - પાંચમી જિનભક્તિબત્રીશીમાં ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, તે દેશથી ધર્મરૂપ છે; અને દેશથી ધર્મનું સેવન કરીને સાધક આત્મા પૂર્ણધર્મને પ્રાપ્ત કરે છે, તેથી દેશથી ધર્મરૂપ જિનભક્તિના પ્રતિપાદન પછી જિનભક્તિરૂપ દ્રવ્યસ્તવથી સાધ્ય પૂર્ણ ધર્મરૂપ સાધુસામગ્સને ગ્રંથકારશ્રી પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે. અહીં વિશેષ એ છે કે દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે કરાય છે અને ભગવાનના વચનાનુસાર પૂર્ણ ધર્મના સેવનરૂપ ભાવસ્તવ છે, તેથી દ્રવ્યસ્તવથી સાધ્ય સર્વવિરતિધર્મ છે. માટે તે સર્વવિરતિધર્મનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨ અવતરણિકાર્ય -- સાધુમાં ધર્મનું સમગ્રપણું છે. તે સમગ્રપણું શું છે તે ગ્રંથકારશ્રી બતાવે છે - સાધુસામગ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૧ શ્લોક ઃ ज्ञानेन ज्ञानिभावः स्याद् भिक्षुभावश्च भिक्षया । वैराग्येण विरक्तत्वं संयतस्य महात्मनः । 19 ।। અન્વયાર્થ : સંવતસ્ય મહાત્મનઃ=સંયત એવા મહાત્માને જ્ઞાનેન જ્ઞાનિમાવઃ=જ્ઞાનથી જ્ઞાનીભાવ મિક્ષવા મિક્ષુમાવ=ભિક્ષાથી ભિક્ષુભાવ = વૈરાગ્યેળ વિરવતત્વમુ=અને વૈરાગ્યથી વિરક્તપણું છે. ૧ શ્લોકાર્થ : સંયત એવા મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ, ભિક્ષાથી ભિક્ષુભાવ અને વૈરાગ્યથી વિરક્તપણું છે. [૧] ટીકા ઃ જ્ઞાનેનેતિ-વ્યઃ ।IKIT શ્લોકોનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. ।।૧।। ભાવાર્થ : સાધુમાં ધર્મનું સમગ્રપણું છે, તે સમગ્રપણું શું છે, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે સાધુમાં પૂર્ણધર્મરૂપ સામર્થ્ય : (૧) જ્ઞાનથી જ્ઞાનીભાવ :- સંયત એવા મહાત્માઓને ભગવાનના વચનાનુસાર જગતના તત્ત્વોનો બોધ છે. જે બોધના બળથી સમ્યક્ પ્રવૃત્તિ કરીને તત્ત્વનું સંવેદન કરે છે. તેથી યથાર્થ જ્ઞાનથી નિયંત્રિત તત્ત્વસંવેદનને કારણે સંયત એવા Page #27 -------------------------------------------------------------------------- ________________ સાધુ સામર્થ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨ મહાત્મામાં જ્ઞાનીભાવ છે. (૨) ભિક્ષાથી ભિક્ષુભાવ :- સંયત એવા મહાત્માઓ સર્વ કલ્યાણનું કારણ બને એવી સર્વસંપન્કરી ભિક્ષાને ગ્રહણ કરનારા છે. માટે તેઓમાં ભિક્ષાથી ભિક્ષુભાવ છે. (૩) વૈરાગ્યથી વિરક્તભાવઃ- સંયત એવા મહાત્માઓને સંસારના પદાર્થોનો યથાર્થ બોધ થવાને કારણે સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ છે. તેથી તેઓમાં વૈરાગ્યથી વિરક્તભાવ છે. આ રીતે સંયત એવા મહાત્માઓને (૧) જગતના પદાર્થોનું યથાર્થ જ્ઞાન હોવાને કારણે તત્ત્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન છે, (૨) ભિક્ષુભાવ હોવાને કારણે નિર્દોષ ભિક્ષાવૃત્તિરૂપ સમ્યકપ્રવૃત્તિ છે અને (૩) વિરક્તભાવ હોવાને કારણે જગત પ્રત્યે નિર્લેપતા છે. માટે તેઓમાં પૂર્ણ ધર્મ વર્તે છે, માટે સાધુમાં પૂર્ણધર્મરૂપ સમગ્રપણું છે. આવા અવતરણિકા : શ્લોક-૧માં કહ્યું કે સંયત એવા મહાત્માને જ્ઞાન દ્વારા જ્ઞાનીભાવ છે. તેથી તેઓને કેવા પ્રકારનું જ્ઞાન છે તેનો બોધ કરાવવા માટે ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ શ્લોક-૨ થી ૮ સુધી ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - विषयप्रतिभासाख्यं तथात्मपरिणामवत् । तत्त्वसंवेदनं चेति त्रिधा ज्ञानं प्रकीर्तितम् ।।२।। અન્વયાર્થ વિષયપ્રતિમાસā=વિષયપ્રતિભાસનામવાળું, તથા=અને માત્મપરામવત્ર આત્મપરિણામવાળું તત્ત્વસંવેદન અને તત્વસંવેદનવાળું તિ એ પ્રમાણે ત્રિધા= ત્રણ પ્રકારે જ્ઞાનં=જ્ઞાન પ્રદર્તિતકહેવાયેલું છે. રા. શ્લોકાર્ચ - વિષયપ્રતિભાસનામવાળું, આત્મપરિણામવાળું અને તત્ત્વસંવેદનવાળું Page #28 -------------------------------------------------------------------------- ________________ સાધુસામથ્યાત્રિશિકા/શ્લોક-૨ એ પ્રમાણે ત્રણ પ્રકારનું જ્ઞાન કહેવાયેલું છે. શા टीका: विषयेति-विषयप्रतिभास इत्याख्या यस्य, विषयस्यैव हेयत्वादिधर्मानुपरक्तस्य प्रतिभासो यत्र तत्, तथा आत्मन: स्वस्य, परिणामो अर्थानर्थप्रतिभासात्मा विद्यते यत्र तत्, आत्मनो जीवस्य, परिणामोऽनुष्ठानविशेषसम्पाद्यो विद्यते यत्र तत्] इति नये सम्यक्त्वलाभप्रयोज्यवस्तुविषयतावत्त्वमर्थे लभ्यते, तत्त्वं परमार्थस्तत्सम्यक्प्रवृत्त्याद्युपहितत्वेन वेद्यते यस्मिन् तच्च, तत्त्वपदेन मिथ्याज्ञाननिवृत्तिः, तद्विषयस्येतरांशनिषेधावच्छिन्नत्वेनातत्त्वत्वात्, सम्यक्पदेनाविरतसम्यग्दृष्टिज्ञाननिवृत्तिः, तस्य ज्ञानाज्ञानसाधारणप्रतिभासत्वप्रयोज्यविषयप्रवृत्त्याद्युपहितत्वेऽपिज्ञानत्वप्रयोज्यविरतिप्रवृत्त्याद्युपहितत्वाभावादिति । इति अमुना प्रकारेण, त्रिधा ज्ञानं प्रकीर्तितम् । तदाह - विषयप्रतिभासं चात्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव ज्ञानमाहुर्महर्षयः" ।।१।। (अष्टक-९/२) टीमार्थ : विषयप्रतिभासं ..... तत्, विषयप्रतिमास शान छ तेमi, 'विषयप्रतिमासाध्य' શબ્દના સમાસનો વિગ્રહ બતાવે છે – વિષયપ્રતિભાસ એ પ્રમાણે નામ છે જેને તે વિષયપ્રતિભાસાખ્ય જ્ઞાન છે. હવે “વિષયપ્રતિભાસ” શબ્દના સમાસનો વિગ્રહ કરે છે – હેયવાદિધર્મથી અનુપરક્ત એવા વિષયનો જ પ્રતિભાસ છે જેમાં તે વિષયપ્રતિભાસ છે. આનાથી એ પ્રાપ્ત થયું કે હેવાદિ ધર્મથી અનુપરક્ત એવા વિષયના પ્રતિભાસવાળા જ્ઞાનને વિષયપ્રતિભાસાખ્ય જ્ઞાન કહેવાય છે. આત્મપરિણામવત્ જ્ઞાનની વ્યુત્પત્તિ બતાવે છે – तथा आत्मनः ..... यत्र तत्, અને આત્માનો-પોતાનો જ્ઞાનનો, અર્થ, અનર્થ પ્રતિભાસસ્વરૂપ પરિણામ Page #29 -------------------------------------------------------------------------- ________________ સાધુસામઔદ્રાસિંશિકા/શ્લોક-૨ વિદ્યમાન છે જેમાં તે આત્મપરિણામવાળું જ્ઞાન છે, એમ અવય છે. આત્મપરિણામવતું જ્ઞાનનો બીજી રીતે અર્થ કરે છે – માત્મનો... નમ્યો, આત્માનો જીવનો, પરિણામ=અનુષ્ઠાનવિશેષથી સંપાઘ એવો પરિણામ અર્થાત્ ગ્રંથિભેદનું કારણ બને એવો અનુષ્ઠાનવિશેષથી સંપાદ્ય જીવનો પરિણામ, વિદ્યમાન છે જેમાં તે આત્મપરિણામવાળું જ્ઞાન છે. આ પ્રકારના નયમાં=આ પ્રકારની વ્યુત્પત્તિમાં અર્થાત્ આત્મપરિણામવત્ જ્ઞાનનો બીજી રીતે અર્થ કર્યો તેમાં, સમ્યક્તલાભપ્રયોજવસ્તુવિષયતાવસ્વ અર્થમાં= પદાર્થમાં, પ્રાપ્ત થાય છે. તત્ત્વસંવેદનજ્ઞાનની વ્યુત્પત્તિ બતાવે છે – તત્ત્વ ..... તરા, તત્વ=પરમાર્થ, તે સમ્યફપ્રવૃત્યાદિથી ઉપહિતપણા વડે વેદત થાય છે જેમાં તે છે–પરમાર્થ સમ્યફ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આદિથી યુક્તપણારૂપે વેદન થાય છે જે જ્ઞાનમાં તે તત્વસંવેદનશાન છે. ઘ' શબ્દ ત્રણ જ્ઞાનના સમુચ્ચય માટે છે. પ્રવૃતિત્વેન અહીં ‘વિ” થી નિવૃજ્યાદ્રિ નું ગ્રહણ કરવું. તત્ત્વસંવેદનજ્ઞાનની વ્યુત્પત્તિ બતાવ્યા પછી “તત્ત્વ' પદથી કોની નિવૃત્તિ થાય છે અને સંવેદનમાં રહેલ ‘સન્' પદથી કોની નિવૃત્તિ થાય છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વન ..... મતરૂત્વાન્ત, તત્વસંવેદન શબ્દમાં રહેલા તત્ત્વપદથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ છે; કેમ કે તેના વિષયનું મિથ્યાજ્ઞાનના વિષયનું, ઈતરાંશ નિષેધાવચ્છિન્નપણું હોવાથી=પદાર્થમાં કોઈક ધર્મનો સ્વીકાર કરીને તે પદાર્થમાં વર્તતા ઈતરાંશરૂપ ધર્મના નિષેધથી યુક્તપણું હોવાથી, અતત્ત્વપણું છે. સમ્યાન ..... માહિતિ | તત્ત્વસંવેદનમાં વર્તતા સમ્યફપદથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ છે; કેમ કે તેનું=અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનનું, Page #30 -------------------------------------------------------------------------- ________________ સાધુસામાસિંશિકા/શ્લોક-૨ જ્ઞાન-અજ્ઞાનસાધારણપ્રતિભાસ–પ્રયોજયવિષયની પ્રવૃત્તિ આદિથી ઉપહિતપણું હોવા છતાં પણ=સમ્યજ્ઞાનના અને મિથ્યાજ્ઞાનના સંસ્કારરૂપ જ્ઞાન-અજ્ઞાન, ઉભય સાધારણ પ્રતિભાસથી પ્રેરાઈને વિષયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિથી યુક્તપણું હોવા છતાં પણ, જ્ઞાન–પ્રયોજ્યવિરતિની પ્રવૃત્તિ આદિથી ઉપહિતપણાનો અભાવ છે–પોતાનામાં વર્તતા સમ્યજ્ઞાનથી પ્રયોજ્ય એવી પાપની નિવૃત્તિરૂપ જે વિરતિ, તે વિરતિના પરિણામથી થતી પ્રવૃત્તિ અને નિવૃત્તિથી યુક્તપણાનો અભાવ છે. ત શબ્દ “તત્ત્વશબ્દથી અને સમ્યફ શબ્દથી કોની નિવૃત્તિ થાય છે, તેના સ્પષ્ટીકરણની સમાપ્તિસૂચક છે. રૂત્યમુના પ્રારે ... પ્રવર્તિતમ્ મૂળ શ્લોકમાં ‘તિ’ શબ્દ છે તેનો અર્થ મુના પ્રશ્નારે=આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, ત્રણ પ્રકારના જ્ઞાન કહેવાયેલા છે. તદ તેને કહે છે–પૂર્વમાં ત્રણ પ્રકારના જ્ઞાન કહ્યા તેને અષ્ટક-૯ શ્લોક૧માં કહે છે – વિપતિમા .... :” | મહર્ષિઓ વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદન જ જ્ઞાન કહે છે. રા. ક ટીકામાં સાનુષ્ઠાનવપસમ્પોઘો વિદ્યતે યત્ર પછી તત્ પદની સંભાવના છે. અષ્ટકની સાક્ષીમાં વૈવે છે, ત્યાં “ઘ' સમુચ્ચય અર્થમાં છે, અને અવાર અવધારણમાં છે. ભાવાર્થ - (૧) વિષયપ્રતિભાસજ્ઞાનનું સ્વરૂપ - જે જીવોને સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી, તે જીવોને ઇંદ્રિયોને અનુકૂળ અને પ્રતિકૂળ વિષયોમાં “આ મને ઉપયોગી છે, આ મને અનુપયોગી છે” એવો બોધ થાય છે, પરંતુ જીવ માટે જે અહિતકારી છે તે હેય છે, અને હિતકારી છે તે ઉપાદેય છે, એવા ધર્મથી યુક્ત વિષયનો બોધ થતો નથી. તેથી હેવાદિ ધર્મથી અનુપરક્ત પ્રતિભાસવાળું તેમનું જ્ઞાન, વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે. ૪હ છે – Page #31 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૨ આ જ્ઞાન ગાઢ મિથ્યાદ્દષ્ટિ જીવોને હોય છે અને યોગમાર્ગમાં આવેલા સમ્યકૃત્વને નહિ પામેલા મંદ મિથ્યાદૃષ્ટિ જીવોને પણ હોય છે. મંદ મિથ્યાદ્દષ્ટિ જીવોને કાંઈક વિવેક પ્રગટેલો છે, તેથી કાંઈક હેય-ઉપાદેયનું જ્ઞાન છે, તોપણ પરિપૂર્ણ હેય-ઉપાદેયનો વિવેક પ્રગટેલ નથી. તેથી તે અંશને સામે રાખીને હેય-ઉપાદેય ધર્મથી અનુપરક્ત એવો પ્રતિભાસ મંદ મિથ્યાદષ્ટિ જીવોને છે. માટે તેમને વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે, પરંતુ તેમનું તે જ્ઞાન આત્મપરિણામવાળા બીજા જ્ઞાનને અભિમુખ છે, જ્યારે ગાઢ મિથ્યાદ્રષ્ટિ જીવોનું વિષયપ્રતિભાસજ્ઞાન આત્મપરિણામવાળા જ્ઞાનને અભિમુખ નથી. (૨) આત્મપરિણામવત્ જ્ઞાનનું સ્વરૂપ : આ બીજા પ્રકારનું આત્મપરિણામવાળું જ્ઞાન અવિરતસમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. આત્મપરિણામવત્ જ્ઞાનની વ્યુત્પત્તિ કરતા પ્રથમ આત્મસ્વ અર્થ કર્યો. અને તે અર્થ પ્રમાણે એ પ્રાપ્ત થાય કે સ્વ એવા જ્ઞાનનો અર્થ-અનર્થ પ્રતિભાસરૂપ પરિણામ છે, જે જ્ઞાનમાં તે જ્ઞાન આત્મપરિણામવાળું છે. આનાથી એ ફલિત થાય છે કે કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન ૫૨ એવા બાહ્ય પદાર્થોનો બોધ કરાવે છે, અને સ્વ એવા જ્ઞાનનો પણ બોધ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવને કોઈપણ પદાર્થનું જ્ઞાન વિષયોની ઈચ્છાકાળમાં મોહથી આકુળ જણાય છે ત્યારે તે જ્ઞાનનો ઉપયોગ પોતાના માટે અનર્થરૂપ છે તેમ પ્રતિભાસ થાય છે. આથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો સંસારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તપ્તલોહપદન્યાસ તુલ્ય ‘સંવેગસારા' પાપપ્રવૃત્તિ કરે છે. વળી મોહના ઉચ્છેદ માટે ભગવદ્ભક્તિ આદિમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે મારા જ્ઞાનનો આ ઉપયોગ મારા માટે અર્થરૂપ છે અર્થાત્ કલ્યાણના કારણરૂપ છે, એ પ્રકારનો પ્રતિભાસ વર્તે છે. આવા પ્રકારનું સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન આત્મપરિણામવાળું છે=સ્વ એવા જ્ઞાનના પરિણામને યથાર્થ વેદન કરનારું છે. આત્મપરિણામવત્ જ્ઞાન શબ્દની બીજી રીતે વ્યુત્પત્તિ : આત્મપરિણામવાન શબ્દની બીજી રીતે વ્યુત્પત્તિ કરતાં ‘આત્મ’ શબ્દથી જીવને ગ્રહણ કરેલ છે, અને તે વ્યુત્પત્તિથી એ અર્થ પ્રાપ્ત થાય કે આત્માનો= Page #32 -------------------------------------------------------------------------- ________________ સાધુસાધ્યદ્વાચિંશિકા/શ્લોક-૨ જીવનો, પરિણામ, અર્થાત્ અનુષ્ઠાનવિશેષથી સંપાઘ એવો જીવનો પરિણામ વિદ્યમાન છે જે જ્ઞાનમાં, તે આત્મપરિણામવાળું જ્ઞાન છે. અહીં અનુષ્ઠાનવિશેષથી ગ્રંથિભેદને અનુકૂળ અનુષ્ઠાનવિશેષ ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ તત્ત્વશ્રવણથી ગ્રંથિભેદ કરતો હોય તો તે જીવ માટે તત્ત્વનું શ્રવણ અનુષ્ઠાનવિશેષ છે. વળી કોઈ જીવ ભગવદ્ભક્તિથી ગ્રંથિભેદ કરતો હોય તો તે જીવ માટે ભગવદ્ભક્તિ અનુષ્ઠાનવિશેષ છે. તેથી જે અનુષ્ઠાનથી ગ્રંથિભેદને અનુકૂળ વ્યાપાર ઉલ્લસિત થાય તે અનુષ્ઠાનવિશેષ કહેવાય, અને આવા અનુષ્ઠાનવિશેષથી સંપાદ્ય જીવનો પરિણામ જે જ્ઞાનમાં પ્રાપ્ત થાય તે જ્ઞાનમાં ભગવાનના વચનાનુસાર યથાર્થ તત્ત્વનો પ્રતિભાસ હોય છે. તે પ્રતિભાસ ક્વચિત્ વિસ્તૃત બોધવાળો હોય છે તો ક્વચિત્ સંગ્રહાત્મક બોધવાળો હોય છે. આવા પ્રકારનો પરિણામ જીવને થાય ત્યારે તે બોધમાં પદાર્થ કેવો દેખાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – સમ્યક્ત્વના લાભથી પ્રયોજ્ય એવી વસ્તુની વિષયતા પદાર્થમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ જીવને જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે ત્યારે પદાર્થ જે રીતે દેખાય છે તે રીતે આત્મપરિણામવાળા જ્ઞાનથી જીવને પદાર્થ દેખાય છે. માટે આત્મપરિણામવાળા જ્ઞાનથી આત્મકલ્યાણને અનુકૂળ એવા પદાર્થો અવિરતસમ્યગ્દષ્ટિજીવને ઉપાદેયરૂપે ભાસે છે અર્થાત્ જિનપ્રતિમા, યોગમાર્ગને બતાવનારા યોગીઓ, યોગમાર્ગની પ્રવૃત્તિઓ અને યોગમાર્ગને બતાવનારાં શાસ્ત્રો ઉપાદેયરૂપે ભાસે છે. વળી આત્મકલ્યાણમાં અવરોધ કરનારા અને સંસારના ભાવોની વૃદ્ધિને કરનારા એવા પદાર્થો અવિરતસમ્યગ્દષ્ટિ જીવને હેયરૂપે ભાસે છે અર્થાત્ સંસારની ભોગસામગ્રી કે રાગાદિની વૃદ્ધિ કરનાર એવા સ્ત્રી આદિ પદાર્થો હેયરૂપે ભાસે છે. (૩) તત્ત્વસંવેદનજ્ઞાનનું સ્વરૂપ : ત્રીજા પ્રકારનું જ્ઞાન તત્ત્વસંવેદનજ્ઞાન છે. આ ત્રીજા પ્રકારના જ્ઞાનમાં ‘તત્ત્વ' શબ્દનો અર્થ પરમાર્થ છે, “સમ્'નો અર્થ સમ્યકુ છે અને વેદનનો અર્થ બોધ છે અર્થાત્ સમ્યક્ પ્રવૃત્તિ અને સમ્યગુ નિવૃત્તિથી વેદ્ય એવો બોધ છે. તેથી Page #33 -------------------------------------------------------------------------- ________________ સાપુતામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨ એ અર્થ પ્રાપ્ત થાય કે પરમાર્થનું સમ્યક્ પ્રવૃત્તિ અને નિવૃત્તિથી વેદન જેમાં થાય એવું જ્ઞાન તે તત્ત્વસંવેદનજ્ઞાન છે. તત્ત્વસંવેદનજ્ઞાનમાં “તત્ત્વ' શબ્દનો અર્થ પરમાર્થ કરવાથી અપરમાર્થની નિવૃત્તિ થઈ. તેથી હવે અપરમાર્થ શબ્દથી કોની નિવૃત્તિ થાય છે, તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વ' શબ્દથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય છે, કેમ કે મિથ્યાજ્ઞાનનો વિષય એક અંશમાં યથાર્થ હોવા છતાં ઈતરાંશમાં નિષેધથી યુક્ત છે, માટે અતજ્વરૂપ છે. આશય એ છે કે કોઈ પણ પદાર્થ અનંતધર્માત્મક છે. મિથ્યાષ્ટિ જીવને પદાર્થ અનંતધર્માત્મક દેખાતો નથી, પરંતુ સ્વરુચિ અનુસાર દેખાય છે. તેથી જે અંશ પ્રત્યે તેને રુચિ છે તે દૃષ્ટિથી પદાર્થ તેને દેખાય છે, તેનાથી ઈતર અંશ પદાર્થમાં હોવા છતાં મિથ્યાદૃષ્ટિ જીવને દેખાતો નથી; અને સમ્યગ્દષ્ટિ જીવને સમ્યગુ બોધ હોવાથી દરેક પદાર્થ અનંતધર્માત્મક દેખાય છે, અને તે અનંતધર્માત્મક પદાર્થો જે રીતે ભગવાને બતાવ્યા છે, તે રીતે દેખાય છે. જે સમ્યગ્દષ્ટિ જીવોને શાસ્ત્રોનો વિશાળ બોધ હોય તેમને વિસ્તારથી અનંતધર્માત્મક પદાર્થ દેખાય છે, અને જે સમ્યગ્દષ્ટિ જીવોને શાસ્ત્રોનો વિસ્તારથી બોધ ન હોય તેમને સંગ્રહરૂપે ભગવાને કહેલા અનંતધર્માત્મક પદાર્થો દેખાય છે. સ્યાદ્વાદની દૃષ્ટિ એ સમ્યક્ત્વનું બીજ છે. તેથી બધા સમ્યગ્દષ્ટિ જીવોને સ્યાદ્વાદની પ્રાપ્તિ અવશ્ય હોય છે. ફક્ત જેમને વિસ્તારથી શાસ્ત્રનો બોધ નથી, તેમને બીજરૂપે સ્યાદ્વાદની પ્રાપ્તિ છે, અને જેમને વિસ્તારથી શાસ્ત્રનો બોધ છે તેમને વ્યક્તરૂપે સ્યાદ્વાદની પ્રાપ્તિ છે. સ્યાદ્વાદનો બોધ એટલે અનંતધર્માત્મક પદાર્થમાં જે ધર્મો જે રીતે રહેલા છે, તે રીતે તે ધર્મનો યથાર્થ બોધ. મિથ્યાજ્ઞાનની જેમ પદાર્થમાં રહેલા એક અંશને ગ્રહણ કરીને ઈતર અંશનો નિષેધ કરનાર સમ્યજ્ઞાન નથી, તેથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે અને તે તત્ત્વ છેપરમાર્થ છે. અહીં ટીકામાં તત્ત્વનું વેદન ન કહેતાં તત્ત્વનું સંવેદન કહ્યું. તે એટલા માટે કે અવિરતસમ્યગ્દષ્ટિને પણ તત્ત્વનું વેદન છે, પરંતુ તત્ત્વનું સંવેદન નથી. તેથી Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨ સંવેદનમાં રહેલ ‘સમ્' પદથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ થાય છે; કેમ કે ‘સમ્’ શબ્દ સમ્યક્ પદનો વાચક છે. અવિરતસમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન કેવું છે તે બતાવીને તત્ત્વસંવેદનજ્ઞાનમાં ‘સમ્યગ્’ પદથી અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ કેમ છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અવિરતસમ્યગ્દષ્ટિમાં ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધ છે, તે જ્ઞાન છે, અને તે જ્ઞાન આત્માના હિતને અનુકૂળ પ્રવૃત્તિમાં પ્રેરણા કરે છે અને આત્માના અહિતને અનુકૂળ પ્રવૃત્તિમાં નિવૃત્તિની પ્રેરણા કરે છે; આમ છતાં અવિરતસમ્યગ્દષ્ટિ જીવ ભોગાદિની ઈચ્છાથી ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમાં પ્રયોજક તેનામાં રહેલા ભોગ પ્રત્યેના આકર્ષણના સંસ્કારો છે, જે જીવમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારો છે. આ રીતે ભોગાદિના આકર્ષણને કરે તેવા સંસ્કારરૂપ જે અજ્ઞાન અને ભગવાનના વચનના યથાર્થ બોધરૂપ જે જ્ઞાન તે ઉભયના પ્રતિભાસથી અવિરતસમ્યગ્દષ્ટિ જીવને સંસારની ચેષ્ટાઓમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ હોય છે, તેથી જ્યારે જ્યારે ભોગાદિની પ્રવૃત્તિ કરે છે, ત્યારે ત્યારે તેનામાં રહેલું સમ્યજ્ઞાન તે ભોગાદિ પ્રત્યે હેયબુદ્ધિ ઉત્પન્ન કરે છે, અને ભોગાદિ પ્રત્યેના આકર્ષણના સંસ્કારરૂપ અજ્ઞાન તે પ્રવૃત્તિ કરવા પ્રત્યે પ્રેરણા કરે છે. તેથી જ્ઞાન અને અજ્ઞાન ઉભયથી પ્રેરાઈને અવિરતસમ્યગ્દષ્ટિ જીવોની સંસારની પ્રવૃત્તિ થાય છે. તે પ્રવૃત્તિ વખતે અવિરતસમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ સમ્યજ્ઞાન તે પ્રવૃત્તિને શિથિલ કરે છે, અને તેનામાં રહેલ અજ્ઞાન તે પ્રવૃત્તિમાં યત્ન કરવા માટે પ્રેરણા કરે છે. તેથી જ્ઞાન અને અજ્ઞાન ઉભયથી પ્રેરાઈને અવિરતસમ્યગ્દષ્ટિ જીવની પ્રવૃત્તિ હોવા છતાં, સમ્યગ્નાનથી પ્રેરિત એવી જે પાપની વિરતિની પરિણતિ તેનાથી પ્રેરિત એવી પ્રવૃત્તિ અને નિવૃત્તિ, અવિરતસમ્યગ્દષ્ટિ જીવને હોતી નથી. માટે તત્ત્વસંવેદનમાં રહેલ ‘સમ્’ શબ્દ દ્વારા અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ કરેલ છે. જે મુનિઓને પરમાર્થનું વેદન થયું છે અને તેનાથી પ્રેરાઈને આત્માના હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે અને આત્માના અહિતને અનુકૂળ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરે છે, તેવા મુનિઓને તત્ત્વસંવેદન નામનું ત્રીજું જ્ઞાન છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સાધુસામઔદ્વાઢિશિકા/બ્લોક-૨ આ પ્રકારે (૧) વિષયપ્રતિભાસ, (૨) આત્મપરિણામવતુ અને (૩) તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારનું જ્ઞાન શાસ્ત્રકારોએ કહ્યું છે. સારાંશ - (૧) વિષયપ્રતિભાસજ્ઞાન મિથ્યાદૃષ્ટિને હોય છે. મંદ મિથ્યાત્વ અવસ્થામાં ક્ષીણપ્રાયઃ હોવા છતાં સર્વથા નષ્ટ નથી. (૨) આત્મપરિણામવાળું જ્ઞાન અવિરતસમ્યગ્દષ્ટિને હોય છે, અને તે સમ્યજ્ઞાન છે તેથી પાપપ્રવૃત્તિમાં પ્રેરણા કરતું નથી, પરંતુ અવિરતિને કારણે પાપપ્રવૃત્તિ થતી હોય તેને શિથિલ કરે છે અને પાપપ્રવૃત્તિની નિવૃત્તિ માટે ઉત્સાહિત કરે છે; તોપણ સંપૂર્ણ પાપપ્રવૃત્તિનું નિવૃત્તિવાળું આ જ્ઞાન નથી. (૩) તત્ત્વસંવેદનજ્ઞાનમાં ભગવાનના વચનાનુસાર યથાર્થ તત્ત્વ ભાસે છે અને જે રીતે તત્ત્વનું ભાન થાય છે, તે રીતે હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવે છે. તેથી આ ત્રીજા પ્રકારનું જ્ઞાન સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે. આ તત્ત્વસંવેદનજ્ઞાન અપ્રમત્ત મુનિઓને છે અને પ્રમત્ત મુનિઓમાં કંઈક અતિચારથી આક્રાંત છે. શા ત્રણ પ્રકારનાં જ્ઞાન (૧) વિષયપ્રતિભાસજ્ઞાન (૨) આત્મપરિણામવતુજ્ઞાન (૩) તત્ત્વસંવેદનજ્ઞાન • ગાઢ મિથ્યાષ્ટિ જીવને અવિરતસમ્યગ્દષ્ટિ • પ્રમત્ત-અપ્રમત્તમુનિને દૃઢ હોય છે અને જીવને હોય છે. હોય છે. મંદ મિથ્યાષ્ટિ જીવને આ જ્ઞાનમાં આત્મ- • આત્માના હિતને ક્ષણપ્રાય હોય છે. કલ્યાણને અનુકૂળ ભાવો અનુકૂળ પ્રવૃત્તિ છે આ જ્ઞાનમાં હેય- ઉપાદેયરૂપે ભાસે છે અને આત્માના ઉપાદેયનો વિવેક અને આત્મકલ્યાણને અહિતને અનુકુળ હોતો નથી. પ્રતિકૂળ ભાવો હેયરૂપે પ્રવૃત્તિથી ભાસે છે. નિવૃત્તિ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૨ साधुसामय्यादाशिsl/Pcs-3 मवतरशिs: શ્લોક-રમાં વિષયપ્રતિભાસાદિ ત્રણ જ્ઞાનોનું સ્વરૂપ બતાવ્યું. હવે તે વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કોને હોય છે અને કેવું હોય છે, તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – REOs : आद्यं मिथ्यादृशां मुग्धरत्नादिप्रतिभासवत् । अज्ञानावरणापायाद् ग्राह्यत्वाद्यविनिश्चयम् ।।३।। मन्वयार्थ :__ मुग्धरत्नादिप्रतिभासवत्-भुधने रत्नानि प्रतिमासी हेम अज्ञानावरणापायाद् ग्राह्यत्वाद्यविनिश्चयम्=शानावरना अपायथी प्रात्यादिना विनिश्ययपाणु आद्यं विषयप्रतिमास नाम ज्ञान मिथ्यादृशां मिथ्याष्टिीने . ॥3॥ लोहार्थ : મુગ્ધને રત્નાદિના પ્રતિભાસની જેમ અજ્ઞાનાવરણના અપાયથી ગ્રાહ્યાદિના અવિનિશ્ચયવાળું વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન मिथ्याष्टिमोने छ. ।।3।। टी। : आद्यमिति-आद्यं विषयप्रतिभासज्ञानं, मिथ्यादृशामेव मुग्धस्य-अज्ञस्य, रत्नप्रतिभासादिवत् तत्तुल्यम्, तदाह - “विपकण्टकरत्नादौ बालादिप्रतिभासवत्" (अष्टक-९/२) इति, अज्ञानं मत्यज्ञानादिकं, तदावरणं यत्कर्म, तस्यापाय: क्षयोपशमस्तस्मात्, तदाह -“अज्ञानावरणापायम्” (अष्टक-९/३) इति, ग्राह्यत्वादीनामुपादेयत्वादीनामविनिश्चयोऽनिर्णयो यतस्तत्, तदाह - “तद्धेयत्वाद्यवेदकम्” (अष्टक-९/२) इति । यद्यपि मिथ्यादृशामपि घटादिज्ञानेन घटादिग्राह्यता निश्चीयत एव, तथापि स्वविषयत्वावच्छेदेन तदनिश्चयान दोषः, स्वसंवेद्यस्य स्वस्यैव तदनिश्चयात् ।।३।। Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધુ સામર્થ્યદ્વાત્રિશિકા/બ્લોક-૩ ટીકાર્ચ - ૩ઘં ..... તનુજમ્, મુગ્ધને–અજ્ઞને, રત્નના પ્રતિભાસાદિની જેમ રત્નના પ્રતિભાસાદિની તુલ્ય, આધ=વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન, મિથ્યાષ્ટિઓને જ છે. તાë – તેને કહે છે મુગ્ધને રત્નના પ્રતિભાસાદિ જેવું વિષય પ્રતિભાસ જ્ઞાન છે, તેને અષ્ટક-૯/૨ની સાક્ષીથી કહે છે – “વિપદવ ..... પ્રતિમાસવ” તિ, “વિષ-કંટક-રત્નાદિમાં હેય એવા વિષ અને કંટક તથા ઉપાદેય એવા રત્નાદિમાં બાલાદિના પ્રતિભાસની જેમ આઘ=વિષયપ્રતિભાસ જ્ઞાન છે.” રૂતિ શબ્દ અષ્ટક-૯/રના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. - વિવટરના માં ઢિ થી ઉપેક્ષણીય પદાર્થનું ગ્રહણ કરવું. વાતાદિ માં મરે થી અતિમુગ્ધ જીવનું ગ્રહણ કરવું. વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન શેનાથી થાય છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – જ્ઞાન .... તમાત્, અજ્ઞાન=મતિઅજ્ઞાનાદિ, તેનું આવરણ જે કર્મ, તેનો અપાય=ક્ષયોપશમ, તેનાથી વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન થાય છે. તા - તેને કહે છેઅજ્ઞાતાવરણના અપાયવાળું વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન થાય છે, તેને અષ્ટક-૯/૩થી કહે છે. “જ્ઞાનાવરVIEાય” તિ, “અજ્ઞાનાવરણના અપાયવાળું વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે.” રૂતિ શબ્દ અષ્ટક-૯/૩ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કેવા સ્વરૂપવાળું છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે - પ્રધિત્વાવીનામ્ .... તત્, ગ્રાહ્યવાદિતોઃઉપાદેયતાદિનો, અવિચ્ચિય= અનિર્ણય, જેનાથી છે, તે વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે. જ ગ્રાહ્યત્યાવીના–રૂપાયત્યાવીનામ્ અહીં થી હેય અને ઉપેક્ષણીય પદાર્થનું ગ્રહણ કરવું. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધુસામથ્યાત્રિશિકા/બ્લોક-૩ તવાદ - તેને કહે છેઃવિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કેવા સ્વરૂપવાનું છે, તેને અષ્ટક-૯/૨ની સાક્ષીથી કહે છે – “તદ્ધત્વાધવેવ” રૂતિ ! તેના=શેય વિષયોના, હેયવાદિને નહિ જાણનારું વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે. તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તત્વાતિ માં માહિ શબ્દથી ઉપાદેય અને ઉપેક્ષણીયનું ગ્રહણ કરવું. પૂર્વે મિથ્યાદષ્ટિઓને વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન ગ્રાહ્યત્વાદિના અવિનિશ્ચયવાળું છે, એમ કહ્યું. ત્યાં શંકા કરીને નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – યપ..... નતોષ:, જોકે મિથ્યાષ્ટિઓને પણ ઘટાદિના જ્ઞાનથી ઘટાદિની ગ્રાહ્યતાનો નિશ્ચય થાય જ છે, તોપણ સ્વવિષયત્વના અવચ્છેદથી તેનો અનિશ્ચય હોવાથીemયની ગ્રાહ્યતાનો અનિશ્ચય હોવાથી, દોષ નથી= વિષયપ્રતિભાસ જ્ઞાનને ગ્રાહ્યત્યાદિ અનિશ્ચયરૂપ કહ્યું તેમાં દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનના વિષયભૂત ઘટાદિને તો મિથ્યાદૃષ્ટિ જીવ ગ્રાહ્યરૂપે જાણે છે. તેથી સ્વવિષયત્વના અવચ્છેદથી=જ્ઞાનવિષયત્વના અવચ્છેદથી ગ્રાહ્યતાનો અનિશ્ચય કયા સ્થાનમાં છે, એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી તેમાં હેતુ કહે છે – સંવેદ્ય ..... નિશ્ચયાત્ | સ્વસંવેદ્ય એવા સ્વતો જ=સ્વસંવેદ્ય એવા જ્ઞાનનો જ, તદ્ અનિશ્ચય ગ્રાહ્યતાદિવિષયક અનિશ્ચય, છે. ૩ ભાવાર્થ :(૧) વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કોને હોય ? અને કેવું હોય ? તેનું વર્ણન: વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન મતિઅજ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમથી થાય છે. અહીં મતિઅજ્ઞાન એટલે મતિજ્ઞાનનો અભાવ નહિ, પરંતુ કુત્સિત મતિજ્ઞાન સમજવું. કુત્સિત એવા મતિજ્ઞાનાદિના આવરણના ક્ષયોપશમથી વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન થાય છે. વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન મિથ્યાદૃષ્ટિઓને હોય છે; સમ્યગ્દષ્ટિ, Page #39 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૩ ૧૫ દેશવિરતિધર આદિ જીવોને હોતું નથી. જેમ મુગ્ધને રત્ન આદિ બાહ્યથી સુંદર છે, અથવા અસુંદર છે એટલો બોધ થાય છે, પરંતુ આ રત્ન મારા માટે ઉપાદેય છે અને આ વિષાદિ મારા માટે હેય છે, તેવું જ્ઞાન થતું નથી. તેમ વિષયપ્રતિભાસ નામના જ્ઞાનમાં આત્મા માટે ઉપાદેય શું છે, હેય શું છે અને ઉપેક્ષણીય શું છે, તેવો નિર્ણય થતો નથી; પરંતુ ઈંદ્રિયોને જે અનુકૂળ કે પ્રતિકૂળ દેખાય છે, તેને અનુરૂપ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવાનો પરિણામ થાય છે. અહીં પ્રશ્ન થાય કે મિથ્યાદષ્ટિ જીવો પણ ઘટાદિને જાણે છે અને ઘટાદિ મારા માટે ઉપાદેય છે અને વિષ-કંટકાદિ મારા માટે હેય છે, તેવા બોધવાળા હોય છે. તેથી મિથ્યાદષ્ટિ જીવોને ઉપાદેય, હેયનો બોધ નથી તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે - જ્ઞાનનો વિષય શેય છે અને તે જ્ઞેય જેમ બાહ્ય પદાર્થ છે તેમ જ્ઞાન પોતે પણ જ્ઞાનનો વિષય છે. આથી જ્ઞાનને સ્વ-પર પ્રકાશક કહેવામાં આવે છે; અને મિથ્યાદૃષ્ટિ જીવો જ્ઞાનના વિષયભૂત એવા ઘટાદિ બાહ્ય પદાર્થોને હેય, ઉપાદેયરૂપે જાણે છે, પરંતુ ઘટાદના જ્ઞાનના ઉપયોગકાળમાં સ્વસંવેદ્ય એવા ઘટાદિના જ્ઞાનનો હેય, ઉપાદેયરૂપે નિર્ણય કરી શકતા નથી અર્થાત્ રાગાદિથી આકુળ ઘટના જ્ઞાનનો ઉપયોગ હોય તો તે જ્ઞાનનો ઉપયોગ મારા માટે હેય છે અને રાગાદિના ઉચ્છેદમાં પ્રવૃત્ત એવો ઘટાદિ જ્ઞાનનો ઉપયોગ હોય તો તે જ્ઞાનનો ઉપયોગ મારા માટે ઉપાદેય છે અને કોઈ પ્રયોજન વગરનું ઘટાદિનું જ્ઞાન મારા માટે ઉપેક્ષણીય છે, તેવો યથાર્થ નિર્ણય મિથ્યાદષ્ટિ જીવોને હોતો નથી માટે સ્વસંવેદ્ય એવા જ્ઞાનના ઉપાદેયત્વાદિનો નિર્ણય મિથ્યાદષ્ટિ જીવોને હોતો નથી, માટે તેમનું જ્ઞાન વિષયપ્રતિભાસરૂપ છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે ગાઢ મિથ્યાદ્દષ્ટિ જીવો માત્ર બાહ્યવિષયને યથાર્થ અને ક્યારેક મિથ્યા પમ જાણે છે અને આત્માને ઉપયોગી એવા ભાવોને હેયઉપાદેયરૂપે યથાર્થ જાણતા નથી. મંદ મિથ્યાત્વ અવસ્થામાં યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા ચા૨દૃષ્ટિવાળા જીવો પોતાને કયા ભાવો હેય છે અને કયા ભાવો ઉપાદેય છે, તેમ કાંઈક જાણે છે, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૪ અને વિશેષ જાણવા માટે યત્ન પણ કરતા હોય છે; તોપણ મિથ્યાત્વના ઉદયથી તત્ત્વના વિષયમાં તેઓને ભ્રમ વર્તે છે, તેથી પૂર્ણ હેય, ઉપાદેયનો વિવેક તેઓને હોતો નથી. સમ્યગ્દષ્ટિ જીવોને જેમ સંસારના સ્વાર્થ અર્થે ઘટાદિ જલધારણ માટે ઉપયોગી જણાય ત્યારે રાગાદિથી આકુળ એવો ઘટજ્ઞાનનો ઉપયોગ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવોને ઘટ ઉપાદેયરૂપે જણાવા છતાં તે ઘટજ્ઞાનનો ઉપયોગ હેયરૂપે ભાસે છે. કોઈ સાધક આત્માઓ સંયમવૃદ્ધિના અર્થે ઉદ્યમ કરતા હોય અને સંયમના રક્ષણ માટે દેહનું પાલન આવશ્યક જણાય અને દેહપાલન માટે જલાદિ ઉપખંભક છે અને જલાદિને ધારણ કરવા અર્થે ઘટાદિના ગ્રાહ્યત્વનો ઉપયોગ વર્તતો હોય તો તે ઘટાદિ ગ્રાહ્યતાના ઉપયોગમાં પ્રતિભાસમાન ઘટ ગ્રાહ્ય છે, અને ઘટવિષયક જ્ઞાન પણ ગ્રાહ્ય છે; કેમ કે તે જ્ઞાનનો ઉપયોગ સંયમવૃદ્ધિના પરિણામમાંથી ઉઠેલો ઘટાદિ ગ્રાહ્યતાનો ઉપયોગ છે, તેથી તે જ્ઞાનનો ઉપયોગ આત્માના કલ્યાણનું કારણ હોવાથી ઉપાદેય છે. વળી ઘટાદિનું પોતાને કોઈ પ્રયોજન નથી, પરંતુ ચક્ષુ સામે શેયરૂપે પ્રતિભાસમાન ઘટ દેખાય ત્યારે તે ઘટ જેમ ઉપેક્ષણીય છે, તેમ આત્માને ઘટાદિનું જ્ઞાન કરવાનું કોઈ પ્રયોજન નથી, તેથી ઘટાદિનું જ્ઞાન પણ ઉપેક્ષણીય છે. આથી નિરપેક્ષ મુનિઓને જગતના બાહ્ય સર્વે પદાર્થો ઉપેક્ષણીયરૂપે દેખાય છે, શુદ્ધ આત્માની અવસ્થા ઉપાદેયરૂપે દેખાય છે અને અશુદ્ધ આત્માની અવસ્થા હેયરૂપે દેખાય છે. ||31| અવતરણિકા : આત્મપરિણામવત્ જ્ઞાન કોને હોય અને કેવું હોય તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ भिन्नग्रन्थेर्द्वितीयं तु ज्ञानावरणभेदजम् । श्रद्धावत्प्रतिबन्धेऽपि कर्मणा सुखदुःखयुक् ।।४।। Page #41 -------------------------------------------------------------------------- ________________ સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૪ અન્વયાર્થ: તુ=વળી જ્ઞાનાવરણમેવન=જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું ર્મળા=પૂર્વાજિત કર્મ વડે પ્રતિવન્ચેડવિ=પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાવસ્= શ્રદ્ધાવાળું મુલવું:લયુ=સુખ, દુ:ખથી યુક્ત એવું દ્વિતીયં=બીજું= આત્મપરિણામવત્ જ્ઞાન મિત્રપ્રન્થે=ભિન્ન ગ્રંથિવાળાઓને=અવિરત સમ્યગ્દષ્ટિને છે. ૪૫ શ્લોકાર્થ : . વળી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું, પૂર્વાર્જિત કર્મ વડે પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાવાળું, સુખ અને દુઃખથી યુક્ત એવું આત્મપરિણામવત્ જ્ઞાન ભિન્નગ્રંથિવાળાઓને=અવિરત સમ્યગ્દષ્ટિને, છે. I[૪]I * પ્રતિવન્દેડપિ અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે કર્મ વડે પ્રતિબંધ ન હોય તો તો શ્રદ્ધાવાળું છે, પરંતુ કર્મ વડે પ્રતિબંધ હોય તોપણ શ્રદ્ધાવાળું છે. ટીકા ઃ भिन्नग्रन्थेरिति भिन्नग्रन्थे:- सम्यग्दृशः, तु द्वितीयमात्मपरिणामवत् ज्ञानावरणस्य મેવા=ક્ષયોપશમઃ, તપ્તમ્, તત્ત્વાર્ફે - “જ્ઞાનાવરણહાસોત્યમ્” (ગષ્ટ-૧/૫) કૃતિ, श्रद्धावत् वस्तुगुणदोषपरिज्ञानपूर्वकचारित्रेच्छान्वितं प्रतिबन्धेऽपि चारित्रमोहोदयजनितान्तरायलक्षणे सति कर्मणा पूर्वार्जितेन सुखदुःखयुक् - सुखदुःखान्वितम् । तदाह “पातादिपरतन्त्रस्य तद्दोषादावसंशयम् । અનર્થાદ્યાપ્તિયુ ચાત્મરિતિમ—તમ્” ।। (અષ્ટ-૧/૪) ટીકાર્ય :भिन्नग्रन्थे: બીજું=આત્મપરિણામવાળું જ્ઞાન છે. ..... ૧૭ આ જ્ઞાન શાનાથી ઉત્પન્ન થયું છે, તે સ્પષ્ટ કરે છે આત્મરિળામવત્, વળી ભિન્નગ્રંથિવાળાને-સમ્યગ્દષ્ટિ જીવોને, - Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાધુસામય્યદ્વાત્રિશિકા/બ્લોક-૪ જ્ઞાનવિરચિ... તબ્બમ, જ્ઞાનાવરણનો ભેદ ક્ષયોપશમ, તેનાથી ઉત્પન્ન થયેલું છે. તદ - તેને કહે છે બીજું જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થયેલું છે, તેને અષ્ટક-૯/પની સાક્ષીથી કહે છે – “જ્ઞાનાવરહિતોત્યં” તિ, જ્ઞાનાવરણના હાસથી ઉત્પન્ન થયેલું બીજું જ્ઞાન છે. રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. આત્મપરિણામવાળું જ્ઞાન કેવા પરિણામથી યુક્ત છે, તે સ્પષ્ટ કરે છે – શ્રીવત્ ... સુહુર્યાન્વિતમ્ પૂર્વાજિત કર્મ વડે ચારિત્રમોહના ઉદયથી ઉત્પન્ન થયેલ અંતરાય સ્વરૂપ પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાવાળું=વસ્તુના ગુણ-દોષના પરિજ્ઞાનપૂર્વક ચારિત્રની ઈચ્છાથી યુક્ત, સુખદુ:ખથી અવિત= સહિત, આત્મપરિણામવતજ્ઞાન અવિરત સમ્યગ્દષ્ટિજીવોને છે, એમ અવય છે. તવાદ - તેને કહે છે=આત્મપરિણામવજ્ઞાન પૂજિત કર્મ વડે પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાવાનું છે, અને સુખ અને દુઃખથી યુક્ત છે, તેને અષ્ટક-૯/૪ની સાક્ષીથી કહે છે – “પતતિ ..... મત” || પાતાદિ પરતંત્રને તેના દોષાદિમાં અસંશય, અનર્ધાદિની પ્રાપ્તિથી યુક્ત આત્મપરિણતિમજ્ઞાન કહેવાયું છે. જો ભાવાર્થ :(૨) આત્મપરિણામવત જ્ઞાન કોને હોય? અને કેવું હોય? તેનું વર્ણન - જે જીવો સમ્યક્ત પામે છે, તે વખતે પૂર્વભવમાં અર્જિત ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ હોય તો સમ્યક્ત્વ પામવાના ઉપયોગની નિર્મળતાને કારણે તેમનું ચારિત્રમોહનીય કર્મ ક્ષયોપશમભાવને પામે છે. તેથી તેવા જીવોને જેમ ચારિત્રની ઈચ્છા થાય છે, તેમ ચારિત્રની નિષ્પત્તિને અનુકૂળ વર્ષોલ્લાસ પણ ઉલ્લસિત થાય છે, અને ચારિત્રમાં પ્રવૃત્તિ થાય છે; પરંતુ જે જીવોનું પૂર્વ અર્જિત ચારિત્રમોહનીય કર્મ પ્રબળ હોય છે, તે જીવો સમ્યક્ત્વ પામે છે તે વખતે તત્ત્વવિષયક ઉપયોગ ઉલ્લસિત હોવા છતાં ચારિત્રમોહનીય કર્મ ક્ષયોપશમભાવને પામતું નથી. તેથી ચારિત્રમોહનીય કર્મના ઉદયજનિત અંતરાયસ્વરૂપ કર્મ વિદ્યમાન હોવાને કારણે Page #43 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૪ ૧૯ તેઓની ચારિત્રમાં પ્રવૃત્તિ થતી નથી, તોપણ ચારિત્રરૂપ વસ્તુના ગુણો અને અચારિત્રરૂપ વસ્તુના દોષોનું તેઓને પરિજ્ઞાન થાય છે, અને તપૂર્વક=ગુણદોષના પરિજ્ઞાનપૂર્વક, ચારિત્રની ઈચ્છા તેઓને હોય છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવોને સૂક્ષ્મબોધ હોવાને કારણે ચારિત્રકાળમાં વર્તતા ઉપશાંતભાવના ગુણો વર્તમાનમાં પણ નિરાકુળતાનો અનુભવ કરાવનારા છે માટે જીવને હિતકારી છે, અને આ ભવમાં મોક્ષ પ્રાપ્ત ન થાય તો જન્માંતરમાં ઉત્તમ ભવોની પ્રાપ્તિ કરાવીને વિશેષ પ્રકારની ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ શક્તિ આદિ દ્વારા કલ્યાણની પરંપરાને કરનાર છે, એ પ્રકારનું ચારિત્રના ગુણોનું પરિક્ષાન છે. વળી વર્તમાનમાં જીવને આકુળતા કરનાર અચારિત્રનો પરિણામ છે, અને જન્માંતરમાં પણ અચારિત્રકૃત અનર્થોની પ્રાપ્તિ છે, એ રૂપ અચારિત્રના દોષોનું પરિશાન છે, તેથી સમ્યગ્દષ્ટિના જ્ઞાનના ઉપયોગમાં હંમેશાં ચારિત્રગ્રહણના અભિલાષરૂપ શ્રદ્ધા વર્તતી હોય છે. તેથી તેઓની અચારિત્રની પ્રવૃત્તિ તપ્તલોહપદન્યાસતુલ્ય હોય છે. વળી, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સુખ, દુ:ખથી યુક્ત છે. આ કથનથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, (૧) વિષયપ્રતિભાસજ્ઞાન દુઃખથી અન્વિત-સહિત છે. (૨) આત્મપરિણામવજ્ઞાન સુખ, દુઃખથી અન્વિત-સહિત છે. (૩) તત્ત્વસંવેદનજ્ઞાન સુખથી અન્વિત-સહિત છે. આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોને તત્ત્વમાર્ગનો સમ્યબોધ હોય છે, તેથી તેમને આનંદ થાય છે કે ખરેખર અનંત સંસારમાં અતિદુર્લભ એવું ભગવાનનું શાસન મને પ્રાપ્ત થયું છે. તેથી તેની પ્રાપ્તિકૃત સુખનો અનુભવ તેમને થાય છે અર્થાત્ અનંતાનુબંધી કષાયના વિગમનને કારણે ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થવાથી, ભગવાનના શાસનના પરમાર્થને જોનારી નિર્મળ દૃષ્ટિ હોવાને કારણે સ્વસ્થતાકૃત સુખનો અનુભવ થાય છે; અને પ્રબળ ચારિત્રમોહનીય કર્મના ઉદયને કારણે પોતે મનુષ્યભવ પામીને એકાંતે હિતનું કારણ બને એવી સર્વવિરતિની પ્રવૃત્તિમાં ઉદ્યમ કરી શકતા નથી, અને અવિરતિની પ્રવૃત્તિ કર્મવશ થઈને પોતે કરે છે, તેથી ભગવાનના વચનના સમ્યગ્ અસેવનકૃત પોતાના મનુષ્યભવની નિષ્ફળતા જોવાથી તેમને દુઃખ થાય છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોનું જ્ઞાન સુખ, દુઃખથી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/શ્લોક-૪ અન્વિત-સહિત છે, તેમ કહ્યું છે. સારાંશ - મિથ્યાદ્દષ્ટિ જીવો પુણ્યના ઉદયથી બાહ્ય સુખ ભોગવતા હોય ત્યારે પણ તેમનું જ્ઞાન અંતરંગ રીતે ચિત્તમાં ભોગકૃત ક્લેશના અનુભવરૂપ હોય છે, તેથી બાહ્યવૃત્તિથી સુખનો ભોગ પણ અંતવૃત્તિથી દુઃખરૂપ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવોને વિવેક હોવાને કારણે અંતરંગ રીતે સુખ અને દુઃખ બંનેનો અનુભવ હોય છે; કેમ કે તત્ત્વપ્રાપ્તિકૃત અંતરંગ સુખનો અનુભવ અને પ્રમાદકૃત દુઃખનો અનુભવ હોય છે. ત્રીજા પ્રકારના તત્ત્વસંવેદનજ્ઞાનવાળા જીવોને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિથી સર્વત્ર નિર્લેપ ચિત્ત હોય છે. તેથી તેવા સાધક મહાત્માઓને અંતવૃત્તિથી સુખનો અનુભવ હોય છે. ટીકામાં અષ્ટકપ્રકરણ-૯/૪ની સાક્ષી આપી તેનો ભાવાર્થ : કોઈ પુરુષ પોતાના ઇષ્ટ સ્થાને અશ્વ ઉપર જતો હોય, અને પોતે અશ્વ ઉપરથી પાત પામશે તો પોતાને અંગભંગાદિ દોષોની પ્રાપ્તિ થશે, અને જો પાત નહિ પામે તો ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિરૂપ ગુણની પ્રાપ્તિ થશે તેમાં તેને જેમ સંશય હોતો નથી; તેમ સમ્યગ્દષ્ટિ જીવોને પોતે ઈંદ્રિયોના વિષયો અને કષાયોને પરવશ થઈને પ્રવૃત્તિ કરશે તો કર્મબંધની પ્રાપ્તિ અને દુર્ગતિની પ્રાપ્તિ થશે, અને જો ઇંદ્રિયોના વિષયો અને કષાયોને પરવશ નહિ થાય તો સદ્ગતિની પરંપરા અને સર્વકર્મનો નાશ થવાથી પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ થશે તેમાં સંશય હોતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવોને ઇંદ્રિયોને અને કષાયોને પરવશ થવાનું લેશ પણ ઈષ્ટ નથી, પરંતુ સંયમની બલવાન ઈચ્છા છે; આમ છતાં બલવાન ચારિત્રમોહના ઉદયથી જનિત, ચારિત્રમાં પ્રવૃત્તિ કરવામાં અંતરાયભૂત એવા વીર્યંતરાય કર્મના ઉદયને કારણે તેઓ ચારિત્રમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. તેથી તેઓને પોતે જે કાંઈ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા નથી, તેના અનર્થોની પ્રાપ્તિ, અને જે કાંઈ યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે, તેના અર્થની પ્રાપ્તિથી યુક્ત એવું આત્મપારણામવાળું જ્ઞાન છે. ॥૪॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ સાધુસામથ્યાત્રિશિકા/શ્લોક-૫ અવતરણિકા :તત્વસંવેદનશાન કોને હોય અને કેવું હોય તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે - બ્લોક : स्वस्थवृत्तेस्तृतीयं तु सज्ज्ञानावरणव्ययात् । __ साधोर्विरत्यवच्छिन्नमविघ्नेन फलप्रदम् ।।५।। અન્યથાર્થ : તુ-વળી સ્વસ્થવૃત્ત =સ્વસ્થવૃત્તિવાળા સાધો:=સાધુને વિરત્વચ્છિન્ન= વિરતિથી અવચ્છિન્ન=સહિત વિનેન ઝવ=વિધ્ધ વગર ફળને આપનારું સીનવિર =સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી તૃતીયત્રીજું= તત્ત્વસંવેદન, જ્ઞાન છે. પા શ્લોકાર્ચ - વળી સ્વસ્થવૃત્તિવાળા સાધુને વિરતિથી સહિત, વિઘ્ન વગર ફળને આપનારું સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી તત્ત્વસંવેદન જ્ઞાન છે. III ટીકા - स्वस्थेति-स्वस्थाऽनाकुला वृत्तिः कायादिव्यापाररूपा यस्य तस्य साधोस्तु तृतीयं, विरतिः सदसत्प्रवृत्तिनिवृत्त्यात्मिका तयाऽवच्छिन्नमुपहितम्, अविघ्नेन विघ्नाभावेन फलप्रदम्, तदाह - "स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् । તત્ત્વસંવે સી યથાર પ્રમ્’ || (ગષ્ટ-૧/૬) इदं च सज्जानावरणस्य व्ययात् क्षयोपशमात् प्रादुर्भवति, तदाह - “જ્ઞાનાવર/પામ્” (ગષ્ટ-૨-૭) રૂતિ પાપા ટીકાર્ય : સ્વસ્થા ....... તૃતીયં, સ્વસ્થ અનાકુલ કાયાદિવ્યાપારરૂપ વૃત્તિ-પ્રવૃત્તિ છે જેને એવા સાધુને વળી ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૫ તે જ્ઞાન કેવું વિશેષ છે, તે સ્પષ્ટ કરે છે विरतिः પ્રમ્, સત્-અસત્ પ્રવૃત્તિ-નિવૃતિ તેનાથી અવચ્છિન્ન=ઉપહિત= ઉપરંજિત, એવું ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન છે. વળી આ ત્રીજું જ્ઞાન કેવું છે, તે બતાવે છે અવિઘ્નથી=વિઘ્નાભાવથી ફળને આપનારું છે=ઈષ્ટ એવા મોક્ષરૂપ ફ્ળને આપનારું છે. तदाह તેને કહે છે=શ્લોક-૫માં કહ્યું કે આવા સ્વરૂપવાળું ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન સાધુને હોય છે, તેને અષ્ટક-૯/૬ની સાક્ષીથી કહે છે “સ્વસ્થવૃત્તઃ નપ્રવ” ।। સ્વસ્થવૃત્તિવાળા પ્રશાંત સાધુને તેના હેયત્વાદિના નિશ્ચયવાળું=ન્નેયવસ્તુના હેયત્વાદિના નિશ્ચયવાળું, સમ્યક્=સમ્યપણું હોવાને કારણે યથાશક્તિ ફળને આપનારું તત્ત્વસંવેદનજ્ઞાન છે. - -- ..... इदं च પ્રાદુર્ભવતિ । અને આ=તત્ત્વસંવેદનજ્ઞાન, સત્ જ્ઞાતાવરણના વ્યયથી=ક્ષયોપશમથી, પ્રાદુર્ભાવ પામે છે. - તવાદ - તેને કહે છેત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાત સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે. તેને અષ્ટક-૯/૭ની સાક્ષીથી કહે છે “સજ્ઞાનાવરનાપાયમ્” કૃતિ ।। સત્ જ્ઞાનાવરણના અપાયરૂપ=ક્ષયોપશમરૂપ, ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન છે. રૂત્તિશબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પા ભાવાર્થ : (૩) તત્ત્વસંવેદનજ્ઞાન કોને હોય ? અને કેવું હોય ? : જે સાધુની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રાગાદિથી આકુલ નથી, તેવા સ્વસ્થવૃત્તિવાળા સાધુને સતુજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તત્ત્વસંવેદન નામનું ત્રીજું જ્ઞાન પ્રગટ થાય છે. આ ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન મોક્ષને અનુકૂળ એવી મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ અને મોક્ષને પ્રતિકૂળ એવી મન, વચન અને કાયાની નિવૃત્તિરૂપ વિરતિથી ઉપરંજિત હોય છે અર્થાત્ વિરતિના પરિણામના સંશ્લેષવાળું હોય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-પ ૨૩ વળી આ જ્ઞાન વિજ્ઞ વગર ફળને આપનારું છે. સાધુને ઈષ્ટ એવું ફળ મોક્ષ છે, અને આ જ્ઞાનનો ઉપયોગ સમ્યગ્બોધથી યુક્ત ઉચિત પ્રવૃત્તિવાળો હોવાથી આત્મા ઉપર ઉત્તમ સંસ્કારો આધાન કરે છે, અને મોક્ષને અનુકૂળ એવી પુણ્યપ્રકૃતિનું સર્જન કરે છે. તેથી આ જ્ઞાનના પરિણામથી થયેલા ઉત્તમ સંસ્કારો અને ઉત્તમ પુણ્યપ્રકૃતિ યોગીને વિઘ્ન વગર મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરાવે છે. પા વિશેષાર્થ : (૧) વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન, મિથ્યાત્વના પરિણામથી યુક્ત એવું જે કુત્સિત જ્ઞાન, તેના આવરણના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન જીવને અનુચિત પ્રવૃત્તિ કરાવીને અનર્થની પરંપરાનું કારણ બને છે. (૨) આત્મપરિણામવાળું જ્ઞાન, તત્ત્વનો યથાર્થ બોધ કરાવનાર જે મતિજ્ઞાન તેના આવરણના ક્ષયોપશમથી પ્રગટ થયેલું હોય છે, તેથી આત્મપરિણામવાળા જ્ઞાનમાં શેય પદાર્થો હેય, ઉપાદેય અને ઉપેક્ષણીયરૂપે યથાર્થ પ્રતિભાસમાન થાય છે, તેથી આ જ્ઞાન આત્મકલ્યાણનું કારણ બને છે. આમ છતાં બોધને અનુરૂપ પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિ કરાવી શકે તેવું નથી. (૩) તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પોતાના સમ્યજ્ઞાનમાં જે હિતકર કે અહિતકર ભાસે તે પ્રમાણે હિતમાં પ્રવૃત્તિ કરાવે અને અહિતથી નિવૃત્તિ કરાવે તેવા સામર્થ્યવાળું જે મતિજ્ઞાનવિશેષ, તેના આવરણના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેથી આ જ્ઞાનમાં જેમ બોધ યથાર્થ છે તેમ બોધને અનુરૂપ પાપની નિવૃત્તિ અને નિષ્પાપ જીવનમાં પ્રવૃત્તિ હોય છે. તત્ત્વસંવેદનજ્ઞાન મુનિને હોય છે અને ભાવથી મુનિ તે છે કે જે રાગાદિથી અનાકુળ રહીને મોહના ઉચ્છેદ માટે સુભટની જેમ ઉદ્યમ કરી રહ્યા છે, અને કંટકથી આકીર્ણ ભૂમિમાં ગમનાગમનની જેમ અપ્રમાદભાવથી પકાયના પાલનમાં ઉદ્યમ કરી રહ્યા છે. આવા પ્રકારના મુનિનું ચિત્ત અનુકૂળ કે પ્રતિકૂળ ભાવો પ્રત્યે પ્રતિબંધવાળું નથી, પરંતુ મોહના ઉચ્છદ માટે દૃઢ ઉદ્યમ કરે તેવા પ્રતિબંધવાળું છે. તેથી મોહના ઉચ્છેદ માટેનો જે જે ઉચિત ઉપાય હોય છે તેને અપ્રમાદભાવથી સેવે છે અને તે વખતે એમનો જે જ્ઞાનનો ઉપયોગ છે તે સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ છે. આ જ્ઞાનના ઉપયોગથી પ્રતિક્ષણ મોહના Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાધુસામગ્રદ્ધાત્રિશિકા/બ્લોક-૧ સંસ્કારો ક્ષીણ થાય છે અને મોહની પરિણતિથી વિપરીત પરિણતિનું આધાન થાય તેવા ઉત્તમ સંસ્કારો પડે છે, જે તત્ત્વજ્ઞાનના સંસ્કારો છે. તેથી આ જ્ઞાન વિષ્ણરહિત મોક્ષની પ્રાપ્તિનું કારણ છે. આ ત્રીજા જ્ઞાનના કાળમાં ચિત્તની ઉત્તમતા હોવાને કારણે બંધાતું પુણ્ય પ્રકર્ષવાળું હોય છે, અને તત્ત્વજ્ઞાનના સંસ્કારોથી આત્મા વાસિત થતો હોય છે. તેથી આ ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત ન થાય તો જન્માંતરની પ્રાપ્તિ થાય ત્યારે, સંયમના પાલનથી થયેલી પુણ્યપ્રકૃતિથી ઉત્તમ દેવભવ કે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, અને તે ભવમાં પોતાને પ્રતિકૂળ એવા કોઈ સંયોગો ભૂતકાળનાં કોઈ ક્લિષ્ટ કર્મો ન હોય તો પ્રાપ્ત થતા નથી. જેમ કે મનુષ્યભવમાં હોય તો શારીરિક, આર્થિક અને કૌટુંબિક તેવા પ્રકારનું પુણ્ય હોય કે જેથી દીર્ઘ આયુષ્યકાળમાં પણ કોઈ પ્રતિકૂળ સંયોગો ઉત્પન્ન થાય નહિ, પરંતુ સર્વ રીતે અનુકૂળતા ભોગવીને સંયમના પરિણામો થાય, અને સંયમકાળમાં પણ પ્રાયઃ કરીને ભૂતકાળનું કોઈ ક્લિષ્ટ કર્મ ન હોય તો કોઈ ઉપસર્ગો કે પરિષહોની પ્રાપ્તિ થાય નહિ, અને ચિત્ત મોહથી અનાકુળ થઈને સહજ રીતે સાધના કરી શકે તેવા પ્રકારનું પુણ્ય આ ત્રીજા પ્રકારના જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. તેથી અવિપ્નથી ફળને આપનારું આ તત્ત્વસંવેદનજ્ઞાન છે. પણ અવતરણિકા : શ્લોક-૨ થી ૫ સુધી ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણ પ્રકારનાં જ્ઞાનોતે જાણવા માટેના લિંગો ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : निष्कम्पा च सकम्पा च प्रवृत्तिः पापकर्मणि । निरवद्या च सेत्याहुर्लिंगान्यत्र यथाक्रमम् ।।६।। અન્વયાર્થ પાપન નિમ્પા વ સમ્પ પ્રવૃત્તિ =પાપકર્મમાં નિષ્કપ પ્રવૃત્તિ અને સકંપ પ્રવૃત્તિનિરવા રસી અને નિરવદ તે=પ્રવૃત્તિ, ત્ર=અહીં-ત્રણ પ્રકારનાં જ્ઞાનોમાં,તિનિનિયથાક્રમ કાદુએ પ્રકારનાં યથાક્રમ લિંગો કહે છે. દા Page #49 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૬ શ્લોકાર્થ :-- ત્રણ પ્રકારનાં જ્ઞાનોમાં પાપકર્મમાં નિકંપ પ્રવૃત્તિ, સકંપ પ્રવૃત્તિ અને નિરવધ પ્રવૃત્તિ, એ પ્રકારના યથાક્રમ લિંગો કહે છે. 11911 ટીકાઃ निष्कम्पा चेति अत्रोक्तेषु त्रिषु भेदेष्वज्ञानज्ञानसज्ज्ञानत्वेन फलितेषु यथाक्रमं पापकर्मणि निष्कम्पा - दृढा प्रवृत्तिः, सकम्पा चादृढा, निरवद्या च सा प्रवृत्तिरिति વિજ્ઞાન્યાદુ: । તવુń - “નિરપેક્ષપ્રવૃત્સાવિત્તિઙામેતવુવા તમ્' (અષ્ટ-૧/૩) | તથા- “તાવિધપ્રવૃત્ત્વાબિડ્યં સવનુન્ધિ ૫” (અષ્ટ-૧/૫) । તથા - “ન્યાય્યાવો શુદ્ધવૃત્ત્વાાિમ્યમંતવ્રતિતમ્” (અષ્ટ-૧/૭) કૃત્તિ ।।૬।। . ટીકાર્યઃ अत्रोक्तेषु બાદુઃ । અહીં=અજ્ઞાત, જ્ઞાન અને સત્જ્ઞાનપણારૂપે ફલિત એવા ઉક્ત ત્રણ ભેદોમાં યથાક્રમ પાપકર્મમાં નિષ્કપ=દૃઢ પ્રવૃત્તિ, સકંપ=અદૃઢ પ્રવૃત્તિ અને નિરવદ્ય તે=પ્રવૃત્તિ, એ પ્રમાણે લિંગો કહે છે. તવુ - તે કહેવાયું છે=ત્રણ પ્રકારના જ્ઞાનનાં ત્રણ લિંગો છે, એમ શ્લોકમાં કહ્યું તે અષ્ટક-૯/૩-૯-૫-૯/૭માં કહેવાયું છે “નિરપેક્ષપ્રવૃત્ત્વાતિ શિક્મેતવુવાર્તીતમ્” | નિરપેક્ષ પ્રવૃત્યાદિ નિરપેક્ષ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આદિ લિંગવાળું આ=વિષયપ્રતિભાસજ્ઞાન, અષ્ટક-૯/૩માં કહેવાયેલું છે. તથા=અને “ तथाविध સવનુન્ધ ઘ” । અને તથાવિધ પ્રવૃત્યાદિથી વ્યંગ્ય= ભગવાનના વચનથી ભાવિત મતિ હોવાને કારણે પાપની પ્રવૃત્તિ અદૃઢ થાય તેવા પ્રકારની પ્રવૃત્યાદિથી વ્યંગ્ય, અને સઅનુબંધવાળું=પરંપરાએ મોક્ષળને આપનારું, આત્મપરિણતિમત્ જ્ઞાન અષ્ટક-૯/૫માં કહેવાયેલું છે. તા - અને ..... r ૨૫ "न्याय्यादौ પ્રીતિતમ્” કૃતિ || ન્યાય્યાદિમાં=સમ્યગ્દર્શનાદિ ત્રણરૂપ મોક્ષમાર્ગ છે આદિમાં જેને તેમાં, શુદ્ધ નૃત્યાદિથી ગમ્ય=નિરતિચાર પ્રવૃત્યાદિથી ગમ્ય, આ= તત્ત્વસંવેદનજ્ઞાન, અષ્ટક-૯/૭માં કહેવાયેલું છે. ***** Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૬ રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ॥૬॥ ભાવાર્થ : સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૬ વિષયપ્રતિભાસ, આત્મપરિણામવત્ અને તત્ત્વસંવેદન જ્ઞાનને જાણવાનાં = લિંગો (૧) અજ્ઞાનરૂપ વિષયપ્રતિભાસજ્ઞાન (૨) જ્ઞાનરૂપ આત્મપરિણામવજ્ઞાન (૩) સતૂજ્ઞાનરૂપ તત્ત્વસંવેદનજ્ઞાન તે ત્રણ પ્રકારના જ્ઞાનમાં, (૧) વિષયપ્રતિભાસજ્ઞાનવાળા જીવોની પાપકર્મમાં નિષ્કપ પ્રવૃત્તિ=દૃઢ પ્રવૃત્તિ, હોય છે, (૨) આત્મપરિણતિવર્તુજ્ઞાનવાળા જીવોની પાપકર્મમાં સકંપ પ્રવૃત્તિ=અદૃઢ પ્રવૃત્તિ, હોય છે અર્થાત્ રડતાં રડતાં પાપપ્રવૃત્તિ કરે એમ નહિ, પરંતુ પાપના અનર્થનો સ્પષ્ટ બોધ હોવાને કારણે અદૃઢ પ્રવૃત્તિ હોય છે, અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાનવાળા જીવોની પાપપ્રવૃત્તિ હોતી નથી, પરંતુ નિરવઘ પ્રવૃત્તિ હોય છે. આનાથી એ ફલિત થાય છે કે જીવમાં વર્તતું જ્ઞાન પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરાવે છે. તેમાં જે જીવોમાં ગાઢ મિથ્યાત્વ વર્તી રહ્યું છે, તેઓ તદ્દન નિરપેક્ષ થઈને પાપપ્રવૃત્તિ કરે છે. જે જીવો કાંઈક ધર્મને અભિમુખ થયા છે અને યોગની પ્રથમની ચાર દૃષ્ટિમાં વર્તે છે, તેઓમાં પણ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વને કારણે જે સ્થાનમાં વિપર્યાસ છે, તે સ્થાનમાં નિષ્કપ પાપપ્રવૃત્તિ છે; પરંતુ સ્થૂલબોધને કારણે જે સ્થાનમાં કાંઈક સભ્યજ્ઞાન છે, તે સ્થાનમાં પાપપ્રવૃત્તિનો ત્યાગ છે, અને કદાચ પાપપ્રવૃત્તિ હોય તો સકંપ હોય, તોપણ જે સ્થાનમાં વિપર્યાસ છે, તે સ્થાનને આશ્રયીને નિષ્કપ પાપપ્રવૃત્તિ છે. માટે તે જીવોનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. સમ્યગ્દષ્ટિ જીવોનું જ્ઞાન અજ્ઞાનરૂપ નથી, પરંતુ જ્ઞાનરૂપ છે, અને તેમની પાપપ્રવૃત્તિ સકંપ હોય છે અર્થાત પાપપ્રવૃત્તિ કરવા પ્રત્યેનું વલણ થાય, તેથી Page #51 -------------------------------------------------------------------------- ________________ સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૬ ૨૭ પાપપ્રવૃત્તિ કરે, તોપણ આ પાપપ્રવૃત્તિ મારા અહિતનું કારણ છે તેવો સ્થિર નિર્ણય હોવાથી તેમનો બોધ તે પાપપ્રવૃત્તિને શિથિલ કરે છે. સમ્યગ્દષ્ટિ જીવો સૂક્ષ્મબોધવાળા હોય છે, તેથી મોક્ષને પ્રતિકૂળ સર્વ પરિણતિ તેમને પાપરૂપે દેખાય છે. માટે તે પાપપ્રવૃત્તિ કરવાના અભિમુખ ભાવવાળા ન હોય તો પાપપ્રવૃત્તિ કરતા નથી, અને પાપપ્રવૃત્તિ ક૨વાને અભિમુખ પરિણામ થયો હોય તો યથાર્થ બોધ હોવાને કા૨ણે શિથિલ પાપપ્રવૃત્તિ કરે છે. સંયમયોગમાં ઉત્થિત મુનિનું જ્ઞાન સત્ જ્ઞાન છે. જે બોધ ઉચિતમાં પ્રવૃત્તિ અને અનુચિતમાં નિવૃત્તિ કરાવે તે સત્ જ્ઞાન છે. મુનિ સંયમની વૃદ્ધિને અનુકૂળ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને સંયમમાં વ્યાઘાતક સર્વ અનુચિત પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાય છે. તેથી શાસ્ત્રવચનના સ્મરણપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા મુનિનું જ્ઞાન સત્ જ્ઞાન છે, અને તે જ્ઞાનવાળા મુનિઓ નિરવઘ પ્રવૃત્તિ કરે છે. તેથી ત્રીજા તત્ત્વસંવેદનજ્ઞાનનું લિંગ નિરવઘ પ્રવૃત્તિ છે. ટીકામાં અષ્ટક પ્રકરણ-૯/૩ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે સંસારી જીવો પોતાના ભૌતિક હિત માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ નિરપેક્ષભાવથી કરતા હોય તો તેમની નિષ્કપ પાપપ્રવૃત્તિ છે, અને નિષ્કપ પાપપ્રવૃત્તિ વિષયપ્રતિભાસ જ્ઞાનનું લિંગ છે. ટીકામાં અષ્ટક પ્રકરણ-૯/૫ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે - સમ્યગ્દષ્ટિ જીવોનું ચિત્ત ભગવાનના વચનથી ભાવિત હોય છે તેથી પાપપ્રવૃત્તિનું આપાદક ચારિત્રમોહનીય કર્મ બળવાન હોય તો પાપપ્રવૃત્તિ કરે ત્યારે પણ તેવા પ્રકારની શિથિલ પ્રવૃત્તિ આદિથી વ્યંગ્ય તેમની પ્રવૃત્તિ હોય છે, અને તે પ્રવૃત્તિ ક્રમે કરીને પાપની નિવૃત્તિનું કારણ બને તેવી હોય છે. તેથી તેમની પ્રવૃત્તિ સકંપ પાપપ્રવૃત્તિ છે, અને સકંપ પાપપ્રવૃત્તિ આત્મપરિણામવત્ જ્ઞાનનું લિંગ છે. ટીકામાં અષ્ટક પ્રકરણ-૯/૭ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે જીવને માટે ન્યાય્યમાર્ગ આત્માના શુદ્ધ ભાવરૂપ રત્નત્રયીનો માર્ગ છે અને અન્યાય્ય માર્ગ રત્નત્રયીથી વિપરીત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રરૂપ છે. તત્ત્વસંવેદનવાળા મુનિઓની ન્યાય્યમાર્ગમાં શુદ્ધ પ્રવૃત્તિ=સમભાવની વૃદ્ધિનું Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાધુસમસ્યાત્રિશિકા/શ્લોક-૭ કારણ બને એવી પ્રવૃત્તિ હોય છે, અને અન્યાપ્ય માર્ગમાં શુદ્ધ નિવૃત્તિ= અસમભાવના સંસ્કારોનું નિવર્તન કરે એવી નિવૃત્તિ હોય છે, અને તે નિરવદ્ય આચારરૂપ છે. તે પ્રવૃત્તિ-નિવૃત્તિથી ગમ્ય એવું તત્ત્વસંવેદનજ્ઞાન છે. Iકા ત્રણ પ્રકારના જ્ઞાનનાં લિંગો (૧) વિષયપ્રતિભાસજ્ઞાન (૨) આત્મપરિણામવજ્ઞાન(૩) તત્ત્વસંવેદનજ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે. સત્વજ્ઞાન સ્વરૂપ છે. તે પાપકર્મમાં નિષ્કપ તે પાપકર્મમાં સકંપ તે પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવે છે. પ્રવૃત્તિ કરાવે છે. નિરવદ્ય પ્રવૃત્તિ કરાવે છે. અવતરણિકા - ननु क्वैतानि लिंगान्युपयुज्यन्ते इत्यत आह - અવતરણિતાર્થ - આ લિંગો ક્યાં ઉપયોગી છે? એથી ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-કમાં ત્રણ પ્રકારના જ્ઞાનનાં ત્રણ લિંગો કહ્યાં. તે ત્રણ લિગો જ્ઞાનનો ભેદ કરવામાં ઉપયોગી છે કે જ્ઞાનના ભેદના અનુમાનમાં ઉપયોગી છે, એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : जातिभेदानुमानाय व्यक्तीनां वेदनात् स्वतः । तेन कर्मान्तरात् कार्यभेदेऽप्येतद्भिदाऽक्षता ।।७।। અન્વયથાર્થ : ચસ્તીનાં વ્યક્તિઓનું અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વત: વેદના–સ્વતઃ વેદન હોવાને કારણે ગતિમાનું અનુમય જાતિભેદના અનુમાન માટે અજ્ઞાનાદિગત Page #53 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૭ અજ્ઞાતત્વાદિ જાતિભેદના અનુમાન માટે શ્લોક-૬માં ત્રણ લિંગો બતાવાયાં છે, એમ અન્વય છે. તેન=તે કારણથી=અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન છે તે કારણથી વર્માન્તરાત્=કર્માંતરથી ાર્યમેને=િકાર્યભેદ હોવા છતાં પણ=સાવદ્ય અને નિરવઘ પ્રવૃત્તિરૂપ કાર્યભેદ હોવા છતાં પણ ર્તાત્મવા આ ભેદો=અજ્ઞાનાદિ ત્રણ ભેદો અક્ષતા અક્ષત છે. ।।૭।। શ્લોકાર્થ : અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન હોવાને કારણે અજ્ઞાનાદિગત અજ્ઞાનત્વાદિ જાતિભેદના અનુમાન માટે શ્લોક-૬માં ત્રણ લિંગો બતાવાયાં છે, એમ અન્વય છે. ૨૯ અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન છે તે કારણથી, કર્માંતરથી કાર્યભેદ હોવા છતાં પણ=સાવધ અને નિરવધ પ્રવૃત્તિરૂપ કાર્યભેદ હોવા છતાં પણ, અજ્ઞાનાદિ ત્રણ ભેદો અક્ષત છે. 19ના ટીકા ઃ जातीति-जातिभेदस्य निष्कम्पपापप्रवृत्त्यादिजनकतावच्छेदकस्याज्ञानादिगतस्य, अनुमानाय उक्तानि लिङ्गानीति सम्बन्धः, व्यक्तीनाम्-अज्ञानादिव्यक्तीनां, સ્વતો=નિક નેરપેક્ષ્યશૈવ, વેદનાત્=પરજ્ઞાનાત્। તેન વર્માન્તરાત્=ચારિત્રमोहादिरूपादुदयक्षयोपशमावस्थावस्थितात्, कार्यभेदेऽपि सावद्यानवद्यप्रवृत्तिवैचित्र्येऽपि (ए) तद्भिदा - अज्ञानादिभिदा, अक्षता, प्रवृत्तिसामान्ये ज्ञानस्य हेतुत्वात्तद्वैचित्र्येणैव तद्वैचित्र्योपपत्तेः प्रवृत्तौ कर्मविशेषप्रतिबन्धकत्वस्यापि हेतुविशेषविघटनं विनाऽयोगात्, वस्तुतः कार्यस्वभावभेदे कारणस्वभावभेदः सर्वत्राप्यावश्यकः, अन्यथा हेत्वन्तरसमवधानस्याप्यकिञ्चित्करत्वादिति વિવેષિતમન્યત્ર ।।9।। ટીકાર્ય : जातिभेदस्य અક્ષતા, નિષ્કપ પાપપ્રવૃત્યાદિજનકતાવચ્છેદક અજ્ઞાનાદિગત જાતિભેદના અનુમાન માટે શ્લોક-૬માં લિંગો કહેવાયાં છે, એ પ્રકારે સંબંધ છે; કેમ કે અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ–લિંગનિરપેક્ષપણાથી જ, Page #54 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૭ વેદન=પરિજ્ઞાત, છે. તે કારણથી=અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન છે તે કારણથી, કર્માંતરને કારણે=ઉદય, ક્ષયોપશમ અવસ્થાથી અવસ્થિત ચારિત્રમોહાદિરૂપ કર્માંતરના કારણે, કાર્યભેદ હોવા છતાં પણ=સાવધ અને અનવદ્ય-નિરવઘ પ્રવૃત્તિનું વૈચિત્ર્ય હોવા છતાં પણ, આ ભેદો= અજ્ઞાનાદિ ભેદો, અક્ષત છે. 30 પૂર્વમાં કહ્યું કે લિંગનિરપેક્ષ અજ્ઞાનાદિ વ્યક્તિઓનું વેદન હોવાથી કર્માંતરને કારણે સાવઘ, અનવદ્ય પ્રવૃત્તિનો ભેદ હોવા છતાં પણ ત્રણ પ્રકારના જ્ઞાનનો ભેદ અક્ષત છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે ત્રણ પ્રકારના જ્ઞાનને ન સ્વીકારીએ, પરંતુ જ્ઞાન એક પ્રકારનું છે, આમ છતાં જે જીવોને મિથ્યાત્વનો ઉદય છે, તેઓને નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે; અને જે જીવોને મિથ્યાત્વનો ક્ષયોપશમ છે અને ચારિત્રમોહનીયનો ઉદય છે, તે જીવોને સકંપ પાપપ્રવૃત્તિ થાય છે; અને જે જીવોને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમભાવ વર્તે છે, તે જીવોને નિરવધ પ્રવૃત્તિ થાય છે; તેમ સ્વીકારીએ તો ત્રણ જ્ઞાન માનવાની આવશ્યકતા રહે નહિ. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે પ્રવૃત્તિસામાન્ય .... ૩૫પત્ત, પ્રવૃત્તિસામાન્યમાં જ્ઞાનનું હેતુપણું હોવાથી જ્ઞાનના વૈચિત્ર્યથી જ પ્રવૃત્તિના વૈચિત્ર્યની ઉપપત્તિ=સંગતિ છે. અહીં પ્રશ્ન થાય કે ત્રણ પ્રકારનાં જ્ઞાન ન સ્વીકારીએ પરંતુ એક પ્રકારનું જ્ઞાન સ્વીકારીએ, અને મિથ્યાદ્દષ્ટિની પ્રવૃત્તિ પ્રત્યે દર્શનમોહનીય કર્મ પ્રતિબંધક સ્વીકારીએ અને સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ પ્રત્યે ચારિત્રમોહનીયરૂપ કર્મવિશેષ પ્રતિબંધક છે, તેથી નિરવઘ પ્રવૃત્તિ થતી નથી, પરંતુ સાવઘ પ્રવૃત્તિ થાય છે; અને ચારિત્રીને ચારિત્રમોહનીય કર્મ પ્રતિબંધક નથી, તેથી નિરવઘ પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારીએ તો ત્રણ જ્ઞાન સ્વીકારવાને બદલે એક જ્ઞાન સ્વીકારવાના કારણે લાઘવની પ્રાપ્તિ થાય. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે - પ્રવૃત્તી ..... યોાત્, હેતુમાં રહેલ વિશેષના વિઘટન વગર=પ્રવૃત્તિના કારણીભૂત જ્ઞાનરૂપ હેતુમાં રહેલ વિશેષના વિઘટન વગર, પ્રવૃત્તિમાં કર્મવિશેષતા પ્રતિબંધકપણાનો પણ અયોગ છે. वस्तुतः ..... આવશ્યઃ, વસ્તુતઃ કાર્યના સ્વભાવભેદમાં કારણનો સ્વભાવભેદ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૭ સર્વત્ર પણ સર્વ કાર્યસ્થળમાં પણ, આવશ્યક છે. ૩ન્યથા ..... સત્ર | અન્યથાગકાર્યના સ્વભાવભેદમાં કારણનો સ્વભાવભેદ ન હોય તો, હેવંતરના સમવધાનનું પણ કર્મવિશેષ પ્રતિબંધત્વરૂપ હેવંતરના સમવધાનનું પણ, અકિંચિત્કરપણું છે, એ પ્રમાણે અન્યત્ર વિવેચન કરાયેલું છે. શા નિમ્પપપપ્રવૃઃિ - અહીં ઃિ થી સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. અજ્ઞાનાદ્રિવ્યવર્તીનામ્ - અહીં આવે થી જ્ઞાન અને સત્વજ્ઞાનનું ગ્રહણ કરવું. ચારિત્રમોહનસિપાત્ - અહીં કારિ થી દર્શનમોહનું ગ્રહણ કરવું. કાર્યએડશિ અહીં ૩પ થી એ સમુચ્ચય થાય છે કે જ્ઞાનના ભેદને કારણે કાર્યભેદ હોય તો અજ્ઞાનાદિ ભેદો અક્ષત છે, પરંતુ કર્માતરના ભેદને કારણે કાર્યભેદ હોય તોપણ અજ્ઞાનાદિ ભેદો અક્ષત છે. જ્ઞાનવિમવા - અહીં ઢિ થી જ્ઞાન અને સત્વજ્ઞાનનું ગ્રહણ કરવું. સર્વત્રાગરિ અહીં ઉપિ થી એ કહેવું છે કે પ્રસ્તુત સ્થાનમાં તો સાવદ્ય, નિરવદ્ય પ્રવૃત્તિરૂપ કાર્યના સ્વભાવભેદમાં જ્ઞાનરૂપ કારણનો સ્વભાવભેદ આવશ્યક છે, પરંતુ સર્વ સ્થાનમાં પણ કાર્યના સ્વભાવભેદમાં કારણનો સ્વભાવભેદ આવશ્યક છે. ત્વન્તરસમવધાનચાવે - અહીં નથી એ કહેવું છે કે હેવંતરનું સમવધાન ન હોય તો તો કાર્યભેદ ન થાય, પરંતુ હવંતરનું સમવધાન પણ કાર્યભેદ કરવામાં અકિંચિત્કર છે. ભાવાર્થ :નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવધ પ્રવૃત્તિ આ ત્રણ પ્રકારનાં લિંગોનો ક્યાં ઉપયોગ છે, તેનું વર્ણન - શ્લોક-કમાં બતાવ્યું કે વિષયપ્રતિભાસજ્ઞાનવાળાની પાપકર્મની પ્રવૃત્તિ નિષ્કપ હોય છે, આત્મપરિણામજ્ઞાનવાળાની પાપકર્મની પ્રવૃત્તિ સકંપ હોય છે અને તત્ત્વસંવેદનજ્ઞાનવાળાની પ્રવૃત્તિ નિરવદ્ય હોય છે, અને તે પ્રવૃત્તિનું કારણ ત્રણ પ્રકારના જ્ઞાનો છે. તેથી તે ત્રણ પ્રકારની પ્રવૃત્તિના તે ત્રણ જ્ઞાનો જનક છે, માટે તે ત્રણ જ્ઞાનોમાં જનકતા રહેલી છે; અને તે ત્રણ જ્ઞાનોમાં રહેલી નિષ્કપ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાધુસામય્યદ્વાત્રિશિકા/બ્લોક-૭ પાપપ્રવૃત્ત્વાદિજનકતાવચ્છેદક અજ્ઞાનત્વાદિ ત્રણ જાતિઓ છે, તે જાતિઓનું અનુમાન કરવા માટે નિષ્કપાદિ ત્રણ લિંગો બતાવાયાં છે; કેમ કે અજ્ઞાનાદિ ત્રણે વ્યક્તિઓનું વેદન કરવામાં નિષ્કપતાદિ લિંગની અપેક્ષા નથી. આશય એ છે કે જીવોને વિષયપ્રતિભાસજ્ઞાન અજ્ઞાનરૂપે વેદના થાય છે, આત્મપરિણામવજ્ઞાન જ્ઞાનરૂપે વેદન થાય છે અને તત્ત્વસંવેદનશાન સત્વજ્ઞાનરૂપે વેદન થાય છે, અને આ ત્રણે જ્ઞાનો નિષ્કપતાદિ પ્રવૃત્તિનાં જનક છે. અજ્ઞાનવાળી વ્યક્તિ પાપમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની પ્રવૃત્તિમાં નિષ્કપતા હોય છે. તેથી જેમ વહ્નિનું કાર્ય ધૂમ છે, તે ધૂમને જોઈને વહ્નિનું અનુમાન થઈ શકે છે, તેમ અજ્ઞાનના કાર્યરૂપ નિષ્કપતા છે, તેથી નિષ્કપતાને જોઈને આ વ્યક્તિમાં અજ્ઞાન છે, તે પ્રકારનું અનુમાન થઈ શકે છે. માટે કયા જીવમાં અજ્ઞાન છે, કયા જીવમાં જ્ઞાન છે અને કયા જીવમાં સત્વજ્ઞાન છે, તેનો નિર્ણય કરવા માટે નિષ્કપ પાપપ્રવૃજ્યાદિ લિંગો બતાવાયેલાં છે; પરંતુ અજ્ઞાનાદિ વ્યક્તિઓનું વેદન કરવા માટે નિષ્કપાદિ પ્રવૃત્તિની અપેક્ષા નથી. માટે લિંગનિરપેક્ષ જ અજ્ઞાનાદિ ત્રણ પ્રકારના જ્ઞાનનું વેદન જીવને થાય છે. આથી ત્રણ પ્રકારના જ્ઞાનવાળા જીવો ક્વચિત્ કોઈ પ્રવૃત્તિ ન કરતા હોય તોપણ તે ત્રણે વ્યક્તિઓમાં જ્ઞાનનું વેદન જુદા પ્રકારનું છે, અને તે ત્રણે વ્યક્તિ જ્યારે કોઈ પ્રવૃત્તિ કરે ત્યારે તે પ્રવૃત્તિમાં નિષ્કપતાદિ ભેદોની પ્રાપ્તિ થાય છે. પૂર્વમાં સ્થાપન કર્યું કે અજ્ઞાનાદિ વ્યક્તિઓનું નિષ્કપતાદિ લિંગનિરપેક્ષ સ્વતઃ વેદન છે. તેનાથી જ્ઞાનના ત્રણ ભેદોની પ્રાપ્તિ છે, આમ છતાં – સામાન્ય રીતે : (૧) દર્શનમોહનીયના ઉદયથી જીવો નિષ્કપ પાપની પ્રવૃત્તિ કરે છે. (૨) દર્શનમોહનીયના ક્ષયોપશમવાળા જીવો જો ચારિત્રમોહનીયના ઉદયવાળા હોય તો સકંપ પાપની પ્રવૃત્તિ કરે છે અને (૩) જે જીવોને દર્શનમોહનીય અને ચારિત્રમાંહનીયનો ક્ષયોપશમભાવ વર્તે છે, તેઓ નિરવદ્ય પ્રવૃત્તિ કરે છે. તેથી કોઈને પ્રશ્ન થાય કે નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ કર્મના ઉદયને કારણે થાય છે, પરંતુ ત્રણ પ્રકારના જ્ઞાનના Page #57 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૭ ભેદને માનવાની જરૂર નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે નિષ્કપ આદિ ત્રણ પ્રકારની પ્રવૃત્તિના ભેદથી જ્ઞાનનું વેદન નથી, પરંતુ અજ્ઞાનાદિ ત્રણ ભેદોનું સ્વતઃ વેદન છે માટે જ્ઞાનના અજ્ઞાનાદિ ત્રણ ભેદો અક્ષત છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાન અજ્ઞાનાદિ ત્રણ પ્રકારે સ્વતઃ વેદન થાય છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે - પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે જ્ઞાનનું હેતુપણું હોવાથી જ્ઞાનના ભેદથી જ પ્રવૃત્તિનો ભેદ પ્રાપ્ત થાય છે. 33 આશય એ છે કે બધા જીવોમાં સમાન જ્ઞાન હોય તો બધા જીવો સમાન પ્રવૃત્તિ કરે, પરંતુ દરેક જીવના જ્ઞાનમાં ભેદ છે તેના કારણે પ્રવૃત્તિનો ભેદ પ્રાપ્ત થાય છે. જો જ્ઞાનમાં કોઈ ભેદ ન હોય તો સમાન જ્ઞાન સમાન પ્રવૃત્તિ કરાવે, પરંતુ (૧) કેટલાક જીવો નિષ્કપ પાપપ્રવૃત્તિ કરે છે, તેનું કારણ તે જીવોમાં તેવા પ્રકારનું જ્ઞાન છે, જેને અજ્ઞાન કહેવામાં આવે છે. (૨) કેટલાક જીવો સકંપ પાપપ્રવૃત્તિ કરે છે, તેનું કારણ તે જીવોમાં તેવા પ્રકારનું જ્ઞાન છે, જેને જ્ઞાન કહેવામાં આવે છે અને (૩) કેટલાક જીવો નિરવઘ પ્રવૃત્તિ કરે છે, તેનું કારણ તે જીવોમાં તેવા પ્રકા૨નું જ્ઞાન છે, જેને સત્જ્ઞાન કહેવામાં આવે છે. આનાથી એ ફલિત થયું કે નિષ્કપ પાપપ્રવૃત્તિ સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ આ ત્રણ પ્રવૃત્તિઓના કા૨ણીભૂત ત્રણ જ્ઞાનો જુદાં છે. જોકે, (૧) નિષ્કપ પાપપ્રવૃત્તિ થવાનું કારણ દર્શનમોહનીયનો=મિથ્યાત્વનો ઉદય છે. (૨) સકંપ પાપપ્રવૃત્તિ થવાનું કારણ દર્શનમોહનીયનો=મિથ્યાત્વનો, ક્ષયોપશમ અને ચારિત્રમોહનીયનો ઉદય છે અને (૩) નિરવઘ પ્રવૃત્તિ થવાનું કારણ દર્શનમોહનીયનો=મિથ્યાત્વનો, અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. આમ છતાં પ્રવૃત્તિકાળમાં વર્તતા જ્ઞાનનું વેદન ત્રણે પ્રકારના જીવોને જુદા પ્રકારનું છે; અને ક્વચિત્ કોઈ જીવો પ્રવૃત્તિ ન કરતા હોય તોપણ તેઓમાં વર્તતા જ્ઞાનનું વેદન જુદા પ્રકારનું છે, તેથી તે જ્ઞાનના ભેદને કા૨ણે જ્યારે જીવ પ્રવૃત્તિ કરે છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાધુસામય્યદ્વાચિંશિકા/બ્લોક-૭ ત્યારે જુદા પ્રકારની પ્રવૃત્તિ થાય છે. માટે જ્ઞાનના ત્રણ ભેદો માનવા ઉચિત છે. અહીં વિશેષ એ છે કે મિથ્યાદૃષ્ટિ જીવો, સમ્યગ્દષ્ટિ જીવો અને ચારિત્રી જીવો ક્યારેક બાહ્યપ્રવૃત્તિ કરતા હોય અને ક્યારેક ન પણ કરતા હોય, પરંતુ મોહની વૃદ્ધિને અનુકૂળ કે મોહના ઉચ્છેદને અનુકૂળ અંતરંગ પ્રવૃત્તિ ત્રણેની સદા ચાલુ હોય છે. જેમ – - મિથ્યાષ્ટિ પણ સંપૂર્ણ વિવેક વગરના હોય તો મોહની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ રીતે સદા પાપપ્રવૃત્તિ કરે છે, અને ક્વચિત્ બાહ્ય આરંભ-સમારંભની પણ પ્રવૃત્તિ કરે છે. વળી કોઈ મિથ્યાષ્ટિમાં કાંઈક મિથ્યાત્વ મંદ હોય તો આત્મહિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે અંતરંગ રીતે મોહના ઉચ્છેદને અનુકૂળ પ્રવૃત્તિ હોય છે; આમ છતાં તે વખતે પણ અજ્ઞાનને કારણે કાંઈક મોહથી આકુળ પણ પ્રવૃત્તિ કરે છે, અને જે સ્થાનમાં વિવેક નથી તે સ્થાનમાં નિષ્કપ પાપપ્રવૃત્તિ કરે છે. તેને સામે રાખીને મિથ્યાદૃષ્ટિની નિષ્કપ પાપપ્રવૃત્તિ સ્વીકારેલ છે. • સમ્યગ્દષ્ટિ જીવોને દર્શનમોહનીયનો ક્ષયોપશમ હોવાથી પૂર્ણ વિવેક પ્રગટેલ છે, તેથી તેઓ બાહ્ય આચરણારૂપ પાપપ્રવૃત્તિને પાપપ્રવૃત્તિરૂપે જોઈ શકે છે અને અંતરંગ રીતે મહાકુળ પ્રવૃત્તિને પણ પાપપ્રવૃત્તિરૂપે જોઈ શકે છે. તેથી બાહ્ય પાપપ્રવૃત્તિ ન થતી હોય ત્યારે પણ, મોહના ઉન્મેલનને અનુકૂળ અંતરંગ મનોવ્યાપાર ન વર્તતો હોય અને પ્રમાદને વશ સમય પસાર થતો હોય, તો તે પ્રમાદ જ હિંસારૂપ છે તેવો બોધ હોવાથી, તેમની અંતરંગ મોહની પ્રવૃત્તિ પણ સકંપ થાય છે અર્થાત્ અદૃઢ થાય છે; અને સમ્યગ્દષ્ટિ જીવો જ્યારે મોહના ઉન્મેલનને અનુકૂળ ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનો કરતા હોય કે અંતરંગ રીતે આત્માને તત્ત્વથી ભાવિત કરવા યત્ન કરતા હોય ત્યારે પાપપ્રવૃત્તિ નથી, પરંતુ મોહના ઉન્મેલનને અનુકૂળ પ્રવૃત્તિ છે; અને તે પ્રવૃત્તિ સંપૂર્ણ નિરવદ્ય નહિ હોવા છતાં નિરવદ્ય ભાવને અનુકૂળ છે. • સાધુને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય છે, તેના કારણે તેમનું મતિજ્ઞાન પણ વિશુદ્ધ કોટિનું સત્જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ હોય છે, જેથી સાધુ સદા Page #59 -------------------------------------------------------------------------- ________________ સાધુસામર્થ્યાત્રિશિકા/શ્લોક-૭ ૩૫ અપ્રમાદભાવથી મોહના ઉમૂલન માટે યત્ન કરે છે. આથી ક્વચિત્ તેઓ શાસ્ત્રવિધિ અનુસાર નદી ઊતરતા હોય તોપણ તેઓની પ્રવૃત્તિ નિરવદ્ય છે, અને શાસ્ત્રવિધિ અનુસાર પડિલેહણાદિ કરતા હોય તોપણ નિરવદ્ય પ્રવૃત્તિ છે, અને અંતરંગ રીતે મોહના ઉન્મેલનને અનુકૂળ સંપૂર્ણ નિરવદ્ય એવો સમતાનો ભાવ તેમને વર્તે છે, તેથી બાહ્ય પ્રવૃત્તિ ક્વચિત્ ન હોય તોપણ અંતરંગ નિરવદ્ય પ્રવૃત્તિ વર્તે છે. વળી તે સાધુ ક્વચિત્ પ્રમાદને વશ થઈને પડિલેહણાદિ પ્રવૃત્તિ કરતા હોય તો તે પ્રવૃત્તિ સાવદ્ય બને છે, અને બાહ્યપ્રવૃત્તિ ન કરતા હોય અને અંતરંગ રીતે સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ ન હોય, પરંતુ પ્રમાદ વર્તતો હોય, તો અતિચારસ્વરૂપ સાવદ્ય પ્રવૃત્તિ પણ મુનિને સંભવે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે સમ્યગ્દષ્ટિ જીવ નિરવઘ પ્રવૃત્તિ કરી શકતા નથી, તેનું કારણ ચારિત્રમોહનીય કર્મવિશેષ પ્રતિબંધક છે, અને મુનિ નિરવદ્ય પ્રવૃત્તિ કરી શકે છે, તેનું કારણ ચારિત્રમોહનીય કર્મવિશેષ પ્રતિબંધક નથી. માટે મુનિનું જ્ઞાન અને સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન જુદું છે, તેમ ન સ્વીકારીએ તો શું વાંધો છે ? વળી તે રીતે મિથ્યાષ્ટિ જીવ નિષ્કપ પાપપ્રવૃત્તિ કરે છે, તેમાં પણ સકંપ પાપપ્રવૃત્તિ કરવામાં પ્રતિબંધક એવું દર્શનમોહનીય કર્મ છે, માટે તેઓ નિષ્કપ પાપપ્રવૃત્તિ કરે છે. તેથી જ્ઞાનના ત્રણ ભેદો ન સ્વીકારીએ અને જ્ઞાન બધા જીવોનું સમાન છે, ફક્ત કર્મવિશેષ પ્રતિબંધક હોવાને કારણે પ્રવૃત્તિનો ભેદ થાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો છે? તેથી ગ્રંથકારશ્રી કહે છે - પ્રવૃત્તિમાં કર્મવિશેષનું પ્રતિબંધકપણું પણ પ્રવૃત્તિના કારણભૂત એવા જ્ઞાનરૂપ હેતુમાં વિશેષનું વિઘટન કર્યા વગર પ્રવૃત્તિનો ભેદ કરાવી શકે નહિ. તેથી પ્રવૃત્તિ માટે કર્મવિશેષને પ્રતિબંધક સ્વીકારીએ તોપણ અજ્ઞાનાદિ ત્રણ પ્રકારના જ્ઞાનભેદો સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. આશય એ છે કે દર્શનમોહનીયકર્મને સકંપ પાપપ્રવૃત્તિ કરવામાં પ્રતિબંધકરૂપે સ્વીકારીએ અને ચારિત્રમોહનીયકર્મને નિરવદ્ય પ્રવૃત્તિ કરવામાં પ્રતિબંધક સ્વીકારીએ તોપણ મિથ્યાષ્ટિની, સમ્યગ્દષ્ટિની કે ચારિત્રીની પ્રવૃત્તિ પ્રત્યે જ્ઞાન હેતુ છે; અને તે ત્રણેના જ્ઞાનમાં કોઈ ભેદ ન હોય તો તે ત્રણેની પ્રવૃત્તિમાં જે નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવદ્ય પ્રવૃત્તિરૂપ ભેદો પડે છે, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૭ તે પડી શકે નહિ. તેથી એમ માનવું પડે કે પ્રતિબંધક એવું ચારિત્રમોહનીય કર્મ જીવના જ્ઞાનમાં કોઈક શક્તિનું વિઘટન કરે છે, માટે સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનમાં સત્ જ્ઞાનત્વનું વિઘટન ચારિત્રમોહનીય કર્મના ઉદયથી થાય છે, તેને કારણે તેનું જ્ઞાન નિરવઘ પ્રવૃત્તિ કરવા સમર્થ બનતું નથી. વળી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન યથાર્થ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ પાપપ્રવૃત્તિ કરે છે ત્યારે “આ પાપપ્રવૃત્તિ મારા અહિતનું કારણ છે” તેવો સ્પષ્ટ બોધ હોય છે, તેથી સકંપ પાપપ્રવૃત્તિ કરે છે. માટે સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં સકંપ પાપપ્રવૃત્તિ કરવાની શક્તિ છે, અને સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વનો ઉદય થાય તો સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનમાં જે સકંપ પાપપ્રવૃત્તિ કરવાની શક્તિ હતી, તેનું વિઘટન થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાન કરતાં વિલક્ષણ એવા અજ્ઞાનાવરણના ક્ષયોપશમને કારણે મિથ્યાદૃષ્ટિ જીવની નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે કે ચારિત્રીમાં રહેલું સત્વજ્ઞાન નિરવઘ પ્રવૃત્તિ કરાવે છે, અને ચારિત્રમોહનીયના ઉદયવાળા જીવમાં સત્વજ્ઞાનની શક્તિનું ચારિત્રમોહનીયકર્મ વિઘટન કરે છે, તેથી તેનું જ્ઞાન નિરવદ્ય પ્રવૃત્તિ કરવા સમર્થ બનતું નથી. માટે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન ચારિત્રીના જ્ઞાન કરતા વિલક્ષણ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવની નિરવદ્ય પ્રવૃત્તિ થતી નથી, પરંતુ સકંપ પાપપ્રવૃત્તિ થાય છે. વળી મિથ્યાત્વના ઉદયવાળા જીવમાં જ્ઞાનની સપ પાપપ્રવૃત્તિ કરવાની શક્તિનું દર્શનમોહનીયકર્મ વિઘટન કરે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાન કરતાં વિલક્ષણ એવું જ્ઞાન મિથ્યાષ્ટિ જીવમાં છે. માટે સમ્યગ્દષ્ટિ જીવની જેમ મિથ્યાદૃષ્ટિ જીવની સકંપ પાપપ્રવૃત્તિ થતી નથી, પરંતુ નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે. સારાંશ : (૧) જે જ્ઞાન નિષ્કપ પાપપ્રવૃત્તિ કરાવે છે, તે અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે, (૨)જે જ્ઞાન સકંપ પાપપ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે અને (૩)જે જ્ઞાનનિરવદ્યપ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સાધુસામગ્ગદ્વાચિંશિકા/શ્લોક-૭ વસ્તુત: થી મચત્ર સુધીના કથનનો ભાવાર્થ : પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ત્રણ પ્રકારના જ્ઞાનોથી અનુક્રમે નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવદ્ય પ્રવૃત્તિ થાય છે, અને તેમાં યુક્તિ આપી કે દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મ પ્રવૃત્તિના કારણભૂત જ્ઞાનમાં વિલક્ષણતા પેદા કરાવીને પ્રવૃત્તિ કરાવે છે, તેથી ત્રણ પ્રકારનાં જ્ઞાનો છે. હવે ઉપાદાન કારણથી થતા કાર્યભેદમાં ઉપાદાન કારણના સ્વભાવનો ભેદ આવશ્યક છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – કાર્યના ભેદમાં ઉપાદાન એવા કારણના સ્વભાવનો ભેદ સર્વત્ર આવશ્યક છે. જેમ ઘટના ઉપાદાનરૂપ માટી અને પટના ઉપાદાનરૂપ તંતુ, એ બેમાં સ્વભાવભેદ છે, તેથી ઘટરૂપ કાર્ય અને પટરૂપ કાર્યનો ભેદ થાય છે. તે જ રીતે - (૧) મોહથી આકુળ એવી નિષ્કપ પાપપ્રવૃત્તિ, (૨) મોહથી આકુળ એવી સકંપ પાપપ્રવૃત્તિ અને (૩) મોહથી અનાકુળ એવી નિરવદ્ય પ્રવૃત્તિ : આ ત્રણ કાર્યના ઉપાદાન કારણભૂત એવા જ્ઞાનના સ્વભાવનો ભેદ માનવો આવશ્યક છે. તેથી આ સ્વભાવભેદને કારણે જે જ્ઞાનનો સ્વભાવ નિષ્કપ મોહાકુળ પ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાન કરતાં સકંપ મોહાકુળ પ્રવૃત્તિ કરાવનારું જ્ઞાન વિલક્ષણ છે; અને જે જ્ઞાન મોહના ઉન્મેલનને અનુકૂળ નિરવદ્ય પ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાન પ્રથમના બે જ્ઞાન કરતાં વિલક્ષણ છે; અને આ ત્રણ જ્ઞાનો ઉત્તરમાં તે પ્રવૃત્તિને કારણે (૧) નિષ્કપ મોહાકુળ જ્ઞાનની પરિણતિરૂપે, (૨) સકંપ મોહાકુળ જ્ઞાનની પરિણતિરૂપે અને (૩) મોહના ઉન્મેલનને અનુકૂળ નિરવદ્ય જ્ઞાનની પરિણતિરૂપે પરિણમન પામે છે. ઉપરના કથનને દઢ કરવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – જો કાર્યના સ્વભાવભેદમાં કારણનો સ્વભાવભેદ ન સ્વીકારવામાં આવે તો હેવંતરનું સમવધાન પણ અકિંચિત્કાર થાય. જેમ ઘટની સામગ્રી તંતુને આપવામાં આવે તો તે તંતુમાંથી ઘટ થઈ શકે નહિ, પરંતુ માટીને ઘટની સામગ્રી આપવામાં આવે તો માટીમાંથી ઘટ થઈ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાધુસાચ્ચઢાત્રિશિકા/શ્લોક-૭ શકે છે. તેથી જો હેવંતરના સમવધાનમાત્રથી કાર્યભેદ થઈ શકતો હોય તો તંતુને પણ ઘટની સામગ્રી આપવાથી ઘટરૂપ કાર્ય થઈ શકે, એમ સ્વીકારવાની આપત્તિ આવે. માટે કારણનો સ્વભાવભેદ હોય તો જ હેવંતરના સમવધાનથી કાર્ય થઈ શકે, એમ માનવું જોઈએ. આથી જ તંતુ કરતાં વિલક્ષણ સ્વભાવવાળી એવી માટીને ઘટની સામગ્રી મળે તો ઘટ થઈ શકે. તે રીતે ત્રણ પ્રકારનાં જ્ઞાનોમાં વિલક્ષણતા સ્વીકારવામાં આવે તો (૧) મિથ્યાત્વમોહનીયના ઉદયરૂપ હવંતરથી નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય. (૨) સમ્યત્વ મોહનીયના ક્ષયોપશમરૂપ હેવંતરથી સકંપ પાપપ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય અને (૩) ચારિત્રમોહનીયના ક્ષયોપશમરૂપ હેવંતરથી નિરવદ્ય પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય. Ifછા ઉપાદાન કારણનો હેવંતર કાર્યનો સ્વભાવભેદ સ્વભાવભેદ (૧) ઉદય. અજ્ઞાનાવરણનો ક્ષયોપશમ= નિષ્કપ પાપપ્રવૃત્તિને અભિમુખ એવો વિપરીત બોધ. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ= સકંપ પાપપ્રવૃત્તિને અભિમુખ એવો વિવેકયુક્ત બોધ. સત્જ્ઞાનાવરણનો ક્ષયોપશમન નિરવદ્ય પાપપ્રવૃત્તિને અભિમુખ એવો માર્ગાનુસારી બોધ. મિથ્યાત્વ- નિષ્કપ પાપપ્રવૃત્તિ= મોહનીયનો અવિવેકયુક્ત બોધને કારણે પાપપ્રવૃત્તિકાળમાં દઢ મહાકુળ એવી જ્ઞાનની પરિણતિ. સમ્યકત્વ- સકંપ પાપપ્રવૃત્તિ= મોહનીયનો વિવેકયુક્ત બોધને ઉદય કે કારણે પાપપ્રવૃત્તિકાળમાં ક્ષાયિક સમ્યકત્વ. અદઢ મહાકુળ એવી જ્ઞાનની પરિણતિ. ચારિત્ર- નિરવઘ પ્રવૃત્તિ મોહનીયનો સદંત:કરણને કારણે ક્ષયોપશમ. મોહના ઉન્મેલનને અનુકૂળ નિરવદ્ય એવી જ્ઞાનની પરિણતિ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સાધુસમસ્યદ્વાચિંશિકાશ્લોક-૮ અવતરણિકા : જ્ઞાનથી, ભિક્ષભાવથી અને વૈરાગ્યથી સાધુ સમગ્રભાવને પામે છે, એમ શ્લોક-૧માં બતાવ્યું. ત્યારપછી સાધુની સમગ્રતાનું કારણ એવું જ્ઞાન કર્યું છે, તે બતાવવા માટે ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ શ્લોક-૩ થી ૭ સુધી સ્પષ્ટ કર્યું. હવે ત્રીજા પ્રકારના તત્ત્વસંવેદનજ્ઞાનથી સાધુ કઈ રીતે સમગ્રભાવને પામે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક : योगादेवान्त्यबोधस्य साधुः सामग्र्यमश्नुते । अन्यथाकर्षगामी स्यात् पतितो वा न संशयः ।।८।। અન્વયાર્થ - ઉજ્જવાઘચ યોઅંત્યબોધના યોગથી જન્નત્રણ પ્રકારના જ્ઞાનમાંથી અંત્ય એવા તત્વસંવેદનના યોગથી જ, સાધુ-સાધુ સામ=સમગ્રપણાને= સાયિકભાવરૂપ પૂર્ણ સંયમને, પામે છે. અન્યથા અંત્યબોધવા યોગના અભાવમાં પાર્ષાની વાત આકર્ષગામી થાય પતિતો વા=અથવા પતિત થાય (એમાં) સંશય =સંશય નથી. ll શ્લોકાર્થ : અંત્યબોધના યોગથી જ તત્ત્વસંવેદનના યોગથી જ, સાધુ સમગ્રપણાને ક્ષાયિકભાવરૂપ પૂર્ણ સંયમને પામે છે. અન્યથા અંત્યબોધના યોગના અભાવમાં આકર્ષગામી થાય અથવા પતિત થાય (એમાં) સંશય નથી. III ટીકા : योगादिति-अन्त्यबोधस्य-तत्त्वसंवेदनस्य, योगादेव-संस्काररूपसम्बन्धादेव, साधुः सामग्र्यं=पूर्णभावम्, अश्नुते, अन्यथा तत्त्वज्ञानसंस्काराभावे, पुनर्योगशक्त्यनुवृतौ शङ्काकाङ्क्षादिनाऽऽकर्षगामी वा स्यात्, तदननुवृत्तौ च पतितो वा, न संशयोऽत्र कश्चित्, बाह्यलिङ्गस्याकारणत्वात् ।।८।। Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૮ ટીકાર્ય : સત્ત્વવથી ..... નુતે, અંત્યબોધતા તત્ત્વસંવેદનના, યોગથી જ= સંસ્કારરૂપ સંબંધથી જ, સાધુ સમગ્રપણાને=પૂર્ણભાવને અર્થાત્ ક્ષાવિકભાવરૂપ પૂર્ણ સંયમને, પ્રાપ્ત કરે છે. અન્યથા . #ાર ત્વતિ / અન્યથા તત્ત્વજ્ઞાનના સંસ્કારના અભાવમાં, વળી શંકા-કાંક્ષાદિ દ્વારા આકર્ષગામી થાય અથવા પતિત થાય. આકર્ષગામી ક્યારે થાય અને પતિત ક્યારે થાય તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – યોગશક્તિની અનુવૃત્તિ હોતે છતેeતત્વસંવેદનનો યોગ થવાની શક્તિની અનુવૃત્તિ હોતે છતે, શંકા-કાંક્ષાદિ દ્વારા આકર્ષગામી થાય અને તેની અનુવૃત્તિ હોતે છતે= તત્ત્વસંવેદનનો યોગ થવાની શક્તિની અનqવૃત્તિ હોતે છતે, પતિત થાય. એમાં= યોગશક્તિની અનgવૃત્તિ હોતે છતે પતિત થાય એમાં, કોઈ સંશય નથી, કેમ કે બાહ્યલિંગનું અકારણપણું છે. ૫૮ ટીકામાં વા કાર બે છે તે આકર્ષગામી થાય અથવા પતિત થાય તેના જોડાણ માટે છે, અને તનુવૃત્ત ૨ - ૨ કાર છે, તે અનુવૃત્તિ અનનવૃત્તિના જોડાણ માટે છે. ભાવાર્થ :(૧) તત્ત્વસંવેદનના યોગથી સંયમના સમગ્રપણાની ક્ષાયિક ચારિત્રની, પ્રાપ્તિ : સંયમ ગ્રહણ કરનારા જીવો પોતાની ભૂમિકાને સંપન્ન કરીને સંયમ ગ્રહણ કરે, અને સંયમ ગ્રહણ કરતી વખતે સંયમની ક્રિયાની વિધિમાં અત્યંત ઉપયોગ હોય, તો સંયમની ક્રિયાની વિધિના બળથી તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પ્રગટે છે અર્થાત્ મોહના ઉચ્છેદને અનુકૂળ સુદઢ યત્ન કરાવે એવો સતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ પ્રગટે છે, તેથી તે સંયમ ગ્રહણ કરનાર મહાત્માનું ચિત્ત (૧) મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત સમભાવમાં રાગવાળું બને છે, અને સમભાવના ઉપાયભૂત ઉચિત પ્રવૃત્તિમાં રાગવાળું બને છે. (૨) અસમભાવમાં દ્વેષવાળું બને છે અને અસમભાવમાં ઉપાયભૂત અનુચિત પ્રવૃત્તિમાં દ્વેષવાળું બને છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સાધુસમસ્યદ્વાચિંશિકા/બ્લોક-૮ અને (૩) જગતના પદાર્થો પ્રત્યે ઉપેક્ષાવાળું બને છે. આ પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ અને પ્રશસ્ત ઉપેક્ષાના પરિણામને સ્થિરરૂપે જે યોગી પ્રવર્તાવી શકે તે યોગીમાં તત્ત્વસંવેદન નામનું જ્ઞાન સ્કુરાયમાન થાય છે. તત્ત્વસંવેદનજ્ઞાનથી સાધક યોગી સર્વત્ર મન, વચન અને કાયાની ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી તત્ત્વસંવેદનજ્ઞાનના સંસ્કારો તેમના આત્મામાં દઢ-દઢતર પડે છે. તેથી અનાદિકાળથી મોહથી આકુળ એવા મતિજ્ઞાનના સંસ્કારો તેમના આત્મામાં પડેલા હતા, તે ક્ષણ-ક્ષીણતર થાય છે, અને સત્જ્ઞાનાવરણના ક્ષયોપશમવાળા મતિજ્ઞાનના સંસ્કારો અતિશય-અતિશયતર થાય છે; અને આ તત્ત્વજ્ઞાનના સંસ્કારોના યોગથી સાધુ ક્રમસર ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરીને ક્ષાયિક એવા વીતરાગભાવને પામે છે ત્યારે સંપૂર્ણ મોહના સંસ્કાર વગરનું મતિજ્ઞાન પ્રગટે છે; અને બારમા ગુણસ્થાનકે રહેલા એવા આ યોગીને જ્ઞાનાવરણ કર્મના બંધના બીજભૂત મોહનો સંપૂર્ણ અભાવ હોવાથી જ્ઞાનાવરણકર્મ બંધાતું નથી, અને પૂર્વમાં બંધાયેલું જ્ઞાનાવરણ કર્મ મોહથી અનાકુળ એવા શુદ્ધ જ્ઞાનના ઉપયોગથી નાશ પામે છે. તેથી બારમા ગુણસ્થાનકના અંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૨) અંત્યબોધ થવા છતાં અંત્યબોધના સંસ્કારના અભાવમાં આકર્ષગામી મુનિનું સ્વરૂપ : સંયમ ગ્રહણ કરનારા જીવો પોતાની ભૂમિકાને સંપન્ન કરીને સંયમ ગ્રહણ કરે અને સંયમ ગ્રહણ કરતી વખતે સંયમની વિધિમાં અત્યંત ઉપયોગ હોય તો સંયમની વિધિના બળથી જ તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પ્રગટે છે; પરંતુ કોઈક સાધુમાં તે તત્ત્વસંવેદન નામનું જ્ઞાન મંદ સામર્થ્યવાળું હોવાથી આત્મામાં તત્ત્વજ્ઞાનના સંસ્કારો નાંખીને ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થતું નથી, તેથી તેવા સાધુમાં તત્ત્વજ્ઞાનના સંસ્કારો પડતા નથી, તેમ છતાં ફરી તત્ત્વસંવેદનજ્ઞાનનો યોગ થાય તેવી શક્તિ વર્તતી હોય તો તે સાધુ સંયમ ગ્રહણ કરતી વખતે તત્ત્વસંવેદનજ્ઞાનને પામેલ હોવા છતાં શંકા-કાંક્ષાદિ દ્વારા ગુણસ્થાનકથી અન્યત્ર આકર્ષગામી થાય છે અર્થાત્ ગુણસ્થાનકથી નીચે ઊતરે છે, અને ફરી ફરી ગુણસ્થાનકને પણ પામે છે. આશય એ છે કે આ બીજા પ્રકારના મહાત્માઓ કલ્યાણના અર્થી છે અને સંયમ ગ્રહણ કરતી વખતે તત્ત્વસંવેદનજ્ઞાનને પ્રાપ્ત કરે છે, છતાં તેઓ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૮ તત્ત્વસંવેદનજ્ઞાનમાં ઉત્તરોત્તર સુદઢ યત્ન કરી શકે તેવી શક્તિવાળા નથી. સંયમ ગ્રહણ કરતી વખતે વિધિમાં દઢ ઉપયોગને કારણે ગુણસ્થાનક આવ્યા પછી સંયમની ક્રિયામાં તેવો દૃઢ યત્ન થતો નથી, તેથી સંયમની ક્રિયાઓ દ્વારા સમભાવના પરિણામને જિવાડી શકતા નથી. માટે પોતાની સંયમની ક્રિયાઓ પોતાને સંસારથી પાર કરશે કે કેમ ? તેવી શંકા થાય છે અથવા તો બાહ્ય નિમિત્તોમાં કોઈક આકાંક્ષાઓ થાય છે, તેથી સંયમના ગુણસ્થાનકથી પાત પામે છે. છતાં કલ્યાણની અર્થિતા હોવાને કારણે ફરી તત્ત્વસંવેદનનો યોગ થાય તેવી શક્તિ તે મહાત્મામાં વર્તે છે. તેથી ઉપદેશાદિની સામગ્રીથી ફરી સંવેગની વૃદ્ધિ થાય તો ફરી તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પ્રગટે છે; પરંતુ તે તત્ત્વસંવેદન નામનું જ્ઞાન શિથિલમૂળવાળું હોવાને કારણે સાધુમાં તત્ત્વસંવેદનના સંસ્કારો પડતા નથી, અને તેના કારણે વારંવાર શંકા-કાંક્ષાદિ દ્વારા ગુણસ્થાનકથી પાત પામે છે અને ફરી નિમિત્તને પામીને ગુણસ્થાનકમાં આવે છે. આ રીતે બીજા પ્રકારના આ યોગી ગુણસ્થાનકમાં આવ-જાવ કરે છે. (૩) તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટ્યા પછી તત્ત્વસંવેદનના સંસ્કારોનો અભાવ હોય, અને ફરીથી તત્ત્વસંવેદનનો યોગ થવાની શક્તિનો પણ અભાવ હોય, તેવા મુનિનું સ્વરૂપ : સંયમ ગ્રહણ કરનારા જીવો પોતાની ભૂમિકાને સંપન્ન કરીને સંયમ ગ્રહણ કરે અને સંયમ ગ્રહણ કરતી વખતે સંયમની વિધિમાં સમ્યગુ યત્ન હોય તો સંયમગ્રહણકાળમાં સામાયિકની પ્રતિજ્ઞા ઉચ્ચરતી વખતે “કરેમિ ભંતે' સામાયિક સૂત્રથી કરાયેલા શ્રુતના સંકલ્પ દ્વારા સામાયિકનો પરિણામ પ્રગટે છે, તે તત્ત્વસંવેદનજ્ઞાન છે; પરંતુ તે તત્ત્વસંવેદનજ્ઞાન શિથિલ મૂળવાળું હોવાથી તત્ત્વસંવેદનના સંસ્કારો નાંખવા માટે સમર્થ નથી, તેથી અલ્પકાળમાં અંત્યબોધનોઃ તત્ત્વસંવેદનજ્ઞાનનો, નાશ થાય છે. વળી તે સાધુમાં ફરી તત્ત્વજ્ઞાનનો યોગ થાય તેવી શક્તિ ન હોય તો તે સાધુ ભાવથી ગુણસ્થાનકથી પતિત છે, તેમાં કોઈ સંશય નથી. અહીં પ્રશ્ન થાય કે તે સાધુ આરાધક હોવાથી સંયમની સર્વ ક્રિયાઓ કરે છે. તે ક્રિયાના બળથી ફરી સાધુપણું તેને પ્રાપ્ત થવું જોઈએ. તેથી કહે છે – Page #67 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૮ બાહ્યલિંગનું તત્ત્વસંવેદનની પ્રાપ્તિમાં અકારણપણું છે. અર્થાત્ સાધ્વાચારની બાહ્યક્રિયામાત્રનું તત્ત્વસંવેદનજ્ઞાનને પ્રગટ કરવામાં કારણપણું નથી. આનાથી એ ફલિત થાય છે કે આ ત્રીજા પ્રકારના સાધુને સંયમથી પાત થયા પછી ફરી સંવેગને ઉલ્લસિત કરે તેવો યોગ ન થાય અથવા તો ફરી સંવેગને ઉલ્લસિત કરે તેવી સામગ્રી મળે ત્યારે ફરી સંવેગ ઉલ્લસિત થાય તેવી યોગ્યતા ન હોય તો, માત્ર બાહ્ય સંયમની આચરણા સંયમની વૃદ્ધિ દ્વારા મોક્ષનું ન કારણ બનતી નથી. ફક્ત તે સાધુમાં સમ્યક્ત્વ વિદ્યમાન હોય, અને ભગવાનના વચનના રાગને કારણે સંયમની ક્રિયા તે સાધુ કરતા હોય, તો સમ્યક્ત્વ ગુણસ્થાનક ટકી શકે, અને કોઈક નિમિત્તને પામીને મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ હોય છતાં દૃઢ અસગ્રહ ન હોય અને તત્ત્વની અભિમુખતા વિદ્યમાન હોય તો આરાધક ભાવ ટકી શકે, પરંતુ સર્વવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ કે ઉત્તરોત્તર વૃદ્ધિ બાહ્ય ચારિત્રાચારની ક્રિયાથી થાય નહિ. સારાંશ: (૧) પ્રથમ પ્રકારના સાધુને દૃઢ મૂળવાળું તત્ત્વસંવેદનજ્ઞાન હોય છે, તે ઉત્તરોત્તર અતિશયિત થઈને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે, અને આ તત્ત્વસંવેદન નામનું જ્ઞાન મતિજ્ઞાનના ઉપયોગસ્વરૂપ છે અને તે શ્રુતથી પરિકર્મિત મતિરૂપ છે અને નવા નવા શ્રુતઅધ્યયનના કારણે તે મહાત્માની મતિ અધિક અધિક શ્રુતથી પરિકર્મિત થાય છે. તે મોહના ઉન્મૂલનને અનુકૂળ સુદૃઢ વ્યાપાર કરાવીને ઉત્તરોત્તર સ્વસ્થતાની વૃદ્ધિ કરાવે છે. ૪૩ (૨) બીજા પ્રકારના સાધુને શિથિલમૂળવાળું તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટે છે, તેથી શંકા-કાંક્ષાદિ દ્વારા પાત પામે છે, તોપણ તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટી શકે તેવી શક્તિ હોવાને કારણે ઉપદેશાદિની સામગ્રીથી સંવેગ ઉત્પન્ન થાય તો ફરી ગુણસ્થાનક આવે છે, અને તત્ત્વસંવેદનજ્ઞાન દઢમૂળવાળું ન થાય તો ફરી ફરી આકર્ષ દ્વારા પાતની પ્રાપ્તિ થાય છે. આકર્ષ=ગુણસ્થાનકને અભિમુખ પરિણામ હોવા છતાં ગુણસ્થાનકથી વિરુદ્ધ ભાવોનું આકર્ષણ થવાથી ગુણસ્થાનકથી અધોગમન થાય છે, વળી ગુણસ્થાનકનો અભિમુખભાવ ફ૨ી ગુણસ્થાનક સાથે આત્માને જોડે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૯ (૩) ત્રીજા પ્રકારના સાધુ તત્ત્વસંવેદનજ્ઞાન પામ્યા પછી કોઈક પ્રકારના પ્રમાદના બળથી કે અતત્ત્વના અભિનિવેશના બળથી ગુણસ્થાનકથી પાત પામે છે અને ફરી ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા માટે અભિમુખ સંવેગનો ભાવ ઉત્પન્ન થઈ શકે તેમ નથી માટે સંયમની ક્રિયાથી તેમનામાં તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. તેથી તે સાધુ બાહ્યથી સાધ્વાચાર પાળે છે, તોપણ તત્ત્વસંવેદનજ્ઞાનથી પતિત છે. all અવતરણિકા : શ્લોક-૧માં સાધુને જ્ઞાનીભાવ, ભિક્ષભાવ અને વિરક્તભાવ હોય છે, તેમ બતાવ્યું. ત્યારપછી સાધુના જ્ઞાનીભાવને બતાવવા અર્થે શ્લોક-૨ થી ૮ સુધી ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું અને ત્રીજા તત્ત્વસંવેદનજ્ઞાનવાળા સાધુ જ્ઞાનીભાવવાળા છે તેમ બતાવ્યું. હવે જ્ઞાનથી જ્ઞાનીભાવવાળા એવા સાધુ ભિક્ષાથી જીવનનિર્વાહ કરે છે, તેથી તેઓ ભિક્ષુ કહેવાય છે. માટે સાધુનો ભિક્ષભાવ બતાવવા અર્થે ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : त्रिधा भिक्षापि तत्राद्या सर्वसम्पत्करी मता । द्वितीया पौरुषघ्नी स्यावृत्तिभिक्षा तथान्तिमा ।।९।। અન્વયાર્થ : મિક્ષપ=ભિક્ષા પણ ત્રિઘાનંત્રણ પ્રકારની છે. તત્ર તેમાંeત્રણ પ્રકારની ભિક્ષામાં સાધા=પહેલી સર્વસમ્પરી મતા=સર્વસંપન્કરી કહેવાયેલ છે. દ્વિતીયા બીજી પૌરુષMી પૌરુષથ્વી છે તથા=અને કન્તિમાં ત્રીજી વૃત્તિમક્ષા= વૃત્તિભિક્ષા ચા–છે. III શ્લોકાર્થ :ભિક્ષા પણ ત્રણ પ્રકારની છે. તેમાં ત્રણ પ્રકારની ભિક્ષામાં, પહેલી સર્વસંપન્કરી કહેવાયેલ છે, બીજી પૌરુષની છે અને અંતિમeત્રીજી વૃત્તિભિક્ષા છે. IIII Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૯ કfમલાડપિ અહીં ‘પ થી એ કહેવું છે કે જ્ઞાન તો ત્રણ પ્રકારનું છે, પરંતુ ભિક્ષા પણ ત્રણ પ્રકારની છે. ટીકા :ત્રિતિ . વ્યારા શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી તેની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. મહા ભાવાર્થ - જે સાધુમહાત્મા ભાવથી સંયમના પરિણામવાળા છે, તેમનામાં તત્ત્વસંવેદનજ્ઞાન અવશ્ય હોય છે, અને તત્ત્વસંવેદનજ્ઞાનવાળા સાધુ જીવનનિર્વાહ અર્થે ભિક્ષા દ્વારા જીવનનિર્વાહની પ્રવૃત્તિ કરે છે, તેથી તે સાધુને ભિક્ષુ કહેવાય છે, અને ભિક્ષાથી ભિક્ષુભાવ છે, તે બતાવવા માટે ભિક્ષા ત્રણ પ્રકારની છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ : (૧) સર્વસંપન્કરી ભિક્ષા :- તત્ત્વસંવેદનાનવાળા મુનિ જે ભિક્ષા ગ્રહણ છે, તે ભિક્ષા સર્વ કલ્યાણનું કારણ છે; કેમ કે તે ભિક્ષા દ્વારા ધર્મધાતુની પુષ્ટિ કરે એવા દેહની પુષ્ટિ થાય છે, અને તે ભિક્ષાથી પુષ્ટ થયેલ દેહ તે સાધુમાં સમભાવરૂપ ધર્મની વૃદ્ધિ કરે છે. માટે તે ભિક્ષા સર્વસંપત્તિને કરનારી છે. (૨) પૌરુષદની ભિક્ષા :- સાધુવેશને ગ્રહણ કર્યા પછી જે સાધુ ભિક્ષાની વૃત્તિથી આજીવિકા કરે છે, પરંતુ તે ભિક્ષા દ્વારા પુષ્ટ થયેલા દેહથી સમભાવની વૃદ્ધિ કરતા નથી, પણ સ્વરુચિ અનુસાર યથા-તથા પ્રવૃત્તિ કરે છે, તે સાધુની ભિક્ષા તેમના પુરુષકારનો નાશ કરનારી હોવાથી પૌરુષષ્મી ભિક્ષા છે અર્થાત્ તે સાધુ ભિક્ષાથી ધર્મધાતુની પુષ્ટિ કરતા નથી, અને પોતાની આજીવિકા માટે પુરુષકાર કરીને જીવનનિર્વાહ કરી શકે તેમ છે તોપણ પોતાની આજીવિકા માટે ધનાદિ ઉપાર્જન કરવા માટે યત્ન કરતા નથી, તે સાધુ આ રીતે ભીખની વૃત્તિથી સવીર્યનો નાશ કરે છે. તેના ફળરૂપે જન્માંતરમાં સદ્વર્યની પ્રાપ્તિનો અભાવ થાય તેવી સત્પુરુષકારના નાશને કરનારી આ બીજા પ્રકારની પૌરુષની ભિક્ષા છે. (૩) વૃત્તિભિક્ષા :- કર્મના દોષથી જે ગૃહસ્થો આજીવિકા કરવા માટે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાધુસાધ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ પુરુષકાર કરી શકે તેવી શક્તિવાળા નથી, તેઓ પોતાના જીવનની વૃત્તિ અર્થે જે ભીખ માંગીને જીવન નિર્વાહ કરે છે, તે ભિક્ષાની પ્રવૃત્તિ વૃત્તિભિક્ષા છે=પોતાના જીવન નિર્વાહ અર્થે છે. સારાંશ - • તત્ત્વસંવેદનજ્ઞાનવાળા સાધુમાં સર્વસંપન્કરી ભિક્ષા હોય છે, • શિથિલ આચારવાળા સાધુમાં પૌરુષદની ભિક્ષા હોય છે અને • ભીખ માંગીને જીવન નિર્વાહ કરનારા ભીખારીઓમાં વૃત્તિભિક્ષા હોય છે. III અવતરણિકા – શ્લોક-૯માં ત્રણ પ્રકારની ભિક્ષા બતાવી. તેમાં ક્રમ પ્રમાણે પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : सदानारम्भहेतुर्या सा भिक्षा प्रथमा स्मृता । एकबाले द्रव्यमुनी सदानारम्भिता तु न ।।१०।। અન્વયાર્થ – સવાનાર =સદાઅમારંભનો હેતુ યા જે મિક્ષ ભિક્ષા સા–તે ભિક્ષા પ્રથમા=પ્રથમ=સર્વસંપન્કરી, મૃતા=કહેવાઈ છે. તુ=વળી ઇવાન્ને દ્રવ્યમુન =એક બાળ એવા દ્રવ્યમુનિમાં ક્રિયામાત્રથી બાળ એવા સંવિગ્સપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં, સવાનારમિતા ન=સદાઅનારંભિપણું નથી. [૧ શ્લોકાર્ચ - સદાઅનારંભનો હેતુ એવી જે ભિક્ષા તે પ્રથમ કહેવાઈ છે સર્વસંપન્કરી કહેવાઈ છે. વળી એક બાલ એવા દ્રવ્યમુનિમાં=સંવિગ્નપાક્ષિકમાં, સદા અનારંભિપણું નથી. II૧oll Page #71 -------------------------------------------------------------------------- ________________ ४७ સાધુસાચ્ચઢાત્રિશિકા/બ્લોક-૧૦ टी। : सदेति - सदाऽनारम्भस्य हेतुर्या भिक्षा, सा प्रथमा सर्वसम्पत्करी, स्मृता, तद्धेतुत्वं च सदाऽऽरम्भपरिहारेण, सदाऽनारम्भगुणानुकीर्तनाभिव्यङ्ग्यपरिणामविशेषाहितयतनया वा, सदाऽनारम्भिता तु एकबाले द्रव्यमुनौ संविग्नपाक्षिकरूपे न सम्भवति । इदमुपलक्षणमेकादशी प्रतिमा प्रतिपत्रस्य श्रमणोपासकस्यापि प्रतिमाकालावधिकत्वादनारम्भकत्वस्य न तत्सम्भवः, न च तद्भिक्षायाः सर्वसम्पत्करीकल्पत्वोक्त्यैव निस्तारः, इत्थं हि यथाकथञ्चित्सर्वसम्पत्करीयमिति व्यवहारोपपादनेऽपि ‘न पौरुषघ्नी' इत्यादिव्यवहारानुपपादनात्, तथा च“यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः। सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता" ।। (अष्टक-५/२) इत्याचार्याणामभिधानं सम्भवाभिप्रायेणैव, जिनकल्पिकादौ गुर्वाज्ञाव्यवस्थितत्वादेरिव सदाऽनारम्भित्वस्य फलत एव ग्रहणात्, अन्यथा लक्षणाननुगमापतेः, द्रव्यसर्वसम्पत्करीमुपेक्ष्य भावसर्वसम्पत्करीलक्षणमेव वा कृतमिदमिति यथातन्त्रं भावनीयम् ।।१०।। टोडार्थ : सदाऽनारम्भस्य ..... यतनया वा, समनामनो हेतु-सबा सामना પરિહારના બીજભૂત સમભાવનો હેતુ, જે ભિક્ષા તે પ્રથમ=સર્વસંપન્કરી કહેવાઈ છે, અને સદા આરંભના પરિહારથી સંયમની સર્વ પ્રવૃત્તિઓમાં ઉત્સર્ગથી યત્ન કરવામાં આવે તેના કારણે જે સદા આરંભનો પરિહાર થાય છે તેથી, અથવા સદાઅમારંભનુણના અનુકીર્તનથી અભિવ્યંગ્ય એવા પરિણામવિશેષથી આહિત એવી યતના વડે=સદાઅમારંભના કારણભૂત એવા સમભાવરૂપ ગુણના અનુકીર્તનથી અભિવ્યક્ત થનારા એવા ઉત્સર્ગમાર્ગ પ્રત્યેના પક્ષપાતરૂપ પરિણામવિશેષથી આધાન થયેલી ભિક્ષાની યતના વડે, તેનું હેતુપણું છે=સદાઅમારંભનું હેતુપણું છે અર્થાત્ તે સર્વસંપન્કરી ભિક્ષા સદાઅમારંભનો હેતુ છે. सदाऽनारम्भिता .... न सम्भवति । वजी सहासनामिता में भाग Page #72 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ એવા=ક્રિયા કરવામાં બાળ એવા, સંવિગ્નપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં સંભવતી નથી. સવાડનારમ્ભય થી ન સન્મતિ સુધીની ટીકાનો ભાવાર્થ :(૧) સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ : તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિ જગતના ભાવો પ્રત્યે નિરપેક્ષ હોય છે, સમભાવના પરિણામવાળા હોય છે અને સમભાવની વૃદ્ધિ કરીને વીતરાગ થવા માટે યત્ન કરતા હોય છે. ૪૮ સમભાવનો પરિણામ જીવમાત્ર પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિવાળો હોય છે, તેથી સમભાવની વૃદ્ધિ માટે યત્ન કરતા મુનિ કોઈ પણ જીવને લેશ પણ પીડા ન થાય એ રીતે સંયમના ઉપખંભક એવા પોતાના દેહના પાલન માટે ભિક્ષા ગ્રહણ કરે છે. તે ભિક્ષા સમભાવની વૃદ્ધિનું કારણ હોવાથી સદાઅનારંભનો હેતુ છે; કેમ કે સમભાવના પરિણામથી આરંભ થતો નથી. વળી વૃદ્ધિને પામેલો સમભાવનો પરિણામ એ સિદ્ધઅવસ્થાનું કારણ છે, અને સિદ્ધઅવસ્થામાં ગયા પછી સિદ્ધના જીવો કોઈ આરંભ કરતા નથી. તેથી તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિની ભિક્ષા સદાઅનારંભનો હેતુ છે; અને આ ભિક્ષા સર્વસંપત્તિને કરનારી છે અર્થાત્ આ ભિક્ષાથી પુષ્ટ થયેલ દેહ સમભાવની વૃદ્ધિ કરીને તે મહાત્માના સર્વસંપત્તિને કરનારી છે=સર્વ કલ્યાણને કરનારી છે, એટલું જ નહિ પણ તે મહાત્માને ભિક્ષા આપનારા અને તે મહાત્માની ભિક્ષાની અનુમોદના કરનારા સર્વના કલ્યાણની પરંપરાનું કારણ છે. તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિની ભિક્ષા સદાઅનારંભનો હેતુ : વળી તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિની ભિક્ષા સદાઅનારંભનો હેતુ બે રીતે થાય છે : (૧) જે તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મહાત્માઓ સંપૂર્ણ નિર્દોષ ભિક્ષામાં ઉદ્યમ કરનારા છે, અને નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ ન થાય અને પ્રાણનો અંત થાય તોપણ સત્ત્વના પ્રકર્ષથી સમભાવની વૃદ્ધિ કરી શકે છે, અને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થાય તો તેના દ્વારા સંયમપાલનને ઉપષ્ટભક એવા દેહનું પાલન કરીને સંયમની વૃદ્ધિ કરી શકે છે, તે મહાત્માઓની ભિક્ષા સદા આરંભના પરિહારથી સદાઅનારંભનો હેતુ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સાધુસામગ્ગદ્વાચિંશિકા/શ્લોક-૧૦ (૨) જે તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મહાત્માઓ સમભાવની વૃદ્ધિ અર્થે ઉદ્યમ કરનારા છે, અને સંયમના ઉપષ્ટભક એવા દેહના પાલન માટે ભિક્ષામાં ઉદ્યમ કરે છે, પરંતુ તથાવિધ વિષમ સંયોગથી નિર્દોષ ભિક્ષાની ઉપલબ્ધિ ન થાય ત્યારે ભિક્ષા વગર સમભાવની વૃદ્ધિ કરવા સમર્થ નથી, તે વખતે સમભાવની વૃદ્ધિના અર્થી એવા તે મહાત્માઓ સદાઅનારંભગુણ પ્રત્યેના પક્ષપાતવાળા હોવાને કારણે સદાઅનારંભગુણના પક્ષપાતથી અભિવ્યંગ્ય એવો ઉત્સર્ગ માર્ગ પ્રત્યેનો બદ્ધરાગ તેમનામાં વર્તે છે; અને તે બદ્ધરાગરૂપ પરિણામવિશેષને કારણે શાસ્ત્રવિધિ અનુસાર પંચકહાનિથી યતનાપૂર્વક દોષિત ભિક્ષા ગ્રહણ કરે છે, અને તે તેનાથી ગ્રહણ કરાયેલી તેઓની ભિક્ષા દેહને પુષ્ટ કરીને સંયમની વૃદ્ધિનું કારણ હોવાથી સદાઅનારંભનો હેતુ છે. ઉપરમાં સદાઅનારંભનો હેતુ ભિક્ષા બે રીતે થાય છે, તેમ કહ્યું. તે બંને પ્રકારથી સંવિગ્નપાક્ષિક જીવો ભિક્ષા ગ્રહણ કરતા નથી, અને તેઓ કલ્યાણના અર્થી છે, આરાધક છે, છતાં સંવિગ્નપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં સદાઅનારંભિતા સંભવતી નથી, કેમ કે તેઓ ભગવાનના વચનાનુસાર ક્રિયા કરવામાં બાળ છે. તેથી તેઓ પોતાની ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહથી સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉદ્યમ કરી શકતા નથી. માટે તેમની ભિક્ષા સદાઅનારંભનો હેતુ નથી. તેથી તેમની ભિક્ષામાં સદાઅનારંભિતા નથી. ઉત્થાન : શ્લોકના ઉત્તરાર્દુમાં કહ્યું કે સંવિગ્નપાક્ષિક એવા દ્રવ્યમુનિમાં સદાઅનારંભિતા સંભવતી નથી. એ કથનથી એ ફલિત થાય છે કે જેમ સુસાધુ ભિક્ષાવૃત્તિ કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ સાધુવેશમાં રહીને ભિક્ષાવૃત્તિ કરે છે, આમ છતાં તેમનામાં સદાઅનારંભિતા નથી. વળી અગિયારમી પ્રતિમા ધારણ કરનારા શ્રાવકો પણ સાધુવેશને ગ્રહણ કરીને નવકલ્પી વિહારપૂર્વક સાધુની જેમ ભિક્ષાવૃત્તિ કરે છે, તેમનામાં પણ સદાઅનારંભિતા નથી, તે ઉપલક્ષણથી પ્રાપ્ત થાય છે. તે બતાવવા અર્થે કહે છે : ટીકાર્થ : મુન્નક્ષણમ્ .. ન તત્સમ્ભવઃ, આ પૂર્વમાં કહ્યું કે એક બાલ એવા Page #74 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/મ્લોક-૧૦ દ્રવ્યમુનિમાં સદાઅનારંભિતા નથી એ, અગિયારમી પ્રતિમાને સ્વીકારેલ એવા શ્રાવકને પણ તેનો સંભવ નથી=સદાઅનારંભિતાનો સંભવ નથી; કેમ કે શ્રાવકના અતારંભકપણાનું પ્રતિમાકાલાવધિકપણું છે. તેનું ઉપલક્ષણ છે. ЦО અહીં પ્રશ્ન થાય કે જો સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકમાં સદાઅનારંભિતા નથી, તેથી તેમની ભિક્ષા સર્વસંપત્ઝરી નથી, તો તે કેવી છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે न च અનુપપાવનાત્, તેમની ભિક્ષાનું=સંવિગ્નપાક્ષિકની કે અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષાનું, સર્વસંપત્કરી કલ્પત્વની ઉક્તિથી જ= સર્વસંપત્કરી સમાન છે એમ કહેવાથી જ, વિસ્તાર નથી, દિ=જે કારણથી આ રીતે=પૂર્વે સંવિગ્નપાક્ષિકાદિની ભિક્ષાને સર્વસંપત્કરી કલ્પ કહી એ રીતે, યથાકથંચિત્—કોઈક રીતે, સર્વસંપત્કરી આ છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન થવા છતાં પણ ‘ન પૌરુષની’=‘પૌરુષઘ્ની નથી’ ઈત્યાદિ વ્યવહારનું અનુપપાદન નથી અર્થાત્ ‘ન પૌરુષની’=‘પૌરુષઘ્ની નથી’ ઈત્યાદિ વ્યવહારનું ઉપપાદન છે. નોંધ :- ‘7 ઘ’ ના ‘ન’ નો અન્વય ‘અનુપપાવનાત્’ હેતુ સાથે કરેલ છે, તે સિવાય અર્થ સંગત થતો નથી અથવા ‘ન =' ના સ્થાને ‘પિ ત્વ' પાઠ ગ્રહણ કરીને ‘ન ખૈરુપની’ માં રહેલ ‘ન’ વધારાનો છે, તેમ ગ્રહણ કરીને અર્થ કરવો. જેથી પદાર્થ સંગત થઈ શકે છે. तथा च “यतिर्ध्यानादि પ્રદળાતુ, અને તે રીતે=પૂર્વમાં કહ્યું કે સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા સર્વસંપત્કરી કલ્પ કહીને જવિસ્તાર થાય છે તે રીતે, “જે યતિ ધ્યાનાદિ યુક્ત છે, ગુરુઆજ્ઞામાં વ્યવસ્થિત છે, સદાઅનારંભી એવા તેમને સર્વસંપત્કરી ભિક્ષા મનાઈ છે,” એ પ્રકારનું આચાર્યનું અભિધાન=પૂ. હરિભદ્રસૂરિ મહારાજનું અષ્ટક ૫/૨ નું કથન, સંભવ અભિપ્રાયથી જ છે–સંવિગ્નપાક્ષિકમાં સર્વસંપત્કરી ભિક્ષાના સંભવના અભિપ્રાયથી જ છે; કેમ કે જિનકલ્પિકાદિમાં ગુરુઆજ્ઞા વ્યવસ્થિતપણાદિની જેમ સદાઅનારંભિપણાનું ફળથી જ ગ્રહણ છે= સંવિગ્નપાક્ષિક અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં ફળથી જ ગ્રહણ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૧ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ સન્યથા ..... સાપ, અન્યથા–આવું ન માનો તો=સંવિગ્સપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં સર્વસંપન્કરી ભિક્ષાનો સંભવ છે એ અભિપ્રાયથી અષ્ટક પ/૨માં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ કર્યું છે એવું ન માનો તો, સંવિગ્સપાક્ષિકમાં પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજાએ અષ્ટક પ/૨માં કરેલા સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણના અનુગમતી આપત્તિ આવશે અર્થાત્ લક્ષ્યના એક ભાગરૂપ તત્વસંવેદનજ્ઞાનવાળા મહાત્મામાં લક્ષણની પ્રાપ્તિ હોવા છતાં, લક્ષ્યના અન્ય ભાગરૂપ સંવિગ્સપાક્ષિક અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકોમાં સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણના અન_ગમની=અનુસરણ નહિ થવાની, આપત્તિ આવશે. દ્રવ્ય ..... ભાવનીમ્ | અથવા દ્રવ્ય સર્વસંપન્કરીની ઉપેક્ષા કરીને= સંગ્નિપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં વર્તતી દ્રવ્ય સર્વસંપન્કરીની ઉપેક્ષા કરીને, આ=પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પરમાં સર્વસંપન્કરીનું લક્ષણ કર્યું એ, ભાવ સર્વસંપત્કરીનું લક્ષણ જ કર્યું છે, એ પ્રમાણે યથાતંત્ર ભાવન કરવું જે પ્રમાણે શાસ્ત્રાનુસારી નયનું યોજન થાય એ પ્રમાણે ભાવન કરવું. ૧૦I દર્શ પ્રતિમાં પ્રતિપત્રી શ્રમvપાસવ - અહીં ફિ થી એ કહેવું છે કે સંવિગ્નપાક્ષિકને તો સદાઅનારંભિતાનો સંભવ નથી, પરંતુ અગિયારમી પ્રતિમાધારી એવા શ્રાવકને પણ સદાઅનારંભિતાનો સંભવ નથી. જાથાથષ્યિત્સર્વસમ્પરીતિ વ્યવહારોપવનેગપિ - અહીં થી એ કહેવું છે કે સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં કોઈક રીતે સર્વસંપન્કરી ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન ન થતું હોય તો તો “ર પૌરુષની ઈત્યાદિ વ્યવહારનું અનુપપાદન નથી, પરંતુ કોઈક રીતે સર્વસંપન્કરી ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન થવા છતાં પણ ‘પૌરુષની ઈત્યાદિ વ્યવહારનું અનુપપાદન નથી અર્થાત્ ઉપપાદન છે. કન પૌરુષની' ફત્યાદ્રિ - અહીં મારિ થી ‘ન વૃત્તિઃ' – ભિક્ષાનું ગ્રહણ કરવું. નિનન્ધિાવી અહીં મટિ થી યથાસંદિક, વચનગુરુતાવાળા સાધુઓનું ગ્રહણ કરવું. Page #76 -------------------------------------------------------------------------- ________________ પર સાધુસામઔદ્રાસિંશિકા/બ્લોક-૧૦ રૂમ્ થી ભાવનીયમ્ | સુધીની ટીકાનો ભાવાર્થ - શ્લોકના ઉત્તરાર્ધ્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સંવિગ્નપાક્ષિક સાધુ ક્રિયામાં બાળ હોવાને કારણે તેમની ભિક્ષામાં સદાઅનારંભિતા નથી, તેની જેમ અગિયારમી પ્રતિમધારી શ્રાવકની ભિક્ષામાં પણ સદાઅનારંભિતા નથી; કેમ કે અગિયારમી પ્રતિમાધારી શ્રાવક અગિયારમી પ્રતિમા ગ્રહણ કરીને સાધુની જેમ નવકલ્પી વિહાર કરે છે, સાધુની જેમ ભિક્ષા ગ્રહણ કરે છે અને સર્વ ઉદ્યમથી સમભાવની વૃદ્ધિમાં યત્ન કરે છે, છતાં અગિયાર મહિનાની કાલમર્યાદા રાખીને ઉદ્યમ કરે છે, તેથી તેમની ભિક્ષા અનારંભિતાનો હેતુ હોવા છતાં તેમની ભિક્ષામાં સદાઅનારંભિતા નથી. આ પ્રકારના ઉપરોક્ત કથનમાં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીએ (૧) સર્વસંપન્કરી (૨) પૌરુષષ્મી અને (૩) વૃત્તિ એમ ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે ત્રણમાંથી સંવિગ્નપાક્ષિકને અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકને કઈ ભિક્ષા સંગત થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- સંવિગ્નપાક્ષિક અને પ્રતિમાપારી શ્રાવકની ભિક્ષા સર્વસંપત્થરીકલ્પનું વિધાન : સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા સર્વસંપન્કરી કલ્પ કહેવાથી જ વિસ્તાર છે. એ સિવાય બીજો વિકલ્પ નથી. કેમ બીજો વિકલ્પ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે -- સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષાને પૌરુષબી ભિક્ષા કહી શકાય નહિ; કેમ કે સંવિગ્નપાક્ષિક પણ દીક્ષા ગ્રહણ કરીને સંયમની શક્તિનો સંચય કરે છે, પરંતુ સત્પુરુષાર્થનો નાશ કરે તેવી ભિક્ષાની વૃત્તિ કરતા નથી. વળી અગિયારમી પ્રતિમાધારી શ્રાવક પણ સર્વવિરતિની શક્તિના સંચય અર્થે ભિક્ષાવૃત્તિ કરે છે, અને તે ભિક્ષાવૃત્તિ ભગવાનના વચનાનુસાર છે, પરંતુ ભગવાનના વચનથી નિરપેક્ષ નથી. તેથી તેમની ભિક્ષા સત્ પુરુષાર્થનો નાશ કરનાર નથી, માટે તેમની ભિક્ષાને પૌરુષની કહેવાય નહિ. વળી તેમની ભિક્ષા દીન-અનાથ જીવોની જેમ વૃત્તિભિક્ષા પણ નથી; કેમ કે પોતે જીવનનિર્વાહ કરી શકે તેમ નથી માટે ભિક્ષાવૃત્તિ કરે છે, તેવું નથી, પરંતુ ભગવાનના વચનાનુસાર યોગમાર્ગની આરાધના કરવી છે માટે ભિક્ષાવૃત્તિ કરે છે; અને Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૩ સાધુ સામર્થ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ તેમની ભિક્ષામાં સદાઅનારંભિતા નથી, તે અપેક્ષાએ સર્વસંપન્કરી આ ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન થાય નહિ, તોપણ જેમ સર્વસંપન્કરી ભિક્ષા યોગમાર્ગની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, તેમ સંવિગ્નપાક્ષિકમાં માર્ગના પક્ષપાતની વૃત્તિ હોવાને કારણે સંવિગ્નપાક્ષિક જીવો પણ છે જે આરાધના કરે છે, તેના દ્વારા સુલભબોધિ થાય છે, અને જન્માંતરમાં સર્વવિરતિની શક્તિને પ્રાપ્ત કરે છે; અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવક પણ પ્રતિમાના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. તેથી સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા કલ્યાણનું કારણ છે. તે અપેક્ષાએ સર્વસંપન્કરી ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન થાય છે. માટે સંવિગ્નપાક્ષિકની કે અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા સર્વસંપત્કરી કલ્પ છે, તેમ માનીને નિસ્તાર છે. અન્યથા તેમની ભિક્ષાનો બીજી પૌરુષની અને ત્રીજી વૃત્તિભિક્ષામાં અંતર્ભાવ નહિ હોવાથી અને પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષામાં પણ તેમની ભિક્ષાનો અંતર્ભાવ સર્વથા ન કરવામાં આવે તો તેમની ભિક્ષા તે ત્રણમાંથી કોઈ એક પણ ભિક્ષા બને નહિ, અને ત્રણ ભિક્ષાથી અધિક ચોથી ભિક્ષા નથી. માટે સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા શશશ્ચંગ જેવી છે, તેમ માનવાની આપત્તિ આવે. ઉપરોક્ત કથનમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાપારી શ્રાવકની ભિક્ષા સર્વસંપન્કરી કલ્પ જ કહીને વિસ્તાર છે, તે કથન પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના અષ્ટક-પરના સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણ સાથે કઈ રીતે સંગત છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કહેલ અષ્ટક-પ/રમાં સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ : પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક-પરમાં સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ બતાવતાં કહ્યું કે “જે સાધુ ધ્યાન, અધ્યયન આદિથી યુક્ત હોય અર્થાત્ ધ્યાન, અધ્યયનાદિ ઉચિત પ્રવૃત્તિઓ કરીને સંવરભાવનો અતિશય કરતા હોય અને ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત હોય અર્થાત્ ગુણવાન એવા ગુરુને પરતંત્ર હોય એવા સદાનારંભી સાધુને સર્વસંપન્કરી ભિક્ષા છે.” આ કથનથી સંવિગ્નપાક્ષિકમાં Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં પણ સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણનો સંભવ છે; કેમ કે જેમ જિનકલ્પિકાદિ ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત નહિ હોવા છતાં ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત રહેવાથી જે અસંગભાવ પ્રાપ્ત કરવો છે, તે અસંગભાવને પામેલા છે. તેથી ગુર્વાજ્ઞાનું ફળ પ્રાપ્ત કરેલું હોવાથી સાક્ષાત્ ગુરુની નિશ્રામાં નહિ રહેલા એવા જિનકલ્પિકાદિમાં પણ ફળથી ગુર્વાજ્ઞા છે, તેમ સંવિગ્નપાક્ષિક અને અગિયારમી પ્રતિમધારી સાધુઓની પ્રવૃત્તિનું ફળ સર્વવિરતિની પ્રાપ્તિ છે, તેથી ફળથી તેમનામાં પણ સર્વવિરતિ છે અર્થાત્ જેમ ફળ પ્રાપ્ત થયેલું હોવાને કારણે જિનકલ્પિકાદિ ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત છે, તેમ સંવિગ્નપાક્ષિક અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષાથી સર્વવિરતિરૂપ સદાઅનારંભિતા પ્રાપ્ત થશે. માટે તેમની ભિક્ષા સર્વસંપન્કરી છે. વળી પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કરેલ અષ્ટક-પરમાં સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ પ્રતિમાધારી શ્રાવકમાં અને સંવિગ્નપાક્ષિકમાં સંભવ છે એ અભિપ્રાયથી છે, એમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. તેમ ન સ્વીકારીએ તો પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના અષ્ટક-પરમાં કરેલ સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણમાં અનનુગામની પ્રાપ્તિરૂપ દોષ આવે; કેમ કે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કહેલું અષ્ટક-પ/૩નું લક્ષણ સુસાધુમાં જ ઘટે. સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં ઘટે નહિ. એમ માનીએ તો તે લક્ષણ લક્ષ્યમાત્રમાં જતું નથી, તેમ માનવું પડે. વસ્તુતઃ (૧) સર્વસંપન્કરી (૨) પૌરુષત્ની અને (૩) વૃત્તિ : એમ ત્રણ પ્રકારની ભિક્ષા છે, અને તે ત્રણ પ્રકારની ભિક્ષામાંથી બીજી પૌરુષક્ની અને ત્રીજી વૃત્તિભિક્ષા સંવિગ્નપાક્ષિક અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં છે તેમ કહી શકાય નહિ. તેથી સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષાને સર્વસંપન્કરી માન્યા વગર છૂટકો નથી; અને તેમની ભિક્ષા સર્વસંપન્કરી હોવા છતાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે સર્વસંપન્કરીનું અષ્ટક-૫૨ માં જે લક્ષણ કર્યું, તે લક્ષણ સંવિગ્નપાક્ષિકમાં અને પ્રતિભાધારી શ્રાવકમાં પ્રાપ્ત થતું નથી, તેમ માનીએ તો અષ્ટક-પરનું સર્વસંપન્કરીનું લક્ષણ લક્ષ્યમાત્રમાં વૃત્તિ નથી, તેમ માનવું પડે, અને તે લક્ષણ લક્ષ્યમાત્રમાં વૃત્તિ છે, તેમ સ્વીકારવા માટે પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે સંભવ Page #79 -------------------------------------------------------------------------- ________________ સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ અભિપ્રાયથી જ આ લક્ષણ કર્યું છે, તેમ માનીએ તો, તેમના અષ્ટક-૫/૨ના લક્ષણનો અનુગમ જેમ સુસાધુમાં થાય, તેમ સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં પણ થાય છે. માટે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના અષ્ટક-૫/૨ના સર્વસંપત્કરી ભિક્ષાના લક્ષણમાં અનનુગમ દોષની પ્રાપ્તિ થાય નહિ. અથવા બીજી રીતે ગ્રંથકારશ્રી સમાધાન કરે છે કે (૧) સર્વસંપત્ઝરી (૨) પૌરુષની અને (૩) સર્વવૃત્તિ ભિક્ષા કહી છે, તેમાં જે પ્રથમ પ્રકારની સર્વસંપત્કરી ભિક્ષા છે, તે બે ભેદવાળી છે - ૫૫ (૧) દ્રવ્યસર્વસંપત્કરી અને (૨) ભાવસર્વસંપત્કરી. જે દ્રવ્યસર્વસંપત્તી ભિક્ષા છે, તે ભાવસર્વસંપત્કરીનું કારણ છે. વળી સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં ભાવસર્વસંપત્કરી ભિક્ષા નહિ હોવા છતાં દ્રવ્યસર્વસંપત્કરી ભિક્ષા છે, અને તે દ્રવ્યસર્વસંપત્ઝરી ભિક્ષાની ઉપેક્ષા કરીને ભાવસર્વસંપત્કરીને લક્ષ્ય કરીને પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટકમાં સર્વસંપત્ક૨ી ભિક્ષાનું લક્ષણ કર્યું છે, એમ સ્વીકારવાથી લક્ષણમાં અનનુગમ નથી. ઉપરોક્ત બે પ્રકારનું સમાધાન નયદૃષ્ટિથી યથાતંત્ર=યથાશાસ્ત્ર અર્થાત્ શાસ્ત્રીય મર્યાદા મુજબ, ભાવન કરવું. ૧૦ll અવતરણિકા : શ્લોક-૯માં ભિક્ષા ત્રણ પ્રકારની છે એમ બતાવ્યું. તેમાંથી સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ શ્લોક-૧૦માં બતાવ્યું. હવે પૌરુષઘ્ની ભિક્ષાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ दीक्षाविरोधिनी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । धर्मलाघवमेव स्यात्तया पीनस्य जीवतः ।।११।। અન્વયાર્થ : રીવિરોધિની=દીક્ષાની વિરોધી એવી મિક્ષા=ભિક્ષા પૌરુષની=પૌરુષઘ્ની Page #80 -------------------------------------------------------------------------- ________________ 49 સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ प्रकीर्तिता = 5वा छे. तया = तेनाथी = पौरुषघ्नी भिक्षाथी, जीवतः आनुवि १२ता पीनस्य पुष्ट अंगवाजाने धर्मलाघवमेव = धर्मनुं लाघव ४ थाय. ॥११॥ श्लोकार्थ : દીક્ષાની વિરોધી એવી ભિક્ષા પૌરુષઘ્ની કહેવાઈ છે. પૌરુષઘ્ની ભિક્ષાથી भुवि। रता पुष्ट संगवाजाने धर्मनुं लाघव ४ थाय ||११|| टीडा : दीक्षेति दीक्षाया विरोधिनी-दीक्षावरणकर्मबन्धकारिणी, भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता, तया जीवतः पीनस्य = पुष्टाङ्गस्य धर्मलाघवमेव स्यात् । तथाहि - गृहीतव्रतः पृथिव्याद्युपमर्दनेन शुद्धोञ्छजीविगुणनिन्दया च भिक्षां गृह्णन् स्वस्य परेषां च धर्मस्य लघुतामेवापादयति, तथा गृहस्थोऽपि यः सदाऽनारम्भविहितायां भिक्षायां तदुचितमात्मानमाकलयन् मोहमाश्रयति सोऽप्यनुचितकारिणोऽमी खल्वार्हता इति शासनावर्णवादेन धर्मलघुतामेवापादयतीति । तदिदमुक्तम् - "प्रवज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषघ्नीति कीर्तिता" ।। धर्मलाघवकृन्मूढो भिक्षयोदरपूरणम् । करोति दैन्यात्पीनाङ्गः पौरुषं हन्ति केवलम् " ।। (अष्टक-५/४-५) अत्र प्रतिमाप्रतिपन्नभिक्षायां दीक्षाविरोधित्वाभावादेव नातिव्याप्तिरिति ध्येयम् ।।११।। टीडार्थ : दीक्षाया ..... स्यात् । द्दीक्षानी विरोधी = ही क्षावशुगर्भना अर्थात् यारित्रावशुग કર્મના, બંધને કરનારી એવી ભિક્ષા પૌરુષઘ્ની કહેવાઈ છે. તેનાથી=પૌરુષઘ્ની ભિક્ષાથી, આજીવિકા કરતા એવા પીનને=પુષ્ટ અંગવાળાને અર્થાત્ પોષણ પામેલા દેહવાળા સાધુને, ધર્મનું લાઘવ જ થાય=ધર્મનું લાઘવ પ્રાપ્ત થાય. પુષ્ટ અંગવાળા સાધુને પૌરુષની ભિક્ષાથી ધર્મનું લાધવ કઈ રીતે થાય, તે Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૭ સાધુસામઔદ્રાવિંશિકા/બ્લોક-૧૧ તે તથદ થી ગ્રંથકારશ્રી બતાવે છે – પૃહીતવ્રત: ..... સાપાવતીતિ | ગ્રહણ કરેલા વ્રતવાળા, પૃથ્વી આદિના ઉપમર્દનથી અને શુદ્ધ ઉછજીવી એવા સાધુના ગુણની નિંદા વડે ભિક્ષાને ગ્રહણ કરતા પોતાના અને પરના ધર્મની=પોતાની ધર્મની પ્રવૃત્તિની અને સુસાધુના ધર્મની પ્રવૃત્તિની લઘુતાને જ આપાદન કરે છે, અને સદાઅમારંભથી વિહિત એવી ભિક્ષામાં તેને ઉચિત=સદાઅમારંભી ભિક્ષાને ઉચિત પોતાને જાણતો એવો જે ગૃહસ્થ પણ મોહનો આશ્રય કરે છે–પૌરુષAી ભિક્ષા લેનારા સાધુના વર્તનથી મોહનો આશ્રય કરે છે, તે પણ ‘અનુચિતકારી આ ભગવાનના સાધુ છે,’ એ પ્રમાણે શાસનના અવર્ણવાદથી ધર્મની લઘુતાને જ આપાદન કરે છે. ત્તિ શબ્દ તથા થી કરેલા કથનની સમાપ્તિસૂચક છે. તમુત્તમ્ - તે આ=જે શ્લોકમાં કહેવાયું એ, અષ્ટક-૫, શ્લોક-૪/૫માં કહેવાયું છે. પ્રવ્રડ્યાં..... વીર્તિતા” | પ્રવ્રજ્યાનો સ્વીકાર કરેલ એવો જે સાધુ તેના વિરોધથી વર્તે છે પ્રવ્રજ્યાની મર્યાદાના વિરોધથી વર્તે છે, અસદારંભી એવા તેનીeતે સાધુની. અને અસદ્ આરંભવાળા ગૃહસ્થની અથવા અસદ્ આરંભવાળાની અષ્ટમી આદિમાં આરંભને વર્જનારાની, પૌરુષથ્વી ભિક્ષા પૌરુષળી છે, એ પ્રમાણે કહેવાયું છે. ઘર્ષનાધવ ..... વનમ્” || ધર્મના લાઘવને કરનાર મૂઢ ભિક્ષા વડે ઉદરને=પેટને, પૂરે છે. દીવપણાથી પીન અંગવાળો એવો તેત્રરોગાદિથી અપીડિત હોવાને કારણે ઉપચિત પુષ્ટ દેહવાળો એવો તે, કેવલ પુરુષકારનો નાશ કરે છે. સત્ર.... ધ્યેયમ્ પ્રતિમાપ્રતિપત્રની ભિક્ષામાં-પ્રતિમાનો સ્વીકાર કરેલ શ્રાવકની ભિક્ષામાં, દીક્ષાવિરોધીપણાનો અભાવ હોવાને કારણે જ અહીં=પ્રતિમા સ્વીકારેલ શ્રાવકમાં, અતિવ્યાપ્તિ નથી=પૌરુષળી ભિક્ષાના લક્ષણની અતિવ્યાપ્તિ નથી, એ પ્રમાણે જાણવું. ll૧૧ દીક્ષાવરણકર્મ શ્રેયીદાન અને અશિવના ક્ષપણથી દીક્ષા કહેવાય છે. તેથી જેમની પ્રવૃત્તિથી કલ્યાણની પરંપરારૂપ શ્રેયની પ્રાપ્તિ અને અનર્થોની પ્રાપ્તિના કારણીભૂત મોહના સંસ્કારો અને અશુભકર્મોરૂપ અશિવનો ક્ષય થાય છે તે Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૮ સાધુસાચ્ચઢાત્રિશિકા/શ્લોક-૧૧ દીક્ષા છે અને તેવા ભાવવાળી દીક્ષાની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવું જે કર્મ તે દીક્ષાવરણકર્મ. ભાવાર્થ :(૨) પૌરુષષ્મી ભિક્ષાનું સ્વરૂપ : દીક્ષા એટલે “જેનાથી શ્રેયની પ્રાપ્તિ થાય અને અશિવનો નાશ થાય. તેથી જે સાધુ મહાત્મા અપ્રમાદભાવથી ભગવાનના વચનાનુસાર જ્ઞાન-ધ્યાનાદિમાં ઉદ્યમ કરનારા છે, તેમની દીક્ષા અશુભ કર્મોનો નાશ કરે છે અને સર્વ કલ્યાણની પરંપરાનું કારણ બને છે. આવી દીક્ષાને આવરણ કરનાર એવા કર્મબંધનું કારણ જે ભિક્ષા તે પૌરુષષ્મી ભિક્ષા છે. આ પૌરુષષ્મી ભિક્ષા વડે જે સાધુઓ પોતાના દેહને પુષ્ટ કરે છે, તેઓ ધર્મના લાઘવને આપાદન કરે છે, કેમ કે ભિક્ષા ગ્રહણ કરીને પુષ્ટ થયેલા દેહથી ધર્મની વૃદ્ધિ કરતા નથી, પરંતુ ધર્મની વૃદ્ધિને અનુકૂળ સત્ત્વનો નાશ કરે છે, તેથી પોતાના ધર્મની લઘુતાને આપાદન કરે છે=પોતે ગ્રહણ કરેલા સંયમવેશની લઘુતાને આપાદન કરે છે, અને પરના ધર્મની પણ લઘુતાને આપાદન કરે છે. પરના ધર્મની લઘુતાને કઈ રીતે આપાદન કરે છે, તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જે ગૃહસ્થો સદા અનારંભથી વિહિત એવી ભિક્ષામાં યત્ન કરવાની રુચિવાળા છે, અને તેથી વિચારે છે કે સંયમ ગ્રહણ કરીને અનારંભી ભિક્ષા દ્વારા હું આત્મકલ્યાણ સાધું, તેવા ગૃહસ્થો પણ આ સાધુની અનુચિત રીતે ભિક્ષાગ્રહણની પ્રવૃત્તિ જોઈને મોહનો આશ્રય કરે છે અર્થાત્ પોતાના સંયમના અભિમુખ પરિણામનો નાશ કરે છે, અને “આ અરિહંતના સાધુઓ અનુચિત કરનારા છે,’ એ પ્રકારના શાસનના અવર્ણવાદ દ્વારા ધર્મની લઘુતાને આપાદન કરે છે. આ પ્રકારનો શ્રાવકનો મોહનો પરિણામ પેદા કરવામાં શિથિલાચારવાળા સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ કારણ બને છે, તેથી તે સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ પરના ધર્મની લઘુતાને આપાદન કરે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ વિશેષાર્થ : જે સાધુ સંયમના વેશમાં રહીને સંયમની ઉચિત ક્રિયાઓ યથાર્થ રીતે કરતા ન હોય અને કદાચ બેતાલીશ દોષથી રહિત ભિક્ષાને ગ્રહણ કરે તો તે સાધુની ભિક્ષા સ્વરૂપથી આરંભના પરિહારવાળી હોવા છતાં ફળથી આરંભના દોષવાળી છે; કેમ કે ભિક્ષા ગ્રહણ કરવામાં કોઈ દોષોનું સેવન નહિ હોવા છતાં તે ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહથી મોહની વૃદ્ધિને અનુકૂળ પ્રમાદને પોષે છે; તેથી તે ભિક્ષા સ્વરૂપથી આરંભ વગરની હોય તોપણ ફળથી આરંભવાળી છે. વળી જે સાધુઓ સંયમમાં પ્રમાદી છે અને ભિક્ષાના દોષોની યતના કરતા નથી, તેઓની ભિક્ષા સ્વરૂપથી પણ અસરંભવાળી છે અને ફળથી પણ અસરંભવાળી છે. આવી ભિક્ષા પૌરુષઘ્ની ભિક્ષા કહેવાઈ છે. વળી અષ્ટક-૫, શ્લોક-૪/૫ની સાક્ષી ટીકામાં આપી. તે પાઠ પ્રમાણે, કોઈ શ્રાવક ભિક્ષાથી આજીવિકા કરતા હોય તો આ શ્રાવકો અનુચિત ક૨ના૨ા છે, એ પ્રકારનું ધર્મનું લાઘવ થાય છે. ૫૯ વળી કોઈ શ્રાવક શરીરથી રોગિષ્ઠ હોય, ધન અર્જન કરવા માટે અસમર્થ હોય અને ભિક્ષાથી આજીવિકા કરતા હોય, તેમની ભિક્ષા વૃત્તિભિક્ષા છે; કેમ કે વૃત્તિભિક્ષાની પ્રવૃત્તિથી લોકમાં ધર્મનું લાઘવ થતું નથી. ૧૧ll અવતરણિકા : શ્લોક-૯માં ત્રણ પ્રકારની ભિક્ષા છે, તેમ કહ્યું. તેથી પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ શ્ર્લોક-૧૦માં બતાવ્યું. ત્યારપછી પૌરુષઘ્ની ભિક્ષાનું સ્વરૂપ શ્લોક-૧૧માં બતાવ્યું. હવે ક્રમપ્રાપ્ત વૃત્તિભિક્ષાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક ઃ क्रियान्तरासमर्थत्वप्रयुक्ता वृत्तिसञ्ज्ञिका । दीनान्धादिष्वियं सिद्धपुत्रादिष्वपि केषुचित् ।। १२ ।। Page #84 -------------------------------------------------------------------------- ________________ ५० સાધુસામગ્સદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ मन्वयार्थ :क्रियान्तरासमर्थप्रयुक्ता-यातरम समर्थपथी प्रयुत वृत्तिसझिका वृतिसंशावाणी=1f4stal R२९भूत सेवी MAL छे. (मन) इयं-= तिक्षा दीनान्धादिषु-ही-अंधामi (स) केषुचित्रा सिद्धपुत्रादिष्वपि-सिद्धपुत्राहिम । छ. ॥१२॥ Resर्थ : કિયાંતરમાં અસમર્થપણાથી પ્રયુક્ત એવી વૃત્તિસંજ્ઞાવાળી ભિક્ષા છે. આ વૃતિભિક્ષા, દીન-અંધાદિમાં અને કેટલાક સિદ્ધપુત્રાદિમાં પણ छ. ||१२| टीs:__क्रियान्तरेति – क्रियान्तरासमर्थत्वेन प्रयुक्ता, न तु मोहेन चारित्रशुद्धीच्छया वा वृत्तिसञ्जिका भिक्षा भवति, इयं च दीनान्धादिषु सम्भवति । यदाह - “निःस्वान्धपङ्गवो ये तु न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं वृत्तिभिक्षेयमुच्यते" ।। "नातिदुष्टापि चामीषामेषा स्यान्न ह्यमी तथा । अनुकम्पानिमित्तत्वाद्धर्मलाघवकारिणः" ।। (अष्टक-५/६-७) तथा सिद्धपुत्रादिष्वपि केषुचिद्वृत्तिभिक्षा सम्भवति, आदिना सारूपिकग्रहः, दीनादिपदाव्यपदेश्यत्वाच्चैषां पृथगुक्तिः, श्रूयन्ते चोत्प्रव्रजिता अमी जिनागमे भिक्षुकाः, यतो व्यवहारचूामुक्तम् - “जो अणुसासिओ ण पडिनियत्तो सो सारूविअत्तणेण वा सिद्धपुत्तत्तणेण वा अच्छउ कंचिकालं। सारूविओ णाम सिरमुंडो अरजोहरणो अलाउयाहिं भिक्खं हिंडइ अभज्जो अ। सिद्धपुत्तो णाम सबालओ भिक्खं हिंडइ वा ण वा वराडएहिं वेंटलिअं करेइ लट्ठि वा धरेति” । त्ति। केषुचिदित्यनेन ये उत्प्रव्रजितत्वेन क्रियान्तरासमर्थास्ते गृह्यन्ते, येषां पुनरत्यन्तावद्यभीरूणां संवेगातिशयेन प्रव्रज्यां प्रति प्रतिबद्धमेव मानसं तेषामाद्यैव भिक्षा, Page #85 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ ૬૧ एतद्व्यतिरिक्तानामसदारम्भाणां च पौरुषघ्न्येव । तत्त्वं पुनरिह केवलिनो विदन्तीति अष्टकवृत्तिकृद्वचनं च तेषां नियतभावापरिज्ञानसूचकमित्यवधेयम् ।।१२।। ટીકાર્ય : क्रियान्तरा મતિ, ક્રિયાંતરમાં અસમર્થપણાથી=આજીવિકાને માટે ભિક્ષાવૃત્તિથી અન્ય ક્રિયા કરવા માટે અસમર્થપણાથી પ્રયુક્ત એવી વૃત્તિ સંજ્ઞાવાળી ભિક્ષા છે, પરંતુ મોહથી અથવા ચારિત્રની શુદ્ધિની ઈચ્છાથી નહીં. इयं સન્મતિ । અને આ=વૃત્તિસંજ્ઞાવાળી ભિક્ષા દીનઅંધાદિમાં સંભવે છે. यदाह " निःस्वान्ध વ્યતે” ।। “જે કેટલાક વળી ધન વગરના આંધળા અને પંગુ ક્રિયાંતરમાં=ભિક્ષાથી વ્યતિરિક્ત કૃષિ-વાણિજ્યાદિ ક્રિયામાં, સમર્થ નથી, તેઓ વૃત્તિ માટે=આજીવિકા માટે, ભમે છે. આ વૃત્તિભિક્ષા કહેવાય છે.” - જે કારણથી અષ્ટક-૫, શ્લોક-૬/૭માં કહે છે " नातिदुष्टापि ધર્માધવારિ” || આમને=ધન વગરના અંધ અને પંગુને આવૃત્તિભિક્ષા, અતિ દુષ્ટ પણ નથી. હિ=યસ્મા=જે કારણથી આ=ધન વગરના અંધ અને પંગુ, તેવા=પૌરુષઘ્ની ભિક્ષા કરનારા જેવા, ધર્મના લાઘવને કરનારા નથી; કેમ કે અનુકંપાનું નિમિત્તપણું છે. तथा સાવિપ્ર૪:, અને કેટલાક સિદ્ધપુત્રાદિમાં પણ વૃત્તિભિક્ષા સંભવે છે. સિદ્ધપુત્રાવિણુ - અહીં વિ શબ્દથી સારૂપિકનું ગ્રહણ કરવું. અહીં પ્રશ્ન થાય કે દીનાદિમાં આદિ પદથી સિદ્ધપુત્રાદિનું ગ્રહણ થઈ શકે. તેથી સિદ્ધપુત્રાદિનું પૃથક્ ગ્રહણ કેમ કર્યું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – दीनादि પૃથન્તિઃ । અને દીનાદિ પદથી અવ્યપદેશ્યપણું હોવાથી= સિદ્ધપુત્રાદિનું કથન થઈ શકતું ન હોવાથી, આમની=સિદ્ધપુત્રાદિની પૃથક્ ઉક્તિ છે=કથન છે. ***** - અહીં પ્રશ્ન થાય કે સિદ્ધપુત્રાદિને વૃત્તિભિક્ષા છે તે કેમ નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે Page #86 -------------------------------------------------------------------------- ________________ સાધુસાધ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૨ શ્રયન્ત ..... મિક્ષુE, ઉદ્મદ્રજિત એવા આકસિદ્ધપુત્રાદિ, જિતાગમમાં ભિક્ષકો સંભળાય છે. તો વ્યવહારપૂર્વામુક્તમ્ - જે કારણથી વ્યવહારચૂણિમાં કહેવાયું છે – “નો... વંવિવેકાનં” | જે અનુશાસિત પણ પ્રતિનિવૃત્ત નથી=સંયમ લીધા પછી જે સાધુને ગુરુ દ્વારા પ્રમાદના ત્યાગ અર્થે અનુશાસન અપાયેલ છે, આમ છતાં પ્રમાદથી પાછા ફરતા નથી, તે સાધુ સારૂપિકપણાથી અથવા સિદ્ધપુત્રપણાથી કેટલોક કાળ રહે. સારૂપિક કોણ કહેવાય, તે બતાવે છે – સીવિડો ..... મળ્યો | સારૂપિક એટલે શિરમુંડનવાળા, રજોહરણ વગરના, તુંબડા વડે ભિક્ષા માટે જે ફરે છે અને અભાર્યાવાળા છે. સિદ્ધપુત્ર કોણ કહેવાય, તે બતાવે છે – સિદ્ધપુત્તો ... ઘરતિ” | ત્તિ ! સિદ્ધપુત્ર એટલે કેશવાળા ભિક્ષા માટે ફે છે અથવા નથી પણ ફરતા. વરાટિકા વડે વેંટલિકા કરે છે અથવા યષ્ટિને=લાકડીને, ધારણ કરે છે. ત્તિતિ શબ્દ વ્યવહારચૂણિના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. મૂળશ્લોકમાં કહેલા પુત્ શબ્દનો અર્થ ગ્રંથકારશ્રી ટીકામાં સ્પષ્ટ કરે છે – પુ િ ..... પૃદ્ધત્તે, કેટલાક સિદ્ધપુત્રાદિ વૃતિભિક્ષા કરે છે, એ કથન દ્વારા જે સિદ્ધપુત્રાદિ ઉદ્મદ્રજિતપણાને કારણે ક્રિયાંતરમાં અસમર્થ છે, તેઓ ગ્રહણ થાય છે. પૂર્વમાં સિદ્ધપુત્ર અને સારૂપિક કોણ છે, તેનું સ્વરૂપ બતાવ્યું. હવે જે સાધુવેશમાં છે, આમ છતાં પણ અત્યંત અપ્રમાદથી સાધુપણું પાળી શકતા નથી તેઓમાં, અને સાધુપણું લઈને સંયમમાં સર્વથા નિરપેક્ષ છે તેઓમાં, આ વૃત્તિભિક્ષા નથી, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ચેષ .... પળેવ | જેઓ વળી અત્યંત અવધના ભીરુ છે, સંવેગના અતિશયને કારણે પ્રવ્રજયા પ્રતિ પ્રતિબદ્ધ જ માનસ છે, તેઓને આદ્ય Page #87 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ૬૩ જ= સર્વસંપન્કરી જ, ભિક્ષા છે. આનાથી વ્યતિરિક્ત=પ્રવ્રજ્યા પ્રતિ પ્રતિબદ્ધ માનસ જેઓનું નથી, તેવા અસદ્ આરંભવાળાની, પૌરુષળી જ ભિક્ષા છે. જેઓ અત્યંત અવધના ભીરુ છે અને સંવેગના અતિશયને કારણે પ્રવજ્યા પ્રતિ પ્રતિબદ્ધ માનસવાળા છે, તેઓ સુસાધુ પણ છે અને સંવિગ્નપાક્ષિક પણ છે અને તેઓને સર્વસંપત્કરી ભિક્ષા જ છે, એમ ગ્રંથકારશ્રીએ કહ્યું, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે અષ્ટકવૃત્તિકારે તો સંવિગ્નપાક્ષિકને આઘભિક્ષા કલ્પન સર્વસંપન્કરી કલ્પ, કહીને તત્ત્વકેવલીગમ્ય છે તેમ કહ્યું, અને ગ્રંથકારશ્રીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહેલ છે કે સંવિગ્નપાક્ષિકને આઘભિક્ષા જ=સર્વસંપન્કરી ભિક્ષા જ છે. તેથી અષ્ટકવૃત્તિકારના વચન સાથે વિરોધ આવશે, તેના ખુલાસા માટે ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વ ... વઘેયમ્ | અને અહીં સંવિગ્સપાક્ષિકને આઘભિક્ષા= સર્વસંપન્કરી ભિક્ષા, સ્વીકારવાના વિષયમાં, તત્ત્વ કેવલી જાણે છે, એ પ્રમાણે અષ્ટકવૃત્તિકારનું વચન તેમને-અષ્ટકવૃત્તિકારને, નિયતભાવના અપરિજ્ઞાનનું સૂચક છે અર્થાત્ સંવિગ્સપાક્ષિકને આ જ ભિક્ષા છે= સર્વસંપન્કરી ભિક્ષા જ છે, તેવા નિયત ભાવના અપરિજ્ઞાનનું સૂચક છે એ પ્રમાણે જાણવું. I૧૨ા તીનાસ્થતિ - અહીં ‘કાઢિ થી પાંગળા આદિનું ગ્રહણ કરવું. સિદ્ધપુત્રપિ અહીં સિદ્ધપુત્રાદ્રિ માં દ્રિ' થી સારૂપિકનું ગ્રહણ કરવું, અને પિ થી એ સમુચ્ચય થાય છે કે દીન, અંધાદિમાં તો વૃત્તિભિક્ષા છે, પરંતુ કેટલાક સિદ્ધપુત્રાદિમાં પણ વૃત્તિભિક્ષા છે. ભાવાર્થ - (૩) વૃત્તિભિક્ષાનું સ્વરૂપ - જેઓ આજીવિકા માટે અન્ય ક્રિયા કરવા સમર્થ નથી, અને તેના કારણે ભિક્ષાની વૃત્તિ કરે છે, તેઓને વૃત્તિભિક્ષા છે. વળી જેઓ સાધુવેશમાં રહેલા છે અને સાધ્વાચરનું સમ્યક્ પાલન કરતા નથી, પરંતુ અમે સાધુ છીએ માટે અમે ભિક્ષાના અધિકારી છીએ, એવા મોહથી ભિક્ષા કરે છે, તેઓને વૃત્તિભિક્ષા નથી, પરંતુ પૌરુષની ભિક્ષા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ SY સાધુસામઢઢાત્રિશિકા/શ્લોક-૧૨ વળી જેઓ સંયમવિશુદ્ધિની ઈચ્છાથી ભિક્ષાવૃત્તિ કરે છે, તેઓને વૃત્તિભિક્ષા નથી, પરંતુ સર્વસંપરી ભિક્ષા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચારિત્રની વિશુદ્ધિની ઈચ્છાથી જેમ સુસાધુ ભિક્ષાવૃત્તિ કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ ચારિત્રની વિશુદ્ધિની ઈચ્છાથી ભિક્ષાવૃત્તિ કરે છે, માટે તેઓને વૃત્તિભિક્ષા નથી, પરંતુ સર્વસંપન્કરી જ ભિક્ષા છે. વળી જેઓ ધન કમાઈ શકે તેવી શક્તિવાળા છે, છતાં ભિક્ષાવૃત્તિથી જીવન જીવે છે, તેઓને અર્થ ઉપાર્જન કરવાને અનુકૂળ જે પુરુષકાર છે તેનો નાશ કરનાર હોવાથી તેઓની ભિક્ષા પૌરુષષ્મી છે, પરંતુ વૃત્તિભિક્ષા નથી. આમ છતાં આ પૌરુષની ભિક્ષા ધર્મનું લાઘવ કરનાર નથી; કેમ કે સાધુવેશ ગ્રહણ કરેલ નથી કે શ્રાવક પણ નથી. તેથી પૌરુષબી ભિક્ષા હોવા છતાં દુરંત સંસારના પરિભ્રમણનું કારણ બને તેવી તેમની ભિક્ષા નથી. આનાથી એ ફલિત થાય કે જે ગૃહસ્થ અન્ય ક્રિયાથી ધન કમાઈ શકે તેમ છે, છતાં માંગીને ખાય છે, તેને પૌરુષષ્મી ભિક્ષા છે; અને જે ગૃહસ્થો ધન વગરના છે અને અન્ય રીતે આજીવિકા કરી શકે તેવા નથી, તેઓને વૃત્તિભિક્ષા છે. વળી જે શ્રાવક હોય અને ધર્મનાં અનુષ્ઠાનો સેવતા હોય અને અન્ય ક્રિયાથી ધન કમાઈ શકે તેવી શક્તિવાળા હોવા છતાં ભિક્ષાવૃત્તિ કરતા હોય તો તેઓને પૌરુષષ્મી જ ભિક્ષા છે, અને તેઓ ધર્મનું લાઘવ કરતા હોવાથી તેમની ભિક્ષા પાપબંધનું કારણ છે. વળી સાધુવેશમાં રહીને સંયમમાં ઉદ્યમ ન કરતા હોય તેઓને પણ પૌરુષષ્મી જ ભિક્ષા છે, અને તેઓ ધર્મનું લાઘવ કરતા હોવાથી તેમની ભિક્ષા પાપબંધનું કારણ છે. વળી કેટલાક સંયમ ગ્રહણ કર્યા પછી સંયમ પાળી શકે તેવી સ્થિતિમાં ન હોય તો સંયમ છોડીને સારૂપિકપણાથી કે સિદ્ધપુત્રપણાથી જીવે છે, અને તેઓ આજીવિકા માટે ભિક્ષાથી અન્ય ક્રિયા કરવા સમર્થ ન હોય તો તેઓને પણ વૃત્તિભિક્ષા છે, અને જો તેઓ અન્ય ક્રિયાથી ધન કમાવા માટે સમર્થ હોય અને ભિક્ષાવૃત્તિથી જીવન જીવે તો તેમની ભિક્ષા વૃત્તિભિક્ષા નથી, પરંતુ પૌરુષબી ભિક્ષા છે. II૧ચા Page #89 -------------------------------------------------------------------------- ________________ કપ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૧૩ અવતરણિકા : પૂર્વે શ્લોક-૨ થી ૭માં ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યા પછી શ્લોક-૮માં ત્રીજા પ્રકારના તત્ત્વસંવેદનજ્ઞાનથી સાધુ સમગ્રભાવને પામે. છે, તેમ બતાવ્યું. તેની જેમ શ્લોક-૯ થી ૧૨માં ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ બતાવ્યા પછી પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષાથી સાધુ સમગ્રભાવને પામે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अन्याबाधेन सामग्र्यं मुख्यया भिक्षयाऽलिवत् । - गृह्णतः पिण्डमकृतमकारितमकल्पितम् ।।१३।। અન્વયાર્થ : કચવાઘેન-અના અબાધથી=દાયકવા અપીડનથી, તમ્, રિતમ્, ઉન્વિત વિષ-અકૃત, અકારિત અને અકલ્પિત એવા પિંડને મુવી મિક્ષા મુખ્ય ભિક્ષાથી=સર્વસંપન્કરી ભિક્ષાથી, નિવ–ભ્રમરની જેમ મૃત:=ગ્રહણ કરતા એવા સાધુને સામર્થ્ય-ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણે થાય છે. [૧૩ શ્લોકાર્ચ - દાયકના અપીડનથી અકૃત, અકારિત અને અકલ્પિત એવા પિંડને મુખ્ય ભિક્ષાથી=સર્વસંપન્કરી ભિક્ષાથી, ભ્રમરની જેમ ગ્રહણ કરતા એવા સાધુને ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણે થાય છે. ll૧૩ll ટીકા - अन्येति-अन्येषां स्वव्यतिरिक्तानां दायकानाम्, अबाधेन अपीडनेन, मुख्यया सर्वसम्पत्कर्या भिक्षया, अलिवद्-भ्रमरवत्, अकृतमकारितमकल्पितं च पिण्डम् गृह्णतः सामग्र्यं चारित्रसमृद्ध्या पूर्णत्वं, भवति । अलिवदित्यनेनानटनप्रतिषेधः तथा सत्यभ्याहृतदोषप्रसङ्गात्, साधुवन्दनार्थमागच्छद्भिः गृहस्थैः पिण्डानयने नायं भविष्यति, तदागमनस्य वन्दनार्थत्वेन साध्वर्थपिण्डानयनस्य प्रासङ्गिकत्वा Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩ दिति चेत् ? न, एवमपि मालापहृताद्यनिवारणादिति वदन्ति ।।१३।। ટીકાર્ય : કચેષાં ...... માિ અન્યોનેકસ્વતિરિક્ત એવા ભિક્ષા આપનારાઓને, અબાધથી=અપીડનથી, અકૃત, અકારિત અને અકલ્પિત એવા પિંડને મુખ્ય ભિક્ષાથી સર્વસંપન્કરી ભિક્ષાથી, ગ્રહણ કરતા એવા સાધુને સમગ્રપણું થાય છેચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણું થાય છે અર્થાત્ સમભાવની પરિણતિની વૃદ્ધિરૂપ ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણું થાય છે. ત્તિવત્ .... પ્રસાત્, શ્લોકમાં ‘ત્તિવ એ કથન દ્વારા અનટનનો પ્રતિષેધ છે=અટન કર્યા વગર ગ્રહણ કરાતી ભિક્ષા ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણભાવનું કારણ નથી, તેમ બતાવેલ છે; કેમ કે તે પ્રમાણે હોતે છd=અટન વગર ભિક્ષા ગ્રહણ કરાય છતે, અભ્યાહતનો પ્રસંગ છે. સાધુવન્દ્રનાથ ..... રૂતિ વેત્ ? અટન વગર કોઈ સાધુ ભિક્ષા ગ્રહણ કરે તે વખતે સાધુવંદન માટે આવનાર ગૃહસ્થ વડે પિંડઆનયતમાં આ અભ્યાહત, દોષ થશે નહિ; કેમ કે તેના આગમનનું સાધુવંદન માટે આવનાર ગૃહસ્થના આગમનનું, વંદનાર્થપણું હોવાને કારણે સાધુ માટે પિંડઆનયનનું પ્રાસંગિકપણું છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ન, વમવત્તિ . એ પ્રમાણે ન કહેવું. એ રીતે પણ સાધુવંદનાર્થે આવેલા ગૃહસ્થના પિંડનું આયન પ્રાસંગિક હોવાને કારણે અભ્યાહત દોષ નથી એમ પૂર્વમાં કહ્યું એ રીતે પણ, માલાપહતાદિનું અનિવારણ હોવાથી અનટતપૂર્વક લાવેલી ભિક્ષાનો પ્રતિષેધ છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. એ પ્રમાણે કહે છે= પૂર્વમાં ક્ષત્તિવ થી માંડીને અત્યાર સુધી જે કથન કર્યું એ પ્રમાણે શાસ્ત્રકારો કહે છે. ૧૩ માતાપહૃતઃ - અહીં આ પદથી પૂર્વકર્મ, પશ્ચાત્કર્મ, ત્રસાદિ જીવોની વિરાધના ઈત્યાદિનું ગ્રહણ કરવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/બ્લોક-૧૩ ભાવાર્થ - સર્વસંપન્કરી ભિક્ષાથી સંયમના સમગ્રપણાની-ક્ષાચિકચારિત્રની પ્રાપ્તિ - સાધુ તત્ત્વસંવેદનજ્ઞાનના સંસ્કારથી ચારિત્રની વૃદ્ધિ દ્વારા ક્રમે કરીને અસંગભાવને પામે છે અને અંતે વીતરાગ-સર્વજ્ઞ થાય છે; તેમ નિર્દોષ ભિક્ષા માટે સમ્યગુ યત્ન કરે છે, તેના દ્વારા પણ અસંગભાવને પામે છે અને ક્રમે કરીને વીતરાગ-સર્વજ્ઞ બને છે; કેમ કે સાધુની ભિક્ષાની પ્રવૃત્તિનાં સર્વ અંગો સમભાવની વૃદ્ધિને અનુકૂળ હોય છે. જેમ કે – • ભિક્ષા માટે જતા હોય ત્યારે સાધુ વિચારે છે કે “ભિક્ષાની પ્રાપ્તિ થશે તો સંયમની વૃદ્ધિ થશે અને ભિક્ષાની અપ્રાપ્તિ થશે તો તપની વૃદ્ધિ થશે' આ પ્રકારના વિચારને કારણે ભિક્ષાની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ પ્રત્યે સમભાવવાળા મુનિ હોય છે. • ભિક્ષા માટે ગમન કરતા હોય ત્યારે ગમનક્રિયા સાથે યતનાપરાયણ માનસ હોવાને કારણે સર્વ જીવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય એવા ઈર્યાસમિતિના પાલનમાં યતનાવાળા હોય છે. • પિંડગ્રહણ કરતી વખતે ભિક્ષાના કોઈ દોષો ન લાગે તેવી ગવેષણાની સમ્યગુ યતના હોય છે, તેથી સંપૂર્ણ નિરારંભપૂર્વક સંયમની વૃદ્ધિને અનુકૂળ ભિક્ષા ગ્રહણ કરવાનો અધ્યવસાય હોય છે. તેથી પિડગવેષણામાં પણ સમભાવની વૃદ્ધિ થાય છે. • ભિક્ષા માટે અટન કરતાં ભિક્ષાની પ્રાપ્તિ થાય તો તે ભિક્ષા દ્વારા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમ પ્રત્યે યત્ન કરવાનો પરિણામ વર્તે છે, અને અપ્રાપ્તિ થાય તોપણ તપ દ્વારા સમભાવની વૃદ્ધિને અનુકૂળ સંયમ પ્રત્યે યત્ન કરવાનો પરિણામ વર્તે છે. આ રીતે યતનાપરાયણ સાધુ ભિક્ષાની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તત્ત્વસંવેદનજ્ઞાનથી સંવલિત ઉપયોગ વર્તતો હોય છે. તેથી ભિક્ષાની પ્રવૃત્તિ દ્વારા તત્ત્વસંવેદનજ્ઞાનના સંસ્કારોની વૃદ્ધિ થાય છે અને તેના દ્વારા ચારિત્રની શુદ્ધિ થાય છે અને અંતે ક્ષાયિકભાવનું પૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સાધુસમસ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૪ વળી ભિક્ષા ગ્રહણકાળમાં સાધુ સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા હોવાથી દાયકને પીડા ન થાય તેવી યતના કરે છે. વળી જે ભિક્ષા ગ્રહણ કરે છે તે ભિક્ષા પોતાના માટે કરેલી ન હોય, પોતાના માટે કરાવાયેલી ન હોય અને પોતાના માટે સંકલ્પિત ન હોય તેવી ભિક્ષા ગ્રહણ કરે છે. વળી આ ભિક્ષા કોઈ શ્રાવક-શ્રાવિકા સામેથી લાવે તેવી પણ ગ્રહણ કરતા નથી. તે નિવત્ શબ્દથી ગ્રહણ કરેલ છે, કેમ કે કૃત, કારિત, કલ્પિત, દોષરહિત પિંડ હોય તોપણ સામેથી લાવેલ હોય તો અભ્યાહત દોષની પ્રાપ્તિ છે, અને કોઈ શ્રાવક-શ્રાવિકા સાધુના વંદન માટે આવતા હોય તો તેઓનું વંદનાર્થે આગમન હોવાને કારણે સાધુઅર્થે પિંડઆનયન પ્રાસંગિક છે, તેથી અભ્યાહત દોષ ન લાગે તોપણ સાધુ અર્થે લાવેલી ભિક્ષામાં માળ ઉપરથી લાવેલ હોય કે અન્ય અયતનાપૂર્વક ગ્રહણ કરેલ હોય તે સર્વ દોષોને પ્રસંગ આવે, તેથી સાધુ સામેથી લાવેલી ભિક્ષા ગ્રહણ કરે નહિ, પરંતુ સ્વયં ભ્રમરની જેમ અટન કરીને ભિક્ષા ગ્રહણ કરે. I૧૩IL અવતરણિકા : શ્લોક-૧૩માં સાધુ કેવી ભિક્ષા ગ્રહણ કરે, તેનું સ્વરૂપ બતાવીને તેવી ભિક્ષાથી સાધુ સામર્થ્યને પામે છે, તેમ બતાવ્યું. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે – શ્લોક : नन्वेवं सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते । अनात्मम्भरयो यत्नं स्वपरार्थं हि कुर्वते ।।१४।। અન્વયાર્થ : “નનું થી શંકા કરે છે - આ રીતે શ્લોક-૧૩માં કહ્યું એ રીતે, સંકલ્પિત પિંડનું અગ્રાહ્યપણું હોતે છતે, સદસ્થાનાં સદ્દગૃહસ્થોના દે ઘરમાં મિક્ષા (સાધુને) ભિક્ષા ન ઘટે નહિ. દિ=જે કારણથી મનાત્મશ્નરયોઅનાત્મભરી=એકલપેટા નહિ એવા સદ્ગૃહસ્થો વપરાર્થ-સ્વ-પર માટે અન્ન Page #93 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્રંદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ ર્વત=યત્ન કરે છે અર્થાત્ પાકાદિ વિષયમાં યત્ન કરે છે. ।।૧૪।। શ્લોકાર્થ : ‘નનુ’ થી શંકા કરતાં કોઈ કહે છે શ્લોક-૧૩માં કહ્યું એ રીતે, સંકલ્પિત પિંડનું અગ્રાહ્યપણું હોતે છતે સગૃહસ્થોના ઘરમાં સાધુને ભિક્ષા ઘટે નહિ. જે કારણથી અનામંભરી એવા સગૃહસ્થો સ્વ-પર માટે યત્ન કરે છે અર્થાત્ પાકાદિ વિષયમાં યત્ન કરે છે. ||૧૪|| ટીકા ઃ - अनात्मम्भरय: नन्वेवमिति ननु एवं सङ्कल्पितपिण्डस्याप्यग्राह्यत्वे सद्गृहस्थानां शोभनब्राह्मणाद्यगारिणां गृहे भिक्षा न युज्यते यतेः, हि यतः, अनुदरम्भरयो, यत्नं पाकादिविषयं स्वपरार्थं कुर्वते, भिक्षाचरदानासङ्कल्पेन स्वार्थमेव पाकप्रयत्ने सद्गृहस्थत्वभङ्गप्रसङ्गात्, देवतापित्रतिथिभर्तव्यपोषणशेषभोजनस्य गृहस्थधर्मत्व श्रवणात्, न च दानकालात्पूर्वं देयत्वबुद्ध्याऽसङ्कल्पितं दातुं शक्यत इत्यपि द्रष्टव्यम् ।।१४।। - ટીકાર્ય ઃ ननु एवं પસક્ત્, ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે આ રીતે=શ્લોક૧૩માં કહ્યું એ રીતે, સંકલ્પિત પિંડનું પણ અગ્રાહ્યપણું હોતે છતે સગૃહસ્થોના ઘરમાં=શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થોના ઘરમાં, યતિને=સાધુને, ભિક્ષા ઘટે નહિ; દિ=ચત:=જે કારણથી અનામંભરી=અનુદરભરી એવા સગૃહસ્થો સ્વ-પર માટે પાકાદિ વિષયમાં યત્ન કરે છે; કેમ કે ભિક્ષાચરના દાનના અસંકલ્પથી સ્વ અર્થે જ પાપ્રયત્નમાં સગૃહસ્થપણાના ભંગનો પ્રસંગ છે. ―― ૬૯ અહીં પ્રશ્ન થાય કે કોઈ સદ્ગૃહસ્થ પોતાના માટે પાકનો પ્રયત્ન કરે, અને ભિક્ષાચર આવે તો તેને દાન આપે તેમ સ્વીકારીએ, તો સદ્ગૃહસ્થપણાનો ભંગ નહિ થાય અને સાધુને તેમના ઘરેથી અસંકલ્પિત પિંડ પ્રાપ્ત થશે. તેથી બીજો હેતુ કહે છે ***** देवता શ્રવળાત્, દેવતા, પિતા, અતિથિ અને ભર્તવ્યના પોષણ પછી શેષ ભોજનનું ગૃહસ્થધર્મપણું સંભળાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૦. સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૪ વળી પૂર્વપક્ષી સંકલ્પિત પિંડને અગ્રાહ્ય સ્વીકારવામાં આવે તો ભિક્ષા ગ્રહણનો અસંભવ છે. એ પ્રકારનો બીજો દોષ બતાવે છે – નવ .... દ્રવ્યમ્ II અને દાનકાળની પૂર્વે દેયપણાની બુદ્ધિથી અસંકલ્પિત એવો પિંડ આપવા માટે શક્ય નથી, એ પ્રમાણે પણ જાણવું. ૧૪ કાન્વિતપિસ્યાણધિત્વે - અહીં ‘સર’ થી એ સમુચ્ચય થાય છે કે કૃત, કારિત પિંડનું તો અગ્રાહ્યપણું સ્વીકારાય છે, પરંતુ સંકલ્પિત પિંડનું પણ અગ્રાહ્યપણું સ્વીકારાયે છતે સદ્ગૃહસ્થોના ઘરમાં સાધુને ભિક્ષા ઘટશે નહિ. રૂત્ય દ્રવ્યમ્ - અહીં ‘વ’ થી એ સમુચ્ચય થાય છે કે સાધુના અર્થે સંકલ્પ કરીને બનાવાયેલો સંકલ્પિત પિંડ ગ્રહણ કરીએ તો તો સગૃહસ્થોને ત્યાં સાધુને ભિક્ષા ઘટે નહિ, એ તો જાણવું, પરંતુ દાન આપવા પૂર્વે દેવત્વબુદ્ધિથી અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ, એમ કહીએ તો અસંકલ્પિત પિંડ આપવો શક્ય નથી, એ પણ જાણવું. ભાવાર્થ : શ્લોક-૧૩માં, સાધુએ સંયમવૃદ્ધિ અર્થે અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ, એમ બતાવ્યું. ત્યાં કોઈ શંકા કરે છે કે સંકલ્પિત પિંડના બે અર્થ થઈ શકે. (૧) પાક કરતાં પૂર્વે ભિક્ષાચરાદિને આપવાનો સંકલ્પ, (૨) દાન આપતાં પૂર્વે દયત્વબુદ્ધિથી આપવાનો સંકલ્પ. આ બંને વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ પ્રમાણે અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, એમ કહેવામાં આવે તો, શોભન બ્રાહ્મણાદિ અગારીઓના ઘરમાં સાધુને ભિક્ષા ઘટે નહિ; કેમ કે શોભન બ્રાહ્મણાદિ હંમેશાં માત્ર પોતાના ઉદર પૂરતી પાકાદિ પ્રવૃત્તિ કરે નહિ, પરંતુ પોતાના માટે અને ભિક્ષાચરાદિના દાનના સંકલ્પથી પાક કરે છે; કેમ કે દેવતા, પિતા, અતિથિ અને ભર્તવ્યના પોષણ પછી શેષ ભોજન કરવું એ ગૃહસ્થોનો ધર્મ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે ગૃહસ્થો આજીવિકા પૂરતું જ કમાઈ શકે છે, તેમને છોડીને જે ગૃહસ્થો કાંઈક વૈભવવાળા છે, તેમનો ગૃહસ્વધર્મ છે કે પોતાના ઈષ્ટદેવતા અર્થે પાક કરે અને દેવતાને ભોજનનો થાળ અર્પણ કરે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૪ ૭૧ આથી જ શ્રાવકો પણ પોતાના ભોજનનો થાળ ભગવાન આગળ ધરે છે. વળી પોતાના માતા-પિતા અર્થે પણ પાક કરે. વળી અતિથિ=તિથિ-પર્વ વગરના સર્વદા સંયમમાં ઉદ્યમવાળા એવા ત્યાગી માટે પણ પાક કરે ? અને જેમનું ભરણપોષણ પોતાને કરવાનું છે, તેમના અર્થે પણ પાક કરે; અને તે બધાને જમાડીને ત્યારપછી શેષ ભોજન પોતે કરે. તેથી સદ્દગૃહસ્થો પણ ભિક્ષાચરના દાનના સંકલ્પથી પાકમાં પ્રયત્ન કરનારા છે. માટે સાધુને સંકલ્પિત પિંડ કલ્પ નહિ, એમ કહેવામાં આવે તો સગૃહસ્થોના ઘરેથી સાધુને ભિક્ષા કલ્પ નહિ, એમ સ્વીકારવાની આપત્તિ આવે, એમ નનુ થી શંકા કરનાર કહે છે. વળી બીજો વિકલ્પ બતાવતાં કહે છે કે કદાચ કોઈ ગૃહસ્થોએ પોતાના માટે પાક કર્યો હોય, છતાં સાધુ ભિક્ષા અર્થે ઉપસ્થિત થાય ત્યારે દાન આપવાની બુદ્ધિથી દાન આપે, તે પણ પિંડ સાધુ ગ્રહણ કરે તો તે સંકલ્પિત પિંડ કહેવાય; કેમ કે “આ પિંડ સાધુને આપું' એ પ્રકારના સંકલ્પ કર્યા વગર દાન આપી શકાય નહિ. તેથી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ એમ કહેવામાં આવે તો સાધુને ભિક્ષા ગ્રહણનો અસંભવ પ્રાપ્ત થાય.I૧૪ અવતરણિકા - શ્લોક-૧૩માં કહ્યું કે સાધુએ અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે અસંકલ્પિત પિંડનો અર્થ શું કરવો? તેથી બે પ્રકારના વિકલ્પો કરીને પૂર્વપક્ષી કહે છે કે સાધુ માટે સંકલ્પ કરીને પાક કરાયેલો પિંડ સાધુ અકથ્ય છે, એવો અર્થ કરીએ તો સગૃહસ્થોને ત્યાંથી ભિક્ષા ગ્રહણ થાય નહિ, અને દાન આપવા પૂર્વે સાધુને આપવાના સંકલ્પથી કરાયેલ પિંડ સાધુને દુષ્ટ છે, તેમ કહીએ તો સર્વથા ભિક્ષાથી અપ્રાપ્તિ થાય. આ બે પ્રકારના વિકલ્પો શ્લોક-૧૪માં બતાવીને હવે સાધુને દાન આપતી વખતે આપવાના સંકલ્પવાળો પિંડ સાધુને દુષ્ટ નથી, પરંતુ સાધુના ઉદ્દેશથી પાક કરાયેલો પિંડ સાધુને દુષ્ટ છે, એમ કહેવામાં આવે, તો તે વચન અનુચિત છે. તે બતાવવા અર્થે પૂર્વપક્ષી કહે છે – Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સાધુ સામર્થ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૫ Cls : सङ्कल्पभेदविरहो विषयो यावदर्थिकम् । पुण्यार्थिकं च वदता दुष्टमत्र हि दुर्वचः ।।१५।। मन्वयार्थ : अत्र-मटी संल्पित पिंड यति हो। २वी गे' से क्यमां, सङ्कल्पभेदविरहो विषयः-संपEL विवाणो विषय अर्थात् संseel विवाणी पिं३५ विषय यावदर्थिकम् पुण्यार्थिकं च-यावथि सने पुयार्थिपिं3 दुष्टं वदता-हु ना 43 दुर्वच:-हुय छे. ॥१५॥ सोडार्थ : અસંકલ્પિત પિંડ યતિએ ગ્રહણ કરવો જોઈએ' એ વચનમાં સંકલ્પભેદના વિરહવાળો પિંડરૂપ વિષય યાવદર્થિક અને પુણ્યાર્થિકપિંડ દુષ્ટ કહેનારા વડે દુર્વચ છે. II૧પI टीs: सङ्कल्पेति-अत्र हि 'असङ्कल्पितः पिण्डो यतेाह्य' इति वचने हि सङ्कल्पभेदस्य यतिसम्प्रदानकत्वप्रकारदानेच्छात्मकस्य, विरहो दुर्वच:, केनेत्याहयावदर्थिकं यावदर्थिनिमित्तनिष्पादितं पुण्यार्थिकं पुण्यनिमित्तनिष्पादितं च पिण्डं दुष्टं वदता, अन्यथोक्तासङ्कल्पितत्वस्य यावदर्थिकपुण्यार्थिकयोः सत्त्वेन तयोर्ग्राह्यत्वापत्तेः। तदाह - “सङ्कल्पनं विशेषेण यत्रासौ दुष्ट इत्यपि । परिहारो न सम्यक् स्याद्यावदर्थिकवादिनः ।। विषयो वास्य वक्तव्य: पुण्यार्थं प्रकृतस्य च । असम्भवाभिधानात्स्यादाप्तस्यानाप्तताऽन्यथा"।। (अष्टक-६/४-५) इति ।।१५।। टीमार्थ : अत्र हि ..... दुर्वच:, मी संल्पित पिंड यति डा। वो ऽ' में પ્રકારના વચનમાં, યતિસંપ્રદાવકત્વપ્રકારક દાન ઈચ્છા સ્વરૂપ સંકલ્પભેદના Page #97 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ ૭૩ વિરહવાળો વિષય=સંકલ્પભેદના વિરહવાળો પિંડરૂપ વિષય દુર્વચ છે. નેત્યાદ - કોના વડે દુર્વચ છે, એથી કહે છે यावदर्थिकं વવતા, યાવદર્થિક=યાવબધા અર્થી નિમિત્તે વિષ્પાદિત= બનાવાયેલ, પુણ્યાર્થિક-પુણ્ય નિમિત્તે તિપાદિત=બનાવાયેલ, પિંડને દુષ્ટ કહેતા એવા તમારા વડે=જૈન સંપ્રદાય વડે, દુર્વચ છે. ..... अन्यथा . ગ્રાહ્યત્વાપત્તેઃ । આવું ન માનો તો=સંકલ્પવિશેષતા વિરહવાળો પિંડરૂપ વિષય દુર્વચ નથી એમ માનો તો, ઉક્ત અસંકલ્પિતપણાનું= સંકલ્પવિશેષતા વિરહવાળા એવા અસંકલ્પિતપણાનું, યાવદર્થિક અને પુણ્યાર્થિકમાં સત્ત્વ હોવાને કારણે તે બેના-યાવદર્થિક અને પુણ્યાર્થિકના, ગ્રાહ્યપણાની આપત્તિ છે. તવાદ - તેને=શ્લોકમાં જે કહ્યું તેને, અષ્ટક-૬, શ્લોક-૪/૫માં કહે છે - “सङ्कल्पनं યાવાર્થ વિનઃ" || વિશેષથી સંકલ્પ જે પિંડમાં છે, એ પિંડ દુષ્ટ છે, એ પ્રકારનો પણ પરિહાર યાવદર્થિકવાદીને સમ્યગ્ નથી. ***** — “વિષયો अन्यथा” ।। કૃતિ અથવા આનોયાવદર્થિકપિંડનો વિષય કહેવો જોઈએ અને પુણ્યાર્થ પ્રકૃત એવા પિંડનો વિષય કહેવો જોઈએ. અન્યથા યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો વિષય બતાવવામાં ન આવે તો અસંભવનું અભિધાન હોવાને કારણે=વિશેષથી સંકલ્પને દુષ્ટ કહેવાથી તેનાથી સ્વતંત્ર યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો અસંભવ હોવાને કારણે, તેવા અસંભવનું શાસ્ત્રમાં કથન હોવાથી આપ્ત એવા સર્વજ્ઞની અનાપ્તતા થાય. ‘કૃતિ’ શબ્દ અષ્ટક-૬, શ્લોક-૪/૫ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૫।। ભાવાર્થ : સાધુએ અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ, એ પ્રકારના શાસ્ત્રવચનમાં જે પિંડનાં સંકલ્પવિશેષનો વિરહ હોય એ પિંડ અસંકલ્પિત કહેવાય, એવો અર્થ ક૨વામાં આવે અર્થાત્ ‘આ પિંડ નિષ્પાદન કરીને=બનાવીને હું સાધુને આપીશ' એ પ્રકારની દાનની ઈચ્છારૂપ સંકલ્પવિશેષનો વિરહ હોય તે પિંડ સાધુને ગ્રાહ્ય છે, એ પ્રકારનો અર્થ ક૨વામાં આવે, તો તે વચન દુષ્ટ છે, એમ પૂર્વપક્ષી કહે છે; અને તેમાં યુક્તિ આપે છે કે જૈનસંપ્રદાયવાળા યાવદર્થિક અને Page #98 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ પુણ્યાર્થિકપિંડને દુષ્ટ કહે છે અર્થાત્ જે કોઈ અર્થી નિમિત્તે પિંડ નિષ્પાદન કરાયેલ હોય કે પુણ્ય નિમિત્તે પિંડ નિષ્પાદન કરાયેલ હોય, તે પિંડ સાધુને દુષ્ટ છે એમ કહે છે. તેથી અર્થથી યાવદર્થિક અને પુણ્યાર્થિકપિંડના નિષેધથી સંકલ્પ-વિશેષવાળા પિંડનો નિષેધ થઈ જાય છે. તેથી યાવદર્થિકપિંડને અને પુણ્યાર્થિકપિંડને ભગવાનના વચનાનુસાર જે લોકો અગ્રાહ્ય સ્વીકારે છે, તેમણે સંકલ્પવિશેષ વગરનો પિંડ સાધુએ ગ્રહણ ક૨વો જોઈએ, એ કહેવાનો કોઈ અર્થ નથી; કેમ કે યાવદર્થિકપિંડના અને પુણ્યાર્થિકપિંડના નિષેધમાં સર્વ અર્થીનો નિષેધ થઈ જાય છે, તેથી તેમાં સાધુ અર્થે કરાયેલા પિંડનો પણ નિષેધ થઈ જાય છે. માટે સામાન્યથી નિષેધ કર્યા પછી ફરી વિશેષથી કહ્યું કે ‘સાધુના અર્થે સંકલ્પ કરાયેલો પિંડ સાધુને કલ્પે નહિ એ કથન અર્થ વગરનું છે,’ માટે દુર્વચ છે. ૭૪ તેની પુષ્ટિ કરતાં યુક્તિ આપે છે કે જો એવું ન માનો અર્થાત્ સંકલ્પવિશેષના વિરહવાળો પિંડ સાધુને અગ્રાહ્ય છે એ વચન દુષ્ટ નથી એમ માનો તો, તેવા સંકલ્પવિશેષનો વિરહ યાવદર્થિકપિંડમાં અને પુછ્યાર્થિકપિંડમાં છે અર્થાત્ સાધુ માટે જે કરાયેલો પિંડ હોય તે સાધુને ન કલ્પે એટલો જ અર્થ સ્વીકારીએ તો, યાવદર્થિકપિંડ કે પુણ્યાર્થિકપિંડ સાધુ માટે કરાયેલો નથી, તેમ સ્વીકારવું પડે. અને તેમ સ્વીકારો તો સંકલ્પવિશેષના વિરહવાળો એવો યાવદર્થિકપિંડ અને ક્યાર્થિકપિંડ સાધુને ગ્રાહ્ય છે, તેમ સ્વીકારવું પડે. વસ્તુતઃ શાસ્ત્રકારોએ યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ કર્યો છે. તેથી અર્થથી સાધુને આપવાના સંકલ્પથી કરાયેલો પિંડ સાધુને અગ્રાહ્ય છે, તેની પ્રાપ્તિ થઈ જાય છે. આમ છતાં યાવદર્થિકપિંડનો અને પુષ્પાર્થિકપિંડનો નિષેધ કર્યો, પછી ફરી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, તેમ કહેવું, એ અર્થ વગરનું છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. સારાંશ ઃ સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી નિષેધ કર્યા પછી વિશેષથી નિષેધની આવશ્યકતા રહેતી નથી. જેમ ‘અહીં કોઈ વૃક્ષ નથી' એમ સામાન્યથી નિષેધ કર્યા પછી ‘અહીં આંબાનું વૃક્ષ નથી' એમ કહેવાની જરૂર રહેતી નથી. તે રીતે યાવદર્થિકપિંડ Page #99 -------------------------------------------------------------------------- ________________ છપ સાધુસામગ્ગદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અને પુણ્યાર્થિકપિંડ સાધુને અગ્રાહ્ય છે, એમ કહ્યા પછી અસંકલ્પિત પિંડ સાધુને ગ્રહણ કરવો જોઈએ, એમ કહેવાની આવશ્યકતા રહેતી નથી; અને એમ કહેવામાં આવે કે યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં સાધુ માટે સંકલ્પ કરાયેલો પિંડ અંતર્ભાવ પામતો નથી, માટે તેનો નિષેધ કરવો આવશ્યક છે, તો યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં સાધુના સંકલ્પથી કરાયેલો પિંડ નથી, તેવો અર્થ સ્વીકારવો પડે; અને સાધુને સાધુના અર્થે સંકલ્પ કરાયેલો પિંડ અગ્રાહ્ય છે, તેમ સ્વીકારીએ તો, યાવદર્થિકપિંડ અને પુણ્યાર્થિકપિંડ સાધુને ગ્રાહ્ય છે, એમ સ્વીકારવાની આપત્તિ આવે; અને શાસ્ત્રમાં તો યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ છે, આમ છતાં ફરી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, એમ કહેવું, તે વચન દુષ્ટ છે. અષ્ટક-૬, શ્લોક-૪-પના ઉદ્ધરણનો ભાવ આ પ્રમાણે છે - પૂર્વપક્ષી કહે છે કે જેનો યાવદર્થિકવાદી છે અર્થાત્ યાવદર્થિકપિંડ સાધુને ગ્રહણ કરાય નહિ, તેમ માને છે. તેથી વિશેષથી સંકલ્પ જે પિંડમાં હોય તે પિંડ સાધુને દુષ્ટ છે અર્થાત્ સાધુને આપવાના સંકલ્પથી જે પિંડ કરાયો હોય તે પિંડ દુષ્ટ છે, એ પ્રકારના સંકલ્પવિશેષના વિરહવાળો પિંડ સાધુને ગ્રહણ કરવો જોઈએ, એ પ્રકારના વચનનું સમાધાન કરવું, એ સમ્યગૂ નથી; કેમ કે યાવદર્થિકપિંડમાં સાધુ અર્થે પિંડનો નિષેધ થઈ જાય છે, તેથી ફરી તેનું કથન કરવું એ અર્થ વગરનું છે; અને જો એમ કહેવામાં આવે કે યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં સાધુ અર્થે કરાયેલા પિંડના સમાવેશ થતો નથી, તેથી સાધુ અર્થે કરાયેલા પિંડનો નિષેધ કરવો આવશ્યક છે, તો સાધુ અર્થે કરાયેલા પિંડનો સમાવેશ ન થાય તેવો યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો વિષય બતાવવો જોઈએ, અને તે બતાવી શકાતો નથી; કેમ કે યાવદર્થિકપિંડમાં કે પુણ્યાર્થિકપિંડમાં સાધુને આપવાનો પણ સંકલ્પ આવી જાય છે. તેથી સાધુના સંકલ્પ વગરનો યાવદર્થિક પિડ કે પુણ્યાર્થિકપિંડ સ્વતંત્ર પ્રાપ્ત થતો નથી. તેથી તેનો વિષય કહી શકાય નહિ; અને જેનો કોઈ વિષય નથી, એવા યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ કરનાર ભગવાનનું વચન અસંભવ વિષયને કહેનારું છે, તેમ સ્વીકારવું પડે; અને તેમ સ્વીકારીએ તો આપ્ત એવા ભગવાન Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સાધુ સામર્થ્યદ્રાસિંશિકા/શ્લોક-૧૬ અનાપ્ત છે, તેમ સિદ્ધ થાય. આ પ્રમાણે કહીને પૂર્વપક્ષીએ એ સ્થાપન કરવું છે કે ભગવાનના શાસ્ત્રમાં યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ છે. માટે તેનાથી પૃથક્ અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, એમ કહેવાની આવશ્યકતા નથી. આમ છતાં એમ કહેવામાં આવે તો તે વચન દુષ્ટ વચન છે. ll૧પા અવતરણિકા - શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહેલું કે અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડ ગ્રહણ કરતા સાધુને સંયમના સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે સંકલ્પિત પિંડ સાધુને અગ્રાહ્ય સ્વીકારવામાં આવે તો શું શું દોષો પ્રાપ્ત થાય, તે પૂર્વપક્ષીએ શ્લોક-૧૪/૧૫માં બતાવેલ. તેનું સમાધાન શ્લોક૧૬/૧૭થી ગ્રંથકારશ્રી કરે છે – શ્લોક : उच्यते विषयोऽत्रायं भिन्ने देये स्वभोग्यतः । सङ्कल्पनं क्रियाकाले दुष्टं पुष्टमियत्तया ।।१६।। અન્વયાર્થ - : =અહીંનયાવદકિપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં ઉલય વિષયક=આ વિષય ઉચ્ચત્તે કહેવાય છે. મોતિ=સ્વભોગ્ય ઓદનાદિથી મિત્ર =ભિન્ન એવા દેયમાં ક્રિયાને ક્રિયાકાળમાં રૂત્તયા=આટલી મર્યાદાથી અર્થાત્ આટલું કુટુંબ માટે અને આટલું અર્થીઓ માટે અને પુણ્ય માટે, એ પ્રકારની વિષયમર્યાદાથી પુષ્ટપુષ્ટ=સંવલિત સત્પન–સંકલ્પ કુર=દુષ્ટ છે. ૧૬ શ્લોકાર્ચ - અહીંયાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં, આ વિષય કહેવાય છે. સ્વભોગ્ય ઓદનાદિથી ભિન્ન એવા દેયમાં ક્રિયાકાળમાં, આટલું કુટુંબ માટે અને આટલું અર્થીઓ માટે અને પુણ્ય માટે, એ પ્રકારની વિષયમર્યાદાથી સંવલિત સંકલ્પ દુષ્ટ છે. ||૧૧| Page #101 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ ટીકા ઃ उच्यत इति - अत्रायं विषय उच्यते, यदुत क्रियाकाले = पाकनिवर्तनसमये, સ્વમોવા આત્મીયમોનાર્રાત્, ઓવનાનેમિંન્ને=તિરિ, મેથે=ઓનાવો, રૂચત્તવા 'एतावदिह कुटुम्बाय एतावच्चार्थिभ्यः पुण्यार्थं च' इति विषयतया, पुष्टं संवलितं, सङ्कल्पनं दुष्टम् । तदाह - “विभिन्नं देयमाश्रित्य स्वभोग्याद्यत्र वस्तुनि । સજ્જન યિાળાને તદ્દષ્ટ વિષયોઽનયોઃ" ।। (ગષ્ટ-૬/૬) ।।૬।। ટીકાર્ય : અત્રીયં ..... ઉચ્યતે, અહીં=યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં, આ વિષય કહેવાયેલ છે. શ્લોક : તે વિષય યવ્રુત્ત થી કહે છે ચદ્ભુત - જે આ પ્રમાણે क्रियाकाले દુષ્ટમ્ । ક્રિયાકાળમાં=પાકતિવર્તનના સમયમાં, સ્વભોગ્યથી= પોતાને ભોગ્ય એવા ઓદનાદિથી, ભિન્ન=અતિરિક્ત, દેયમાં=ઓદનાદિમાં, આટલાપણાથી પુષ્ટ=આટલું અહીં કુટુંબ માટે અને આટલું અર્થી માટે અને પુણ્ય માટે એ પ્રકારે વિષયપણાથી સંવલિત, સંકલ્પ દુષ્ટ છે. તવાદ - તેને કહે છે=શ્લોકમાં કહ્યું તેને, અષ્ટક-૬/૬માં કહે છે “વિભિન્ન ઞનોઃ” ।। જે વસ્તુમાં સ્વભોગ્યથી ભિન્ન એવા દેયને આશ્રયીને ક્રિયાકાળમાં=પાકનિવર્તન સમયમાં, જે આ સંકલ્પ=આટલું કુટુંબ માટે અને આટલું અર્થીઓને અને પુણ્યને માટે એ પ્રકારનું અભિસંધાન આ બેનું=યાવદર્થિકપિંડનું અને પુણ્યાર્થિકપિંડનું, છે તે દુષ્ટ=દોષવાળો વિષય છે. ।।૧૬।। ..... स्वोचिते तु तदारम्भे निष्ठिते नाविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्या द्वयोर्ग्रहात् ।। १७ ।। KH Page #102 -------------------------------------------------------------------------- ________________ ७८ સાધુસામàદ્વાચિંશિકા/શ્લોક-૧૭ अन्वयार्थ : तु=4जी स्वोचिते आरम्भे=4Gयित सालमi=प्रायलमi, निष्ठिते= પાકપ્રયત્નની સમાપ્તિમાં તત=સ્વભોગ્યથી અતિરિક્ત પાકશૂન્યપણારૂપ संय, अविशुद्धिमत् नमविशुद्धिवाणी नथी; तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्यां द्वयोर्ग्रहात्-3 3 तार्थ वृति-GAL EN=साधु सर्थ साधा३५ ति અને ચરમપાકરૂપ નિષ્ઠા દ્વારા, ચતુર્ભગીમાં બે ભાંગાનું ગ્રહણ છે=બે ભાંગાનું શુદ્ધપણારૂપે કથન છે. I૧૭ા Reोsार्थ : વળી સ્વઉચિત પાકપ્રયત્નમાં અને પાકપ્રયત્નની સમાપ્તિમાં, તે સ્વભોગ્યથી અતિરિક્ત પાકશૂન્યપણારૂપે સંકલ્પ અવિશુદ્ધિવાળો નથી; કેમ કે સાધુ અર્થે આધપાકરૂપ કૃતિ અને ચરમપાકરૂપ નિષ્ઠા દ્વારા ચતુર્ભગીમાં બે ભાંગાનું શુદ્ધપણારૂપે કથન છે. II૧૭ના टी। : स्वोचिते त्विति-स्वोचिते तु-स्वशरीरकुटुम्बादेयोग्ये तु, आरम्भे-पाकप्रयत्ने, निष्ठिते-चरमेन्धनप्रक्षेपेणौदनसिद्ध्युपहिते, तत्-स्वभोग्यातिरिक्तपाकशून्यतया सङ्कल्पनं स्वार्थमुपकल्पितमन्नमितो मुनीनामुचितेन दानेनात्मानं कृतार्थयिष्यामि इत्याकारं, नाविशुद्धिमत्=न दोषान्वितं, तदर्थं साध्वर्थं, कृतिराद्यपाकः, निष्ठा च चरम: पाकः, ताभ्यां निष्पत्रायां चतुर्भङ्ग्यां तदर्थं कृतिस्तदर्थं निष्ठा, अन्यार्थं कृतिस्तदर्थं निष्ठा, तदर्थं कृतिरन्यार्थं निष्ठा, अन्यार्थं कृतिरन्यार्थं च निष्ठा, इत्येवंरूपायां द्वयोर्भङ्गयोर्ग्रहाच्छुद्धत्वेनोपादानात् । तदुक्तं - “तस्स कडं तस्स निट्ठीयं चउभंगो तत्थ दु चरिमा सुद्धा"। यदि च साध्वर्थं पृथिव्याद्यारम्भाऽप्रयोजकशुभसङ्कल्पनमपि गृहिणो दुष्टं स्यात्तदा साधुवन्दनादियोगोऽपि तथा स्यादिति न किञ्चिदेतत् । तदिदमुक्तम् - “स्वोचिते तु यदारम्भे तथासंकल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात्तच्छुद्धापरयोगवत्" ।। (अष्टक-६/७) ।।१७।। Page #103 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ ટીકાર્ય ઃ स्वोचिते ન યોષાન્વિતમ્, વળી સ્વઉચિત આરંભમાં=સ્વશરીર, કુટુંબાદિ યોગ્ય પાકપ્રયત્નમાં, નિષ્ઠિતમાં=ચરમ ઈંધન પ્રક્ષેપ દ્વારા ઓદનની સિદ્ધિથી ઉપહિત એવા ચરમ પાકમાં, તે=સ્વ ભોગ્યથી અતિરિક્ત પાકશૂન્યપણારૂપે સંકલ્પ=‘પોતાના માટે ઉપકલ્પિત અન્ન છે એનાથી મુનિઓને ઉચિત દાન વડે હું પોતાને કૃતાર્થ કરીશ,' એ પ્રકારના આકારવાળો સંકલ્પ, અવિશુદ્ધિવાળો નથી દોષાન્વિત નથી. ..... દોષાન્વિત નથી, તેમાં હેતુ કહે છે तदर्थं ઉપાવાનાત્ |તદર્થ=સાધુ અર્થે કૃતિ=આદ્ય પાક અને નિષ્ઠા=ચરમ પાક, તેના દ્વારા નિષ્પન્ન એવી ચતુર્થંગીમાં=(૧) તદર્થ=સાધુ અર્થે કૃતિ, તદર્થ=સાધુ અર્થે નિષ્ઠા, (૨) અત્યાર્થ=સ્વકુટુંબાદિ અર્થે કૃતિ, તદર્થ=સાધુ અર્થે નિષ્ઠા, (૩) તદર્થ-સાધુ અર્થે કૃતિ, અત્યાર્થ=સ્વકુટુંબાદિ અર્થે નિષ્ઠા અને (૪) અત્યાર્થ=સ્વકુટુંબાદિ અર્થે કૃતિ, અત્યાર્થ=સ્વકુટુંબાદિ અર્થે નિષ્ઠા, એ રૂપ ચતુર્થંગીમાં, બે ભાંગાનું ગ્રહણ હોવાથી=શુદ્ધપણારૂપે ઉપાદાન અર્થાત્ કથત હોવાથી દોષાન્વિત નથી. ..... ge તવ્રુત્તમ્ - તે=ચાર ભાંગામાંથી બે ભાંગા શુદ્ધ છે, એમ જે પૂર્વમાં કહ્યું તે, કહેવાયું છે. તસ્સ સુદ્ધા” । તેના માટે કૃત અને તેના માટે નિષ્ઠિતની ચતુર્થંગી છે તેમાં અર્થાત્ સાધુ માટે કૃત અને સાધુ માટે નિષ્ઠિતની ચતુર્થંગી છે તેમાં બે છેલ્લા ભાંગા શુદ્ધ છે. પૂર્વમાં કહ્યું કે સ્વભોગ્યથી અતિરિક્ત પાકશૂન્યપણારૂપે સંકલ્પ દુષ્ટ નથી, તેની પુષ્ટિ ક૨વા અર્થે વિ 7 થી તર્ક કરે છે ટીકાર્થ ઃ यदिच િિગ્વવેતત્ ।અને જો સાધુ અર્થે પૃથિવ્યાદિ આરંભનો અપ્રયોજક શુભ સંકલ્પ પણ ગૃહસ્થને દુષ્ટ થાય તો સાધુવંદનાદિ યોગ પણ=સાધુવંદનાદિ ક્રિયા પણ, તે પ્રમાણે થાય=દુષ્ટ થાય. એથી આ=સ્વભોગ્યથી અતિરિક્ત પાકશૂન્યપણારૂપે કરાયેલો સંકલ્પ પણ દુષ્ટ છે એ, અર્થ વગરનું છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૦. સાધુ સામર્થ્યાત્રિશિકા/શ્લોક-૧૭ તમુવતમ્ - તે આ કહેવાયું છે=પૂર્વમાં ઃ ર થી કરેલ તર્કથી સાધુ અર્થે પૃથિવ્યાદિ આરંભનો અપ્રયોજક એવો શુભ સંકલ્પ દુષ્ટ નથી, તેમ સ્થાપન કર્યું, તે આ અષ્ટક-૬/૭ શ્લોકમાં કહેવાયું છે – વોચિત ... કપરોવત|| વળી સ્વઉચિત એવા કોઈક આરંભમાં જે તે પ્રકારનો સંકલ્પ–સ્વભોગ્યથી અતિરિક્ત પાકશૂન્યપણારૂપે કરાયેલો સંકલ્પ, તે દુષ્ટ=ોષવાળો નથી; કેમ કે શુદ્ધ અપરયોગની જેમ=પ્રશસ્ત અપર મુનિવંદનાદિ યોગની જેમ, શુભભાવપણું છે. ll૧૭ના pfથવ્યધરHપ્રયોગ9THસત્પન-પિ - અહીં ૩પ થી એ સમુચ્ચય થાય છે કે સાધુ અર્થે પૃથિવ્યાદિ આરંભ પ્રયોજક અશુભ સંકલ્પ તો દુષ્ટ થાય, પરંતુ પૃથિવ્યાદિ આરંભ અપ્રયોજક એવો શુભ સંકલ્પ પણ જો દુષ્ટ હોય તો સાધુવંદનાદિ યોગ પણ દુષ્ટ થાય. - સાધુવન્દ્રનાઢિયો ડપિ - અહીં પ થી એ કહેવું છે કે સાધુ અર્થે લાવેલો અભ્યાહત પિંડ તો દુષ્ટ છે, પરંતુ સાધુવંદનાદિ યોગ પણ દુષ્ટ થાય. શ્લોક-૧૬/૧૭નો સળંગ ભાવાર્થ - શ્લોક-૧૬માં યાવદર્થિક અને પુણ્યાર્થિક કરાતા પિંડનો વિષય શું છે, તે ગ્રંથકારશ્રીએ બતાવ્યું અને તેવો પિંડ સાધુને દુષ્ટ છે તેમ બતાવ્યું. તેથી એ ફલિત થયું કે કોઈ શ્રાવક યાવત્ અર્થી માટે કે પુણ્ય માટે સંકલ્પ કરીને પિંડની નિષ્પત્તિ કરે તે પિંડ સાધુને કહ્યું નહિ; કેમ કે યાવદર્થિકપિંડમાં કે પુણ્યાર્થિકપિંડમાં સાધુનો પણ પ્રવેશ થાય. તેથી તેવો પિંડ સાધુને કહ્યું નહિ. શ્લોક-૧૭માં બતાવ્યું કે કોઈ શ્રાવક પોતાના શરીર માટે કે કુટુંબ માટે પાક કરે અને તે પાક કર્યા પછી પોતાના માટે કરાયેલા પાકમાંથી ‘હું સાધુની ભક્તિ કરીને કૃતાર્થ થઉં' એવા આશયથી આપવાનો સંકલ્પ કરે તો તે પિંડ સાધુને દુષ્ટ નથી. તેથી એ ફલિત થાય કે અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ. એ કથનથી સાધુને માટે જે પાક કરાયેલો ન હોય, પરંતુ પોતાના માટે જે પાક કરાયેલો હોય, તે પાક કર્યા પછી સાધુની ભક્તિ કરવાના આશયથી કોઈ આપવાનો સંકલ્પ કરે તો તે પિંડ સાધુને માટે દુષ્ટ નથી. માટે પૂર્વપક્ષીએ જે શંકા કરી કે “અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ' તેમ સ્વીકારીએ Page #105 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્ગદ્વાચિંશિકા/બ્લોક-૧૭ ૮૧ તો શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થોના ઘરમાં સાધુને ભિક્ષા કલ્પ નહિ, તેનું સમાધાન થઈ જાય છે, કેમ કે જો તે શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થો યાવદર્થિક કે પુણ્યાર્થિકપિંડ બનાવતા હોય તો તે સાધુને કહ્યું નહિ, અને જો તે શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થો પોતાના માટે પાક કર્યા પછી “હું આ પાકમાંથી સાધુની ભક્તિ કરીને કૃતાર્થ થાઉં એ આશયથી સાધુને આપવાનો સંકલ્પ કરે તો તેવો સંકલ્પ દુષ્ટ નથી, અને તે રીતે સંકલ્પ કરાયેલો પિંડ શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થોના ઘરથી સાધુને ગ્રહણ કરવા કહ્યું છે. વળી શ્લોક-૧૪માં પૂર્વપક્ષીએ કહેલ કે દાનકાળથી પૂર્વમાં દેવત્વબુદ્ધિથી અસંકલ્પિત એવા પિંડનું દાન અશક્ય છે. માટે અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, એ કથન સંગત નથી, તેનું પણ સમાધાન થઈ જાય છે, કેમ કે પોતાના માટે કરાયેલો પિંડ દાનકાળ પૂર્વમાં સાધુને આપવાનો સંકલ્પ કરે તે સંકલ્પને શાસ્ત્રકારો દુષ્ટ કહેતા નથી, એમ શ્લોક-૧૭માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું છે. વળી શ્લોક-૧૫માં પૂર્વપક્ષીએ કહેલ કે યાવદર્થિકપિંડ અને પુણ્યાર્થિકપિંડને દુષ્ટ કહેનારા જૈનો વડે અસંકલ્પિત પિંડ યતિએ ગ્રહણ કરવો જોઈએ, એ વચન દુર્વચ છે, તેનું પણ નિરાકરણ થઈ જાય છે; કેમ કે યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ શું છે, તે ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૬માં બતાવ્યું. વળી અસંકલ્પિત પિંડ યતિએ ગ્રહણ કરવો જોઈએ, એ કથન દ્વારા શું કહેવા માંગે છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧૭માં કર્યું કે ગૃહસ્થોએ પોતાના માટે પિંડ કરેલ હોય અને સાધુને દાન આપવાનો સંકલ્પ કરે તો તે સંકલ્પ અવિશુદ્ધિવાળો નથી. તે સિવાય અન્ય કોઈપણ સંકલ્પ કરે તો તે સંકલ્પ દુષ્ટ છે. તે બતાવવા માટે યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ કર્યા પછી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, તેમ કથન કરેલ છે, તેથી કોઈ દોષ નથી. વળી શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે તદર્થકૃતિ અને તદર્થનિષ્ઠાની ચતુર્ભગીમાં બે ભાંગા શુદ્ધ છે, તેનું તાત્પર્ય એ છે કે – (૧) સાધુ અર્થે કૃતિ અને સાધુ અર્થે નિષ્ઠા :સાધુ અર્થે પાકનો આરંભ હોય અને સાધુ અર્થે નિષ્ઠા હોય તે પિંડ સાધુને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સાધુસામગ્ગદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અકથ્ય છે. આનાથી પોતાના કુટુંબ માટે અને સાધુ માટે પ્રારંભ કર્યો હોય અને પોતાના કુટુંબને અને સાધુને સામે રાખીને પૂર્ણાહુતિ થઈ હોય તો તે પિંડ સાધુને કહ્યું નહિ. (૨) સ્વકુટુંબાદિ અર્થે કૃતિ અને સાધુ અર્થે નિષ્ઠા : સ્વકુટુંબાદિ અર્થે પાકનો આરંભ હોય અને સાધુ અર્થે નિષ્ઠા હોય તો તે પિંડ પણ સાધુને કહ્યું નહિ અર્થાત્ પોતાના કુટુંબ માટે અને પોતાને ત્યાં મહેમાન આવવાના હોય તે માટે પાકક્રિયાનો પ્રારંભ કર્યો હોય, અને કોઈક રીતે મહેમાનનું આગમન મુલતવી રહ્યું હોય ત્યારે તે ગૃહસ્થ વિચારે કે જે રસોઈ થશે તેમાંથી સાધુનો લાભ મળશે, તો તે પિંડ અન્યાર્થકૃતિવાળો અને સાધુ અર્થે નિષ્ઠાવાળો છે, તેથી તે પિંડ સાધુને કહ્યું નહિ. (૩) સાધુ અર્થે કૃતિ અને સ્વકુટુંબાદિ અર્થે નિષ્ઠા:કોઈ ગૃહસ્થ પોતાના માટે અને સાધુ માટે પાકક્રિયાનો આરંભ કરે, અને સાધુ આવવાના નથી તેવા સમાચાર મળવાથી પોતાના કોઈ અન્ય કુટુંબી આદિને ભોજન માટે આમંત્રણ આપીશું, તેવો સંકલ્પ કરીને, પોતાના કુટુંબી અર્થે પાકની નિષ્ઠા કરે, તો તે પિંડ સાધુ અર્થે પ્રારંભ કરાયેલો અને અન્યાર્થ નિષ્ઠાવાળો છે. તેથી અન્યાર્થ પિંડની નિષ્ઠા હોવાને કારણે કોઈ સાધુ વ્હોરવા પધારે અને જણાય કે આ પિંડની અન્યાર્થે નિષ્ઠા છે તો તે પિંડ સાધુને ગ્રહણ કરવો દુષ્ટ નથી. (૪) સ્વકુટુંબાદિ અર્થે કૃતિ અને સ્વકુટુંબાદિ અર્થે નિષ્ઠા: સાધુથી અન્ય એવા સ્વજનાદિ અર્થે પાકની ક્રિયાનો પ્રારંભ કર્યો હોય અને સ્વજનાદિ અર્થે જ પાકની ક્રિયાની નિષ્ઠા થઈ હોય તો નિષ્પન્ન થયેલ તે પિંડ સાધુને નિર્દોષ હોવાથી ગ્રહણ કરવો દુષ્ટ નથી. વળી પૂર્વપક્ષીએ શ્લોક-૧૪માં કહેલ કે દાનકાળ પૂર્વે દયત્વબુદ્ધિ કર્યા વગર આપવું અશક્ય છે, તેથી અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ શક્ય નથી. તેનું નિરાકરણ કરવા અર્થે તર્ક કરે છે – જો સાધુ માટે પૃથિવ્યાદિ આરંભનો અપ્રયોજક એવો શુભ સંકલ્પ પણ ગૃહસ્થને દુષ્ટ હોય તો સાધુવંદનાદિ યોગ પણ દુષ્ટ થાય. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સાધુસામથ્યાત્રિશિકા/શ્લોક-૧૮ આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ શ્રાવક પોતાના અર્થે કે સ્વકુટુંબાદિ અર્થે પાક નિષ્પાદન કર્યા પછી “હું સાધુને અર્થે દાન કરીને કૃતાર્થ થઉં” આવો જે સંકલ્પ કરે છે, તે સંકલ્પમાં સાધુ અર્થે પૃથિવ્યાદિનો આરંભ નથી, પરંતુ સાધુની ભક્તિ કરીને પોતાના કલ્યાણની વાંછારૂપ શુભ સંકલ્પ છે; અને આવો પણ શુભ સંકલ્પ ગૃહસ્થનો દુષ્ટ છે, માટે તે પિંડ સાધુને કહ્યું નહિ એમ કહેવામાં આવે તો ગૃહસ્થ સાધુને વંદનાદિ કરે તે પણ દુષ્ટ છે, તેમ સ્વીકારવું પડે; કેમ કે કેમ તે પિંડદાનમાં સાધુની ભક્તિ કરીને હું કૃતાર્થ થાઉં તેવો સંકલ્પ છે, તેમ સાધુવંદનાદિ ક્રિયામાં પણ હું આ મહાત્માને વંદન કરીને કૃતાર્થ થાઉં તેવો શુભ સંકલ્પ છે. તેથી જેમ શ્રાવકને સાધુવંદનાદિ યોગ દુષ્ટ નથી, તેમ પોતાના માટે કરાયેલા આહારાદિનું દાન સાધુને કરીને હું કૃતાર્થ થઉં, એ પ્રકારનો સંકલ્પ પણ દુષ્ટ નથી. માટે તેવા સંકલ્પવાળો પિંડ સાધુને ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. II૧૬/૧ળા અવતરણિકા : શ્લોક-૧૩માં કહ્યું કે અકૃત, અકારિત, અસંકલ્પિત પિંડને ગ્રહણ કરતા સાધુ સામર્થ્યને પામે છે. ત્યારપછી સંકલ્પિત પિંડ સાધુને અગ્રાહ્ય સ્વીકારશો તો સાધુને પિંડની અપ્રાપ્તિ થશે, એ પ્રકારની શંકા શ્લોક-૧૪/૧૫માં કરીને તેનું નિરાકરણ શ્લોક-૧૬/૧૭માં કર્યું. હવે સાધુને અસંકલ્પિત પિંડ ગ્રાહ્ય સ્વીકારીએ તો પ્રાયઃ સાધુને ભિક્ષા દુર્લભ થશે, અને આવો દુર્લભ ધર્મ બતાવનાર ભગવાન અનાપ્ત છે, તેવી કોઈને શંકા થાય તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : प्राय एवमलाभः स्यादिति चेद् बहुधाऽप्ययम् । सम्भवीत्यत एवोक्तो यतिधर्मोऽतिदुष्करः ।।१८।। અન્વયાર્થ - (૧) આ રીતે=સાધુએ અસંકલ્પિત જ પિંડ ગ્રહણ કરવો જોઈએ એ રીતે પ્રાયઃ=પ્રાયઃ ૩ત્તામા=અલાભ થાય=શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે - સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ વહુધાઽપિ=ઘણા પ્રકારે પણ=સંકલ્પિતથી અતિરિક્ત ઘણા પ્રકારે પણ, લય= આ=અલાભ સમ્ભવી=સંભવી છે. રૂતિ ચે—એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે રૂત્યંત વ=આથી જ=નિર્દોષ પિંડનો ઘણા પ્રકારે પણ અલાભ સંભવી છે આથી જ, તિધર્મો=યતિધર્મ પ્રતિવુ=અતિદુષ્કર ઉત્ત:=કહેવાયેલ છે. અથવા શ્લોકનો અન્વય ગ્રંથકારશ્રી બીજી રીતે કરે છે અન્વયાર્થ : (૨) વ=આ રીતે=સાધુએ અસંકલ્પિત જ પિંડ ગ્રહણ કરવો જોઈએ એ રીતે પ્રાયઃ=પ્રાયઃ ગામ: સ્થા=અલાભ થાય=અસંકલ્પિત પિંડની અપ્રાપ્તિ થાય. કૃતિ શ્વેતુ=એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે - વદુધાડપિ=ઘણા પ્રકારે પણ યમ્ આ=અસંકલ્પિત પિંડનો લાભ સમ્ભવી=સંભવે છે. - ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે તોપણ સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ દુષ્કર હોવાથી તેના પ્રણેતા એવા ભગવાન અનાપ્ત સિદ્ધ થશે. તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે - નૃત્યત વ=આથી જ=સાધુની ભિક્ષાવૃત્તિ દુષ્કર હોવાથી જ, યતિધર્મો યતિધર્મ તિવ્રુર=અતિદુષ્કર ઉત્ત=કહેવાયેલ છે. ૧૮। શ્લોકાર્થ : (૧) સાધુએ અસંકલ્પિત જ પિંડ ગ્રહણ કરવો જોઈએ, એ રીતે પ્રાયઃ શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે તો ઘણા પ્રકારે પણ અલાભ સંભવી છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, ગ્રંથકારશ્રી કહે છે નિર્દોષ પિંડનો ઘણા પ્રકારે પણ અલાભ સંભવી છે, આથી જ યતિધર્મ અતિદુષ્કર કહેવાયેલ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ સાધુસમસ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૮ - અથવા બીજી રીતે શ્લોકાર્ચ - (૨) સાધુએ અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ, એ રીતે પ્રાયઃ અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ થાય, તેને ગ્રંથકારશ્રી કહે છે – ઘણા પ્રકારે પણ અસંકલ્પિત પિંડનો લાભ સંભવે છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે તોપણ સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ દુષ્કર હોવાથી તેના પ્રણેતા એવા ભગવાન અનાપ્ત સિદ્ધ થશે. તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે –– આથી જ=સાધુની ભિક્ષાવૃતિ દુષ્કર હોવાથી જ, યતિધર્મ અતિદુષ્કર કહેવાયેલ છે. ટીકા - प्रायः इति-एवमसङ्कल्पितस्यैव पिण्डस्य ग्राह्यत्वे, प्रायोऽलाभ: स्यात् शुद्धपिण्डाप्राप्तिः स्याद्, इति चेत्, बहुधापि सङ्कल्पातिरिक्तैर्बहुभिरपि प्रकारैः शङ्कितम्रक्षितादिभिरयमलाभः सम्भवी, अथवा एवं प्रायोऽसङ्कल्पितस्यालाभ: स्यादिति चेद्, बहुधाऽप्ययमसङ्कल्पितस्य लाभः सम्भवी, अदित्सूनां भिक्षूणामभावेऽपि च बहूनां पाकस्योपलब्धेः, तथापि तद्वृत्तेर्दुष्करत्वात्तत्प्रणेतुरनाप्तता स्यादित्यत आह- इत्यत एव यतिधर्मो मूलोत्तरगुणसमुदायरूपोऽतिदुष्कर उक्तः, अतिदुर्लभं मोक्षं प्रति अतिदुष्करस्यैव धर्मस्य हेतुत्वात्, कार्यानुरूपकारणवचनेनैवाप्तत्वसिद्धेः ।।१८।। ટીકાર્ચ - વિમ્ ..... સન્મવી, આ રીતે શ્લોક-૧૩માં કહ્યું એ રીતે, અસંકલ્પિત જ પિંડનું ગ્રાહ્યપણું હોતે છતે પ્રાયઃ અલાભ થાય=શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય=સાધુને નિર્દોષ ભિક્ષાની અપ્રાપ્તિ થાય, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. વળી પૂર્વપક્ષી પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે કહે છે – ઘણા પ્રકારે પણ=સંકલ્પિત પિંડથી અતિરિક્ત શંકિત પ્રષિતાદિ ઘણા પ્રકારે પણ, આ=શુદ્ધ પિંડનો અલાભ, સંભવે છે, એથી પ્રાયઃ શુદ્ધ પિંડ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૧૮ સાધુને અપ્રાપ્ત થશે, એમ પૂર્વપક્ષીના પૂર્વના કથન સાથે સંબંધ છે. વળી શ્લોકના આટલા ભાગનો અવય થવાથી બીજી રીતે ગ્રંથકારશ્રી કરે છે – અથવા . ૩પત્નચ્છે , આ રીતે શ્લોક-૧૩માં કહ્યું એ રીતે, પ્રાય: અસંકલ્પિતનો અલાભ થાય=અસંકલ્પિત પિંડનો સાધુને અલાભ થાય, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, તો ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપતાં કહે છે – ઘણા પ્રકારે પણ આ=અસંકલ્પિતનો લાભ=અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ, સાધુને સંભવે છે; કેમ કે નહિ આપવાની ઈચ્છાવાળા એવા ઘણાઓના= સાધુને વહોરાવવાના પરિણામ વગર પોતાના માટે પાક કરનારા એવા ઘણાઓના અને ભિક્ષના અભાવમાં પણ ઘણાઓના, પાકની ઉપલબ્ધિ= પ્રાપ્તિ છે. તથા .... - તોપણ=ઘણા પ્રકારે પણ અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ હોવા છતાં પણ તેની વૃત્તિનું સાધુની ભિક્ષાવૃત્તિનું, દુષ્કરપણું હોવાથી તેના પ્રણેતાની અલાપ્તતા થાય યતિધર્મના પ્રણેતા એવા ભગવાનની અનાખતા થાય. એ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – રૂત્યંત .... સુત્વનું, આથી જ=સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ અતિદુષ્કર છે, આથી જ, યતિધર્મ=મૂલ-ઉત્તરગુણના સમુદાયરૂપ સાધુધર્મ અતિદુષ્કર કહેવાયો છે; કેમ કે અતિદુર્લભ એવા મોક્ષ પ્રત્યે અતિદુષ્કર એવા જ ધર્મનું હેતુપણું છે. આનાથી અતિદુષ્કર ધર્મને કહેનારા ભગવાનની અનાપ્તતા સિદ્ધ થતી નથી, એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – હાર્યાનુરૂપ ..... વાતત્વસિટ ા કાર્યને અનુરૂપ કારણના વચનથી જ= અતિદુષ્કર એવા મોક્ષરૂપ કાર્યને અનુરૂપ અતિદુષ્કર એવા ધર્મની પ્રરૂપણારૂપ કારણના વચનથી જ, આપ્તપણાની સિદ્ધિ છે=અતિદુર્લભ ધર્મની પ્રરૂપણા કરનારા ભગવાનના આપ્તપણાની સિદ્ધિ છે. I૧૮ * बहुधापि सङ्कल्पातिरिक्तैर्वहुभिरपि प्रकारैः शङ्कितम्रक्षितादिभिरयमलाभः सम्भवी - અહીં લપ થી એ કહેવું છે કે સંકલ્પથી અતિરિક્ત કોઈ એકાદ બે પ્રકારે અલાભ હોય તો તો શુદ્ધ પિંડની પ્રાપ્તિ થાય, પરંતુ સંકલ્પથી અતિરિક્ત શંકિત પ્રષિતાદિ WWW.jainelibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ઘણા પણ પ્રકારે શુદ્ધ પિંડનો અલાભ હોવાથી શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય. કમિશ્નામમાડપિ - અહીં પ થી એ કહેવું છે કે ભિક્ષુના સર્ભાવમાં તો ભિક્ષુ અર્થે પાકની ઉપલબ્ધિ છે, પરંતુ ભિક્ષુના અભાવમાં પણ સ્વ અર્થે ઘણાઓના પાકની ઉપલબ્ધિ છે. ભાવાર્થ : શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાધુએ અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે છે – આ રીતે અસંકલ્પિત જ પિંડ સાધુને ગ્રહણ કરવાનું કહેવામાં આવે તો પ્રાયઃ શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય; કેમ કે ઘણા પ્રકારે શંકિત પ્રષિતાદિ વડે શુદ્ધ પિંડની અપ્રાપ્તિ છે. તેથી સાધુને સંયમપાલન કરવું દુષ્કર બને તેવી પિંડગ્રહણની વિધિ પ્રાપ્ત થાય. પૂર્વપક્ષીનો આશય એ છે કે સાધુ સ્વયં આરંભ-સમારંભ કરે નહિ અને કોઈ પાસે આરંભ-સમારંભ કરાવે નહિ, તેવી ભિક્ષા ગ્રહણનું વિધાન કરવામાં આવે તો સાધુને ભિક્ષાની દુર્લભતા પણ ન થાય અને ભિક્ષાની પ્રાપ્તિના કારણે સુખે સુખે સંયમનું પાલન કરી શકે. વળી ગૃહસ્થો સાધુના અર્થે ભિક્ષાનો સંકલ્પ કરે તેમાં સાધુને કોઈ પ્રયોજન નથી. ઉલટું સાધુને અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવાનું કહેવાથી ભિક્ષાની અપ્રાપ્તિને કારણે સંયમની અન્ય આરાધનામાં વિશ્ન થાય. તેથી આવી પ્રરૂપણા કરનારા અનાપ્ત છે, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે. વળી શ્લોકનો આટલા ભાગનો અર્થ થવા થી બીજી રીતે ગ્રંથકારશ્રી કરે છે - શ્લોક-૧૩માં કહ્યું એ રીતે અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવાનું વિધાન કરવામાં આવે તો પ્રાયઃ અસંકલ્પિત પિંડનો અલાભ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે - પૂર્વપક્ષી કહે છે તેમ નથી; કેમ કે ઘણા પ્રકારે પણ અસંકલ્પિત પિંડનો લાભ સંભવે છે. કઈ રીતે ઘણા પ્રકારે અસંકલ્પિત પિંડનો લાભ સંભવે છે, તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સાધુસામય્યદ્વાäિશિકા/શ્લોક-૧૮ ઘણા ગૃહસ્થો સાધુને ભિક્ષા આપવાના પરિણામથી પિંડ કરતા નથી, આમ છતાં પોતાને માટે કરાયેલો પિંડ હોય અને સાધુ વહોરવા પધારે તો દાન કરે છે. તેથી સાધુને દાન આપવાના પરિણામ વગરના એવા પણ તે ગૃહસ્થો પાસેથી અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક ગૃહસ્થો સાધુના અર્થે પિંડ કરે તેવા છે, આમ છતાં કોઈ સાધુ ન હોય તો સાધુ અર્થે પાક કરતા નથી, પરંતુ સ્વકુટુંબાદિ અર્થે પાક કરે છે. તેથી તેવા પણ ઘણા ગૃહસ્થો પાસેથી અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ છે. જેમ – કોઈ નગરમાં સાધુ હોય તેની આજુબાજુનાં નજીકનાં ગામોમાં ઘણા એવા ગૃહસ્થો હોય કે સાધુ આવે તો તદર્થે પિંડ નિષ્પાદન કરે, અને કોઈ સાધુ ગામમાં ન હોય તો પોતાના કુટુંબ માટે જ પિંડ નિષ્પાદન કરે, અને નિર્દોષ ભિક્ષાના અર્થી સાધુ જે નગરમાં પોતે રહ્યા હોય તેની આજુબાજુના ગામમાં નિર્દોષ ભિક્ષા અર્થે જતા હોય છે, તેથી તે ગામમાં ભિક્ષુના અભાવે પોતાના માટે પાક કર્યો હોય તેવા પણ ગૃહસ્થોના ઘરેથી પાકની પ્રાપ્તિ છે. તેથી સાધુને અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ સંભવે છે. અહીં પૂર્વપક્ષી કહે કે જો સાધુને કૃત, કારિત પિંડનો નિષેધ કર્યો હોય અને સંકલ્પિત પિંડનો નિષેધ ન કર્યો હોય તો સાધુને પિંડની સુલભતા થાય, પરંતુ ગૃહસ્થો સ્વયં સાધુ અર્થે પિંડ નિષ્પાદન કરે તેવા પણ પિંડને અગ્રાહ્ય કહેવાથી તેવી ભિક્ષાની વૃત્તિ દુષ્કર બને છે, અને દુષ્કર એવા ધર્મને કહેનારા ભગવાન અનાપ્ત છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – મોક્ષ અતિદુર્લભ છે. તેથી તેનું કારણ એવો ધર્મ અતિદુષ્કર જ હોય. આથી શાસ્ત્રકારોએ મૂળ-ઉત્તરગુણના સમુદાયરૂપ યતિધર્મને અતિદુષ્કર કહ્યો છે. વળી ભગવાન દુષ્કર એવા સાધુધર્મને કહેનારા હોવાથી આપ્યું છે, તે બતાવવા અર્થે કહે છે – જેવો દુર્લભ મોક્ષ છે, તેને અનુરૂપ દુષ્કર સાધુધર્મ બતાવનારા હોવાથી જ ભગવાન આપ્યું છે, એમ સિદ્ધ થાય છે. આશય એ છે કે જો ભગવાન એવો સાધુધર્મ બતાવે કે સુખે સુખે બધા સેવી શકે તો તેવો ધર્મ મોક્ષનું કારણ બને નહિ; કેમ કે જો સુખે સુખે સેવી શકાય Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૯ તેવો ધર્મ મોક્ષનું કારણ હોય તો તેવો ધર્મ સેવીને સહેલાઈથી ઘણા જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકે; પરંતુ મોક્ષ પ્રાપ્ત કરનારા જીવો બહુ થોડા દેખાય છે, કેમ કે અનાદિકાળથી દઢ સંસ્કારરૂપે થયેલા મોહના પરિણામોને ઉચ્છેદ કરવા અતિદુષ્કર છે, તેથી મોક્ષની પ્રાપ્તિ પણ અતિદુષ્કર છે; અને અનાદિકાળના મોહના પરિણામોના દૃઢ સંસ્કારોને ઉચ્છેદ કરે તેવો ધર્મ સુખે સુખે સેવી શકાય તેવો હોઈ શકે નહિ, પરંતુ જે અતિ સત્ત્વશાળી જીવો છે, તેઓ જ આવો દુષ્કર ધર્મ સેવીને મોતને પરવશ થયા વગર મોહનું ઉમૂલન કરી શકે છે, અને તેવા જીવો જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે મોક્ષરૂપ દુર્લભ કાર્યને અનુરૂપ કારણ હંમેશા દુષ્કર જ હોય છે, અને તેવા દુષ્કર કારણરૂપ ધર્મને કહેનારા ભગવાન છે, તેથી ભગવાન આપ્ત સિદ્ધ થાય છે. II૧૮II અવતરણિકા - શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડને ગ્રહણ કરતા સાધુ સમગ્ર ભાવને પામે છે. ત્યાં કોઈને શંકા થાય કે ગૃહસ્થ સાધુને આપવાના સંકલ્પથી પાક કર્યો હોય તોપણ સાધુએ તેવો કોઈ પરિણામ કર્યો નથી કે જેથી તેના સંયમની અશુદ્ધિ થાય. તેથી ગૃહસ્થતા સંકલ્પને કારણે સાધુના પિંડગ્રહણમાં સાધુને દોષની પ્રાપ્તિ થાય, તેમ કઈ રીતે કહી શકાય ? એ પ્રકારની શંકા કરીને નિવારણ કરે છે – શ્લોક : सङ्कल्पितस्य गृहिणा त्रिधाशुद्धिमतो ग्रहे । को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात् पापवृद्धितः ।।१९।। અન્વયાર્થ: ટિપI=ગૃહસ્થ વડે સતિસ્થસંકલ્પિત એવા પિંડના પ્ર=ગ્રહણમાં ત્રિથા શુદ્ધિમતોત્રણ પ્રકારની શુદ્ધિવાળા એવા સાધુને એ કોષ: =શું દોષ છે? રૂતિ ઘે–એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાતિ-જ્ઞાત હોતે છતે=આ પિંડ સંકલ્પિત છે એ પ્રમાણે જણાયે છતે, પ્રસ–પ્રસંગ હોવાથી=સંકલ્પિત પિંડના ગ્રહણમાં તે પ્રકારની પાકપ્રવૃત્તિ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ કરવાનો પ્રસંગ હોવાથી પાપદ્ધિતા=પાપની વૃદ્ધિ થવાને કારણે દોષ છેઃ સાધુને દોષ છે. ૧૯ શ્લોકાર્ચ - ગૃહસ્થ વડે સંકલ્પિત એવા પિંડના ગ્રહણમાં ત્રણ પ્રકારની શુદ્ધિવાળા એવા સાધુને શું દોષ છે ? એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે - આ પિંડ સંકલ્પિત છે એ પ્રમાણે જણાયે છતે સંકલ્પિત પિંડના ગ્રહણમાં તે પ્રકારની પાકપ્રવૃત્તિ કરવાનો પ્રસંગ હોવાથી પાપની વૃદ્ધિ થવાને કારણે સાધુને દોષ છે. ૧૯ll ટીકા - सङ्कल्पितस्येति-गृहिणा=गृहस्थेन, सङ्कल्पितस्य यत्यर्थं प्रतिदित्सितस्य, त्रिधाशुद्धिमतो मनोवाक्कायशुद्धस्य साधोः, ग्रहे ग्रहणे को दोषः? आरम्भप्रत्याख्यानस्य लेशतोऽप्यव्याघातादिति चेत्, ज्ञाते='मदर्थं कृतोऽयं पिण्डः' इति ज्ञाते सति, तद्ग्रहणे प्रसङ्गात् गृहिणः पुनः तथाप्रवृत्तिलक्षणात् पापवृद्धितः, तन्निमित्तभावस्याऽपरिहार्यत्वात् ।।१९।। ટીકાર્ય : કૃIિ ..... તિ વે, ત્રણ પ્રકારની શુદ્ધિવાળા=મન, વચન અને કાયાની શુદ્ધિવાળા એવા સાધુને ગૃહસ્થ વડે સંકલ્પિતના=સાધુને આપવાની ઈચ્છાથી પાક કરતી વખતે સંકલ્પિત પિંડના, ગ્રહણમાં શું દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે આરંભ પ્રત્યાખ્યાનનો લેશથી પણ અવ્યાઘાત છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાને ..... પાપવૃદ્ધિતિ:, જ્ઞાત હોતે છતે=“મારા માટે આ પિંડ કરાયો છે” એ પ્રમાણે જ્ઞાત હોતે છતે, તેના ગ્રહણમાં=સાધુ માટે સંકલ્પિત પિંડના ગ્રહણમાં, ગૃહસ્થની વળી તે પ્રકારે પ્રવૃત્તિરૂપ પ્રસંગ હોવાથી=ગૃહસ્થતી સાધુને અર્થે પાકપ્રવૃત્તિ કરવારૂપ પ્રસંગ હોવાથી, પાપવૃદ્ધિ થવાને કારણે સાધુને દોષ છે, એમ અત્રય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ સાધુસામર્થ્યવાસિંશિકા/શ્લોક-૧૯ અહીં પ્રશ્ન થાય કે સાધુએ કોઈ દોષ સેવ્યો નથી, છતાં સાધુને પાપની વૃદ્ધિ કેમ થઈ ? તેથી કહે છે – તનિમિત્ત .... પરિહાર્યત્વત્િ છે તેના નિમિત્તભાવતું સાધુ અર્થે પાક કરવામાં નિમિત્તભાવનું, સાધુથી અપરિહાર્યપણું છે. સાધુએ નિમિત્તભાવનો પરિહાર કર્યો નહિ, તેથી પાપની વૃદ્ધિ થઈ. માટે સાધુને સંકલ્પિત પિંડના ગ્રહણમાં દોષ છે, એમ અવય છે. ll૧૯ાા. ભાવાર્થ - શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અકૃત, અકારિત અને અસંકલ્પિત એવા પિડને ગ્રહણ કરતા સાધુ સમગ્ર ભાવને પામે છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – જે સાધુ મન, વચન અને કાયાથી શુદ્ધ છે અર્થાત્ પાકાદિ આરંભ કરવાને અનુકૂળ મનથી, વચનથી કે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી, તેવા સાધુ પિંડ ગ્રહણ કરે, અને તે પિંડની નિષ્પત્તિમાં ગૃહસ્થ સાધુ માટે સંકલ્પ કર્યો હોય તો તેનાથી સાધુને કઈ રીતે દોષ લાગે ? અર્થાત્ સાધુને દોષ લાગે નહિ; કેમ કે અન્યના પરિણામથી અન્યને પાપની પ્રાપ્તિ નથી, એ નિયમ પ્રમાણે ગૃહસ્થના સંકલ્પથી સાધુના સંયમજીવનમાં દોષની પ્રાપ્તિ થઈ શકે નહિ, અને સાધુ મન, વચન અને કાયાથી સંયમની શુદ્ધ પ્રવૃત્તિ કરે છે, તેથી સંકલ્પિત પિંડના ગ્રહણમાં સાધુને દોષ છે તે વચન સંગત નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પિંડ મારા માટે કરાયો છે તેવું સાધુને જ્ઞાન થાય, આમ છતાં સાધુ તે પિંડનું ગ્રહણ કરે તો “સાધુ પોતાના માટે કરાયેલો પિંડ ગ્રહણ કરે છે” એ પ્રકારનું જ્ઞાન થવાથી ગૃહસ્થ ફરી ફરી સાધુ અર્થે પાકપ્રવૃત્તિ કરે તેવો પ્રસંગ પ્રાપ્ત થાય, અને ગૃહસ્થના ફરી પાકપ્રસંગમાં સાધુ નિમિત્તભાવ પામે છે. તેથી સાધુ અર્થે જે બાહ્ય આરંભ-સમારંભરૂપ પાપની વૃદ્ધિ થાય છે, તેમાં સાધુ નિમિત્તભાવરૂપે છે. તેથી સાધુને પાપની અનુમોદનાની પ્રાપ્તિ છે. વસ્તુતઃ સાધુને પાકની પ્રવૃત્તિમાં થતા આરંભ-સમારંભમાં નિમિત્તભાવનું પરિહાર્યપણું છે અર્થાત્ સાધુએ તે પાકપ્રવૃત્તિમાં નિમિત્તભાવ ન થાય તેવો Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૯ યત્ન કરવો જોઈએ, તો સંયમની શુદ્ધિ થાય. આથી આ પિંડ પોતાના માટે કરાયો છે, તેને જાણવા માટે સાધુ ઉપેક્ષા કરે, તેના કારણે “આ પિંડ પોતાના માટે કરાયો છે”, તેવું જ્ઞાન સાધુને ન થાય તોપણ, સાધુને દોષની પ્રાપ્તિ છે. માટે સાધુ સર્વ યત્નથી શાસ્ત્રવિધિ અનુસાર આ પિંડ પોતાના માટે કરાયો નથી, તેમ જાણવા માટે ઉદ્યમ કરે, અને આ પિંડ પોતાના માટે નથી કરાયો, તેવો નિર્ણય થાય પછી પિંડ ગ્રહણ કરે, તો તે પાકની નિષ્પત્તિમાં નિમિત્તભાવરૂપ અનુમોદનાની પ્રાપ્તિ સાધુને થાય નહિ. આથી કોઈ સાધુ શાસ્ત્રવચન અનુસાર પૂર્ણવિધિથી આ પિંડ મારા માટે કરાયો નથી, તેમ જાણવા માટે યત્ન કરે, અને શાસ્ત્રની સર્વ મર્યાદાથી આ પિંડ પોતાના માટે કરાયો નથી, તેવો નિર્ણય થાય, આમ છતાં તે પિંડ સાધના માટે કરાયેલો હોય તેવું છબસ્થતાના કારણે સાધુને જ્ઞાત ન થાય, અને સાધુ તે પિંડ ગ્રહણ કરે, તો સાધુને કોઈ દોષની પ્રાપ્તિ નથી. વળી તે પિંડ સાધુ માટે કરાયો ન હોય, છતાં જો સાધુ શ્રતવિધિ અનુસાર આ પિંડ મારા માટે કરાયો છે કે નહિ તેને જાણવા માટે કોઈ પ્રયત્ન ન કરે, તો સાધુ માટે અસંકલ્પિત એવા પણ તે પિંડને ગ્રહણ કરવામાં, સાધુને સંકલ્પિત પિંડના પરિવાર માટેના ઉદ્યમના અભાવકૃત દોષની પ્રાપ્તિ છે. તેથી તે સાધુ મનથી શુદ્ધિવાળા નથી; અને જે સાધુ પિંડ ગ્રહણ કરવામાં, મનથી શુદ્ધિવાળા નથી, તે સાધુ મન, વચન, કાયાથી ત્રિધા=ત્રણ પ્રકારે શુદ્ધ છે, માટે તેને શું દોષ છે ? એ પ્રકારનો પૂર્વપક્ષીનો પ્રશ્ન અસ્થાને છે. માત્ર સ્થૂલદષ્ટિથી પૂર્વપક્ષીએ સંકલ્પિત પિંડ ગ્રહણ કરનાર સાધુને મન, વચન અને કાયાથી ત્રિધા શુદ્ધ કહીને શું દોષ છે ? એ પ્રકારનો પ્રશ્ન કરેલ છે. વસ્તુતઃ મન, વચન અને કાયાથી ત્રિધાત્રણ પ્રકારે, શુદ્ધ સાધુને કોઈ દોષ પ્રાપ્ત થાય નહિ. ll૧૯ અવતરણિકા : ભિક્ષા વડે સાધુને ભિક્ષભાવ છે, એ બતાવવાનો આરંભ શ્લોક-૯થી કરીને ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ બતાવ્યું, અને શ્લોક-૧૩માં કહ્યું કે અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડને ગ્રહણ કરતા સાધુ સમગ્રભાવને પામે છે. ત્યાં ગૃહસ્થ વડે સંકલ્પ કરાયેલ પિંડ ગ્રહણ કરવામાં સાધુને શું દોષ છે ? તે શંકાનું ઉભાવન કરીને સમાધાન કર્યું. હવે તે સર્વ કથાનું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૨૦ નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : यत्यर्थं गृहिणश्चेष्टा प्राण्यारम्भप्रयोजिका । यतेस्तद्वर्जनोपायहीना सामग्र्यघातिनी ।।२०।। અન્વયાર્થ : વચર્થનથતિ માટે પ્રખ્યારમોનિ=પ્રાણીના આરંભના પ્રયોજનવાળી પૃષ્ટિગ્રેષ્ટ-ગૃહસ્થની ચેષ્ટા તર્ગનો પાયરીના=તેના વર્જનના ઉપાયથી હીન છતી=પ્રાણીના આરંભના વનના ઉપાયથી હીત છતી, તેથતિના સમગ્રતિનીસમગ્રપણાની ઘાત કરનારી છે. ૨૦ શ્લોકાર્થ : યતિ માટે પ્રાણીના આરંભના પ્રયોજનવાળી ગૃહસ્થની ચેષ્ટા પ્રાણીના આરંભના વર્જનના ઉપાયથી હીન છતી યતિના સમગ્રપણાની ઘાત કરનારી છે. [૨૦] ટીકા : यत्यर्थमिति-यत्यर्थं गृहिणः प्राण्यारम्भप्रयोजिका चेष्टा-निष्ठितक्रिया, तद्वर्जनोपायैराधाकर्मिककुलपरित्यागादिलक्षणींना सती यते: सामग्र्यघातिनी Trશ્રેvહાનિર્વસ્ત્ર સારવા. ટીકાર્ય : ત્યર્થ ... ગુગળીëનિર્ટી || યતિ માટે ગૃહસ્થની પ્રાણીના આરંભની પ્રયોજિકા ચા=પ્રાણીના આરંભના પ્રયોજતવાળી તિષ્ઠિત ક્રિયા, તેના વર્જનના ઉપાયથી હીન છતી-આધાર્મિક કુલના પરિત્યાગાદિ રૂપ પ્રાણીના આરંભના વર્જનના ઉપાયથી હીન છતી, યતિના સામર્થ્યની ઘાત કરનારી છે=ગુણશ્રેણીની હાનિત કરનારી છે. ૨૦ || ધાર્મિકુંપરિત્યાદ્રિ અહીં ટિ શબ્દથી સ્થાપનાકુલનો પરિત્યાગ આદિનું ગ્રહણ કરવું. Page #118 -------------------------------------------------------------------------- ________________ ୧୪ ભાવાર્થ : કોઈ ગૃહસ્થ યતિ માટે પાકક્રિયા કરતો હોય અને તે પાકક્રિયાની નિષ્ઠા યતિ અર્થે કરાયેલી હોય, તો તે ક્રિયા યતિ અર્થે પ્રાણીના આરંભના પ્રયોજનવાળી ચેષ્ટા છે; અને સંયમની શુદ્ધિના અર્થી સાધુ આધાકર્મિક કુલના પરિત્યાગાદિપૂર્વક ભિક્ષાગ્રહણ કરતા ન હોય તો ગૃહસ્થની તે પ્રાણીના આરંભની પ્રવૃત્તિ સાધુના સામર્થ્યનો ઘાત કરનારી છે અર્થાત્ સાધુની ગુણશ્રેણીને હાનિ કરનારી છે. II૨૦ વિશેષાર્થ : સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦ અહીં વિશેષ એ છે કે ગૃહસ્થો ભક્તિના આશયથથી સાધુ માટે પાકાદિની ક્રિયા કરતા હોય તેવું જાણવા છતાં, કોઈ સાધુ તે ગૃહસ્થે સાધુ માટે પાકાદિ ક્રિયા કરી છે કે નહિ તે જાણવા માટે યત્ન ન કરે અને ભિક્ષા ગ્રહણ કરે, તો ગૃહસ્થના આરંભમાં સાધુને અનુમતિનો પરિણામ વર્તે છે. તેથી સાધુ બાહ્ય સર્વ ક્રિયાઓ શાસ્ત્રાનુસારી કરતા હોય અને શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરતા હોય અને સ્થૂલબુદ્ધિથી સમભાવની વૃદ્ધિમાં પણ ઉદ્યમ કરતા હોય, તોપણ ગૃહસ્થના આરંભ-સમારંભ પ્રત્યે ઉપેક્ષાભાવ હોવાથી તે સાધુને પરમાર્થથી સમભાવની વૃદ્ધિ નથી, પરંતુ સમભાવને અનુકૂળ ઉદ્યમમાં હાનિ છે. વળી કોઈ સાધુ ચારિત્રની શ્રેણીમાં હોય, આમ છતાં કોઈક વખત આરંભ દોષના પરિહાર માટે યત્ન ન કરે તો ગુણશ્રેણીના અધોકંડકમાં જાય છે, અને તે દોષથી નિવર્તન ન પામે તો સંયમની ગુણશ્રેણીથી બહાર જાય છે. તેથી જેમ વિશુદ્ધ પિંડના ગ્રહણની ક્રિયા ઉત્તરોત્તર સમભાવની વૃદ્ધિ દ્વારા સાધુના સમગ્રભાવનું કારણ છે, તેમ વિશુદ્ધ પિંડની ઉપેક્ષા સમભાવની હાનિ દ્વારા ગુણશ્રેણીના પાતનું કારણ છે. I॥૨૦॥ અવતરણિકા : શ્લોક-૧માં કહ્યું કે સંયત મહાત્મા જ્ઞાનથી જ્ઞાનીભાવવાળા છે, ભિક્ષાથી ભિક્ષુભાવવાળા છે અને વૈરાગ્યથી વિરક્તભાવવાળા છે, અને તે કથનના ક્રમ પ્રમાણે પ્રથમ કયા જ્ઞાનથી જ્ઞાનીભાવ છે, તે બતાવવા માટે ત્રણ પ્રકારનાં જ્ઞાન કહ્યા અને પછી બતાવ્યું કે તત્ત્વસંવેદન નામના જ્ઞાનથી સંયત મહાત્મા જ્ઞાનીભાવવાળા છે. ત્યારપછી કઈ ભિક્ષાથી ભિક્ષુભાવવાળા Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૧ છે, તે બતાવવા માટે ત્રણ પ્રકારની ભિક્ષા બતાવી અને કહ્યું કે સર્વસંપન્કરી ભિક્ષાથી સાધુ ભિક્ષુભાવવાળા છે. હવે ક્રમ પ્રાપ્ત વૈરાગ્યથી વિરક્તભાવવાળા છે, તે બતાવવા અર્થે પ્રથમ ત્રણ પ્રકારના વૈરાગ્ય ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક – वैराग्यं च स्मृतं दुःखमोहज्ञानान्वितं त्रिधा । आर्तध्यानाख्यमाद्यं स्याद्यथाशक्त्यप्रवृत्तितः ।।२१।। અન્વયાર્થ: ર=અને કુમોદજ્ઞાનશ્વિતં દુઃખ, મોહ અને જ્ઞાનથી અવિત=દુઃખાવિત, મોહાન્વિત અને જ્ઞાનાવિત ત્રિથા ત્રણ પ્રકારે વૈરાચં વૈરાગ્ય મૃતં કહેવાયેલ છે. ચારવિચપ્રવૃત્તિત યથાશક્તિ અપ્રવૃત્તિથી=શક્તિઅનુસાર મોક્ષના ઉપાયમાં અપ્રવૃત્તિથી, સારૂંધ્યાનાર્થ>આર્તધ્યાન નામનું સઘં પહેલું દુઃખાવિત,ચાત્રિ થાય. ર૧ શ્લોકાર્ય : અને દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત ત્રણ પ્રકારે વૈરાગ્ય કહેવાયેલ છે. શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિથી આર્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય થાય. ર૧ * નોંધ :- અહીં દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત એમ ત્રણ વૈરાગ્ય કહ્યા છે, તે દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સમજવા. ટીકા : वैराग्यं चेति-दुःखान्वितं मोहान्वितं ज्ञानान्वितं चेति त्रिधा वैराग्यं स्मृतम्।। आद्यं-दुःखान्वितं, आर्तध्यानाख्यं स्याद्, यथाशक्ति शक्त्यनुसारेण मुक्त्युपायेऽ- . प्रवृत्तितः, तात्त्विकं तु वैराग्यं शक्तिमतिक्रम्यापि श्रद्धातिशयेन प्रवृत्ति અનલિતિ પારા ટીકાર્ચ - સુર્યાન્વિત ..... ચા, દુઃખાવિત, મોહાવિત અને જ્ઞાતાવિત એ પ્રમાણે Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૨૧ ત્રણ પ્રકારે વૈરાગ્ય કહેવાયેલ છે. આર્તધ્યાન નામનો આધદુઃખાન્વિત થાય. શાનાથી આર્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય થાય ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે यथाशक्ति ઞપ્રવૃત્તિતઃ, યથાશક્તિ=શક્તિ અનુસારે મોક્ષના ઉપાયમાં અપ્રવૃત્તિથી આર્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય થાય. ..... અહીં પ્રશ્ન થાય કે સંયત મહાત્મા મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય છતાં પ્રમાદને કારણે કે કાંઈક શાતાની અર્થિતાને કા૨ણે શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા ન હોય એટલા માત્રથી આર્ત્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય છે, તેમ કેમ કહેવાય ? તેથી તાત્ત્વિક વૈરાગ્ય તેવો નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- तात्त्विकं નનવિતિ ।। વળી તાત્ત્વિક વૈરાગ્ય શક્તિનો અતિક્રમ કરીને પણ શ્રદ્ધાવા અતિશયથી=ભગવાનના વચનમાં શ્રદ્ધાના અતિશયથી, પ્રવૃત્તિને=મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિને, પેદા કરે છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ।૨૧।। * શક્તિમતિાપિ - અહીં પિ થી એ કહેવું છે કે તાત્ત્વિક વૈરાગ્ય શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ પેદા કરે છે, પરંતુ વિશેષ લાભ જણાય ત્યારે શક્તિનો અતિક્રમ કરીને પણ=શક્તિના અત્યંત પ્રકર્ષથી પણ, શ્રદ્ધાના અતિશયથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ પેદા કરે છે. ભાવાર્થ : વૈરાગ્યનું સ્વરૂપ : વૈરાગ્ય ત્રણ પ્રકારના છે - (૧) દુઃખાન્વિત ઃ- આર્તધ્યાન નામના સંક્લેશ સહિત. : (૨) મોહાન્વિત ઃ- અજ્ઞાનથી સહિત. ના ના (૩) જ્ઞાનાન્વિત :- સંસારના સ્વરૂપનું વાસ્તવિક પર્યાલોચન અને સંસારના ઉચ્છેદના ઉપાયનું વાસ્તવિક પર્યાલોચન એ રૂપ સમ્યજ્ઞાનથી સહિત. Page #121 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૨૧ (૧) દુઃખાન્વિત-દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ : સાધુપણું ગ્રહણ કર્યા પછી આર્તધ્યાન નામના દુઃખથી અન્વિત જે વૈરાગ્ય છે, તે પ્રથમ પ્રકારનો દુઃખાન્વિત વૈરાગ્ય છે. આ વૈરાગ્ય આર્ત્તધ્યાનથી અન્વિત છે તે કેવી રીતે જાણી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે - જે સાધુ શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા નથી, તેઓ શાતાના અર્થી છે, અને શાતાનું અર્થીપણું એ આર્ત્તધ્યાન છે. આ આર્ત્તધ્યાન નામના દુઃખના પરિણામથી યુક્ત જે વૈરાગ્ય છે, તે દુઃખાન્વિત વૈરાગ્ય છે. כיס અહીં પ્રશ્ન થાય કે જે સાધુ શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા નથી, તોપણ જે કાંઈ અંશથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે, તે અપેક્ષાએ તેમનો વૈરાગ્ય સમ્યજ્ઞાનથી અન્વિત છે, તેમ કહીએ તો શું વાંધો છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે તાત્ત્વિક વૈરાગ્ય અર્થાત્ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય શક્તિનો અતિક્રમ કરીને પણ મોક્ષના ઉપાયમાં શ્રદ્ધાના અતિશયથી પ્રવૃત્તિ કરાવે છે. આશય એ છે કે જે મુનિને સંસારના સમ્યક્ સ્વરૂપનો બોધ છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય સર્વજ્ઞનું વચન છે, અન્ય નહિ; તેવો નિર્ણય છે, તેવા જ્ઞાનવાળા મુનિ શક્તિના અતિશયથી ભગવાને બતાવેલા શ્રુતધર્મમાં ઉદ્યમ કરે છે, શ્રુતધર્મના પરમાર્થને જાણવા માટે સર્વ ઉચિત પ્રયત્ન કરે છે, વળી શ્રુતધર્મના પરમાર્થને જાણીને તેને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે છે અને શ્રુતધર્મને સ્થિર કર્યા પછી તેને સમ્યક્ પરિણમન કરવા માટે પ્રયત્ન કરે છે; કેમ કે પારમાર્થિક જ્ઞાન આ પ્રકારની પ્રવૃત્તિમાં જ હિતની બુદ્ધિ પેદા કરાવે છે, અને આ પ્રકારની પ્રવૃત્તિથી વિપરીત પ્રવૃત્તિમાં અહિતની બુદ્ધિ પેદા કરાવે છે; તેથી જેઓ હિતની પ્રાપ્તિના કારણ એવા મોક્ષના ઉપાયમાં સમ્યગ્ ઉદ્યમ કરતા નથી, તેઓમાં સમ્યજ્ઞાન નથી, માટે તેમનો વૈરાગ્ય કાં તો મોહગર્ભિત છે કાં તો શાતાના અર્થી હોવાથી દુઃખગર્ભિત છે. ૨૧મી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સાધુ સામર્થ્યદ્વાચિંશિકા/બ્લોક-૨૨ અવતરણિકા : શ્લોક-૨૧ના ઉત્તરાર્ધમાં દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે તે દુઃખગર્ભિત વૈરાગ્યનું વિશેષ સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अनिच्छा ह्यत्र संसारे स्वेच्छालाभादनुत्कटा । नैर्गुण्यदृष्टिजं द्वेषं विना चित्ताङ्गखेदकृत् ।।२२।। અન્વયાર્થ : ઉ=આ વૈરાગ્ય હોતે છતે દુઃખગર્ભિત વૈરાગ્ય હોતે છતે, સ્વેચ્છાSનામ સ્વ ઈચ્છાના અલાભને કારણે નથષ્ટિ= ગુણ્યદૃષ્ટિથી પેદા થયેલા વિના-દ્વેષ વગર સંસારે વિષયસુખમાં અનુરા-અનુત્કટ નચ્છા-અનિચ્છા ચિત્તા =ચિત્તતા અને અંગના ખેદને કરનાર છે=માનસિક અને શારીરિક દુઃખને ઉત્પન્ન કરનાર છે. 1રરા શ્લોકાર્થ : દુઃખગર્ભિત વૈરાગ્ય હોતે છતે સ્વઈચ્છાના અલાભને કારણે નૈર્ગુણ્યદષ્ટિથી પેદા થયેલા દ્વેષ વગર વિષયસુખમાં અનુત્કટ અનિચ્છા ચિત્તના અને અંગના ખેદને કરનાર છે-માનસિક અને શારીરિક દુઃખને ઉત્પન્ન કરનાર છે. રિચા ટીકા : अनिच्छेति-अत्र हि वैराग्ये सति [स्वेच्छाऽलाभाद्] संसारे विषयसुखे, अनिच्छा इच्छाभावलक्षणा आत्मपरिणतिः, नैर्गुण्यदृष्टिजं संसारस्य बलवदनिष्टसाधनत्वप्रतिसन्धानजं द्वेषं विनाऽनुत्कटा, अत एव चित्तागयोः खेदकृत्= मानसशारीरदुःखोत्पादिका । इच्छाविच्छेदो हि द्विधा स्यात्, अलभ्यविषयत्वज्ञानाद् द्वेषाच्च, आद्य इष्टाप्राप्तिज्ञानाद् दुःखजनकः, अन्त्यश्च न तथेति ।।२२।। મૂળ શ્લોકમાં સ્વચ્છISHTHદુ છે, તે મુજબ ૩૫ત્ર દિ વૈરાગ્યે સતિ પછી ટીકામાં સ્વચ્છISITH પાઠ હોવો જોઈએ. તેથી તે પાઠ લઈને અમે અર્થ કરેલ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સાધુસામથ્યાત્રિશિકા/શ્લોક-૨૨ ટીકાર્ય : સત્ર... તથતિ || આ વૈરાગ્ય હોતે છતે દુઃખગર્ભિત વૈરાગ્ય હોતે છતે, સ્વઈચ્છાના અલાભથી, સંસારમાં=વિષયસુખમાં, અનિચ્છા=ઈચ્છાના અભાવ સ્વરૂપ આત્મપરિણતિ, ગુણ્યદૃષ્ટિથી પેદા થયેલ દ્વેષ વગર=સંસારના બલવાન અનિષ્ટ સાધનપણાના પ્રતિસંધાનથી પેદા થયેલા ઢષ વગર, અનુત્કટ છે. આથી જ=ૌગુણ્યદષ્ટિથી પેદા થયેલ દ્વેષ વગર અનિચ્છા અનુત્કટ છે આથી જ, ચિત અને અંગતા ખેદને કરનાર છે=માનસિક અને શારીરિક દુઃખને ઉત્પન્ન કરનારી અનિચ્છા છે. જે કારણથી ઈચ્છાનો વિચ્છેદ બે પ્રકારનો છે – (૧) અલભ્ય વિષયપણાના જ્ઞાનથી, (૨) દ્વેષથી. પ્રથમ અલભ્ય વિષયપણાના જ્ઞાનથી થતો ઈચ્છાનો વિચ્છેદ, ઈષ્ટની અપ્રાપ્તિના જ્ઞાનને કારણે દુ:ખજનક છે, અને અંત્ય-દ્વેષથી થતો ઈચ્છાનો વિચ્છેદ, તેવો નથી દુ:ખજનક નથી. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. રેરા ભાવાર્થ :વૈરાગ્યનું સ્વરૂપ : વૈરાગ્ય એટલે વિરક્તભાવ અર્થાત્ સંસારના ભોગસુખોમાં ઈચ્છાનો અભાવ. આ ઈચ્છાનો અભાવ બે રીતે થાય છે – (૧) અલભ્ય વિષયપણાના જ્ઞાનથી અને (૨) દ્વેષથી. (૧) અલભ્યવિષયપણાના જ્ઞાનથી થતા દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપઃપોતાને સામાન્ય કોટિનું સુખ મળેલું હોય, અને વિશિષ્ટ કોટિનું સુખ અલભ્ય છે અને તે અલભ્ય વિષયને મેળવવાની ઈચ્છા છે અને તેનો ઉપાય સંયમ છે, આ પ્રકારની બુદ્ધિ થવાથી વર્તમાનમાં બાહ્ય સુખોનો ત્યાગ કરીને બાહ્ય સુખોની ઈચ્છાનો વિરામ કરે. આ પ્રકારની ઈચ્છાનો વિચ્છેદ પોતાને ઈચ્છિત એવા વિશિષ્ટ સુખના અલાભને કારણે થયેલ છે, માટે આ ઈચ્છાનો અભાવ અનુત્કટ છે; કેમ કે સંસારના ભોગો નિર્ગુણ છે, તેવો બોધ નહિ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાધુસામય્યદ્વાાિંશિકા/શ્લોક-૨૨ હોવાને કારણે ભોગો પ્રત્યેના દ્વેષથી અનિચ્છા થયેલ નથી, પરંતુ પોતાને અલ્પ ભોગોની પ્રાપ્તિથી સંતોષ નથી, અને અધિક ભોગોની પ્રાપ્તિના ઉપાયરૂપે સંયમની પ્રવૃત્તિ દેખાય છે, તેથી સંયમ ગ્રહણ કરીને ભોગોની અનિચ્છામાં યત્ન થાય છે. તેવા જીવોની સંસારના ભોગોની અનિચ્છા અનુત્કટ છે, તેથી ચિત્ત અને અંગનો ખેદ કરનારી છે; કેમ કે ચિત્તમાં વિશેષની અપ્રાપ્તિકૃત ખેદ છે, અને દેહથી ભોગના વિકાસમાં સુખની બુદ્ધિ હોવાથી ભોગના ત્યાગમાં દુઃખનું વેદન થાય છે. તેથી અલભ્યવિષયપણાના જ્ઞાનથી થતો દુઃખગર્ભિત વૈરાગ્ય તત્કાળ દુઃખનો અનુભવ કરાવનાર છે. (૨) સંસારના વિષયસુખમાં નિર્ગુણતાની દૃષ્ટિથી પેદા થયેલ દ્વેષથી થતા વૈરાગ્યનું સ્વરૂપ: સંસારની નિર્ગુણતાના કારણે સંસાર પ્રત્યે દ્વેષ થવાથી સંસારના ઉપાયભૂત ઈચ્છા પ્રત્યે દ્વેષ થાય છે, તેથી સંસારના ભોગોની અનિચ્છા થાય છે, તેવા જીવોનો વૈરાગ્ય દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો જેવો નથી પરંતુ જ્ઞાનગર્ભિત છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે સંસાર ચાર ગતિના પરિભ્રમણરૂપ છે, અને દુઃખબહુલતાથી ઘેરાયેલો છે તેને કારણે બલવાન અનિષ્ટરૂપ છે તેમ જાણીને, સંસારમાં અનિષ્ટસાધનપણાનું પ્રતિસંધાન થવાથી સંસાર પ્રત્યે જેમને દ્વેષ થાય છે, તેવા જીવો બલવાન અનિષ્ટતા જેમાં નથી તેવા આત્મિક સુખના અર્થી બને છે, તેથી તેવા જીવો આત્મિક સુખના ઉપાયરૂપ અનિચ્છામાં યત્ન કરે છે, તેઓને અનિચ્છાની ઉત્કટ ઈચ્છા છે. વળી જેમને સંસારનું પરિભ્રમણ બલવાન અનિષ્ટરૂપ દેખાતું નથી, તેઓ સંયમ ગ્રહણ કરીને ભોગાદિની ઈચ્છાનો અભાવ કરે છે, તોપણ તેઓ અનિચ્છાના અર્થી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ભોગોથી ક્વચિત્ સાક્ષાત્ વિશેષ પ્રકારના ભોગોના અર્થી છે. ક્વચિત્ સાક્ષાત્ તેવો વિકલ્પ ન હોય તોપણ તત્ત્વના ભાવનથી ઈચ્છાના ઉચ્છેદમાં યત્ન કરતા નથી. તેથી અર્થથી વિશેષ પ્રકારના ભોગના અર્થી છે. તેથી તેમની સંયમ ગ્રહણ કરવાથી થયેલી ભોગની અનિચ્છા અનુત્કટ છે, અને જેમને અનુત્કટ અનિચ્છા છે, તેમનો અનિચ્છારૂપ વૈરાગ્ય દુઃખગર્ભિત છે. શા Page #125 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્ગદ્વાઢિશિકા/શ્લોક-૨૩ ૧૦૧ અવતરણિકા : શ્લોક-૨૧ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૨૨માં દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् । शान्तस्यापि द्वितीयं सज्ज्वरानुद्भवसन्निभम् ।।२३।। અન્વયાર્ચ - કાન્તાત્મપ્રદોમૂતમવનનુષ્યના એકાંત આત્માના ગ્રહથી ઉદ્ભૂત–ઉત્પન્ન થયેલ, ભવની નિર્ગુણતાના દર્શનને કારણે શાન્તચાપ શાંત એવા પુરુષને પણ સક્યુરાનુમવસમસત્વરના અનુભવના જેવો-શક્તિરૂપે વિધમાન એવા જ્વરના અનુદય જેવો દ્વિતીયં બીજો છે=મોહાવિત વૈરાગ્ય છે. ૨૩ શ્લોકાર્ચ - એકાંત આત્માના ગ્રહથી ઉત્પન્ન થયેલ ભવની નિર્ગુણતાના દર્શનને કારણે શાંત એવા પુરુષને પણ સત્ વરના અનુભવના જેવો બીજો છે=મોહાન્વિત મોહગર્ભિત, વૈરાગ્ય છે. ર૩|| શાન્તચાપ - અહીં ૩પ થી એ કહેવું છે કે જેઓ લોકદષ્ટિથી પ્રશમપરિણામવાળા નથી, એવાઓને તો એકાંત આત્માના ગ્રહથી ઉદ્ભૂત ભવનર્ગુણ્યને કારણે થયેલો વૈરાગ્ય મોહગર્ભિત છે, પરંતુ લોકષ્ટિથી શાંતપરિણામવાળાને પણ સતું વરના અનુભવ જેવો મોહગર્ભિત વૈરાગ્ય છે. ટીકા - एकान्तेति-एकान्तः सर्वथा सन् क्षयी वा य आत्मा तस्य ग्रहादुत्पन्नं यद्भवनैर्गुण्यदर्शनं ततः शान्तस्यापि प्रशमवतोऽपि लोकदृष्ट्या, द्वितीयं= मोहान्वितं, वैराग्यं भवति, एतच्च सन् शक्त्यावस्थितो यो ज्वरस्तस्यानुदयो वेलाप्राक्काललक्षणस्तत्सन्निभं तेषां भवेत्, द्वेषजनितस्य वैराग्यस्योत्कटत्वेऽपि मिथ्याज्ञानवासनाऽविच्छेदादपायप्रतिपातशक्तिसमन्वितत्वात् ।।२३।। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ ટીકાર્ય : પ્રાન્ત: ..... મતિ, એકાંત=સર્વથા સત્ એવો જે આત્મા અથવા સર્વથા ક્ષયી એકાંત ક્ષણિક એવો જે આત્મા તેના ગ્રહથી તેના બોધથી, ઉત્પન્ન થયેલું જે ભવની નિર્ગુણતાનું દર્શન, તેનાથીકતે ભવની નિર્ગુણતાના દર્શનથી, શાંતને પણ=લોકદષ્ટિથી પ્રશમવાળાને પણ, બીજો-મોહાવિત વૈરાગ્ય છે. તવ્ય .... ભવેત, અને આ=મોહાવિત વૈરાગ્ય, સત્ એવો શક્તિથી અવસ્થિત એવો, જે જવર, તેનો વેલામાફકાલસ્વરૂપ અનુદય અર્થાત્ તાવ આવવાના સમય પૂર્વે જે અનુદય, તેના જેવો તેઓને થાય છે. અહીં પ્રશ્ન થાય કે ભવની નિર્ગુણતાના દર્શનને કારણે જેમને ભવ પ્રત્યે ઉત્કટ દ્વેષ છે, તેઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સ્વીકારવામાં શું બાધ છે ? તેથી હેપનિતી ... સમન્વિતત્વાન્ II દ્વેષજનિત વૈરાગ્યનું ઉત્કટપણું હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનની વાસનાનો અવિચ્છેદ હોવાને કારણે અપાયની પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે=ઢેષજનિત વૈરાગ્યમાં અપાયનું કારણ બને એવી પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે અર્થાત્ દ્વેષજનિત વૈરાગ્ય અપગમનું કારણ બને એવી પ્રતિપાત શક્તિથી યુક્ત છે. પરવા ક કંપનીનતી વૈરાગ્યોās - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે મોહગર્ભિત વૈરાગ્યવાળાને દ્વેષજનિત વૈરાગ્ય ઉત્કટ ન હોય તો તો મિથ્યાજ્ઞાનની વાસનાના અવિચ્છેદને કારણે અપાયની પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે, પરંતુ કોઈકને દ્વેષજનિત વૈરાગ્યનું ઉત્કટપણું હોય તોપણ મિથ્યાજ્ઞાનની વાસનાનો અવિચ્છેદ હોવાને કારણે અપાયની પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે. ભાવાર્થ(૨) મોહાન્વિત=મોહગર્ભિત, વૈરાગ્યનું સ્વરૂપ - કેટલાક યોગીઓને આત્મા સર્વથા સત્ છે=સર્વથા નિત્ય છે, તેમ મોહને કારણે દેખાય છે, તો વળી કેટલાક યોગીઓને આત્મા સર્વથા ક્ષયી છે=સર્વથા ક્ષણિક છે, તેમ મોહને કારણે દેખાય છે, અને તે પ્રકારના મોહને કારણે થયેલા Page #127 -------------------------------------------------------------------------- ________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩ ૧૦૩ જ્ઞાનથી ભવ નિર્ગુણ જણાય છે, અને તે ભવની નિર્ગુણતાના જ્ઞાનને કારણે ભવના ઉપાય પ્રત્યે તેમને ઉત્કટ દ્વેષ થાય છે, તેથી તેઓને ભવની ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્ય છે, અને તે ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્યને કારણે તે યોગીઓ પ્રકૃતિથી પ્રશમ પરિણામવાળા પણ છે. જોકે તત્ત્વદષ્ટિથી પદાર્થને જોવાને અનુકૂળ મોહનો ઉપશમ તેમને થયો નથી, તેથી પ્રશમનો પરિણામ નથી; તોપણ ભોગસામગ્રી પ્રત્યે અત્યંત અનિચ્છા વર્તે છે, લોકમાં માનખ્યાતિ વગેરેની પણ અત્યંત અનિચ્છા વર્તે છે, તેથી લોકદષ્ટિથી તેમનામાં પ્રશમ છે. તેવા યોગીઓને પણ જે ભવની ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્ય છે તે એકાંતરીયા તાવ જેવો છે, જે જ્વર એક દિવસ શાંત થયા પછી બીજે દિવસે ફરી આવે છે; કેમ કે એકાંત ગ્રહથી ઉત્પન્ન થયેલ ભવનૈર્ગુણ્યવાળા જીવોને ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્ય હોવાને કારણે પ્રકૃતિ શાંત વર્તે છે, તોપણ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલ નહીં હોવાને કારણે વિપર્યાસ વર્તે છે. તેથી પાતનું કારણ બને છે, માટે મોહગર્ભિત વૈરાગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતાનું કારણ બનતો નથી, પરંતુ મિથ્યાજ્ઞાનની વાસનાથી સમન્વિત હોવાને કારણે મિથ્યાજ્ઞાનની વાસનાના પ્રવાહનો ઉત્તરોત્તર પ્રવાહ અવિચ્છેદ રહે છે. તેના કારણે અનર્થોની પરંપરાનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી સમન્વિત=સહિત આ મોહગર્ભિત વૈરાગ્ય છે. I॥૨૩॥ વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે સ્વદર્શનમાં રહેલા પણ, અને સ્યાદ્વાદને સ્વીકારનાર પણ ભગવાનના વચનથી વિરુદ્ધ બોલનારામાં મોહગર્ભિત વૈરાગ્ય છે, તેમ અધ્યાત્મસાર અધિકાર-૬ શ્લોક-૯માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહેલું છે. આનાથી એ ફલિત થાય છે કે જે જીવોને તત્ત્વ પ્રત્યેનો ઉત્કટ રાગ નથી, પરંતુ સ્વમાન્યતા પ્રત્યે કાંઈક વલણ છે કે બદ્ધ વલણ છે, તેના કારણે સ્યાદ્વાદને માનતા હોવા છતાં સ્વમાન્યતા અનુસાર સ્યાદ્વાદને જોડવાનો એકાંત ગ્રહ વર્તે છે, તેવા જીવોમાં પદાર્થને સ્વમતિ અનુસાર જોડવાની વાસનાનો અવિચ્છેદ ચાલે છે; અને આ વિપરીત વાસનાને કારણે તેમનામાં રહેલો વૈરાગ્ય ભાવિમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ પ્રતિપાતને પામે છે અને અનર્થની પરંપરાનું કારણ બને છે. તેથી તેઓનો વૈરાગ્ય અપાયનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી સમન્વિત છે. વળી જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો સાધુપણું પાળીને દેવભવમાં જાય છે ત્યારે દેવભવમાં તેમને વૈરાગ્ય નથી; કેમ કે વિરતિધરને જ વૈરાગ્ય હોય છે, તેથી સાધુપણામાં રહેલો તેમનો વૈરાગ્ય પ્રતિપાત શક્તિથી સમન્વિત છે પણ અનર્થની પરંપરાનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી યુક્ત નથી. તેથી સ્યાદ્વાદની શ્રદ્ધાવાળા સાધુને અપાયનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી યુક્ત વૈરાગ્ય નથી. આથી તેમને દેવભવમાં તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત વર્તે છે, જેના બળથી ઉત્તરભવમાં પૂર્વ કરતાં પણ અધિક વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે સમ્યગ્દષ્ટિ જીવોમાં વૈરાગ્ય હોય છે, તેમ કહેવાય છે; પરંતુ વૈરાગ્ય એટલે વિષયોથી વિરક્તભાવ, અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવો વિષયોથી વિરક્ત નથી, પરંતુ વૈરાગ્યના બીજભૂત ભવની નિર્ગુણતાનું દર્શન છે. તેથી વૈરાગ્યના બીજમાં વૈરાગ્યનો ઉપચાર કરીને સમ્યગ્દષ્ટિ જીવોને વૈરાગ્ય છે, તેમ કહી શકાય. આથી જ અધ્યાત્મસાર અધિકાર-૫ શ્લોક-૧૦-૧૧માં કહ્યું છે કે જો ભવની નિર્ગુણતાના દર્શનને કારણે વૈરાગ્ય થતો હોય તો ચોથા ગુણસ્થાનકે પણ વૈરાગ્ય થવો જોઈએ, અને તેના સમાધાનરૂપે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું કે ચોથા ગુણસ્થાનકે વૈરાગ્યનો એક હેતુ ભવની નિર્ગુણતાનું દર્શન છે, તોપણ વૈરાગ્યનો અન્ય હેતુ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ નથી, તેથી ચારિત્રમોહનીયના ઉદયને કારણે વૈરાગ્યનો અયોગ છે. વળી શ્લોક-૧૨માં કહ્યું કે દશાવિશેષમાં રહેલા ચોથા ગુણસ્થાનકમાં તીર્થકરાદિને સર્વથા વૈરાગ્ય નથી, એમ પણ નથી. તેથી છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા તીર્થકરાદિ જીવોને ચોથા ગુણસ્થાનકે કાંઈક વૈરાગ્ય છે, તેમ ફલિત થાય છે. ૨૩ અવતરણિકા : શ્લોક-૨૧ના પૂર્વાર્ધમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવ્યા. ત્યારપછી શ્લોક૨૧ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૨૨માં દુઃખાત્વિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી શ્લોક-૨૩માં મોહાવિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત જ્ઞાનાન્વિત વૈરાગ્યનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શ્લોક : स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम् । तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत् ।।२४ ।। અન્વયાર્થ : વદ્ધાનાં નિબદ્ધ એવા જીવોના-કર્મથી બદ્ધ એવા જીવોના, ઇષ્ટ કષ્ટતે દુમ્બને, ચાહાવિદ્યા=સ્યાવાદની વિધાથી જ્ઞાત્વ=જાણીને નવમીમાનાં ભવથી ભય પામેલા એવા યોગીઓને મોક્ષોપાયપ્રવૃત્તિમ–મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિવાળો તૃતીયં ત્રીજો છે=જ્ઞાનાન્વિત વૈરાગ્ય છે. રા. શ્લોકાર્ચ - કર્મથી બદ્ધ એવા જીવોના દુઃખને સ્યાદ્વાદની વિધાથી જાણીને ભવથી ભય પામેલા એવા યોગીઓને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિવાળો ત્રીજો જ્ઞાનાન્વિત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. ll૧૪ll ટીકા : स्याद्वादेति-स्याद्वादस्य-सकलनयसमूहात्मकवचनस्य, विद्यया बद्धानामगिनां कष्टं दुःखं, ज्ञात्वा भवभीभाजां-संसारभयवतां, तृतीयं ज्ञानान्वितं वैराग्यं, भवति, तच्चमोक्षोपाये त्रिरत्नसाम्राज्यलक्षणे प्रवृत्तिमत्=प्रकृष्टवृत्त्युपहितम् ।।२४।। ટીકાર્ચ - ચઢાવસ્ય ... વૃજ્યપતિમ્ | બદ્ધ એવા જીવોના-કર્મથી બદ્ધ એવા જીવોના, કષ્ટને-દુખને સ્યાદ્વાદની સજ્જવયસમૂહાત્મક વચનની, વિદ્યાથી જાણીને, ભવથી ભય પામેલાઓને=સંસારથી ભયવાળા એવા મુનિઓને, ત્રીજો= જ્ઞાનાવિત, વૈરાગ્ય છે, અને તે=જ્ઞાનાન્વિત વૈરાગ્ય, ત્રણ રત્નના સામ્રાજ્ય સ્વરૂપ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિવાળો છે=પ્રકૃષ્ટવૃત્તિથી ઉપહિત છે અર્થાત્ પ્રકૃષ્ટ પ્રયત્નથી યુક્ત છે. ૨૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૫ ભાવાર્થ :(૩) જ્ઞાનાન્વિત જ્ઞાનગર્ભિત, વૈરાગ્યનું સ્વરૂપ : ભગવાનનું વચન સ્યાદ્વાદરૂપ છે અને તે સ્યાદ્વાદ વચન બધા નયોના સમૂહાત્મક છે, અને દરેક નય પદાર્થના સ્વરૂપને તે તે દૃષ્ટિથી યથાર્થ બતાવે છે. તેથી જેઓને સર્વ નયોથી પદાર્થનું દર્શન તે રીતે થયું છે કે જે રીતે ભગવાને બતાવ્યું છે, તેવા મુનિઓની પાસે સ્યાદ્વાદની વિદ્યા છે. તે સ્યાદ્વાદની વિઘાથી સંસારી જીવોના કષ્ટને તે મુનિઓ જાણે છે અર્થાત્ કર્મથી બંધાયેલા જીવો કઈ રીતે ચાર ગતિના પરિભ્રમણની વિડંબના પામે છે, અને કર્મથી અબદ્ધ એવા આત્માઓ કઈ રીતે પૂર્ણ સુખમય અવસ્થાને અનુભવે છે, તે પ્રમાણે સ્યાદ્વાદની દૃષ્ટિથી યથાર્થ જાણે છે. વળી યથાર્થ બોધ હોવાને કારણે ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારથી તે મુનિઓ ભય પામેલા છે, અને જેઓ સંસારથી ભય પામેલા છે તેવા યોગીઓ સંસારના ઉપાયને સેવે નહિ. વળી સંસારનો ઉપાય જીવમાં વર્તતો સંગનો પરિણામ છે, અને જીવમાં વર્તતો સંગનો પરિણામ અનાદિકાળથી ચિરરૂઢ થયેલો છે. તેથી સંગના પરિણામને દૂર કરવાની ઈચ્છાવાળા મુનિઓ પણ વસ્ત્રની જેમ સંગના પરિણામને દૂર કરી શકતા નથી. આથી તેઓ અંતવૃત્તિરૂપે રહેલ સંગના પરિણામને દૂર કરવાના ઉપાયભૂત ભગવાનના વચનનું અવલંબન લઈને સંયમયોગમાં સુદઢ વ્યાપાર કરે છે. તેથી મુનિનો આત્મા ગુપ્તિભાવમાં વર્તે છે, અને આ ગુપ્તિઓ પ્રકર્ષને પામીને અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને છે ત્યારે, ભવના બીજભૂત સંગનો ઉચ્છેદ થાય છે; અને જે મુનિઓ ભવથી ભય પામેલા છે તેઓ ભવના ઉચ્છેદમાં સતત પ્રવૃત્ત છે. તેવા મુનિઓમાં જે વિરક્તભાવ છે, તે જ્ઞાનાન્વિત વૈરાગ્ય છે, અને આ જ્ઞાનાન્વિત વૈરાગ્ય મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની પરિણતિમાં પ્રકૃષ્ટથી પ્રવૃત્તિવાળો છે. ૨૪ અવતરણિકા – દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે મુનિને સામર્થ્યની પ્રાપ્તિ પ્રત્યે કયો વૈરાગ્ય કારણ છે અને દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય પણ કઈ રીતે પરંપરાએ સામર્થ્યનું Page #131 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાત્રિશિકા/બ્લોક-૨૫ ૧૦૭ કારણ થઈ શકે ? અથવા કઈ રીતે ન થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : सामग्र्यं स्यादनेनैव द्वयोस्तु स्वोपमर्दतः । अत्राङ्गत्वं कदाचित् स्याद्गुणवत्पारतन्त्र्यतः ।।२५।। અન્વયાર્થ: કનૈવ-આનાથી જ જ્ઞાનાવિત વૈરાગ્યથી જ, સામર્થ્ય સમગ્રપણું થાયઃ સાધુને સર્વ દુઃખના ઉચ્છેદ સ્વરૂપ અસંગભાવની પ્રાપ્તિવિશેષરૂપ સમગ્રપણું થાય અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિ થાય. કયોસ્તુ-વળી બંનેનું-દુ:ખાવિત અને મોહાવિત બંને વૈરાગ્યનું, સ્વોપર્વત =સ્વતા ઉપમર્દનથી=સ્વના વિનાશ દ્વારા સત્ર-આમાં=જ્ઞાનાવિત વૈરાગ્યમાં, ગુણવત્પરિચિત =ગુણવાનના પરતંત્રપણાથી વધ–ક્યારેક વં ચા–અંગપણું થાય=ઉપકારકપણું થાય. Ji૨પા શ્લોકાર્ચ - જ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ સાધુને સર્વદુ:ખના ઉચ્છેદસ્વરૂપ અસંગભાવની પ્રાતિવિશેષરૂપ સમગ્રપણું થાય અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિ થાય. વળી દુઃખાન્વિત અને મોહાન્વિત બંને વૈરાગ્યનું સ્વના વિનાશ દ્વારા જ્ઞાનાન્વિત વૈરાગ્યમાં ગુણવાનના પરતંત્રપણાથી ક્યારેક અંગાણું થાયaઉપકારપણું થાય. ગરપા! ટીકા : सामग्र्यमिति-अनेनैव-ज्ञानान्वितवैराग्येणैव, सामग्र्यं सर्वथा दुःखोच्छेदलक्षणं, स्यात्, ज्ञानसहितवैराग्यस्यापायशक्तिप्रतिबन्धकत्वात्, द्वयोस्तु-दुःखमोहान्वितवैराग्ययोः, स्वोपमर्दतः स्वविनाशद्वारा, अत्र-ज्ञानान्वितवैराग्ये, अङ्गत्वम्= उपकारकत्वं, कदाचिच्छु=भोदयदशायां स्यात्, गुणवतः पारतन्त्र्यं= आज्ञावशवृत्तित्वं ततः, ज्ञानवत्पारतन्त्र्यस्यापि फलतो ज्ञानत्वात् ।।२५।। Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ટીકાર્ય : अनेनैव સ્વાત્, આનાથી જજ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ, સમગ્રપણું થાય=સર્વથા દુ:ખના ઉચ્છેદસ્વરૂપ અસંગભાવની પ્રાપ્તિવિશેષરૂપ સમગ્રપણું થાય. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સર્વથા દુઃખના ઉચ્છેદરૂપ વીતરાગતાની પ્રાપ્તિરૂપ સમગ્રપણું કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે ..... સાધુસામગ્યદ્વાત્રિંશિકા/મ્લોક-૨૫ જ્ઞાનદિત ..... પ્રતિવન્ધત્વાત્ । જ્ઞાનસહિત વૈરાગ્યનું અપાયની શક્તિનું પ્રતિબંધકપણું છે અર્થાત્ સ્યાદ્વાદના યથાર્થ બોધથી યુક્ત વૈરાગ્યનો પરિણામ ક્ષાયિકભાવમાં વિશ્રાંત ન થાય ત્યાં સુધી ઉત્તર ઉત્તરમાં ઉદ્યમ કરાવીને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય તેવો છે, પરંતુ વિરક્તભાવનો પાત થાય તેવી જે અપાયશક્તિ, તેનું જ્ઞાનસહિત વૈરાગ્યમાં પ્રતિબંધકપણું છે. द्वयोस्तु ..... સ્વાત્, વળી બંનેનું=દુઃખાન્વિત વૈરાગ્યનું અને મોહાન્વિત વૈરાગ્યનું, સ્વ ઉપમર્દથી=સ્યવિનાશ દ્વારા, આમાં=જ્ઞાનાન્વિત વૈરાગ્યમાં, અંગપણું કદાચ થાય=ઉપકારકપણું શુભોદયદશામાં થાય અર્થાત્ જીવ તત્ત્વને અભિમુખ થાય એવા કષાયની મંદતારૂપ શુભોદયદશામાં ઉપકારકપણું થાય. અહીં પ્રશ્ન થાય કે દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય સ્વવિનાશ દ્વારા જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ શુભોદયદશામાં કઈ રીતે થાય છે ? તેમાં હેતુ કહે છે – મુળવત ..... જ્ઞાનત્વાત્ ।। ગુણવાનના પારતંત્ર્યથી-આજ્ઞાવશવૃત્તિપણાથી, જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ થાય; કેમ કે જ્ઞાનવાળા પુરુષના પારતંત્ર્યનું પણ ફળથી જ્ઞાતપણું છે અર્થાત્ દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્યવાળા જીવોમાં જ્ઞાન નહિ હોવા છતાં ગુણવાન પુરુષના જ્ઞાનના અવલંબતથી તેઓને ક્રમથી જ્ઞાન પ્રગટ થતું હોવાને કારણે ળથી જ્ઞાતપણું છે. રપ * જ્ઞાનવત્પારતવ્યાપિ - અહીં પિ થી એ કહેવું છે કે જ્ઞાનવાળા પુરુષમાં તો જ્ઞાનપણું છે, પરંતુ જ્ઞાનવાળા પુરુષને પરતંત્રનું પણ ફળથી જ્ઞાનપણું છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સાધુ સામર્થ્યાત્રિશિકા/બ્લોક-૨૫ ભાવાર્થ :જ્ઞાનાન્વિત વૈરાગ્યથી સાધુને સામર્થ્યની પ્રાપ્તિ - ભગવાનના વચનાનુસાર સર્વ નયોને ઉચિત સ્થાને જોડવાથી જે સમ્યજ્ઞાન થાય છે, તે સમ્યજ્ઞાનને કારણે ભવથી જેમનું ચિત્ત વિરક્ત થયેલું છે, તેવા જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા સાધુને સમગ્રપણું પ્રાપ્ત થાય છે અર્થાત્ સર્વથા મોહનું ઉમૂલન થવાથી મોહકૃત જે દુઃખ, તેના ઉચ્છેદની પ્રાપ્તિ થાય છે, કેમ કે સમ્યજ્ઞાનથી સહિત એવો વૈરાગ્ય દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્યની જેમ પાતશક્તિથી સમન્વિત નથી, પરંતુ જ્ઞાનાન્વિત વૈરાગ્ય પાતશક્તિનો પ્રતિબંધક છે. તેથી પ્રગટ થયેલો વૈરાગ્ય પાત પામ્યા વગર ઉત્તરોત્તર વૃદ્ધિને પામતો ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે. સાધુનું સમગ્રપણું એટલે સર્વથા સંગ વગરની વીતરાગભાવની પરિણતિ, જે કેવલજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા યોગનિરોધથી મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. દુઃખાવિત વૈરાગ્ય અને મોહાન્વિત વૈરાગ્ય શુભના ઉદયને કારણે ગુણવાનના પરતંત્રપણાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ : દુઃખગર્ભિત વૈરાગ્ય અને મોહગર્ભિત વૈરાગ્ય પ્રગટ થયા પછી પાતશક્તિથી યુક્ત હોવાથી નાશ પામે છે. તે રીતે નાશ પામેલો એવો દુઃખાવિત વૈરાગ્ય કે મોહાન્વિત વૈરાગ્ય જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ નથી, પરંતુ દુઃખાન્વિત કે જ્ઞાનાન્વિત વૈરાગ્યવાના યોગીઓને કોઈક રીતે શુભનો ઉદય વર્તતો હોય, અને તેના કારણે ગુણવાનને પરતંત્ર થવાનો પરિણામ થાય, તો ગુણવાનની પરતંત્રતાના કારણે દુઃખાન્વિત વૈરાગ્યવાળા જીવોમાં રહેલી વિષયોની અનુત્કટ અનિચ્છા સમ્યજ્ઞાનની પ્રાપ્તિથી ઉત્કટ અનિચ્છારૂપે પરિણમન પામે છે, અને દુઃખાન્વિત વૈરાગ્ય જ્ઞાનાન્વિત બને છે. તેમ મોહાન્વિત વૈરાગ્યવાળા જીવોને ભવની નિર્ગુણતાનું દર્શન હોવા છતાં તત્ત્વાતત્ત્વની વિચારણામાં જે મોહ છે, તે ગુણવાન પુરુષના પાતંત્ર્યથી ધીમે ધીમે ક્ષીણ થાય છે, અને એકાંત વાસના દૂર થાય છે, અને તેમનામાં સમ્યજ્ઞાન પ્રગટે છે; અને સમ્યજ્ઞાન પ્રગટ થવાને કારણે તેમનો મોહાન્વિત વૈરાગ્ય જ્ઞાનાન્વિત બને છે. 1રપા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સાધુસામઔદ્રાસિંચિકા/બ્લોક-૨૬ અવતરણિકા : ननु गुणवत्पारतन्त्र्यं विनाऽपि भावशुद्ध्या वैराग्यसाफल्यं भविष्यतीत्यत મહિ - અવતરણિતાર્થ : નનું થી કોઈ શંકા કરે છે કે ગુણવાનના પાણતંત્ર વગર પણ ભાવશુદ્ધિથી વૈરાગ્યનું સાફલ્ય થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૨૫માં કહ્યું કે જ્ઞાનાન્વિત વૈરાગ્ય સિવાયના દુઃખાવિત અને મોહાન્વિત બે વૈરાગ્યો ગુણવાનના પરતંત્રપણાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ છે, ત્યાં કોઈને શંકા થાય કે જેઓ ગુણવાન પુરુષને પરતંત્ર નથી, તેમનામાં પણ મોહાન્વિત વૈરાગ્યથી ભવની નિર્ગુણતાના દર્શનને કારણે જે વૈરાગ્ય વર્તે છે, તે વૈરાગ્યના કાળમાં આત્મકલ્યાણને અનુકૂળ ભાવશુદ્ધિ વર્તે છે. તેથી ભાવશુદ્ધિને કારણે તેમના વૈરાગ્યનું સાફલ્ય થશે. વળી જેઓ દુઃખાન્વિત વૈરાગ્યવાળા છે, તેમનું પણ ચિત્ત વર્તમાનમાં વિષયોથી વિરક્ત છે, તેથી વિષયોના ત્યાગને અનુકૂળ એવી ભાવશુદ્ધિને કારણે તેમના વૈરાગ્યનું સાફલ્ય થશે. એ પ્રકારની કોઈની આશંકામાં ગ્રંથકારશ્રી કહે છે – TળવFારતત્રં વિનાગર- અહીં થી એ કહેવું છે કે ગુણવાનના પારતંત્રથી તો વૈરાગ્યનું સાફલ્ય થાય, પરંતુ ગુણવાનના પાતંત્ર્ય વગર પણ ભાવશુદ્ધિથી વૈરાગ્ય સફળ થાય. શ્લોક :- भावशुद्धिरपि न्याय्या न मार्गाननुसारिणी । अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका ।।२६ ।। અન્વયાર્થ : પત વિના=આના વિના=ગુણવાનના પાણતંત્ર વિના પ્રજ્ઞાથી વાતચ= અપ્રજ્ઞાપ્ય એવા બાળની સ્થાત્મિવા=સ્વઆગ્રહસ્વરૂપ-સ્વરુચિ અનુસાર WWW.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ સાધુસાચ્ચઢાત્રિશિકા/શ્લોક-૨૬ ૧૧૧ શાસ્ત્રાર્થ કરવાની મનોવૃત્તિસ્વરૂપ, માનનુસારની=માર્ગઅનુસાર માવશુદ્ધિરપ–ભાવશુદ્ધિ પણ ન ચાચ્ય વ્યાપ્ય નથી=કલ્યાણનું કારણ નથી. li૨૬il. શ્લોકાર્ધ : ગુણવાનના પાતંત્ર્ય વિના આપજ્ઞાપ્ય એવા બાળની સ્વઆગ્રહસ્વરૂપ માર્ગઅનનુસારિભાવશુદ્ધિ પણ વાચ્ય નથી અર્થાત્ કલ્યાણનું કારણ નથી. ૨૬l. ટીકા : भावेति-भावशुद्धिरपि यमनियमादिना मनसोऽसङ्क्लिश्यमानतापि, एतत्= गुणवत्पारतन्त्र्यं, विना अप्रज्ञाप्यस्य-गीतार्थोपदेशावधारणयोग्यतारहितस्य, बालस्य अज्ञानिना, स्वाग्रहात्मिका शास्त्रश्रद्धाधिकस्वकल्पनाभिनिवेशमयी, मार्गो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही जीवपरिणामस्तदननुसारिणी न न्याय्या । यदाह - "भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियाऽत्यर्थं न पुनः स्वाग्रहात्मिका" ।। "रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।। “तथोत्कृष्टे जगत्यस्मिन् शुद्धिवै शब्दमात्रकम् । વૃદ્ધિનશનિર્મિતં નાર્થવદ્ મ” ! (ગષ્ટ-૨૨/-૨-) રદ્દા ટીકાર્ચ - માવશુદ્ધિર ..... મિનિગમથી, ભાવશુદ્ધિ પણ=થમ, નિયમાદિતી આચરણાથી મનની અસંક્ષિશ્યમાનતા પણ, આના વગર=ગુણવાનના પારતંત્ર વગર, અપ્રજ્ઞાપ્ય એવા બાળતી=ગીતાર્થના ઉપદેશના અવધારણની યોગ્યતા રહિત એવા અજ્ઞાનીની, સ્વાગ્રહાત્મિકા છે શાસ્ત્રશ્રદ્ધાથી અધિક સ્વકલ્પનાના અભિનિવેશમયી છે. ગુણવાનના પાતંત્ર્ય વગરના દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્યવાળા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાધુસામàદ્વાચિંશિકા/શ્લોક-૨૬ જીવોની સ્વઆગ્રહરૂપ ભાવશુદ્ધિ વળી કેવી છે ? તે બતાવવા અર્થે કહે છે - મા ... જાગ્યા | માર્ગ=વિશિષ્ટગુણસ્થાનની પ્રાપ્તિમાં સમર્થ એવો સ્વરસવાહી જીવતો પરિણામ, તેને અનુસાર એવી ભાવશુદ્ધિ, ગુણવાનના પારતંત્ર વગરના જીવોની છે. તેથી વ્યાપ્ય નથી કલ્યાણનું કારણ નથી. યવાદ – જે કારણથી અષ્ટક-૨૨, શ્લોક-૧-૨-૩માં કહ્યું છે. “ખવશુદ્રિપ ..... સ્વાધ્યાત્મિા” || ભાવશુદ્ધિ પણ જે આ માર્ગાનુસારિણી અત્યંત પ્રજ્ઞાપનાપ્રિય છે. તે જાણવી, પરંતુ સ્વઆગ્રહાત્મિકા નહિ. “ો .... તત્ત્વતઃ” || રાગ, દ્વેષ અને મોહ ભાવમાલિચના હેતુઓ છે. પરમાર્થથી આના ઉત્કર્ષથીગરાગ, દ્વેષ અને મોહના ઉત્કર્ષથી, આનો સ્વઆગ્રહનો, ઉત્કર્ષ જાણવો. તથોરે ..... મહેતુ” ! તે પ્રકારે=રાગાદિ ઉત્કર્ષરૂપે, આ ઉત્કૃષ્ટ હોતે છતે સ્વ આગ્રહ ઉત્કૃષ્ટ હોતે છતે, સ્વબુદ્ધિની કલ્પનારૂપ શિલ્પિથી નિર્મિત એવી શબ્દમાત્રરૂપ શુદ્ધિ અર્થવાળી થતી નથી જ ફળવાળી થતી નથી જ. ૨૬ જ માવશુદ્ધિર - અહીં પ થી એ કહેવું છે કે ભાવની અશુદ્ધિ તો કલ્યાણનું કારણ નથી, પરંતુ માર્ગઅનુસારિણી એવી ભાવશુદ્ધિ પણ કલ્યાણનું કારણ નથી. ભાવાર્થ :ગુણવાન એવા ગીતાર્થોની પરતંત્રતા વિનાની અપ્રજ્ઞાપ્ય બાળજીવોની સ્વઆગ્રહાત્મિકા ભાવશુદ્ધિ કલ્યાણનું અકારણ : જે જીવો દુઃખાવિત વૈરાગ્યવાળા છે અથવા તો મોહાન્વિત વૈરાગ્યવાળા છે અને ગુણવાનને પરતંત્ર નથી, તેઓ પાંચ મહાવ્રતોરૂપ યમો અને તેના પોષક એવા આચારરૂપ નિયમાદિનું સેવન કરતા હોય, અને જૈન દર્શનમાં રહેલા સાધુવેષમાં હોય, અને માસક્ષમણને પારણે માસક્ષમણ તપાદિ પણ કરતા હોય, તેમના ચિત્તમાં ભોગાદિના સંક્લેશનો અભાવ દેખાય છે, તે બાહ્યદૃષ્ટિથી ભાવશુદ્ધિ છે, તોપણ પરમાર્થથી ભાવશુદ્ધિ નથી; કેમ કે જે ભાવશુદ્ધિ ઉત્તર ઉત્તરની ભાવશુદ્ધિની વૃદ્ધિ દ્વારા પૂર્ણ ભાવશુદ્ધિનું કારણ છે, તે જ પરમાર્થથી અનુબંધવાળી ભાવશુદ્ધિ છે. દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્યવાળા જે જીવો ગુણવાનના પારતંત્રને Page #137 -------------------------------------------------------------------------- ________________ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૬ ૧૧૩ સ્વીકારતા ન હોય અને અપ્રજ્ઞાપ્ય એવા બાળ છે અર્થાત્ કોઈ ઉપદેશક તેમને ઉપદેશ આપે કે “સંયમની બધી આચરણા ગુણવાનના પરતંત્રથી સંવેગની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, તે સિવાય પૂલ આચરણામાત્રથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય નહિ,” છતાં ગીતાર્થના ઉપદેશને ગ્રહણ ન કરે તેવા અજ્ઞાની જીવો, સ્વઆગ્રહ અનુસાર બાહ્ય આચરણામાં રત રહે તે ભાવશુદ્ધિ મોક્ષનું કારણ નહિ હોવાથી પરમાર્થથી ભાવશુદ્ધિ નથી. વળી તેમનામાં રહેલો સ્વઆગ્રહ કેવો છે તે સ્પષ્ટ કરતાં બતાવે છે કે તેવા જીવોને જે શાસ્ત્રશ્રદ્ધા છે, તેના કરતાં અધિક સ્વકલ્પના પ્રત્યે અભિનિવેશ છે. આથી જ તેઓ શાસ્ત્રના પરમાર્થને જાણનારા ગુણવાન એવા ગીતાર્થનું પાતંત્ર્ય સ્વીકારતા નથી. વળી તેમની સ્વઆગ્રહાત્મિક ભાવશુદ્ધિ માર્ગઅનનુસારી છે, માટે પણ કલ્યાણનું કારણ નથી. માર્ગઅનુસારીનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે – વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ એવો સ્વરસવાહી જીવનો પરિણામ તે માર્ગ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં કદાગ્રહ દૂર થયો છે, તત્ત્વને જાણવાની જિજ્ઞાસા થઈ છે, તેથી સ્વાભાવિક રીતે ગીતાર્થો પાસેથી માર્ગને જાણવા યત્ન કરે છે, અને તેમનું ચિત્ત વક્રતા વગર તત્ત્વાતત્ત્વના નિર્ણય માટે પ્રવર્તતું હોય તેવા જીવોને આપ્તપુરુષના ઉપદેશથી પોતાને જે ગુણસ્થાનક પ્રાપ્ત થયું છે, તેનાથી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ એવો જે સ્વરસવાહી પરિણામ છે તે માર્ગ છે; અને તેવા માર્ગને નહિ અનુસરનારી સ્વઆગ્રહવાળી ભાવશુદ્ધિ છે માટે કલ્યાણનું કારણ નથી. llરકા અવતરણિકા : શ્લોક-૨૬માં સ્થાપન કર્યું કે ગુણવાનતા પારતંત્ર વગર ભાવશુદ્ધિ પણ પરમાર્થથી ભાવશુદ્ધિ નથી, માટે કલ્યાણનું કારણ નથી. તેથી જે દુઃખાવિત અને મોહાવિત વૈરાગ્યવાળા જીવો ગુણવાનને પરતંત્ર નથી, તેઓનો વૈરાગ્ય નિષ્ફળ છે. હવે ગુણવાનના પારતંત્રથી મોહનો અપકર્ષ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અશ્વ સાધુસામગ્રદ્ધાત્રિશિકા/શ્લોક-૨૭ થાય છે, માટે ભાવશુદ્ધિનું કારણ ગુણવાનનું પાણતંત્ર છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – 2cs : मोहानुत्कर्षकृच्चैतदत एवापि शास्त्रवित् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ।।२७।। मन्वयार्थ : चैत-सने मागवान पारतंत्र्य, मोहानुत्कर्षकृत्-मोहना अनुपने કરનાર છે= સ્વમતિ અનુસાર ચાલવાના કારણભૂત એવા મોહના અપકર્ષને १२नार छे. अत एव-माथी ४ शास्त्रविद् अपि-शास्त्राना नारा पाग क्षमाश्रमणहस्तेन= क्षमाश्रमका साथथी' इति मे प्रमाणे सर्वेषु कर्मसु-सर्व भमांस यासोमां, आहहे छे. ॥२७॥ vasiर्थ : અને આ ગુણવાનનું પારદંગ, મોહના અનુત્કર્ષને કરનાર છે. माथी । शास्त्रना नापर 'क्षमाश्रमणहस्तेन'='क्षमाश्रमाना હાથથી' એ પ્રમાણે સર્વ ક્રિયાઓમાં કહે છે. ર૭ના टी। : मोहेति-एतद्-गुणवत्पारतन्त्र्यं च, मोहानुत्कर्षकृत् स्वाग्रहहेतुमोहापकर्षनिबन्धनम्। तदाह - “न मोहोद्रिक्तताभावे स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि तदनुत्कर्षसाधनम्" ।। (अष्टक-२७/४) अत एव गुणवत्पारतन्त्र्यस्य मोहानुत्कर्षकृत्त्वादेव शास्त्रविदपि आगमज्ञोऽपि, सर्वेषु कर्मसु-दीक्षादानोद्देशसमुद्देशादिषु, क्षमाश्रमणहस्तेनेत्याह, इत्थमभिलापस्य भावतो गुरुपारतन्त्र्यहेतुत्वात्, तस्य च मोहापकर्षद्वाराऽतिचारशोधकत्वात् । तदाह - Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૨૭ “अत एवागमज्ञोऽपि दीक्षादानादिषु ध्रुवम् । ક્ષમશ્રમહિસ્તેનેત્યાદિ સર્વેષ કર્મસુ” | (Eવ-૨૨/) ર૭ાા ટીકાર્ચ - તઃ .. પર્ણવિન્દનમ્ ! અને આeગુણવાનનું પાતંત્ર્ય, મોહના અનુત્કર્ષત કરનારું છે સ્વઆગ્રહના હેતુ એવા મોહના અપકર્ષનું કારણ છે. તવાદ - તેને ગુણવાનનું પાતંત્ર મોહના અનુત્કર્ષત કરનારું છે તેને. અષ્ટક-૨૭, શ્લોક-૪માં કહે છે – “ન મોહોવિત્તતા ..... સાધનમ્” | મોહના ઉદ્વેકના અભાવમાં ક્યારે પણ સ્વાગ્રહ થતો નથી. વળી ગુણવાનનું પાતંત્ર તેના અનુત્કર્ષનું સાધન છે=મોહના અનુત્કર્ષનું સાધન છે. ગત વ ..., આથી જ ગુણવાનનું પાતંત્ર્ય મોહના અનુત્કર્ષનું સાધન હોવાથી જ, શાસ્ત્રના જાણનારા પણ=આગમના જાણનારા એવા મહાત્માઓ પણ, સર્વ કર્મમાં=દીક્ષાદાન, ઉદ્દેશ, સમુદ્દેશાદિ સર્વ ક્રિયાઓમાં, “ક્ષમાશ્રમદર્તિન'= ક્ષમાશ્રમણના હાથથી' એ પ્રમાણે=આ દીક્ષાદાનાદિની પ્રવૃત્તિ હું ક્ષમાશ્રમણના હાથથી કરું છું' એ પ્રમાણે, કહે છે. અહીં પ્રશ્ન થાય કે ‘ક્ષશ્રમUદર્તન'=“ક્ષમાશ્રમણના હાથથી' એ પ્રકારે બોલવાથી શું લાભ થાય, કે જેથી તે પ્રકારના વચનપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. તેમાં હેતુ કહે છે – રૂત્થમમિત્તાપી ..... શોધત્વત્િ ! આ પ્રકારના અભિલાષનું ભાવથી ગુણવાનના પારતંત્રનું હેતુપણું છે, અને તેનું ગુણવાનના પારતંત્રનું, મોહતા અપકર્ષ દ્વારા અતિચારથી શોધકપણું છે=ગુણવાનનું પાતંત્ર્ય અતિચારથી આત્માનું રક્ષણ કરનાર છે. તવાદ - તેને=પૂર્વમાં કહ્યું કે શાસ્ત્રના જાણનારા મહાત્માઓ પણ સર્વ ક્રિયામાં ગુણવાનના પાતંત્ર્ય અર્થે ‘ક્ષમાશ્રમગહર્તન’='ક્ષમાશ્રમણના હાથથી એ પ્રકારનો પ્રયોગ કરે છે, તેને અષ્ટક-૨૨, શ્લોક-પમાં કહે છે – પત વ ..... ” || આથી જ=ગુણવાનનું પાતંત્ર્ય મોહના અપકર્ષનો હેતુ હોવાથી જ, આગમવા જાણનારા મહાત્માઓ પણ સર્વ ક્રિયાઓમાં ની ‘ક્ષમામાહર્તા'= Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ‘ક્ષમાશ્રમણના હાથથી', એ પ્રમાણે કહે છે. જરા જ શાસ્ત્રવિપ=નમજ્ઞોગપિ - અહીં પિ થી એ કહેવું છે કે શાસ્ત્રના જાણનારા ન હોય તેવા મહાત્માઓ તો ગુણવાનને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરે, પરંતુ શાસ્ત્રના જાણનારા પણ મહાત્માઓ ગુણવાનને પરતંત્ર થવા માટે સર્વ ક્રિયાઓમાં ‘ક્ષમશ્રમUTહસ્તર'=“ક્ષમાશ્રમણના હાથથી' એ પ્રમાણે કહે છે. ભાવાર્થ : ગુણવાનના પાતંત્ર્યથી મોહનો અપકર્ષ થતો હોવાથી ગુણવાનનું પાતંત્ર્ય ભાવશુદ્ધિનું કારણ : ગુણવાનના વચનનું અવલંબન લઈને એમના વચનાનુસાર તત્ત્વનો નિર્ણય કરવા માટે અભિમુખ એવો જીવનો પરિણામ, અને તત્ત્વનો નિર્ણય કરીને તત્ત્વને જીવનમાં સેવવાને અભિમુખ એવો જીવનો પરિણામ, તે ગુણવાનનું પાતંત્ર્ય છે. આ પ્રકારના ગુણવાનના પાતંત્ર્યના પરિણામથી સ્વરુચિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાના હેતુભૂત એવા મોહના અનાદિના સંસ્કારો આત્મામાં પડ્યા છે, તેનો અપકર્ષ થાય છે. તેથી ગણવાનનું પાતંત્ર્ય મોહના અનુત્કર્ષને કરનાર છે; અને આથી જ શાસ્ત્રના જાણનારા મહાત્માઓ પણ સર્વ ક્રિયાઓમાં ‘ક્ષનાથમાહર્તન'=“ક્ષમાશ્રમણના હાથ વડે હું આ દીક્ષાદાનાદિ સર્વ કૃત્યો કરું છું” અર્થાત્ ક્ષમાપ્રધાન એવા ગુણસંપન્ન પુરુષને પરતંત્ર થઈને તેમના વચનના નિયંત્રણ નીચે હું આ દીક્ષાદાનાદિની પ્રવૃત્તિ કરું છું, આ પ્રકારનો અભિલાષ કરે. છે, અને આમ કરવાથી શાસ્ત્રના જાણનારાઓને પણ ભાવથી ગુણવાનના પરતંત્રનો પરિણામ અતિશયિત થાય છે. ગુણવાનના પાતંત્ર્યનો પરિણામ અતિશયિત થવાને કારણે મોહનો અપકર્ષ થાય છે અર્થાત્ સ્વમતિ પ્રમાણે ચાલવાને અનુકૂળ મોહના સંસ્કારોનો અપકર્ષ થાય છે. તેથી દીક્ષાદાનાદિ સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં ગુણવાનની આજ્ઞાથી અન્યથા પ્રવૃત્તિ કરાવે તેવા અતિચારનો સંભવ રહેતો નથી. કદાચ અનાભોગથી કોઈ સ્કૂલના થાય તોપણ ગુણવાનના પાતંત્ર્યના ભાવથી નિવર્તન પામે છે, તેથી દીક્ષાદાનાદિ સર્વ પ્રવૃત્તિઓ પૂર્ણવિધિ અનુસાર થાય છે, માટે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ ફલિતાર્થ : આનાથી એ ફલિત થાય કે શાસ્ત્રના જાણનારા મહાત્માઓને પણ ગુણવાનના પારતંત્રનો પરિણામ શુદ્ધિના ઉત્કર્ષને કરનારો છે, તો જેઓમાં જ્ઞાનાન્વિત વૈરાગ્ય નથી, પરંતુ દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્ય છે, તેઓને તો અશુદ્ધિનું નિવર્તન ગુણવાનના પાતંત્ર્ય વગર થઈ શકે નહિ. તેથી જેઓ ગુણવાનને પરતંત્ર થવાના અભિમુખવાળા પણ નથી, તેઓનો દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્ય કલ્યાણનું કારણ બની શકે નહિ, એમ શ્લોક-૨૬ સાથે સંબંધ છે. રબા અવતરણિકા : શ્લોક-૨૬માં કહ્યું કે ગુણવાનના પારતંત્ર વગર ભાવશુદ્ધિ પણ માર્ગ અનુસારી છે માટે કલ્યાણનું કારણ નથી. વળી શ્લોક-૨૭માં યુક્તિથી સ્થાપન કર્યું કે ગુણવાનનું પાતંત્ર્ય મોહના અપકર્ષનું કારણ છે માટે શાસ્ત્રના જાણનારા મહાત્માઓ પણ ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે. હવે ભવથી વિરક્ત થયેલા હોવા છતાં કેવા પ્રકારના જીવો ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારતા નથી, અને કેવા પ્રકારના જીવો ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : यस्तु नान्यगुणान् वेद न वा स्वगुणदोषवित् । स एवैतन्नाद्रियते न त्वासन्नमहोदयः ।।२८ ।। અન્વયાર્થ : વસ્તુ=જે વળી =અન્યના ગુણોને ન વે=જાણતા નથી, વા= અથવા સ્વગુણવોવ ન=સ્વના ગુણ-દોષોને જાણતા નથી અર્થાત્ પોતાનામાં કયા ગુણો છે અને કયા દોષો છે તેને જાણતા નથી, સ તે જ ત આને ગુણવાનના પાતંત્ર્યને, નાદિયતે–સ્વીકારતા નથી; તુ=પરંતુલાસમય: ન=આસામહોદયવાળા જીવો નહિ, અર્થાત્ આસન્ન મહોદયવાળા જીવો ગુણવાનના પારતંત્રને સ્વીકારતા નથી એમ નહિ, અર્થાત્ સ્વીકારે છે. ૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૨૮ શ્લોકાર્ધ : જે વળી અન્યના ગુણોને જાણતા નથી અથવા સ્વના ગુણ-દોષોને જાણતા નથી તે જ આને ગુણવાનના પાતંત્ર્યને, સ્વીકારતા નથી, પરંતુ આસન્નમહોદયવાળા જીવો નહિ, અર્થાત્ આસન્નમહોદયવાળા જીવો ગુણવાનના પાતંત્ર્યને સ્વીકારતા નથી એમ નહિ, અર્થાત્ સ્વીકારે છે. Il૨૮ ટીકા - સર્વિતિ-વ્યઃ ૨૮ાા શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. ર૮. ભાવાર્થ : અન્યના ગુણોને નહિ જાણનારમાં ગુણવાનનું પાતંત્ર્ય નથી : જે જીવોએ કલ્યાણના અર્થે સંયમ ગ્રહણ કરેલું છેઆમ છતાં તેમનામાં સમ્યજ્ઞાન પ્રગટ્યું નથી, તેથી જ્ઞાનાન્વિત વૈરાગ્ય નથી પરંતુ દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્ય છે; તેમાંથી જે જીવો અન્યના ગુણોને જાણતા નથી અર્થાત્ પોતે યત્કિંચિત્ શાસ્ત્રો ભણીને શાસ્ત્રના જાણનારા છે તેવું માનનારા છે, પરંતુ ગુણવાન પુરુષો શાસ્ત્રના મર્મને જાણીને શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરીને મોહનું કઈ રીતે ઉમૂલન કરે છે, તેના પરમાર્થને જેઓ જાણતા નથી, તેઓ જ આવા ગુણવાન પુરુષનું પાતંત્ર્ય સ્વીકારતા નથી. જો તેઓ કલ્યાણના અર્થી હોય, અને આ ગુણવાન પુરુષ શાસ્ત્રોના પરમાર્થને જાણીને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ દ્વારા આ રીતે મોહનું ઉમૂલન કરી રહ્યા છે, એ પ્રકારે તેઓના ગુણોને જો તેઓ જાણતા હોય, તો ભવથી વિરક્ત થયેલા એવા તેઓ અવશ્ય ગુણવાનના પાતંત્ર્યનો સ્વીકાર કરે. સ્વના ગુણ-દોષોને નહિ જાણનારમાં ગુણવાનનું પાતંત્ર્ય નથી : અથવા જેઓ પોતાના ગુણ-દોષોને જાણનારા નથી અર્થાત્ પોતાને ભવનો વૈરાગ્ય છે એ રૂપ પોતાનામાં યત્કિંચિત્ ગુણ છે, તોપણ ભવના ઉચ્છેદનો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સાધુસામય્યદ્વાત્રિશિકા/બ્લોક-૨૯ પારમાર્થિક બોધ પોતાને નથી, અને પોતાની તેવી સૂક્ષ્મ પ્રજ્ઞા પણ નથી કે જેથી શાસ્ત્રનાં રહસ્યોને પોતે પામી શકે, એ રૂપ પોતાના દોષોને જાણતા નથી, પરંતુ પોતાની યત્કિંચિત્ અલ્પ તુચ્છમતિમાં મહામતિનો ભ્રમ ધારણ કરે છે, તેઓ ગુણવાનના પાતંત્ર્યને સ્વીકારતા નથી. આસન્નમહોદયવાળા જીવો ગુણવાનના પાતંત્ર્યને સ્વીકારે છે : વળી જેઓ દુ:ખાન્વિત વૈરાગ્યવાળા હોય કે મોહાન્વિત વૈરાગ્યવાળા હોય કે જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા હોય, પણ જેમનો મહોદય આસન્ન છે=નજીક છે, કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય તેવી કર્મોની લઘુતા છે, તેવા જીવોની બુદ્ધિ માર્ગને અનુસરનારી હોય છે. તેથી અન્ય ગુણવાન પુરુષોના ગુણોને તેવા જીવો જાણી શકે છે અને પોતાના ગુણ-દોષોને યથાર્થ જાણી શકે છે; આથી પોતાના દોષોને દૂર કરવા અર્થે ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે. તેથી કદાચ જ્ઞાનાન્વિત વૈરાગ્ય તેમનામાં પ્રગટ ન થયો હોય તોપણ ગુણવાનના પાતંત્ર્યથી તે આસન્ન મહોદયવાળા જીવો દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્યનો નાશ કરીને જ્ઞાનાન્વિત વૈરાગ્યને પામે છે, અને જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા મહાત્માઓ પણ ગુણવાનને પરતંત્ર થઈને વિશેષ-વિશેષરૂપે મોહનો અપકર્ષ કરવા દ્વારા સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. ll૨૮ અવતરણિકા : ગુણવાનના પારતંત્રથી થતા લાભોને ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક :– गुणवद्बहुमानाद्यः कुर्यात्प्रवचनोन्नतिम् । अन्येषां दर्शनोत्पत्तेस्तस्य स्यादुन्नतिः परा ।।२९।। અન્વયાર્થ : =જે સાધક ગુણવáહુમાન-ગુણવાળાના બહુમાનથી પ્રવેવનોન્નતિમ= પ્રવચનની ઉન્નતિને =કરે તસ્ય તેનેeગુણવાનનું બહુમાન કરનાર સાધકને, ચેષાં સર્જનાત્મક અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે= ગુણવાનના બહુમાનથી અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે, પરા=પરા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રેષ્ઠ પિત–ઉન્નતિ થાય છે. ।।૨૯લા શ્લોકાર્થ : જે સાધક ગુણવાનના બહુમાનથી પ્રવચનની ઉન્નતિને કરે, તેને= ગુણવાનનું બહુમાન કરનાર સાધકને, અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે પરા ઉન્નતિ થાય. ।।૨ા સાધુસામગ્રદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ ટીકા : गुणवदिति - गुणवतां - ज्ञानादिगुणशालिनां बहुमानाद् यः प्रवचनस्योन्नतिं बहुजनश्लाघां कुर्यात्, तस्य स्वतोऽन्येषां दर्शनोत्पत्तेः परा तीर्थकरत्वादिलक्षणा उन्नति: स्यात्, कारणानुरूपत्वात्कार्यस्य । तदाह "यस्तून्नतौ यथाशक्ति सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह तदेवाप्नोत्यनुत्तमम्” ।। “प्रक्षीणतीव्रसङ्क्लेशं प्रशमादिगुणान्वितम् । निमित्तं सर्वसौख्यानां तथा सिद्धिसुखावहम् " ।। ।।२९।। ટીકાર્થ ઃ गुणवतां ઢાર્યસ્ય | ગુણવાનના=જ્ઞાનાદિગુણવાળાના, બહુમાનથી જે સાધક પ્રવચનની ઉન્નતિને=બહુજનમાં શ્લાઘાને કરે, તેને સ્વથી અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે, પરા=તીર્થંકરત્વાદિરૂપ પરા ઉન્નતિ થાય છે; કેમ કે કાર્યનું કારણને અનુરૂપપણું છે. તવાદ - તેને=પૂર્વમાં કહ્યું કે જેઓ ગુણવાનના બહુમાનને કારણે પ્રવચનની ઉન્નતિને કરે છે, તેમની પરા ઉન્નતિ થાય તેને, અષ્ટક-૨૩, શ્લોક-૩-૪માં કહે છે. “यस्तून्नतौ “પ્રક્ષી! અનુત્તમમ્” ।। સિદ્ધિમુલાવદમ્” ।। જે સાધક ઉન્નતિમાં=શાસનની પ્રભાવનામાં, યથાશક્તિ યત્ન કરે છે, તે પણ આ જન્મમાં અન્ય જીવોના સમ્યક્ત્વની હેતુતાને સ્વીકારીને અનુત્તમ એવા, પ્રક્ષીણ તીવ્ર સંક્લેશવાળા=નાશ પામ્યો છે તીવ્ર સંક્લેશ જેનો એવા, પ્રશમાદિ ગુણોથી યુક્ત, સર્વ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૯ સુખનું નિમિત્ત અને સિદ્ધિના સુખને લાવનારા તેને જ=સમ્યકત્વને જ. પ્રાપ્ત કરે છે." પ૨૯ ભાવાર્થ :ગુણવાનના બહુમાનથી તીર્થની ઉન્નતિ થવાને કારણે અન્યને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થવાથી સાધક યોગીને પ્રકૃષ્ટ ઉન્નતિની પ્રાપ્તિ - જે જીવોને આસન્ન મહોદય છે, તેવા જીવો ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે. સર્વત્ર તેમની આજ્ઞાને આગળ કરીને ઉચિત પ્રવૃત્તિ કરવી તે ગુણવાનનું પારતંત્ર છે. આ રીતે ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારવાને કારણે જ્ઞાનાદિ ગુણશાળી એવા યોગીઓનું બહુમાન થાય છે. જે સાધક યોગી આ રીતે ગુણવાનનું બહુમાન કરતા હોય તેનાથી ઘણા શિષ્યલોકમાં પ્રવચનની શ્લાઘા થાય છે, કેમ કે શિષ્ટ લોકો વિચારે છે કે આ દર્શનના આચારો ઉત્તમ છે, તેથી ગુણવાન પુરુષને પરતંત્ર થઈને આ બધા મહાત્માઓ ઉચિત પ્રવૃત્તિ કરે છે. આ રીતે ગુણવાનના પાતંત્ર્યને કારણે થતી પ્રવચનની ઉન્નતિથી ઘણા જીવોને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે, અને ઘણા જીવોના સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ગુણવાનને પરતંત્ર થનારા અને ગુણવાનનું બહુમાન કરનારા સાધકો નિમિત્ત બને છે, તેથી તેઓને તીર્થકરાદિ ભાવની પ્રાપ્તિરૂપ પરા ઉન્નતિ પ્રાપ્ત થાય છે, કેમ કે કાર્ય હંમેશાં કારણને અનુરૂપ હોય છે. આશય એ છે કે જે સાધક યોગી ગુણવાનને પરતંત્ર થઈને ગુણવાનના બહુમાનથી વર્તમાનમાં તીર્થની ઉન્નતિ કરે છે, તેનાથી પ્રકૃષ્ટ ઉન્નતિ કરવાને અનુકૂળ તેમનો જેવો અધ્યવસાય છે તેને અનુરૂપ ઉત્કૃષ્ટ પ્રવચનની ઉન્નતિનું કારણ બને તેવું પુણ્ય બંધાય છે. માટે પ્રવચનની ઉન્નતિને કરનારા જીવો પ્રકૃષ્ટ પ્રવચનની ઉન્નતિના કારણભૂત તીર્થંકરાદિ પુણ્યપ્રકૃતિને બાંધે છે, અને તેના દ્વારા સ્વ-પરનું કલ્યાણ સાધે છે. સારાંશ : ગુણવાનનું પાતંત્ર્ય Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સાધુસમસ્યદ્વાભિંશિકા/શ્લોક-૨૯ ગુણવાનના બહુમાનર પ. છે તેનાથી પ્રવચનની ઉન્નતિ. - તેનાથી અન્ય જીવોને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ. છે તેનાથી સ્વને તીર્થકરત્વાદિસ્વરૂપ પ્રકૃષ્ટ ઉન્નતિ. પ્રસ્તુત શ્લોકની ટીકામાં અષ્ટક-૨૩, શ્લોક-૩-૪ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે – જે સાધક યોગી પોતાની શક્તિ પ્રમાણે શાસનની ઉન્નતિ કરે છે, તેઓ અન્યના સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ શક્તિને ગોપવ્યા વગર ગુણવાનને પરતંત્ર થાય છે, અને પોતાની સર્વ પ્રવૃત્તિમાં ગુણવાનને આગળ કરે છે, તેઓ ગુણવાનના બહુમાનથી શાસનની ઉન્નતિને કરે છે, અને તે જીવો આ ભવમાં અન્ય જીવોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે; અને જે જીવો અન્ય જીવોને સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ બને છે, તે જીવો ઉત્તમ એવા સમ્યકત્વને પામે છે અર્થાત્ તીર્થંકર નામકર્મનું કારણ બને તેવા ઉત્તમ સમ્યકત્વને પામે છે. વળી તે સમ્યકત્વ કેવું છે, તે બતાવતાં કહે છે – (૧) ઉત્કટ સંક્લેશથી રહિત : પ્રક્ષણ તીવ્ર સંક્લેશવાળું છે અર્થાત્ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ્યા પછી વિષયોનો કદાચ સંશ્લેષ થાય તો પણ તે સંશ્લેષ નષ્ટપ્રાય હોય છે, અને વિષયોનો સંશ્લેષ તે સંક્લેશ છે, અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોવાને કારણે વિષયોમાં તીવ્ર સંશ્લેષ હોતો નથી. તેથી પ્રક્ષીણતીવ્રસંક્લેશવાળું સમ્યક્ત્વ છે. (૨) પ્રશમાદિ ગુણોથી સહિત – વળી અનંતાનુબંધી આદિ કષાયોના ઉપશમને કારણે પ્રમાદિ ગુણોથી યુક્ત છે=પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણથી સંગત એવું સમ્યકત્વ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૩૦ (૩) સર્વ સુખોનું કારણ - વળી સર્વ સુખોનું નિમિત્ત કારણ છે; કેમ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. તેથી સંસારમાં જન્મે તોપણ સદ્ગતિ અને સર્વ સુખ-સામગ્રીથી યુક્ત ભવને પ્રાપ્ત કરે છે, તેથી સર્વ સુખોનું નિમિત્ત સમ્યકત્વ છે. (૪) સિદ્ધિસુખનું પ્રાપક :વળી અંતે સિદ્ધિસુખને=નિર્વાણસુખને, પ્રાપ્ત કરાવનારું સમ્યકત્વ છે. આવા પ્રકારનું સમ્યકત્વ પણ ઉત્તમ ગુણવાનના બહુમાનને કારણે તીર્થકર નામકર્મનું કારણ બને તેવું યોગી પ્રાપ્ત કરે છે. રિલા અવતરણિકા : જેઓ ગુણવાનને પરતંત્ર થતા નથી, પરંતુ સાધુપણું સ્વીકારીને સ્વમતિ પ્રમાણે વર્તે છે, તેઓ શાસનના માલિચથી અનર્થની પરંપરાને પ્રાપ્ત કરે છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક : यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ।।३०।। અન્વયાર્થ : વસ્તુ જે વળી શાસનમનિચે શાસનના માલિચમાં, નામોનપત્ર અનાભોગથી પણ વર્તતે વર્તે છે, તે તુતે વળી મહાનર્થીનિવશ્વન=મહાઅનર્થના કારણ એવા મિથ્યાત્વ=મિથ્યાત્વને વન્નતિ બાંધે છે. શ્લોકાર્ચ - જે વળી શાસનના માલિચમાં અનાભોગથી પણ વર્તે છે, તે વળી મહાઅનર્થના કારણ એવા મિથ્યાત્વને બાંધે છે. Il3oll ટીકા : यस्त्विति-यस्तु शासनमालिन्ये लोकविरुद्धगुणवनिन्दादिना प्रवचनोपघाते, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૦ अनाभोगेनापि=अज्ञानेनापि, वर्तते, स तु शासनमालिन्योत्पादनावसर एव मिथ्यात्वोदयात् महानर्थनिबन्धनं दुरन्तसंसारकान्तारपरिभ्रमणकारणं मिथ्यात्वं बध्नाति । यदाह - “यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम्" ।। "बध्नात्यपि तदेवालं परं संसारकारणम् । વિપાિ ધોરં સર્વાનર્થન વનમ્” || (ગષ્ટ-૨૩-૧/૨) રૂપા ટીકાર્ચ - થતુ ..... વનતિ ! જે વળી શાસનના માલિચમાં=લોકવિરુદ્ધ એવા ગુણવાનની નિંદાદિ દ્વારા પ્રવચનના ઉપઘાતમાં, અનાભોગથી પણ= અજ્ઞાનથી પણ, વર્તે છે, તે વળી શાસનમાલિત્યના ઉત્પાદનના અવસરમાં જ મિથ્યાત્વનો ઉદય હોવાને કારણે મોટા અનર્થનું કારણ દુરંત સંસારરૂપી અટવીમાં પરિભ્રમણના કારણ એવા, મિથ્યાત્વને બાંધે છે. થવાદ - જેતે કહે છે=શ્લોકમાં જે કહ્યું તેને અષ્ટક-૨૩, શ્લોક૧,૨માં કહે છે – “યઃ શાસની ..... ધ્રુવ” | “વMત્યિપ ..... વિન્ધનમ્| જે અનાભોગથી પણ શાસનના માલિચમાં વર્તે છે, તે તેના વડે= શાસનમાલિચ વડે, અન્ય પ્રાણીઓના નક્કી મિથ્યાત્વનું હેતુપણું હોવાથી, ઉત્કૃષ્ટ સંસારનું કારણ, વિપાકથી દારુણ, ઘોર, સર્વ અનર્થનું કારણ, એવું તે જ=મિથ્યાત્વ જ, અત્યંત બાંધે પણ છે. 11૩૦માં નોવિરુદ્ધ ગુનૈદ્રિના - અહીં નિન્દાદ્રિ માં ઃિ થી પ્રવચનના માલિન્યનું કારણ એવી સ્વચ્છંદ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. અનામોના અહીં પ થી એ કહેવું છે કે જેઓ આભોગથી શાસનમાલિન્યમાં પ્રવર્તે છે, તેઓ તો મિથ્યાત્વ બાંધે છે, પરંતુ અનાભોગથી પણ જેઓ શાસનમાલિન્યમાં પ્રવર્તે છે, તેઓ મિથ્યાત્વ બાંધે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૩૧ ભાવાર્થ :અનાભોગથી પણ શાસનનું માલિન્ય કરનારને મહાઅનર્થનું કારણ મિથ્યાત્વનો બંધ : કેટલાક જીવો સંયમજીવનમાં શુદ્ધ આચાર પાળવાના પક્ષપાતી હોય છે, અને સમુદાયમાં શુદ્ધ આચારોનું પાલન થાય નહિ તેવું જણાવાથી ગુણવાન એવા ગીતાર્થનો ત્યાગ કરે છે અને સ્વમતિ અનુસાર નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં ઉદ્યમ કરે છે. તેઓ લોકો આગળ કહે છે કે આ મહાત્માઓ સમુદાયમાં અધ્યયનાદિ સુંદર કરે છે, પરંતુ શુદ્ધ ભિક્ષાદિ આચારમાં ઉદ્યમ કરતા નથી, અને સમુદાયમાં સંયમના દોષો લાગવાથી સમુદાયને છોડીને અમે શુદ્ધ સંયમ પાળીએ છીએ. આમ કહીને ગુણવાન એવા મહાત્માઓની નિંદા કરે છે, તે ગુણવાનની નિંદા લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે અને તેનાથી પ્રવચનનું માલિન્ય થાય છે; અને એ પ્રકારનું પ્રવચનનું માલિન્ય અનાભોગથી થતું હોય તોપણ દુરંત સંસારનું કારણ એવા મિથ્યાત્વની પ્રાપ્તિનું કારણ છે. IBના અવતરણિકા : શ્લોક-૩૦માં કહ્યું કે અનાભોગથી પણ જેઓ શાસનનું માલિત્ય કરે છે તેઓ મિથ્યાત્વને બાંધે છે. આનાથી અર્થથી એ ફલિત થયું કે જેઓ ગુણવાનને પરતંત્ર નથી અને સ્વમતિ અનુસાર સંયમના આચારો પાળે છે, તેઓ શાસનનું માલિત્ય કરીને મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. તે સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરનારા કઈ રીતે શાસનનું માલિત્ય કરે છે, અને તેમની સંયમની આચરણ સંયમના સામર્થ્યનું કેમ કારણ નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया । गुणानां तेन सामग्र्यं गुणवत्पारतन्त्र्यतः ।।३१।। અન્વયાર્થ :ચ અને વાતાનાં બાળ જીવોનો અજ્ઞાનીજીવોનો, સ્વેચ્છાવારે સ્વેચ્છાચાર Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ હોતે છતે માર્નવાધયા=માર્ગની બાધાને કારણે મતિચં=માલિત્ય થાય છે અર્થાત્ શાસનનું માલિત્ય થાય છે તેનતે કારણથી ગુણવત્પારતંત્યંત= ગુણવાનના પારતંત્ર્યથી ગુળનાં=ગુણોનું સામથં=સમગ્રપણું મતિ-થાય છે અર્થાત્ જ્ઞાનાદિ ગુણોના ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય છે. ૫૩૧૫ શ્લોકાર્થ : બાળજીવોનો=અજ્ઞાનીજીવોનો, સ્વેચ્છાચાર હોતે છતે માર્ગની બાધાને કારણે શાસનનું માલિન્ય થાય છે. તે કારણથી ગુણવાનના પારતંત્ર્યથી ગુણોનું સમગ્રપણું થાય છે=જ્ઞાનાદિ ગુણોના ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય છે. ।।૩૧।! ટીકા ઃ स्वेच्छेति बालानाम् अज्ञानिनां स्वेच्छाचारे च सति मार्गस्य बाधया 'अप्रधानपुरुषोऽयं जैनानां मार्ग' इत्येवं जनप्रवादरूपया मालिन्यं भवति मार्गस्य, तेन हेतुना गुणवत्पारतन्त्र्यत एव गुणानां ज्ञानादीनां सामग्र्यं पूर्णत्वं, મતિ ।।રૂ।। ટીકાર્ય ઃबालानाम् મતિ ।। બાળજીવોનો=અજ્ઞાતીઓનો, સ્વેચ્છાચાર હોતે છતે માર્ગની બાધાથી=“અપ્રધાનપુરુષવાળો આ જૈનોનો માર્ગ છે” એ પ્રકારના જનપ્રવાદરૂપ માર્ગની બાધાથી, માર્ગનું માલિત્ય થાય છે=ભગવાનના શાસનનું માલિત્ય થાય છે, તે હેતુથી=સ્વેચ્છાચારથી શાસનનું માલિત્ય થાય છે તે હેતુથી, ગુણવાનના પરતંત્રપણાથી જ જ્ઞાનાદિ ગુણોનું સમગ્રપણું= પૂર્ણપણું, થાય છે. ।૩૧।। ભાવાર્થ : સ્વેચ્છાચારથી શાસનનું માલિન્ય અને ગુણવાનના પરતંત્રપણાથી જ્ઞાનાદિ ગુણોના સમગ્રપણાની પ્રાપ્તિ : જેઓ શાસ્ત્રના અધ્યયનથી ગીતાર્થ થયા નથી તેઓ બાળ છે, અર્થાત્ Page #151 -------------------------------------------------------------------------- ________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ૧૨૭ અજ્ઞાની છે. આવા અજ્ઞાની જવો સ્વઈચ્છાનુસાર સંયમની આચરણા કરે તો શિષ્યલોકમાં માર્ગનો બાધ થાય; કેમ કે વિચારક એવા શિષ્ટ લોકો અજ્ઞાની જીવોની સંયમની સ્વેચ્છા અનુસાર પ્રવૃત્તિ જોઈને વિચારે છે કે “કોઈ આપ્ત પુરુષોથી પ્રવર્તિત આ જૈનોનો માર્ગ નથી,” આથી આ રીતે જૈનોના સાધુભગવંતો સ્વ-સ્વમતિ અનુસાર જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે, તેથી અજ્ઞાની જીવોની સંયમની આચરણા પણ માર્ગના માલિન્યનું કારણ છે. વળી જે આચરણા વિવેકપૂર્વક નહિ હોવાથી માર્ગના માલિત્યનું કારણ હોય તે આચરણા બાહ્યથી સુંદર આચરાતી હોય, બાહ્યથી શાસ્ત્રવિધિ અનુસાર કરાતી હોય, તોપણ તે ક્રિયાઓની આચરણાથી પૂર્ણપણે પ્રાપ્ત થતું નથી, પરંતુ ગુણવાનને પરતંત્ર થવાથી વિવેકપૂર્વકની પ્રવૃત્તિ થાય છે. તેથી પૂર્ણપણે પ્રાપ્ત થાય છે, કેમ કે ગુણવાનને પરતંત્ર થઈને સંયમની આચરણ કરનાર સાધુની સર્વ ક્રિયા વીતરાગના વચનાનુસાર હોવાથી મોહનું ઉમૂલન કરીને ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. ૩૧ અવતરણિકા : સંયત એવા મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ, ભિક્ષા વડે ભિક્ષભાવ અને વૈરાગ્યથી વિરક્તભાવ છે, એ પ્રમાણે શ્લોક-૧માં કહ્યું, અને તેનું સ્વરૂપ શ્લોક-૩૧ સુધી વિસ્તારથી બતાવ્યું. હવે તે સર્વ કથનનું નિગમત કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : इत्थं विज्ञाय मतिमान् यतिर्गीतार्थसङ्गकृत् । त्रिधा शुद्ध्याचरन् धर्मं परमानन्दमश्नुते ।।३२ ।। અન્વયાર્થ: રૂત્યં આ રીતે શ્લોક-૧થી૩૧ સુધી વર્ણન કર્યું એ રીતે, વિજ્ઞા=જાણીને અર્થાત્ મુનિના સ્વરૂપને જાણીને, તાર્થસ –ગીતાર્થના સંગને કરનાર મતિમાન્ યતિ =મતિમાન એવા સાધુ, ત્રિધા ત્રણ પ્રકારની શુદ્ધિથી ઘર્મમાઘરન્ટ ધર્મનું આચરતા પરમાનન્દમ્ ૩ઝુતે પરમાનંદને પામે છે અર્થાત્ પરમ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સાધુસામચ્ચિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ આનંદસ્વરૂપ મોક્ષને પામે છે. [૩૨II શ્લોકાર્ચ - આ રીતે બ્લોક-૧ થી ૩૧ સુધી વર્ણન કર્યું એ રીતે, મુનિના સ્વરૂપને જાણીને, ગીતાર્થના સંગને કરનાર મતિમાન એવા સાધુ ત્રણ પ્રકારની શુદ્ધિથી ધર્મને આચરતા પરમાનંદને પામે છે. IBશા ટીકા : નિતિ-પષ્ટ: સારૂ૨ાા શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. ૩૨ા. ભાવાર્થ :શ્લોક-૧ થી ૩૧ સુધીના કથનનું નિગમન : શ્લોક-૧ થી ૩૧ સુધી સાધુનું સમગ્રપણું ત્રણ પ્રકારે થાય છે તે ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવ્યું. (૧) જ્ઞાનથી જ્ઞાનીભાવ, (૨) ભિક્ષાથી ભિક્ષુભાવ અને (૩) વૈરાગ્યથી વિરક્તભાવ થાય છે. તેમાં પ્રથમ (૧) વિષયપ્રતિભાસજ્ઞાન, (૨) આત્મપરિણતિમજ્ઞાન અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાન, એમ ત્રણ પ્રકારનાં જ્ઞાનો બતાવ્યાં. તે ત્રણે જ્ઞાનોમાંથી તત્ત્વસંવેદનજ્ઞાનરૂપ ત્રીજા જ્ઞાનથી મુનિમાં જ્ઞાનીભાવ પ્રગટે છે. વળી (૧) સર્વસંપન્કરીભિક્ષા (૨) પૌરુષદનીભિક્ષા અને (૩) વૃત્તિભિક્ષા, એમ ત્રણ પ્રકારની ભિક્ષા બતાવી. તે ત્રણ ભિક્ષામાંથી સર્વસંપન્કરી ભિક્ષાથી મુનિમાં ભિક્ષુભાવ પ્રગટે છે. વળી (૧) દુઃખાવિતવૈરાગ્ય, (૨) મોહાવિતવૈરાગ્ય અને (૩) જ્ઞાનાન્વિતવેરાગ્ય, એમ ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવ્યા. તે ત્રણ વૈરાગ્યમાંથી જ્ઞાનાન્વિત વૈરાગ્યથી મુનિમાં વિરક્તભાવ પ્રગટે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ આ પ્રકારે મુનિની સમગ્રતાનાં ત્રણ કારણોને જાણીને જે મતિમાન સાધુ ગીતાર્થના સંગને કરનારા છે અર્થાત્ ગીતાર્થને પરતંત્ર છે, તેઓ (૧) તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાન કરવા દ્વારા ધર્મને સેવે છે, (૨) વિશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવા દ્વારા સંયમધર્મને સેવે છે અને (૩) વૈરાગ્યની વૃદ્ધિ દ્વારા ધર્મને સેવે છે. આ રીતે ધર્મને સેવનારા સાધુ ક્રમસર અસંગભાવને પામે છે, અને શક્તિનો પ્રકર્ષ થાય તો ક્ષાયિકભાવના ચારિત્રને પ્રાપ્ત કરે છે, અને તેના ફળરૂપે પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ll૩શા રૂતિ સાધુસાધ્યાત્રિશિt Tદ્દા Page #154 -------------------------------------------------------------------------- ________________ "इत्थं विज्ञाय मतिमान्, यतिर्गीतार्थसङ्गकृत् / त्रिधा शुद्ध्याचरन्; પરમાનન્દ્રમશનને " “પ્રસ્તુત બત્રીશીમાં વર્ણન કર્યું એ રીતે, મુનિના સ્વરૂપને જાણીને, ગીતાર્થના સંગને કરનાર મતિમાન એવા સાધુ ત્રણ પ્રકારની શુદ્ધિથી ધર્મનું આચરતા પરમાનંદને પામે છે.” : પ્રકાશક : માતાથ . 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : (079) 26604911, 32911471 E-mail : gitarthganga@yahoo.co.in : મુદ્રક : સૂર્યા ઓફસેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૮. ફોન : (02717) 230102, 230366 Design by : બોધિદર્શન ગ્રાફિક્સ, અ’વાદ : 09825074889