SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. સાધુ સામર્થ્યાત્રિશિકા/શ્લોક-૧૭ તમુવતમ્ - તે આ કહેવાયું છે=પૂર્વમાં ઃ ર થી કરેલ તર્કથી સાધુ અર્થે પૃથિવ્યાદિ આરંભનો અપ્રયોજક એવો શુભ સંકલ્પ દુષ્ટ નથી, તેમ સ્થાપન કર્યું, તે આ અષ્ટક-૬/૭ શ્લોકમાં કહેવાયું છે – વોચિત ... કપરોવત|| વળી સ્વઉચિત એવા કોઈક આરંભમાં જે તે પ્રકારનો સંકલ્પ–સ્વભોગ્યથી અતિરિક્ત પાકશૂન્યપણારૂપે કરાયેલો સંકલ્પ, તે દુષ્ટ=ોષવાળો નથી; કેમ કે શુદ્ધ અપરયોગની જેમ=પ્રશસ્ત અપર મુનિવંદનાદિ યોગની જેમ, શુભભાવપણું છે. ll૧૭ના pfથવ્યધરHપ્રયોગ9THસત્પન-પિ - અહીં ૩પ થી એ સમુચ્ચય થાય છે કે સાધુ અર્થે પૃથિવ્યાદિ આરંભ પ્રયોજક અશુભ સંકલ્પ તો દુષ્ટ થાય, પરંતુ પૃથિવ્યાદિ આરંભ અપ્રયોજક એવો શુભ સંકલ્પ પણ જો દુષ્ટ હોય તો સાધુવંદનાદિ યોગ પણ દુષ્ટ થાય. - સાધુવન્દ્રનાઢિયો ડપિ - અહીં પ થી એ કહેવું છે કે સાધુ અર્થે લાવેલો અભ્યાહત પિંડ તો દુષ્ટ છે, પરંતુ સાધુવંદનાદિ યોગ પણ દુષ્ટ થાય. શ્લોક-૧૬/૧૭નો સળંગ ભાવાર્થ - શ્લોક-૧૬માં યાવદર્થિક અને પુણ્યાર્થિક કરાતા પિંડનો વિષય શું છે, તે ગ્રંથકારશ્રીએ બતાવ્યું અને તેવો પિંડ સાધુને દુષ્ટ છે તેમ બતાવ્યું. તેથી એ ફલિત થયું કે કોઈ શ્રાવક યાવત્ અર્થી માટે કે પુણ્ય માટે સંકલ્પ કરીને પિંડની નિષ્પત્તિ કરે તે પિંડ સાધુને કહ્યું નહિ; કેમ કે યાવદર્થિકપિંડમાં કે પુણ્યાર્થિકપિંડમાં સાધુનો પણ પ્રવેશ થાય. તેથી તેવો પિંડ સાધુને કહ્યું નહિ. શ્લોક-૧૭માં બતાવ્યું કે કોઈ શ્રાવક પોતાના શરીર માટે કે કુટુંબ માટે પાક કરે અને તે પાક કર્યા પછી પોતાના માટે કરાયેલા પાકમાંથી ‘હું સાધુની ભક્તિ કરીને કૃતાર્થ થઉં' એવા આશયથી આપવાનો સંકલ્પ કરે તો તે પિંડ સાધુને દુષ્ટ નથી. તેથી એ ફલિત થાય કે અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ. એ કથનથી સાધુને માટે જે પાક કરાયેલો ન હોય, પરંતુ પોતાના માટે જે પાક કરાયેલો હોય, તે પાક કર્યા પછી સાધુની ભક્તિ કરવાના આશયથી કોઈ આપવાનો સંકલ્પ કરે તો તે પિંડ સાધુને માટે દુષ્ટ નથી. માટે પૂર્વપક્ષીએ જે શંકા કરી કે “અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ' તેમ સ્વીકારીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy