SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૫ ભાવાર્થ :(૩) જ્ઞાનાન્વિત જ્ઞાનગર્ભિત, વૈરાગ્યનું સ્વરૂપ : ભગવાનનું વચન સ્યાદ્વાદરૂપ છે અને તે સ્યાદ્વાદ વચન બધા નયોના સમૂહાત્મક છે, અને દરેક નય પદાર્થના સ્વરૂપને તે તે દૃષ્ટિથી યથાર્થ બતાવે છે. તેથી જેઓને સર્વ નયોથી પદાર્થનું દર્શન તે રીતે થયું છે કે જે રીતે ભગવાને બતાવ્યું છે, તેવા મુનિઓની પાસે સ્યાદ્વાદની વિદ્યા છે. તે સ્યાદ્વાદની વિઘાથી સંસારી જીવોના કષ્ટને તે મુનિઓ જાણે છે અર્થાત્ કર્મથી બંધાયેલા જીવો કઈ રીતે ચાર ગતિના પરિભ્રમણની વિડંબના પામે છે, અને કર્મથી અબદ્ધ એવા આત્માઓ કઈ રીતે પૂર્ણ સુખમય અવસ્થાને અનુભવે છે, તે પ્રમાણે સ્યાદ્વાદની દૃષ્ટિથી યથાર્થ જાણે છે. વળી યથાર્થ બોધ હોવાને કારણે ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારથી તે મુનિઓ ભય પામેલા છે, અને જેઓ સંસારથી ભય પામેલા છે તેવા યોગીઓ સંસારના ઉપાયને સેવે નહિ. વળી સંસારનો ઉપાય જીવમાં વર્તતો સંગનો પરિણામ છે, અને જીવમાં વર્તતો સંગનો પરિણામ અનાદિકાળથી ચિરરૂઢ થયેલો છે. તેથી સંગના પરિણામને દૂર કરવાની ઈચ્છાવાળા મુનિઓ પણ વસ્ત્રની જેમ સંગના પરિણામને દૂર કરી શકતા નથી. આથી તેઓ અંતવૃત્તિરૂપે રહેલ સંગના પરિણામને દૂર કરવાના ઉપાયભૂત ભગવાનના વચનનું અવલંબન લઈને સંયમયોગમાં સુદઢ વ્યાપાર કરે છે. તેથી મુનિનો આત્મા ગુપ્તિભાવમાં વર્તે છે, અને આ ગુપ્તિઓ પ્રકર્ષને પામીને અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને છે ત્યારે, ભવના બીજભૂત સંગનો ઉચ્છેદ થાય છે; અને જે મુનિઓ ભવથી ભય પામેલા છે તેઓ ભવના ઉચ્છેદમાં સતત પ્રવૃત્ત છે. તેવા મુનિઓમાં જે વિરક્તભાવ છે, તે જ્ઞાનાન્વિત વૈરાગ્ય છે, અને આ જ્ઞાનાન્વિત વૈરાગ્ય મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની પરિણતિમાં પ્રકૃષ્ટથી પ્રવૃત્તિવાળો છે. ૨૪ અવતરણિકા – દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે મુનિને સામર્થ્યની પ્રાપ્તિ પ્રત્યે કયો વૈરાગ્ય કારણ છે અને દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય પણ કઈ રીતે પરંપરાએ સામર્થ્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy