SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૨ આ જ્ઞાન ગાઢ મિથ્યાદ્દષ્ટિ જીવોને હોય છે અને યોગમાર્ગમાં આવેલા સમ્યકૃત્વને નહિ પામેલા મંદ મિથ્યાદૃષ્ટિ જીવોને પણ હોય છે. મંદ મિથ્યાદ્દષ્ટિ જીવોને કાંઈક વિવેક પ્રગટેલો છે, તેથી કાંઈક હેય-ઉપાદેયનું જ્ઞાન છે, તોપણ પરિપૂર્ણ હેય-ઉપાદેયનો વિવેક પ્રગટેલ નથી. તેથી તે અંશને સામે રાખીને હેય-ઉપાદેય ધર્મથી અનુપરક્ત એવો પ્રતિભાસ મંદ મિથ્યાદષ્ટિ જીવોને છે. માટે તેમને વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે, પરંતુ તેમનું તે જ્ઞાન આત્મપરિણામવાળા બીજા જ્ઞાનને અભિમુખ છે, જ્યારે ગાઢ મિથ્યાદ્રષ્ટિ જીવોનું વિષયપ્રતિભાસજ્ઞાન આત્મપરિણામવાળા જ્ઞાનને અભિમુખ નથી. (૨) આત્મપરિણામવત્ જ્ઞાનનું સ્વરૂપ : આ બીજા પ્રકારનું આત્મપરિણામવાળું જ્ઞાન અવિરતસમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. આત્મપરિણામવત્ જ્ઞાનની વ્યુત્પત્તિ કરતા પ્રથમ આત્મસ્વ અર્થ કર્યો. અને તે અર્થ પ્રમાણે એ પ્રાપ્ત થાય કે સ્વ એવા જ્ઞાનનો અર્થ-અનર્થ પ્રતિભાસરૂપ પરિણામ છે, જે જ્ઞાનમાં તે જ્ઞાન આત્મપરિણામવાળું છે. આનાથી એ ફલિત થાય છે કે કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન ૫૨ એવા બાહ્ય પદાર્થોનો બોધ કરાવે છે, અને સ્વ એવા જ્ઞાનનો પણ બોધ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવને કોઈપણ પદાર્થનું જ્ઞાન વિષયોની ઈચ્છાકાળમાં મોહથી આકુળ જણાય છે ત્યારે તે જ્ઞાનનો ઉપયોગ પોતાના માટે અનર્થરૂપ છે તેમ પ્રતિભાસ થાય છે. આથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો સંસારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તપ્તલોહપદન્યાસ તુલ્ય ‘સંવેગસારા' પાપપ્રવૃત્તિ કરે છે. વળી મોહના ઉચ્છેદ માટે ભગવદ્ભક્તિ આદિમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે મારા જ્ઞાનનો આ ઉપયોગ મારા માટે અર્થરૂપ છે અર્થાત્ કલ્યાણના કારણરૂપ છે, એ પ્રકારનો પ્રતિભાસ વર્તે છે. આવા પ્રકારનું સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન આત્મપરિણામવાળું છે=સ્વ એવા જ્ઞાનના પરિણામને યથાર્થ વેદન કરનારું છે. આત્મપરિણામવત્ જ્ઞાન શબ્દની બીજી રીતે વ્યુત્પત્તિ : આત્મપરિણામવાન શબ્દની બીજી રીતે વ્યુત્પત્તિ કરતાં ‘આત્મ’ શબ્દથી જીવને ગ્રહણ કરેલ છે, અને તે વ્યુત્પત્તિથી એ અર્થ પ્રાપ્ત થાય કે આત્માનો= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy