SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ સાધુ સામર્થ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ તેમની ભિક્ષામાં સદાઅનારંભિતા નથી, તે અપેક્ષાએ સર્વસંપન્કરી આ ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન થાય નહિ, તોપણ જેમ સર્વસંપન્કરી ભિક્ષા યોગમાર્ગની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, તેમ સંવિગ્નપાક્ષિકમાં માર્ગના પક્ષપાતની વૃત્તિ હોવાને કારણે સંવિગ્નપાક્ષિક જીવો પણ છે જે આરાધના કરે છે, તેના દ્વારા સુલભબોધિ થાય છે, અને જન્માંતરમાં સર્વવિરતિની શક્તિને પ્રાપ્ત કરે છે; અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવક પણ પ્રતિમાના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. તેથી સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા કલ્યાણનું કારણ છે. તે અપેક્ષાએ સર્વસંપન્કરી ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન થાય છે. માટે સંવિગ્નપાક્ષિકની કે અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા સર્વસંપત્કરી કલ્પ છે, તેમ માનીને નિસ્તાર છે. અન્યથા તેમની ભિક્ષાનો બીજી પૌરુષની અને ત્રીજી વૃત્તિભિક્ષામાં અંતર્ભાવ નહિ હોવાથી અને પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષામાં પણ તેમની ભિક્ષાનો અંતર્ભાવ સર્વથા ન કરવામાં આવે તો તેમની ભિક્ષા તે ત્રણમાંથી કોઈ એક પણ ભિક્ષા બને નહિ, અને ત્રણ ભિક્ષાથી અધિક ચોથી ભિક્ષા નથી. માટે સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા શશશ્ચંગ જેવી છે, તેમ માનવાની આપત્તિ આવે. ઉપરોક્ત કથનમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાપારી શ્રાવકની ભિક્ષા સર્વસંપન્કરી કલ્પ જ કહીને વિસ્તાર છે, તે કથન પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના અષ્ટક-પરના સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણ સાથે કઈ રીતે સંગત છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કહેલ અષ્ટક-પ/રમાં સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ : પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક-પરમાં સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ બતાવતાં કહ્યું કે “જે સાધુ ધ્યાન, અધ્યયન આદિથી યુક્ત હોય અર્થાત્ ધ્યાન, અધ્યયનાદિ ઉચિત પ્રવૃત્તિઓ કરીને સંવરભાવનો અતિશય કરતા હોય અને ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત હોય અર્થાત્ ગુણવાન એવા ગુરુને પરતંત્ર હોય એવા સદાનારંભી સાધુને સર્વસંપન્કરી ભિક્ષા છે.” આ કથનથી સંવિગ્નપાક્ષિકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy