SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ વિશેષાર્થ : જે સાધુ સંયમના વેશમાં રહીને સંયમની ઉચિત ક્રિયાઓ યથાર્થ રીતે કરતા ન હોય અને કદાચ બેતાલીશ દોષથી રહિત ભિક્ષાને ગ્રહણ કરે તો તે સાધુની ભિક્ષા સ્વરૂપથી આરંભના પરિહારવાળી હોવા છતાં ફળથી આરંભના દોષવાળી છે; કેમ કે ભિક્ષા ગ્રહણ કરવામાં કોઈ દોષોનું સેવન નહિ હોવા છતાં તે ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહથી મોહની વૃદ્ધિને અનુકૂળ પ્રમાદને પોષે છે; તેથી તે ભિક્ષા સ્વરૂપથી આરંભ વગરની હોય તોપણ ફળથી આરંભવાળી છે. વળી જે સાધુઓ સંયમમાં પ્રમાદી છે અને ભિક્ષાના દોષોની યતના કરતા નથી, તેઓની ભિક્ષા સ્વરૂપથી પણ અસરંભવાળી છે અને ફળથી પણ અસરંભવાળી છે. આવી ભિક્ષા પૌરુષઘ્ની ભિક્ષા કહેવાઈ છે. વળી અષ્ટક-૫, શ્લોક-૪/૫ની સાક્ષી ટીકામાં આપી. તે પાઠ પ્રમાણે, કોઈ શ્રાવક ભિક્ષાથી આજીવિકા કરતા હોય તો આ શ્રાવકો અનુચિત ક૨ના૨ા છે, એ પ્રકારનું ધર્મનું લાઘવ થાય છે. ૫૯ વળી કોઈ શ્રાવક શરીરથી રોગિષ્ઠ હોય, ધન અર્જન કરવા માટે અસમર્થ હોય અને ભિક્ષાથી આજીવિકા કરતા હોય, તેમની ભિક્ષા વૃત્તિભિક્ષા છે; કેમ કે વૃત્તિભિક્ષાની પ્રવૃત્તિથી લોકમાં ધર્મનું લાઘવ થતું નથી. ૧૧ll અવતરણિકા : શ્લોક-૯માં ત્રણ પ્રકારની ભિક્ષા છે, તેમ કહ્યું. તેથી પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ શ્ર્લોક-૧૦માં બતાવ્યું. ત્યારપછી પૌરુષઘ્ની ભિક્ષાનું સ્વરૂપ શ્લોક-૧૧માં બતાવ્યું. હવે ક્રમપ્રાપ્ત વૃત્તિભિક્ષાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક ઃ क्रियान्तरासमर्थत्वप्रयुक्ता वृत्तिसञ्ज्ञिका । दीनान्धादिष्वियं सिद्धपुत्रादिष्वपि केषुचित् ।। १२ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy