SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામય્યદ્વાચિંશિકા/સંકલના ત્યાગ ન કરી શકે તો તે પાપપ્રવૃત્તિ સકંપ કરે છે; અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો સૂક્ષ્મબોધના અભાવના કારણે અંતરંગ પરિણામરૂપ જે પાપપ્રવૃત્તિને પોતે પાપપ્રવૃત્તિરૂપે જાણી શકતા નથી, તે અંતરંગ પરિણતિરૂપ પાપપ્રવૃત્તિ નિષ્કપ કરે છે. વળી સમ્યગ્દષ્ટિ જીવને સૂક્ષ્મબોધ હોય છે. તેથી જો શક્તિ હોય તો પાપપ્રવૃત્તિ કરે નહિ અને જે પાપપ્રવૃત્તિને છોડવા માટે તે સમર્થ નથી, તે પાપપ્રવૃત્તિ પોતે કરે છે, તોપણ આ પાપપ્રવૃત્તિ મારા હિતનું કારણ નથી, પરંતુ અહિતનું કારણ છે, તેવો સ્પષ્ટ બોધ હોવાથી જે કાંઈ પાપપ્રવૃત્તિ કરે છે, તે સર્વ પાપપ્રવૃત્તિ સકંપ કરે છે. આથી સમ્યગ્દષ્ટિ જીવને અસંગભાવને અભિમુખ એવું ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય એકાંતે હિતનું કારણ દેખાય છે, અને તે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યની વૃદ્ધિને અનુકૂળ સર્વ ક્રિયાઓ કલ્યાણનું કારણ દેખાય છે, અને તેનાથી વિપરીત સર્વ ક્રિયાઓ પાપપ્રવૃત્તિરૂપ દેખાય છે. આથી સમ્યગ્દષ્ટિ જીવ ગૃહસ્થ અવસ્થામાં હોય તો સંસારના આરંભ-સમારંભની પ્રવૃત્તિ સકંપ કરે છે, અને સાધુવેશ ગ્રહણ કરેલ હોય તેવા સંવિગ્નપાક્ષિક પણ ત્રણ ગુપ્તિને વ્યાઘાતક એવી જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ સકંપ કરે છે; પરંતુ જેમ અપુનબંધક અવસ્થાવાળા સાધુવેશધારી મુનિ સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે ત્રણ ગુપ્તિને વ્યાઘાત કરે એવી કેટલીક અંતરંગ પરિણતિરૂપ પાપપ્રવૃત્તિ કરતા હોય તો પણ તે પાપપ્રવૃત્તિ નિષ્કપ કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક મુનિ ત્રણ ગુપ્તિને વ્યાઘાત કરે તેવી કોઈ અંતરંગ પરિણતિરૂપ પાપપ્રવૃત્તિ કરતા હોય તોપણ તે પાપપ્રવૃત્તિ નિષ્કપ કરતા નથી, પરંતુ સકંપ કરે છે. વળી સર્વવિરતિધર સાધુ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા હોય છે અને ત્રણ ગુપ્તિની વૃદ્ધિ અર્થે જે કાંઈ ઉચિત ક્રિયાઓ કરે છે તે સર્વ શાસ્ત્રાનુસારી કરે છે, તેથી તેઓની સર્વ પ્રવૃત્તિ નિરવદ્ય છે. આથી ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા મુનિ સંયમની વૃદ્ધિ અર્થે યતનાપૂર્વક નદી ઊતરતા હોય ત્યારે પણ તેઓની નદી ઊતરવાની પ્રવૃત્તિ પાપપ્રવૃત્તિરૂપ નથી, પરંતુ સંયમની વૃદ્ધિ કરીને અસંગભાવને પ્રાપ્ત કરવાના ઉપાયની પ્રવૃત્તિરૂપ છે. આથી નદી ઊતરવાની ક્રિયા સકંપ પાપપ્રવૃત્તિરૂપ નથી, પણ નિરવઘ પ્રવૃત્તિ છે. વળી જો તે નદી ઊતરવાની ક્રિયા સમ્યગ્દષ્ટિ શ્રાવક કરતા હોય તો, આ નદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy