SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ સાધુસામગ્ગદ્વાચિંશિકા/શ્લોક-૧૦ (૨) જે તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મહાત્માઓ સમભાવની વૃદ્ધિ અર્થે ઉદ્યમ કરનારા છે, અને સંયમના ઉપષ્ટભક એવા દેહના પાલન માટે ભિક્ષામાં ઉદ્યમ કરે છે, પરંતુ તથાવિધ વિષમ સંયોગથી નિર્દોષ ભિક્ષાની ઉપલબ્ધિ ન થાય ત્યારે ભિક્ષા વગર સમભાવની વૃદ્ધિ કરવા સમર્થ નથી, તે વખતે સમભાવની વૃદ્ધિના અર્થી એવા તે મહાત્માઓ સદાઅનારંભગુણ પ્રત્યેના પક્ષપાતવાળા હોવાને કારણે સદાઅનારંભગુણના પક્ષપાતથી અભિવ્યંગ્ય એવો ઉત્સર્ગ માર્ગ પ્રત્યેનો બદ્ધરાગ તેમનામાં વર્તે છે; અને તે બદ્ધરાગરૂપ પરિણામવિશેષને કારણે શાસ્ત્રવિધિ અનુસાર પંચકહાનિથી યતનાપૂર્વક દોષિત ભિક્ષા ગ્રહણ કરે છે, અને તે તેનાથી ગ્રહણ કરાયેલી તેઓની ભિક્ષા દેહને પુષ્ટ કરીને સંયમની વૃદ્ધિનું કારણ હોવાથી સદાઅનારંભનો હેતુ છે. ઉપરમાં સદાઅનારંભનો હેતુ ભિક્ષા બે રીતે થાય છે, તેમ કહ્યું. તે બંને પ્રકારથી સંવિગ્નપાક્ષિક જીવો ભિક્ષા ગ્રહણ કરતા નથી, અને તેઓ કલ્યાણના અર્થી છે, આરાધક છે, છતાં સંવિગ્નપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં સદાઅનારંભિતા સંભવતી નથી, કેમ કે તેઓ ભગવાનના વચનાનુસાર ક્રિયા કરવામાં બાળ છે. તેથી તેઓ પોતાની ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહથી સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉદ્યમ કરી શકતા નથી. માટે તેમની ભિક્ષા સદાઅનારંભનો હેતુ નથી. તેથી તેમની ભિક્ષામાં સદાઅનારંભિતા નથી. ઉત્થાન : શ્લોકના ઉત્તરાર્દુમાં કહ્યું કે સંવિગ્નપાક્ષિક એવા દ્રવ્યમુનિમાં સદાઅનારંભિતા સંભવતી નથી. એ કથનથી એ ફલિત થાય છે કે જેમ સુસાધુ ભિક્ષાવૃત્તિ કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ સાધુવેશમાં રહીને ભિક્ષાવૃત્તિ કરે છે, આમ છતાં તેમનામાં સદાઅનારંભિતા નથી. વળી અગિયારમી પ્રતિમા ધારણ કરનારા શ્રાવકો પણ સાધુવેશને ગ્રહણ કરીને નવકલ્પી વિહારપૂર્વક સાધુની જેમ ભિક્ષાવૃત્તિ કરે છે, તેમનામાં પણ સદાઅનારંભિતા નથી, તે ઉપલક્ષણથી પ્રાપ્ત થાય છે. તે બતાવવા અર્થે કહે છે : ટીકાર્થ : મુન્નક્ષણમ્ .. ન તત્સમ્ભવઃ, આ પૂર્વમાં કહ્યું કે એક બાલ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy