SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨ સંવેદનમાં રહેલ ‘સમ્' પદથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ થાય છે; કેમ કે ‘સમ્’ શબ્દ સમ્યક્ પદનો વાચક છે. અવિરતસમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન કેવું છે તે બતાવીને તત્ત્વસંવેદનજ્ઞાનમાં ‘સમ્યગ્’ પદથી અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ કેમ છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અવિરતસમ્યગ્દષ્ટિમાં ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધ છે, તે જ્ઞાન છે, અને તે જ્ઞાન આત્માના હિતને અનુકૂળ પ્રવૃત્તિમાં પ્રેરણા કરે છે અને આત્માના અહિતને અનુકૂળ પ્રવૃત્તિમાં નિવૃત્તિની પ્રેરણા કરે છે; આમ છતાં અવિરતસમ્યગ્દષ્ટિ જીવ ભોગાદિની ઈચ્છાથી ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમાં પ્રયોજક તેનામાં રહેલા ભોગ પ્રત્યેના આકર્ષણના સંસ્કારો છે, જે જીવમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારો છે. આ રીતે ભોગાદિના આકર્ષણને કરે તેવા સંસ્કારરૂપ જે અજ્ઞાન અને ભગવાનના વચનના યથાર્થ બોધરૂપ જે જ્ઞાન તે ઉભયના પ્રતિભાસથી અવિરતસમ્યગ્દષ્ટિ જીવને સંસારની ચેષ્ટાઓમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ હોય છે, તેથી જ્યારે જ્યારે ભોગાદિની પ્રવૃત્તિ કરે છે, ત્યારે ત્યારે તેનામાં રહેલું સમ્યજ્ઞાન તે ભોગાદિ પ્રત્યે હેયબુદ્ધિ ઉત્પન્ન કરે છે, અને ભોગાદિ પ્રત્યેના આકર્ષણના સંસ્કારરૂપ અજ્ઞાન તે પ્રવૃત્તિ કરવા પ્રત્યે પ્રેરણા કરે છે. તેથી જ્ઞાન અને અજ્ઞાન ઉભયથી પ્રેરાઈને અવિરતસમ્યગ્દષ્ટિ જીવોની સંસારની પ્રવૃત્તિ થાય છે. તે પ્રવૃત્તિ વખતે અવિરતસમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ સમ્યજ્ઞાન તે પ્રવૃત્તિને શિથિલ કરે છે, અને તેનામાં રહેલ અજ્ઞાન તે પ્રવૃત્તિમાં યત્ન કરવા માટે પ્રેરણા કરે છે. તેથી જ્ઞાન અને અજ્ઞાન ઉભયથી પ્રેરાઈને અવિરતસમ્યગ્દષ્ટિ જીવની પ્રવૃત્તિ હોવા છતાં, સમ્યગ્નાનથી પ્રેરિત એવી જે પાપની વિરતિની પરિણતિ તેનાથી પ્રેરિત એવી પ્રવૃત્તિ અને નિવૃત્તિ, અવિરતસમ્યગ્દષ્ટિ જીવને હોતી નથી. માટે તત્ત્વસંવેદનમાં રહેલ ‘સમ્’ શબ્દ દ્વારા અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ કરેલ છે. જે મુનિઓને પરમાર્થનું વેદન થયું છે અને તેનાથી પ્રેરાઈને આત્માના હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે અને આત્માના અહિતને અનુકૂળ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરે છે, તેવા મુનિઓને તત્ત્વસંવેદન નામનું ત્રીજું જ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy