SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ઘણા પણ પ્રકારે શુદ્ધ પિંડનો અલાભ હોવાથી શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય. કમિશ્નામમાડપિ - અહીં પ થી એ કહેવું છે કે ભિક્ષુના સર્ભાવમાં તો ભિક્ષુ અર્થે પાકની ઉપલબ્ધિ છે, પરંતુ ભિક્ષુના અભાવમાં પણ સ્વ અર્થે ઘણાઓના પાકની ઉપલબ્ધિ છે. ભાવાર્થ : શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાધુએ અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે છે – આ રીતે અસંકલ્પિત જ પિંડ સાધુને ગ્રહણ કરવાનું કહેવામાં આવે તો પ્રાયઃ શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય; કેમ કે ઘણા પ્રકારે શંકિત પ્રષિતાદિ વડે શુદ્ધ પિંડની અપ્રાપ્તિ છે. તેથી સાધુને સંયમપાલન કરવું દુષ્કર બને તેવી પિંડગ્રહણની વિધિ પ્રાપ્ત થાય. પૂર્વપક્ષીનો આશય એ છે કે સાધુ સ્વયં આરંભ-સમારંભ કરે નહિ અને કોઈ પાસે આરંભ-સમારંભ કરાવે નહિ, તેવી ભિક્ષા ગ્રહણનું વિધાન કરવામાં આવે તો સાધુને ભિક્ષાની દુર્લભતા પણ ન થાય અને ભિક્ષાની પ્રાપ્તિના કારણે સુખે સુખે સંયમનું પાલન કરી શકે. વળી ગૃહસ્થો સાધુના અર્થે ભિક્ષાનો સંકલ્પ કરે તેમાં સાધુને કોઈ પ્રયોજન નથી. ઉલટું સાધુને અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવાનું કહેવાથી ભિક્ષાની અપ્રાપ્તિને કારણે સંયમની અન્ય આરાધનામાં વિશ્ન થાય. તેથી આવી પ્રરૂપણા કરનારા અનાપ્ત છે, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે. વળી શ્લોકનો આટલા ભાગનો અર્થ થવા થી બીજી રીતે ગ્રંથકારશ્રી કરે છે - શ્લોક-૧૩માં કહ્યું એ રીતે અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવાનું વિધાન કરવામાં આવે તો પ્રાયઃ અસંકલ્પિત પિંડનો અલાભ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે - પૂર્વપક્ષી કહે છે તેમ નથી; કેમ કે ઘણા પ્રકારે પણ અસંકલ્પિત પિંડનો લાભ સંભવે છે. કઈ રીતે ઘણા પ્રકારે અસંકલ્પિત પિંડનો લાભ સંભવે છે, તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy