SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સાધુસામથ્યાત્રિશિકા/બ્લોક-૩ તવાદ - તેને કહે છેઃવિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કેવા સ્વરૂપવાનું છે, તેને અષ્ટક-૯/૨ની સાક્ષીથી કહે છે – “તદ્ધત્વાધવેવ” રૂતિ ! તેના=શેય વિષયોના, હેયવાદિને નહિ જાણનારું વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે. તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તત્વાતિ માં માહિ શબ્દથી ઉપાદેય અને ઉપેક્ષણીયનું ગ્રહણ કરવું. પૂર્વે મિથ્યાદષ્ટિઓને વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન ગ્રાહ્યત્વાદિના અવિનિશ્ચયવાળું છે, એમ કહ્યું. ત્યાં શંકા કરીને નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – યપ..... નતોષ:, જોકે મિથ્યાષ્ટિઓને પણ ઘટાદિના જ્ઞાનથી ઘટાદિની ગ્રાહ્યતાનો નિશ્ચય થાય જ છે, તોપણ સ્વવિષયત્વના અવચ્છેદથી તેનો અનિશ્ચય હોવાથીemયની ગ્રાહ્યતાનો અનિશ્ચય હોવાથી, દોષ નથી= વિષયપ્રતિભાસ જ્ઞાનને ગ્રાહ્યત્યાદિ અનિશ્ચયરૂપ કહ્યું તેમાં દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનના વિષયભૂત ઘટાદિને તો મિથ્યાદૃષ્ટિ જીવ ગ્રાહ્યરૂપે જાણે છે. તેથી સ્વવિષયત્વના અવચ્છેદથી=જ્ઞાનવિષયત્વના અવચ્છેદથી ગ્રાહ્યતાનો અનિશ્ચય કયા સ્થાનમાં છે, એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી તેમાં હેતુ કહે છે – સંવેદ્ય ..... નિશ્ચયાત્ | સ્વસંવેદ્ય એવા સ્વતો જ=સ્વસંવેદ્ય એવા જ્ઞાનનો જ, તદ્ અનિશ્ચય ગ્રાહ્યતાદિવિષયક અનિશ્ચય, છે. ૩ ભાવાર્થ :(૧) વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કોને હોય ? અને કેવું હોય ? તેનું વર્ણન: વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન મતિઅજ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમથી થાય છે. અહીં મતિઅજ્ઞાન એટલે મતિજ્ઞાનનો અભાવ નહિ, પરંતુ કુત્સિત મતિજ્ઞાન સમજવું. કુત્સિત એવા મતિજ્ઞાનાદિના આવરણના ક્ષયોપશમથી વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન થાય છે. વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન મિથ્યાદૃષ્ટિઓને હોય છે; સમ્યગ્દષ્ટિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy