SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૪ અને વિશેષ જાણવા માટે યત્ન પણ કરતા હોય છે; તોપણ મિથ્યાત્વના ઉદયથી તત્ત્વના વિષયમાં તેઓને ભ્રમ વર્તે છે, તેથી પૂર્ણ હેય, ઉપાદેયનો વિવેક તેઓને હોતો નથી. સમ્યગ્દષ્ટિ જીવોને જેમ સંસારના સ્વાર્થ અર્થે ઘટાદિ જલધારણ માટે ઉપયોગી જણાય ત્યારે રાગાદિથી આકુળ એવો ઘટજ્ઞાનનો ઉપયોગ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવોને ઘટ ઉપાદેયરૂપે જણાવા છતાં તે ઘટજ્ઞાનનો ઉપયોગ હેયરૂપે ભાસે છે. કોઈ સાધક આત્માઓ સંયમવૃદ્ધિના અર્થે ઉદ્યમ કરતા હોય અને સંયમના રક્ષણ માટે દેહનું પાલન આવશ્યક જણાય અને દેહપાલન માટે જલાદિ ઉપખંભક છે અને જલાદિને ધારણ કરવા અર્થે ઘટાદિના ગ્રાહ્યત્વનો ઉપયોગ વર્તતો હોય તો તે ઘટાદિ ગ્રાહ્યતાના ઉપયોગમાં પ્રતિભાસમાન ઘટ ગ્રાહ્ય છે, અને ઘટવિષયક જ્ઞાન પણ ગ્રાહ્ય છે; કેમ કે તે જ્ઞાનનો ઉપયોગ સંયમવૃદ્ધિના પરિણામમાંથી ઉઠેલો ઘટાદિ ગ્રાહ્યતાનો ઉપયોગ છે, તેથી તે જ્ઞાનનો ઉપયોગ આત્માના કલ્યાણનું કારણ હોવાથી ઉપાદેય છે. વળી ઘટાદિનું પોતાને કોઈ પ્રયોજન નથી, પરંતુ ચક્ષુ સામે શેયરૂપે પ્રતિભાસમાન ઘટ દેખાય ત્યારે તે ઘટ જેમ ઉપેક્ષણીય છે, તેમ આત્માને ઘટાદિનું જ્ઞાન કરવાનું કોઈ પ્રયોજન નથી, તેથી ઘટાદિનું જ્ઞાન પણ ઉપેક્ષણીય છે. આથી નિરપેક્ષ મુનિઓને જગતના બાહ્ય સર્વે પદાર્થો ઉપેક્ષણીયરૂપે દેખાય છે, શુદ્ધ આત્માની અવસ્થા ઉપાદેયરૂપે દેખાય છે અને અશુદ્ધ આત્માની અવસ્થા હેયરૂપે દેખાય છે. ||31| અવતરણિકા : આત્મપરિણામવત્ જ્ઞાન કોને હોય અને કેવું હોય તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ भिन्नग्रन्थेर्द्वितीयं तु ज्ञानावरणभेदजम् । श्रद्धावत्प्रतिबन्धेऽपि कर्मणा सुखदुःखयुक् ।।४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy