SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સાધુસામગ્ગદ્વાચિંશિકા/શ્લોક-૭ વસ્તુત: થી મચત્ર સુધીના કથનનો ભાવાર્થ : પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ત્રણ પ્રકારના જ્ઞાનોથી અનુક્રમે નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવદ્ય પ્રવૃત્તિ થાય છે, અને તેમાં યુક્તિ આપી કે દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મ પ્રવૃત્તિના કારણભૂત જ્ઞાનમાં વિલક્ષણતા પેદા કરાવીને પ્રવૃત્તિ કરાવે છે, તેથી ત્રણ પ્રકારનાં જ્ઞાનો છે. હવે ઉપાદાન કારણથી થતા કાર્યભેદમાં ઉપાદાન કારણના સ્વભાવનો ભેદ આવશ્યક છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – કાર્યના ભેદમાં ઉપાદાન એવા કારણના સ્વભાવનો ભેદ સર્વત્ર આવશ્યક છે. જેમ ઘટના ઉપાદાનરૂપ માટી અને પટના ઉપાદાનરૂપ તંતુ, એ બેમાં સ્વભાવભેદ છે, તેથી ઘટરૂપ કાર્ય અને પટરૂપ કાર્યનો ભેદ થાય છે. તે જ રીતે - (૧) મોહથી આકુળ એવી નિષ્કપ પાપપ્રવૃત્તિ, (૨) મોહથી આકુળ એવી સકંપ પાપપ્રવૃત્તિ અને (૩) મોહથી અનાકુળ એવી નિરવદ્ય પ્રવૃત્તિ : આ ત્રણ કાર્યના ઉપાદાન કારણભૂત એવા જ્ઞાનના સ્વભાવનો ભેદ માનવો આવશ્યક છે. તેથી આ સ્વભાવભેદને કારણે જે જ્ઞાનનો સ્વભાવ નિષ્કપ મોહાકુળ પ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાન કરતાં સકંપ મોહાકુળ પ્રવૃત્તિ કરાવનારું જ્ઞાન વિલક્ષણ છે; અને જે જ્ઞાન મોહના ઉન્મેલનને અનુકૂળ નિરવદ્ય પ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાન પ્રથમના બે જ્ઞાન કરતાં વિલક્ષણ છે; અને આ ત્રણ જ્ઞાનો ઉત્તરમાં તે પ્રવૃત્તિને કારણે (૧) નિષ્કપ મોહાકુળ જ્ઞાનની પરિણતિરૂપે, (૨) સકંપ મોહાકુળ જ્ઞાનની પરિણતિરૂપે અને (૩) મોહના ઉન્મેલનને અનુકૂળ નિરવદ્ય જ્ઞાનની પરિણતિરૂપે પરિણમન પામે છે. ઉપરના કથનને દઢ કરવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – જો કાર્યના સ્વભાવભેદમાં કારણનો સ્વભાવભેદ ન સ્વીકારવામાં આવે તો હેવંતરનું સમવધાન પણ અકિંચિત્કાર થાય. જેમ ઘટની સામગ્રી તંતુને આપવામાં આવે તો તે તંતુમાંથી ઘટ થઈ શકે નહિ, પરંતુ માટીને ઘટની સામગ્રી આપવામાં આવે તો માટીમાંથી ઘટ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy