SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સાધુસમસ્યદ્વાચિંશિકા/બ્લોક-૮ અને (૩) જગતના પદાર્થો પ્રત્યે ઉપેક્ષાવાળું બને છે. આ પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ અને પ્રશસ્ત ઉપેક્ષાના પરિણામને સ્થિરરૂપે જે યોગી પ્રવર્તાવી શકે તે યોગીમાં તત્ત્વસંવેદન નામનું જ્ઞાન સ્કુરાયમાન થાય છે. તત્ત્વસંવેદનજ્ઞાનથી સાધક યોગી સર્વત્ર મન, વચન અને કાયાની ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી તત્ત્વસંવેદનજ્ઞાનના સંસ્કારો તેમના આત્મામાં દઢ-દઢતર પડે છે. તેથી અનાદિકાળથી મોહથી આકુળ એવા મતિજ્ઞાનના સંસ્કારો તેમના આત્મામાં પડેલા હતા, તે ક્ષણ-ક્ષીણતર થાય છે, અને સત્જ્ઞાનાવરણના ક્ષયોપશમવાળા મતિજ્ઞાનના સંસ્કારો અતિશય-અતિશયતર થાય છે; અને આ તત્ત્વજ્ઞાનના સંસ્કારોના યોગથી સાધુ ક્રમસર ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરીને ક્ષાયિક એવા વીતરાગભાવને પામે છે ત્યારે સંપૂર્ણ મોહના સંસ્કાર વગરનું મતિજ્ઞાન પ્રગટે છે; અને બારમા ગુણસ્થાનકે રહેલા એવા આ યોગીને જ્ઞાનાવરણ કર્મના બંધના બીજભૂત મોહનો સંપૂર્ણ અભાવ હોવાથી જ્ઞાનાવરણકર્મ બંધાતું નથી, અને પૂર્વમાં બંધાયેલું જ્ઞાનાવરણ કર્મ મોહથી અનાકુળ એવા શુદ્ધ જ્ઞાનના ઉપયોગથી નાશ પામે છે. તેથી બારમા ગુણસ્થાનકના અંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૨) અંત્યબોધ થવા છતાં અંત્યબોધના સંસ્કારના અભાવમાં આકર્ષગામી મુનિનું સ્વરૂપ : સંયમ ગ્રહણ કરનારા જીવો પોતાની ભૂમિકાને સંપન્ન કરીને સંયમ ગ્રહણ કરે અને સંયમ ગ્રહણ કરતી વખતે સંયમની વિધિમાં અત્યંત ઉપયોગ હોય તો સંયમની વિધિના બળથી જ તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પ્રગટે છે; પરંતુ કોઈક સાધુમાં તે તત્ત્વસંવેદન નામનું જ્ઞાન મંદ સામર્થ્યવાળું હોવાથી આત્મામાં તત્ત્વજ્ઞાનના સંસ્કારો નાંખીને ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થતું નથી, તેથી તેવા સાધુમાં તત્ત્વજ્ઞાનના સંસ્કારો પડતા નથી, તેમ છતાં ફરી તત્ત્વસંવેદનજ્ઞાનનો યોગ થાય તેવી શક્તિ વર્તતી હોય તો તે સાધુ સંયમ ગ્રહણ કરતી વખતે તત્ત્વસંવેદનજ્ઞાનને પામેલ હોવા છતાં શંકા-કાંક્ષાદિ દ્વારા ગુણસ્થાનકથી અન્યત્ર આકર્ષગામી થાય છે અર્થાત્ ગુણસ્થાનકથી નીચે ઊતરે છે, અને ફરી ફરી ગુણસ્થાનકને પણ પામે છે. આશય એ છે કે આ બીજા પ્રકારના મહાત્માઓ કલ્યાણના અર્થી છે અને સંયમ ગ્રહણ કરતી વખતે તત્ત્વસંવેદનજ્ઞાનને પ્રાપ્ત કરે છે, છતાં તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy