SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૭ વેદન=પરિજ્ઞાત, છે. તે કારણથી=અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન છે તે કારણથી, કર્માંતરને કારણે=ઉદય, ક્ષયોપશમ અવસ્થાથી અવસ્થિત ચારિત્રમોહાદિરૂપ કર્માંતરના કારણે, કાર્યભેદ હોવા છતાં પણ=સાવધ અને અનવદ્ય-નિરવઘ પ્રવૃત્તિનું વૈચિત્ર્ય હોવા છતાં પણ, આ ભેદો= અજ્ઞાનાદિ ભેદો, અક્ષત છે. 30 પૂર્વમાં કહ્યું કે લિંગનિરપેક્ષ અજ્ઞાનાદિ વ્યક્તિઓનું વેદન હોવાથી કર્માંતરને કારણે સાવઘ, અનવદ્ય પ્રવૃત્તિનો ભેદ હોવા છતાં પણ ત્રણ પ્રકારના જ્ઞાનનો ભેદ અક્ષત છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે ત્રણ પ્રકારના જ્ઞાનને ન સ્વીકારીએ, પરંતુ જ્ઞાન એક પ્રકારનું છે, આમ છતાં જે જીવોને મિથ્યાત્વનો ઉદય છે, તેઓને નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે; અને જે જીવોને મિથ્યાત્વનો ક્ષયોપશમ છે અને ચારિત્રમોહનીયનો ઉદય છે, તે જીવોને સકંપ પાપપ્રવૃત્તિ થાય છે; અને જે જીવોને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમભાવ વર્તે છે, તે જીવોને નિરવધ પ્રવૃત્તિ થાય છે; તેમ સ્વીકારીએ તો ત્રણ જ્ઞાન માનવાની આવશ્યકતા રહે નહિ. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે પ્રવૃત્તિસામાન્ય .... ૩૫પત્ત, પ્રવૃત્તિસામાન્યમાં જ્ઞાનનું હેતુપણું હોવાથી જ્ઞાનના વૈચિત્ર્યથી જ પ્રવૃત્તિના વૈચિત્ર્યની ઉપપત્તિ=સંગતિ છે. અહીં પ્રશ્ન થાય કે ત્રણ પ્રકારનાં જ્ઞાન ન સ્વીકારીએ પરંતુ એક પ્રકારનું જ્ઞાન સ્વીકારીએ, અને મિથ્યાદ્દષ્ટિની પ્રવૃત્તિ પ્રત્યે દર્શનમોહનીય કર્મ પ્રતિબંધક સ્વીકારીએ અને સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ પ્રત્યે ચારિત્રમોહનીયરૂપ કર્મવિશેષ પ્રતિબંધક છે, તેથી નિરવઘ પ્રવૃત્તિ થતી નથી, પરંતુ સાવઘ પ્રવૃત્તિ થાય છે; અને ચારિત્રીને ચારિત્રમોહનીય કર્મ પ્રતિબંધક નથી, તેથી નિરવઘ પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારીએ તો ત્રણ જ્ઞાન સ્વીકારવાને બદલે એક જ્ઞાન સ્વીકારવાના કારણે લાઘવની પ્રાપ્તિ થાય. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે - પ્રવૃત્તી ..... યોાત્, હેતુમાં રહેલ વિશેષના વિઘટન વગર=પ્રવૃત્તિના કારણીભૂત જ્ઞાનરૂપ હેતુમાં રહેલ વિશેષના વિઘટન વગર, પ્રવૃત્તિમાં કર્મવિશેષતા પ્રતિબંધકપણાનો પણ અયોગ છે. वस्तुतः ..... આવશ્યઃ, વસ્તુતઃ કાર્યના સ્વભાવભેદમાં કારણનો સ્વભાવભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy