SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં પણ સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણનો સંભવ છે; કેમ કે જેમ જિનકલ્પિકાદિ ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત નહિ હોવા છતાં ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત રહેવાથી જે અસંગભાવ પ્રાપ્ત કરવો છે, તે અસંગભાવને પામેલા છે. તેથી ગુર્વાજ્ઞાનું ફળ પ્રાપ્ત કરેલું હોવાથી સાક્ષાત્ ગુરુની નિશ્રામાં નહિ રહેલા એવા જિનકલ્પિકાદિમાં પણ ફળથી ગુર્વાજ્ઞા છે, તેમ સંવિગ્નપાક્ષિક અને અગિયારમી પ્રતિમધારી સાધુઓની પ્રવૃત્તિનું ફળ સર્વવિરતિની પ્રાપ્તિ છે, તેથી ફળથી તેમનામાં પણ સર્વવિરતિ છે અર્થાત્ જેમ ફળ પ્રાપ્ત થયેલું હોવાને કારણે જિનકલ્પિકાદિ ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત છે, તેમ સંવિગ્નપાક્ષિક અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષાથી સર્વવિરતિરૂપ સદાઅનારંભિતા પ્રાપ્ત થશે. માટે તેમની ભિક્ષા સર્વસંપન્કરી છે. વળી પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કરેલ અષ્ટક-પરમાં સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ પ્રતિમાધારી શ્રાવકમાં અને સંવિગ્નપાક્ષિકમાં સંભવ છે એ અભિપ્રાયથી છે, એમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. તેમ ન સ્વીકારીએ તો પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના અષ્ટક-પરમાં કરેલ સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણમાં અનનુગામની પ્રાપ્તિરૂપ દોષ આવે; કેમ કે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કહેલું અષ્ટક-પ/૩નું લક્ષણ સુસાધુમાં જ ઘટે. સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં ઘટે નહિ. એમ માનીએ તો તે લક્ષણ લક્ષ્યમાત્રમાં જતું નથી, તેમ માનવું પડે. વસ્તુતઃ (૧) સર્વસંપન્કરી (૨) પૌરુષત્ની અને (૩) વૃત્તિ : એમ ત્રણ પ્રકારની ભિક્ષા છે, અને તે ત્રણ પ્રકારની ભિક્ષામાંથી બીજી પૌરુષક્ની અને ત્રીજી વૃત્તિભિક્ષા સંવિગ્નપાક્ષિક અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં છે તેમ કહી શકાય નહિ. તેથી સંવિગ્નપાક્ષિકની અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષાને સર્વસંપન્કરી માન્યા વગર છૂટકો નથી; અને તેમની ભિક્ષા સર્વસંપન્કરી હોવા છતાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે સર્વસંપન્કરીનું અષ્ટક-૫૨ માં જે લક્ષણ કર્યું, તે લક્ષણ સંવિગ્નપાક્ષિકમાં અને પ્રતિભાધારી શ્રાવકમાં પ્રાપ્ત થતું નથી, તેમ માનીએ તો અષ્ટક-પરનું સર્વસંપન્કરીનું લક્ષણ લક્ષ્યમાત્રમાં વૃત્તિ નથી, તેમ માનવું પડે, અને તે લક્ષણ લક્ષ્યમાત્રમાં વૃત્તિ છે, તેમ સ્વીકારવા માટે પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે સંભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy