SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-પ ૨૩ વળી આ જ્ઞાન વિજ્ઞ વગર ફળને આપનારું છે. સાધુને ઈષ્ટ એવું ફળ મોક્ષ છે, અને આ જ્ઞાનનો ઉપયોગ સમ્યગ્બોધથી યુક્ત ઉચિત પ્રવૃત્તિવાળો હોવાથી આત્મા ઉપર ઉત્તમ સંસ્કારો આધાન કરે છે, અને મોક્ષને અનુકૂળ એવી પુણ્યપ્રકૃતિનું સર્જન કરે છે. તેથી આ જ્ઞાનના પરિણામથી થયેલા ઉત્તમ સંસ્કારો અને ઉત્તમ પુણ્યપ્રકૃતિ યોગીને વિઘ્ન વગર મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરાવે છે. પા વિશેષાર્થ : (૧) વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન, મિથ્યાત્વના પરિણામથી યુક્ત એવું જે કુત્સિત જ્ઞાન, તેના આવરણના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન જીવને અનુચિત પ્રવૃત્તિ કરાવીને અનર્થની પરંપરાનું કારણ બને છે. (૨) આત્મપરિણામવાળું જ્ઞાન, તત્ત્વનો યથાર્થ બોધ કરાવનાર જે મતિજ્ઞાન તેના આવરણના ક્ષયોપશમથી પ્રગટ થયેલું હોય છે, તેથી આત્મપરિણામવાળા જ્ઞાનમાં શેય પદાર્થો હેય, ઉપાદેય અને ઉપેક્ષણીયરૂપે યથાર્થ પ્રતિભાસમાન થાય છે, તેથી આ જ્ઞાન આત્મકલ્યાણનું કારણ બને છે. આમ છતાં બોધને અનુરૂપ પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિ કરાવી શકે તેવું નથી. (૩) તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પોતાના સમ્યજ્ઞાનમાં જે હિતકર કે અહિતકર ભાસે તે પ્રમાણે હિતમાં પ્રવૃત્તિ કરાવે અને અહિતથી નિવૃત્તિ કરાવે તેવા સામર્થ્યવાળું જે મતિજ્ઞાનવિશેષ, તેના આવરણના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેથી આ જ્ઞાનમાં જેમ બોધ યથાર્થ છે તેમ બોધને અનુરૂપ પાપની નિવૃત્તિ અને નિષ્પાપ જીવનમાં પ્રવૃત્તિ હોય છે. તત્ત્વસંવેદનજ્ઞાન મુનિને હોય છે અને ભાવથી મુનિ તે છે કે જે રાગાદિથી અનાકુળ રહીને મોહના ઉચ્છેદ માટે સુભટની જેમ ઉદ્યમ કરી રહ્યા છે, અને કંટકથી આકીર્ણ ભૂમિમાં ગમનાગમનની જેમ અપ્રમાદભાવથી પકાયના પાલનમાં ઉદ્યમ કરી રહ્યા છે. આવા પ્રકારના મુનિનું ચિત્ત અનુકૂળ કે પ્રતિકૂળ ભાવો પ્રત્યે પ્રતિબંધવાળું નથી, પરંતુ મોહના ઉચ્છદ માટે દૃઢ ઉદ્યમ કરે તેવા પ્રતિબંધવાળું છે. તેથી મોહના ઉચ્છેદ માટેનો જે જે ઉચિત ઉપાય હોય છે તેને અપ્રમાદભાવથી સેવે છે અને તે વખતે એમનો જે જ્ઞાનનો ઉપયોગ છે તે સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ છે. આ જ્ઞાનના ઉપયોગથી પ્રતિક્ષણ મોહના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy