SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૮ તત્ત્વસંવેદનજ્ઞાનમાં ઉત્તરોત્તર સુદઢ યત્ન કરી શકે તેવી શક્તિવાળા નથી. સંયમ ગ્રહણ કરતી વખતે વિધિમાં દઢ ઉપયોગને કારણે ગુણસ્થાનક આવ્યા પછી સંયમની ક્રિયામાં તેવો દૃઢ યત્ન થતો નથી, તેથી સંયમની ક્રિયાઓ દ્વારા સમભાવના પરિણામને જિવાડી શકતા નથી. માટે પોતાની સંયમની ક્રિયાઓ પોતાને સંસારથી પાર કરશે કે કેમ ? તેવી શંકા થાય છે અથવા તો બાહ્ય નિમિત્તોમાં કોઈક આકાંક્ષાઓ થાય છે, તેથી સંયમના ગુણસ્થાનકથી પાત પામે છે. છતાં કલ્યાણની અર્થિતા હોવાને કારણે ફરી તત્ત્વસંવેદનનો યોગ થાય તેવી શક્તિ તે મહાત્મામાં વર્તે છે. તેથી ઉપદેશાદિની સામગ્રીથી ફરી સંવેગની વૃદ્ધિ થાય તો ફરી તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પ્રગટે છે; પરંતુ તે તત્ત્વસંવેદન નામનું જ્ઞાન શિથિલમૂળવાળું હોવાને કારણે સાધુમાં તત્ત્વસંવેદનના સંસ્કારો પડતા નથી, અને તેના કારણે વારંવાર શંકા-કાંક્ષાદિ દ્વારા ગુણસ્થાનકથી પાત પામે છે અને ફરી નિમિત્તને પામીને ગુણસ્થાનકમાં આવે છે. આ રીતે બીજા પ્રકારના આ યોગી ગુણસ્થાનકમાં આવ-જાવ કરે છે. (૩) તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટ્યા પછી તત્ત્વસંવેદનના સંસ્કારોનો અભાવ હોય, અને ફરીથી તત્ત્વસંવેદનનો યોગ થવાની શક્તિનો પણ અભાવ હોય, તેવા મુનિનું સ્વરૂપ : સંયમ ગ્રહણ કરનારા જીવો પોતાની ભૂમિકાને સંપન્ન કરીને સંયમ ગ્રહણ કરે અને સંયમ ગ્રહણ કરતી વખતે સંયમની વિધિમાં સમ્યગુ યત્ન હોય તો સંયમગ્રહણકાળમાં સામાયિકની પ્રતિજ્ઞા ઉચ્ચરતી વખતે “કરેમિ ભંતે' સામાયિક સૂત્રથી કરાયેલા શ્રુતના સંકલ્પ દ્વારા સામાયિકનો પરિણામ પ્રગટે છે, તે તત્ત્વસંવેદનજ્ઞાન છે; પરંતુ તે તત્ત્વસંવેદનજ્ઞાન શિથિલ મૂળવાળું હોવાથી તત્ત્વસંવેદનના સંસ્કારો નાંખવા માટે સમર્થ નથી, તેથી અલ્પકાળમાં અંત્યબોધનોઃ તત્ત્વસંવેદનજ્ઞાનનો, નાશ થાય છે. વળી તે સાધુમાં ફરી તત્ત્વજ્ઞાનનો યોગ થાય તેવી શક્તિ ન હોય તો તે સાધુ ભાવથી ગુણસ્થાનકથી પતિત છે, તેમાં કોઈ સંશય નથી. અહીં પ્રશ્ન થાય કે તે સાધુ આરાધક હોવાથી સંયમની સર્વ ક્રિયાઓ કરે છે. તે ક્રિયાના બળથી ફરી સાધુપણું તેને પ્રાપ્ત થવું જોઈએ. તેથી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy