SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ એવા=ક્રિયા કરવામાં બાળ એવા, સંવિગ્નપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં સંભવતી નથી. સવાડનારમ્ભય થી ન સન્મતિ સુધીની ટીકાનો ભાવાર્થ :(૧) સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ : તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિ જગતના ભાવો પ્રત્યે નિરપેક્ષ હોય છે, સમભાવના પરિણામવાળા હોય છે અને સમભાવની વૃદ્ધિ કરીને વીતરાગ થવા માટે યત્ન કરતા હોય છે. ૪૮ સમભાવનો પરિણામ જીવમાત્ર પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિવાળો હોય છે, તેથી સમભાવની વૃદ્ધિ માટે યત્ન કરતા મુનિ કોઈ પણ જીવને લેશ પણ પીડા ન થાય એ રીતે સંયમના ઉપખંભક એવા પોતાના દેહના પાલન માટે ભિક્ષા ગ્રહણ કરે છે. તે ભિક્ષા સમભાવની વૃદ્ધિનું કારણ હોવાથી સદાઅનારંભનો હેતુ છે; કેમ કે સમભાવના પરિણામથી આરંભ થતો નથી. વળી વૃદ્ધિને પામેલો સમભાવનો પરિણામ એ સિદ્ધઅવસ્થાનું કારણ છે, અને સિદ્ધઅવસ્થામાં ગયા પછી સિદ્ધના જીવો કોઈ આરંભ કરતા નથી. તેથી તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિની ભિક્ષા સદાઅનારંભનો હેતુ છે; અને આ ભિક્ષા સર્વસંપત્તિને કરનારી છે અર્થાત્ આ ભિક્ષાથી પુષ્ટ થયેલ દેહ સમભાવની વૃદ્ધિ કરીને તે મહાત્માના સર્વસંપત્તિને કરનારી છે=સર્વ કલ્યાણને કરનારી છે, એટલું જ નહિ પણ તે મહાત્માને ભિક્ષા આપનારા અને તે મહાત્માની ભિક્ષાની અનુમોદના કરનારા સર્વના કલ્યાણની પરંપરાનું કારણ છે. તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિની ભિક્ષા સદાઅનારંભનો હેતુ : વળી તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મુનિની ભિક્ષા સદાઅનારંભનો હેતુ બે રીતે થાય છે : (૧) જે તત્ત્વસંવેદનજ્ઞાનવાળા મહાત્માઓ સંપૂર્ણ નિર્દોષ ભિક્ષામાં ઉદ્યમ કરનારા છે, અને નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ ન થાય અને પ્રાણનો અંત થાય તોપણ સત્ત્વના પ્રકર્ષથી સમભાવની વૃદ્ધિ કરી શકે છે, અને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થાય તો તેના દ્વારા સંયમપાલનને ઉપષ્ટભક એવા દેહનું પાલન કરીને સંયમની વૃદ્ધિ કરી શકે છે, તે મહાત્માઓની ભિક્ષા સદા આરંભના પરિહારથી સદાઅનારંભનો હેતુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy