SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્રંદ્વાત્રિંશિકા/સંકલના ચારિત્રાવરણીય, કર્મોને તોડવા સમર્થ નથી, પરંતુ દીક્ષાવરણીયચારિત્રાવરણીય, કર્મબંધને અનુકૂળ એવી તે ભિક્ષા છે, માટે તેમની ભિક્ષા પૌરુષની છે. (૩) વૃત્તિ ભિક્ષાનું સ્વરૂપ ઃ જે જીવો આજીવિકા કરવા માટે સમર્થ નથી, તેઓ ભિક્ષા દ્વારા પોતાના જીવનનો નિર્વાહ કરે છે, તે વૃત્તિભિક્ષા છે, અને આ વૃત્તિભિક્ષા જેમ દીનઅંધાદિમાં છે, તેમ કેટલાક સિદ્ધપુત્રાદિમાં છે; તેનું સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૨માં કરેલ છે. ૧૧ અહીં સાધુનું સમગ્રપણું બતાવવા માટે ત્રણ પ્રકારનાં જ્ઞાનો બતાવ્યાં. તેમા પ્રથમ વિષયપ્રતિભાસજ્ઞાન બતાવ્યું, પછી આત્મપરિણામવતુજ્ઞાન બતાવ્યું અને પછી તત્ત્વસંવેદનજ્ઞાન બતાવ્યું. વસ્તુતઃ સાધુ તત્ત્વસંવેદનજ્ઞાનવાળા છે, તોપણ સાધુના તત્ત્વસંવેદનજ્ઞાનને બતાવવા માટે ત્રણે જ્ઞાનોનું સ્વરૂપ બતાવ્યું. તેમાં પ્રથમ તત્ત્વસંવેદનજ્ઞાન બતાવવાના બદલે વિષયપ્રતિભાસજ્ઞાન બતાવ્યું; કેમ કે, અનાદિકાળથી જીવમાં વિષયપ્રતિભાસજ્ઞાન છે, અને તે વિષયપ્રતિભાસજ્ઞાન જ વિવેક ખુલે ત્યારે આત્મપરિણામવજ્ઞાન બને છે, અને તે આત્મપરિણામવત્જ્ઞાન જ સત્ત્વનો પ્રકર્ષ થાય ત્યારે તત્ત્વસંવેદનશાન બને છે. તેથી પ્રાપ્તિના ક્રમને સામે રાખીને તત્ત્વસંવેદનજ્ઞાનને અંતે કહેલ છે. વળી ભિક્ષાના વર્ણનમાં પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષા બતાવી, પછી બીજી પૌરુષની ભિક્ષા બતાવી અને ત્રીજી વૃત્તિભિક્ષા બતાવી. તેનું કારણ ભિક્ષાની પ્રાપ્તિ વૃત્તિભિક્ષાથી થતી નથી, પરંતુ વૈરાગ્ય પામેલ જીવ સંયમ ગ્રહણ કરે અને સત્ત્વશાળી હોય તો પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષા પ્રાપ્ત થાય છે. વળી કોઈ જીવ કોઈક રીતે વૈરાગ્ય પામીને સંયમ ગ્રહણ કરે, છતાં જો તે ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહ દ્વારા ગુપ્તિની વૃદ્ધિમાં ઉદ્યમ ન કરે તો તે ભિક્ષા આત્મકલ્યાણનું કારણ બનતી નથી, પરંતુ સત્પુરુષાર્થના નાશનું કારણ બને છે, તેથી સર્વસંપત્કરી ભિક્ષા બતાવ્યા પછી પૌરુષની ભિક્ષા બતાવેલ છે. વળી સંસારમાં સર્વ જીવો ભિક્ષાવૃત્તિ કરતા નથી, પરંતુ જેઓ આજીવિકા કરવા માટે અસમર્થ છે, તેઓ ભિક્ષાવૃત્તિ કરે છે, તે ભિક્ષાવૃત્તિ સર્વસંપત્કરી અને પૌરુષઘ્ની ભિક્ષા કરતાં જુદી છે, તે બતાવવા માટે ત્રીજી વૃત્તિભિક્ષા બતાવેલ છે, તેથી જ્ઞાનમાં જેમ તત્ત્વસંવેદનજ્ઞાનને ત્રીજું બતાવ્યું, તેમ ભિક્ષામાં સર્વસંપત્કરી ભિક્ષા ત્રીજી બતાવેલ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy