SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસમસ્યદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાદિંશદ્વાäિશિકા” ગ્રંથની ૬ઠ્ઠી ‘સાધુસામગ્ગદ્વાચિંશિકા’ના પદાર્થોની સંકલના દેશવિરતિના પાલનથી સાધ્ય વસ્તુ “સાધુનું સમગ્રપણુંછે, તેથી દેશવિરતિને બતાવનાર પાંચમી ભક્તિ બત્રીસી બતાવ્યા પછી છઠ્ઠી સાધુસામર્થ્ય બત્રીસી બતાવેલ છે. વળી સાધુ સમગ્ર પાપથી વિરામ પામેલા છે, તેથી અપેક્ષાએ સાધુ સંપૂર્ણ ધર્મને સેવનારા છે અને તે સંપૂર્ણ ધર્મનું સેવન ક્રમસર વૃદ્ધિ પામીને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય ત્યારે તે સાધુનો સંપૂર્ણ ધર્મ પૂર્ણતાને પામે છે. વળી સાધુના આ સંપૂર્ણ ધર્મનું પાલન જ્ઞાનીભાવથી, ભિક્ષાભાવથી અને વિરક્તભાવથી પૂર્ણતાનું કારણ બને છે, તે બતાવવા માટે પ્રથમ ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. (૧) વિષયપ્રતિભાસજ્ઞાન, (૨) આત્મપરિણતિમતજ્ઞાન અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાન એમ ત્રણ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ : વિષયપ્રતિભાસજ્ઞાન મિથ્યાદૃષ્ટિ જીવોને છે અને આ વિષય પ્રતિભાસજ્ઞાન ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં છે અને મિથ્યાત્વની મંદ અવસ્થારૂપ યોગની પ્રથમની ચાર દૃષ્ટિ સુધી પણ છે, છતાં યોગની ભૂમિકામાં પ્રવેશેલા પ્રથમની ચાર દૃષ્ટિવાળા યોગીઓમાં જે વિષયપ્રતિભાસજ્ઞાન છે, તે ક્ષણ-ક્ષીણતર થતું જતું આત્મપરિણામવતું જ્ઞાનને અભિમુખભાવવાળું છે. પ્રથમની ચાર દૃષ્ટિવાળા યોગીઓ જ્યારે સમ્યક્ત્વ પામે છે, ત્યારે તેમનું વિષયપ્રતિભાસજ્ઞાન જ આત્મપરિણામવાળું બને છે; અને સમ્યગ્દષ્ટિ જીવોમાં અવિરતિ છે, તેથી અવિરતિના પરિણામના સંશ્લેષવાળું એવું આત્મપરિણામવતુજ્ઞાન તત્ત્વસંવેદનજ્ઞાનરૂપ નથી, અને આ આત્મપરિણામવત્જ્ઞાન પાંચમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી છે, અને જ્યારે સંપૂર્ણ અવિરતિઆપાદકકર્મનો લયોપશમભાવ થાય છે, ત્યારે તે આત્મપરિણામવત્જ્ઞાન જ તત્ત્વસંવેદનશાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy