SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામય્યદ્વાચિંશિકા/સંકલના ૧૦ એવા દેહના ઉપષ્ટભ માટે સાધુ ગ્રહણ કરે છે, અને તે ભિક્ષાથી ઉપખંભ પામેલ દેહના બળથી પોતાનામાં પ્રગટ થયેલ તત્ત્વસંવેદનજ્ઞાનને પ્રકર્ષ કરવા સાધુ સમર્થ બને છે, તેથી તત્ત્વસંવેદનજ્ઞાનના પ્રકર્ષનું અનન્ય અંગ હોવાથી સાધુની ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા છે. (૨) પૌરુષપ્ની ભિક્ષાનું સ્વરૂપ: જે જીવો સાધુવેષ ગ્રહણ કરીને નિર્દોષ ભિક્ષામાં યત્ન કરતા નથી, તેમની ભિક્ષા પૌરુષની ભિક્ષા છે. વળી જે સાધુઓ ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર કરીને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે, છતાં તે ભિક્ષાથી પુષ્ટ થયેલ દેહને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યનો પ્રકર્મ કરવા માટે પ્રવર્તાવતા નથી, તેમનો દેહ યથાતથા પ્રવૃત્તિ કરીને આરંભ-સમારંભ કરે છે, અને તે આરંભ-સમારંભને પુષ્ટ કરનાર એવી તે ભિક્ષા છે, તેથી ભિક્ષાના સર્વ દોષોના પરિહારપૂર્વકની ભિક્ષા ગ્રહણ કરેલ હોય તોપણ તે પૌરુષની ભિક્ષા છે. વળી સંવિગ્નપાક્ષિક જીવો સાધુવેષમાં છે, અને સ્વશક્તિ અનુસાર સંયમની ક્રિયાઓ કરે છે, છતાં ભાવથી મુનિપણામાં નથી, તેથી તેમનો દેહ પરિગ્રહરૂપ છે; અને તે પરિગ્રહરૂપ દેહને ઉપખંભ કરનારી તેમની ભિક્ષા છે, તેથી તે ભિક્ષા સર્વસંપન્કરી કહી શકાય નહિ, તોપણ તે ભિક્ષા દ્વારા સંવિગ્નપાક્ષિક જીવો પોતાના સર્વીર્યનો નાશ કરતા નર્થ માટે તેમની ભિક્ષા પૌરુષMી ભિક્ષા પણ કહી શકાય નહિ, પરંતુ તેમની ભિક્ષા સર્વસંપન્કરીનું કારણ એવી દ્રવ્ય સર્વસંપન્કરી ભિક્ષા છે, તેમ કહી શકાય. આનાથી એ ફલિત થાય કે જે ભિક્ષા દીક્ષાના પરિણામની વિરોધી હોય તે ભિક્ષા પૌરુષની ભિક્ષા કહેવાય અર્થાત્ જે ભિક્ષાથી દીલાવરણીય કર્મનો= ચારિત્રાવરણ કર્મનો, બંધ થાય તે ભિક્ષા પૌરુષક્ની છે અને તેનાથી ધર્મનું લાઘવ થાય છે. સંવિગ્નપાક્ષિક જીવો ભિક્ષા ગ્રહણ કરીને પણ તેનાથી પુષ્ટ થયેલા દેહ દ્વારા દીક્ષાના આવારક કર્મોને તોડીને દીક્ષાની અનુકૂળ શક્તિનો સંચય કરે છે, અને જે સાધુ નિર્દોષ ભિક્ષા આદિમાં યત્ન કરતા હોય, છતાં સ્વશક્તિ અનુસાર તપ-સંયમમાં કે નવું નવું અધ્યયન કરીને સંવેગની વૃદ્ધિમાં ઉદ્યમ કરતા નથી, અને જો તેમની ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહ દ્વારા ત્રણ ગુપ્તિનો અભિમુખભાવમાત્ર પણ થતો ન હોય તો તેમની ભિક્ષા દીક્ષાવરણીય= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy