SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સાપુતામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨ એ અર્થ પ્રાપ્ત થાય કે પરમાર્થનું સમ્યક્ પ્રવૃત્તિ અને નિવૃત્તિથી વેદન જેમાં થાય એવું જ્ઞાન તે તત્ત્વસંવેદનજ્ઞાન છે. તત્ત્વસંવેદનજ્ઞાનમાં “તત્ત્વ' શબ્દનો અર્થ પરમાર્થ કરવાથી અપરમાર્થની નિવૃત્તિ થઈ. તેથી હવે અપરમાર્થ શબ્દથી કોની નિવૃત્તિ થાય છે, તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વ' શબ્દથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય છે, કેમ કે મિથ્યાજ્ઞાનનો વિષય એક અંશમાં યથાર્થ હોવા છતાં ઈતરાંશમાં નિષેધથી યુક્ત છે, માટે અતજ્વરૂપ છે. આશય એ છે કે કોઈ પણ પદાર્થ અનંતધર્માત્મક છે. મિથ્યાષ્ટિ જીવને પદાર્થ અનંતધર્માત્મક દેખાતો નથી, પરંતુ સ્વરુચિ અનુસાર દેખાય છે. તેથી જે અંશ પ્રત્યે તેને રુચિ છે તે દૃષ્ટિથી પદાર્થ તેને દેખાય છે, તેનાથી ઈતર અંશ પદાર્થમાં હોવા છતાં મિથ્યાદૃષ્ટિ જીવને દેખાતો નથી; અને સમ્યગ્દષ્ટિ જીવને સમ્યગુ બોધ હોવાથી દરેક પદાર્થ અનંતધર્માત્મક દેખાય છે, અને તે અનંતધર્માત્મક પદાર્થો જે રીતે ભગવાને બતાવ્યા છે, તે રીતે દેખાય છે. જે સમ્યગ્દષ્ટિ જીવોને શાસ્ત્રોનો વિશાળ બોધ હોય તેમને વિસ્તારથી અનંતધર્માત્મક પદાર્થ દેખાય છે, અને જે સમ્યગ્દષ્ટિ જીવોને શાસ્ત્રોનો વિસ્તારથી બોધ ન હોય તેમને સંગ્રહરૂપે ભગવાને કહેલા અનંતધર્માત્મક પદાર્થો દેખાય છે. સ્યાદ્વાદની દૃષ્ટિ એ સમ્યક્ત્વનું બીજ છે. તેથી બધા સમ્યગ્દષ્ટિ જીવોને સ્યાદ્વાદની પ્રાપ્તિ અવશ્ય હોય છે. ફક્ત જેમને વિસ્તારથી શાસ્ત્રનો બોધ નથી, તેમને બીજરૂપે સ્યાદ્વાદની પ્રાપ્તિ છે, અને જેમને વિસ્તારથી શાસ્ત્રનો બોધ છે તેમને વ્યક્તરૂપે સ્યાદ્વાદની પ્રાપ્તિ છે. સ્યાદ્વાદનો બોધ એટલે અનંતધર્માત્મક પદાર્થમાં જે ધર્મો જે રીતે રહેલા છે, તે રીતે તે ધર્મનો યથાર્થ બોધ. મિથ્યાજ્ઞાનની જેમ પદાર્થમાં રહેલા એક અંશને ગ્રહણ કરીને ઈતર અંશનો નિષેધ કરનાર સમ્યજ્ઞાન નથી, તેથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે અને તે તત્ત્વ છેપરમાર્થ છે. અહીં ટીકામાં તત્ત્વનું વેદન ન કહેતાં તત્ત્વનું સંવેદન કહ્યું. તે એટલા માટે કે અવિરતસમ્યગ્દષ્ટિને પણ તત્ત્વનું વેદન છે, પરંતુ તત્ત્વનું સંવેદન નથી. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy