SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ અભિપ્રાયથી જ આ લક્ષણ કર્યું છે, તેમ માનીએ તો, તેમના અષ્ટક-૫/૨ના લક્ષણનો અનુગમ જેમ સુસાધુમાં થાય, તેમ સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં પણ થાય છે. માટે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના અષ્ટક-૫/૨ના સર્વસંપત્કરી ભિક્ષાના લક્ષણમાં અનનુગમ દોષની પ્રાપ્તિ થાય નહિ. અથવા બીજી રીતે ગ્રંથકારશ્રી સમાધાન કરે છે કે (૧) સર્વસંપત્ઝરી (૨) પૌરુષની અને (૩) સર્વવૃત્તિ ભિક્ષા કહી છે, તેમાં જે પ્રથમ પ્રકારની સર્વસંપત્કરી ભિક્ષા છે, તે બે ભેદવાળી છે - ૫૫ (૧) દ્રવ્યસર્વસંપત્કરી અને (૨) ભાવસર્વસંપત્કરી. જે દ્રવ્યસર્વસંપત્તી ભિક્ષા છે, તે ભાવસર્વસંપત્કરીનું કારણ છે. વળી સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં ભાવસર્વસંપત્કરી ભિક્ષા નહિ હોવા છતાં દ્રવ્યસર્વસંપત્કરી ભિક્ષા છે, અને તે દ્રવ્યસર્વસંપત્ઝરી ભિક્ષાની ઉપેક્ષા કરીને ભાવસર્વસંપત્કરીને લક્ષ્ય કરીને પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટકમાં સર્વસંપત્ક૨ી ભિક્ષાનું લક્ષણ કર્યું છે, એમ સ્વીકારવાથી લક્ષણમાં અનનુગમ નથી. ઉપરોક્ત બે પ્રકારનું સમાધાન નયદૃષ્ટિથી યથાતંત્ર=યથાશાસ્ત્ર અર્થાત્ શાસ્ત્રીય મર્યાદા મુજબ, ભાવન કરવું. ૧૦ll અવતરણિકા : શ્લોક-૯માં ભિક્ષા ત્રણ પ્રકારની છે એમ બતાવ્યું. તેમાંથી સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ શ્લોક-૧૦માં બતાવ્યું. હવે પૌરુષઘ્ની ભિક્ષાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ दीक्षाविरोधिनी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । धर्मलाघवमेव स्यात्तया पीनस्य जीवतः ।।११।। Jain Education International અન્વયાર્થ : રીવિરોધિની=દીક્ષાની વિરોધી એવી મિક્ષા=ભિક્ષા પૌરુષની=પૌરુષઘ્ની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy