SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામય્યદ્વાચિંશિકા/સંકલના બને છે, અને આ તત્ત્વસંવેદનજ્ઞાન આત્મામાં તત્ત્વના સંસ્કારોનું આધાન કરીને પ્રકર્ષને પામતું પામતું ક્ષાયિકભાવને પામે ત્યારે ૧૨મા ગુણસ્થાનકમાં સંપૂર્ણ મોહના સ્પર્શ વગરનું મતિવિશેષરૂપ બને છે, અને જ્ઞાનાવરણીય કર્મોનો નાશ થાય છે ત્યારે આ તત્ત્વસંવેદનશાનના બળથી જ કેવલજ્ઞાન પ્રગટે છે, તેથી મુનિનું તત્ત્વસંવેદનજ્ઞાન સાધુના પૂર્ણભાવની પ્રાપ્તિનું કારણ છે, તેમ કહેલ છે. ત્રણ પ્રકારના જ્ઞાનથી ત્રણ પ્રકારની પ્રવૃત્તિ : (૧) વિષયપ્રતિભાસજ્ઞાનમાં નિષ્કપ પાપની પ્રવૃત્તિ થાય છે, (૨) આત્મપરિણામવતજ્ઞાનમાં સકંપ પાપની પ્રવૃત્તિ થાય છે અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાનમાં નિરવદ્ય પ્રવૃત્તિ થાય છે. ગુણસ્થાનકથી બહારના જીવોને વિષયપ્રતિભાસજ્ઞાન હોય છે, તે વખતે સંપૂર્ણ નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે. પ્રથમ ગુણસ્થાનકવર્તી ચાર દૃષ્ટિવાળા જીવોને પણ વિષયપ્રતિભાસજ્ઞાન છે, છતાં તેઓ કાંઈક અંશથી પાપપ્રવૃત્તિ કરતા નથી, અને જે પાપપ્રવૃત્તિનો તેમને બોધ છે, તે પોતે છોડી ન શકતા હોય તો તેને સકંપ કરે છે. અને સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે જે પાપપ્રવૃત્તિને પાપપ્રવૃત્તિરૂપે જાણી શકતા નથી, તેને નિષ્કપ કરે છે અને તેને આશ્રયીને વિષયપ્રતિભાસજ્ઞાનવાળામાં નિષ્કપ પાપપ્રવૃત્તિ કહેલ છે. આથી જ જિનશાસનને પામેલ હોય, સાધુવેશ ગ્રહણ કરેલ હોય અને અપુનબંધક દશામાં હોય ત્યારે તે સાધુ આરાધક હોય, છતાં સૂક્ષ્મબોધના અભાવને કારણે ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય નથી, તેથી અગુપ્તિકાળમાં તેમની પ્રવૃત્તિથી કર્મબંધને અનુકૂળ એવી હિંસા થાય છે, તે પાપપ્રવૃત્તિ છે, છતાં આ મારી પાપપ્રવૃત્તિ છે, તેવું જ્ઞાન નહિ હોવાથી નિષ્કપ પાપપ્રવૃત્તિ કરે છે. આનાથી એ ફલિત થાય છે કે આ પાપપ્રવૃત્તિ પાપપ્રવૃત્તિરૂપ છે અને મારા અહિતનું કારણ છે, તેવો બોધ જેમને હોય તે જીવ પાપપ્રવૃત્તિ કરે નહિ, અને કદાચ સત્ત્વનો પ્રકર્ષ ન થયો હોય અને તે પાપપ્રવૃત્તિ કરે, તો તે પાપપ્રવૃત્તિ અવશ્ય સકંપ હોય છે. આથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો જે જે પાપપ્રવૃત્તિને પાપપ્રવૃત્તિરૂપે જાણે છે, તે તે પાપપ્રવૃત્તિનો શક્તિ અનુસાર ત્યાગ કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy