SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩ ૧૦૩ જ્ઞાનથી ભવ નિર્ગુણ જણાય છે, અને તે ભવની નિર્ગુણતાના જ્ઞાનને કારણે ભવના ઉપાય પ્રત્યે તેમને ઉત્કટ દ્વેષ થાય છે, તેથી તેઓને ભવની ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્ય છે, અને તે ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્યને કારણે તે યોગીઓ પ્રકૃતિથી પ્રશમ પરિણામવાળા પણ છે. જોકે તત્ત્વદષ્ટિથી પદાર્થને જોવાને અનુકૂળ મોહનો ઉપશમ તેમને થયો નથી, તેથી પ્રશમનો પરિણામ નથી; તોપણ ભોગસામગ્રી પ્રત્યે અત્યંત અનિચ્છા વર્તે છે, લોકમાં માનખ્યાતિ વગેરેની પણ અત્યંત અનિચ્છા વર્તે છે, તેથી લોકદષ્ટિથી તેમનામાં પ્રશમ છે. તેવા યોગીઓને પણ જે ભવની ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્ય છે તે એકાંતરીયા તાવ જેવો છે, જે જ્વર એક દિવસ શાંત થયા પછી બીજે દિવસે ફરી આવે છે; કેમ કે એકાંત ગ્રહથી ઉત્પન્ન થયેલ ભવનૈર્ગુણ્યવાળા જીવોને ઉત્કટ અનિચ્છારૂપ વૈરાગ્ય હોવાને કારણે પ્રકૃતિ શાંત વર્તે છે, તોપણ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલ નહીં હોવાને કારણે વિપર્યાસ વર્તે છે. તેથી પાતનું કારણ બને છે, માટે મોહગર્ભિત વૈરાગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતાનું કારણ બનતો નથી, પરંતુ મિથ્યાજ્ઞાનની વાસનાથી સમન્વિત હોવાને કારણે મિથ્યાજ્ઞાનની વાસનાના પ્રવાહનો ઉત્તરોત્તર પ્રવાહ અવિચ્છેદ રહે છે. તેના કારણે અનર્થોની પરંપરાનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી સમન્વિત=સહિત આ મોહગર્ભિત વૈરાગ્ય છે. I॥૨૩॥ વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે સ્વદર્શનમાં રહેલા પણ, અને સ્યાદ્વાદને સ્વીકારનાર પણ ભગવાનના વચનથી વિરુદ્ધ બોલનારામાં મોહગર્ભિત વૈરાગ્ય છે, તેમ અધ્યાત્મસાર અધિકાર-૬ શ્લોક-૯માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહેલું છે. આનાથી એ ફલિત થાય છે કે જે જીવોને તત્ત્વ પ્રત્યેનો ઉત્કટ રાગ નથી, પરંતુ સ્વમાન્યતા પ્રત્યે કાંઈક વલણ છે કે બદ્ધ વલણ છે, તેના કારણે સ્યાદ્વાદને માનતા હોવા છતાં સ્વમાન્યતા અનુસાર સ્યાદ્વાદને જોડવાનો એકાંત ગ્રહ વર્તે છે, તેવા જીવોમાં પદાર્થને સ્વમતિ અનુસાર જોડવાની વાસનાનો અવિચ્છેદ ચાલે છે; અને આ વિપરીત વાસનાને કારણે તેમનામાં રહેલો વૈરાગ્ય ભાવિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy