SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૮ બાહ્યલિંગનું તત્ત્વસંવેદનની પ્રાપ્તિમાં અકારણપણું છે. અર્થાત્ સાધ્વાચારની બાહ્યક્રિયામાત્રનું તત્ત્વસંવેદનજ્ઞાનને પ્રગટ કરવામાં કારણપણું નથી. આનાથી એ ફલિત થાય છે કે આ ત્રીજા પ્રકારના સાધુને સંયમથી પાત થયા પછી ફરી સંવેગને ઉલ્લસિત કરે તેવો યોગ ન થાય અથવા તો ફરી સંવેગને ઉલ્લસિત કરે તેવી સામગ્રી મળે ત્યારે ફરી સંવેગ ઉલ્લસિત થાય તેવી યોગ્યતા ન હોય તો, માત્ર બાહ્ય સંયમની આચરણા સંયમની વૃદ્ધિ દ્વારા મોક્ષનું ન કારણ બનતી નથી. ફક્ત તે સાધુમાં સમ્યક્ત્વ વિદ્યમાન હોય, અને ભગવાનના વચનના રાગને કારણે સંયમની ક્રિયા તે સાધુ કરતા હોય, તો સમ્યક્ત્વ ગુણસ્થાનક ટકી શકે, અને કોઈક નિમિત્તને પામીને મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ હોય છતાં દૃઢ અસગ્રહ ન હોય અને તત્ત્વની અભિમુખતા વિદ્યમાન હોય તો આરાધક ભાવ ટકી શકે, પરંતુ સર્વવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ કે ઉત્તરોત્તર વૃદ્ધિ બાહ્ય ચારિત્રાચારની ક્રિયાથી થાય નહિ. સારાંશ: (૧) પ્રથમ પ્રકારના સાધુને દૃઢ મૂળવાળું તત્ત્વસંવેદનજ્ઞાન હોય છે, તે ઉત્તરોત્તર અતિશયિત થઈને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે, અને આ તત્ત્વસંવેદન નામનું જ્ઞાન મતિજ્ઞાનના ઉપયોગસ્વરૂપ છે અને તે શ્રુતથી પરિકર્મિત મતિરૂપ છે અને નવા નવા શ્રુતઅધ્યયનના કારણે તે મહાત્માની મતિ અધિક અધિક શ્રુતથી પરિકર્મિત થાય છે. તે મોહના ઉન્મૂલનને અનુકૂળ સુદૃઢ વ્યાપાર કરાવીને ઉત્તરોત્તર સ્વસ્થતાની વૃદ્ધિ કરાવે છે. ૪૩ (૨) બીજા પ્રકારના સાધુને શિથિલમૂળવાળું તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટે છે, તેથી શંકા-કાંક્ષાદિ દ્વારા પાત પામે છે, તોપણ તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટી શકે તેવી શક્તિ હોવાને કારણે ઉપદેશાદિની સામગ્રીથી સંવેગ ઉત્પન્ન થાય તો ફરી ગુણસ્થાનક આવે છે, અને તત્ત્વસંવેદનજ્ઞાન દઢમૂળવાળું ન થાય તો ફરી ફરી આકર્ષ દ્વારા પાતની પ્રાપ્તિ થાય છે. આકર્ષ=ગુણસ્થાનકને અભિમુખ પરિણામ હોવા છતાં ગુણસ્થાનકથી વિરુદ્ધ ભાવોનું આકર્ષણ થવાથી ગુણસ્થાનકથી અધોગમન થાય છે, વળી ગુણસ્થાનકનો અભિમુખભાવ ફ૨ી ગુણસ્થાનક સાથે આત્માને જોડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy