SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૮ ટીકાર્ય : સત્ત્વવથી ..... નુતે, અંત્યબોધતા તત્ત્વસંવેદનના, યોગથી જ= સંસ્કારરૂપ સંબંધથી જ, સાધુ સમગ્રપણાને=પૂર્ણભાવને અર્થાત્ ક્ષાવિકભાવરૂપ પૂર્ણ સંયમને, પ્રાપ્ત કરે છે. અન્યથા . #ાર ત્વતિ / અન્યથા તત્ત્વજ્ઞાનના સંસ્કારના અભાવમાં, વળી શંકા-કાંક્ષાદિ દ્વારા આકર્ષગામી થાય અથવા પતિત થાય. આકર્ષગામી ક્યારે થાય અને પતિત ક્યારે થાય તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – યોગશક્તિની અનુવૃત્તિ હોતે છતેeતત્વસંવેદનનો યોગ થવાની શક્તિની અનુવૃત્તિ હોતે છતે, શંકા-કાંક્ષાદિ દ્વારા આકર્ષગામી થાય અને તેની અનુવૃત્તિ હોતે છતે= તત્ત્વસંવેદનનો યોગ થવાની શક્તિની અનqવૃત્તિ હોતે છતે, પતિત થાય. એમાં= યોગશક્તિની અનgવૃત્તિ હોતે છતે પતિત થાય એમાં, કોઈ સંશય નથી, કેમ કે બાહ્યલિંગનું અકારણપણું છે. ૫૮ ટીકામાં વા કાર બે છે તે આકર્ષગામી થાય અથવા પતિત થાય તેના જોડાણ માટે છે, અને તનુવૃત્ત ૨ - ૨ કાર છે, તે અનુવૃત્તિ અનનવૃત્તિના જોડાણ માટે છે. ભાવાર્થ :(૧) તત્ત્વસંવેદનના યોગથી સંયમના સમગ્રપણાની ક્ષાયિક ચારિત્રની, પ્રાપ્તિ : સંયમ ગ્રહણ કરનારા જીવો પોતાની ભૂમિકાને સંપન્ન કરીને સંયમ ગ્રહણ કરે, અને સંયમ ગ્રહણ કરતી વખતે સંયમની ક્રિયાની વિધિમાં અત્યંત ઉપયોગ હોય, તો સંયમની ક્રિયાની વિધિના બળથી તત્ત્વસંવેદન નામનું જ્ઞાન પ્રગટે છે અર્થાત્ મોહના ઉચ્છેદને અનુકૂળ સુદઢ યત્ન કરાવે એવો સતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ પ્રગટે છે, તેથી તે સંયમ ગ્રહણ કરનાર મહાત્માનું ચિત્ત (૧) મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત સમભાવમાં રાગવાળું બને છે, અને સમભાવના ઉપાયભૂત ઉચિત પ્રવૃત્તિમાં રાગવાળું બને છે. (૨) અસમભાવમાં દ્વેષવાળું બને છે અને અસમભાવમાં ઉપાયભૂત અનુચિત પ્રવૃત્તિમાં દ્વેષવાળું બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy