SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ પુણ્યાર્થિકપિંડને દુષ્ટ કહે છે અર્થાત્ જે કોઈ અર્થી નિમિત્તે પિંડ નિષ્પાદન કરાયેલ હોય કે પુણ્ય નિમિત્તે પિંડ નિષ્પાદન કરાયેલ હોય, તે પિંડ સાધુને દુષ્ટ છે એમ કહે છે. તેથી અર્થથી યાવદર્થિક અને પુણ્યાર્થિકપિંડના નિષેધથી સંકલ્પ-વિશેષવાળા પિંડનો નિષેધ થઈ જાય છે. તેથી યાવદર્થિકપિંડને અને પુણ્યાર્થિકપિંડને ભગવાનના વચનાનુસાર જે લોકો અગ્રાહ્ય સ્વીકારે છે, તેમણે સંકલ્પવિશેષ વગરનો પિંડ સાધુએ ગ્રહણ ક૨વો જોઈએ, એ કહેવાનો કોઈ અર્થ નથી; કેમ કે યાવદર્થિકપિંડના અને પુણ્યાર્થિકપિંડના નિષેધમાં સર્વ અર્થીનો નિષેધ થઈ જાય છે, તેથી તેમાં સાધુ અર્થે કરાયેલા પિંડનો પણ નિષેધ થઈ જાય છે. માટે સામાન્યથી નિષેધ કર્યા પછી ફરી વિશેષથી કહ્યું કે ‘સાધુના અર્થે સંકલ્પ કરાયેલો પિંડ સાધુને કલ્પે નહિ એ કથન અર્થ વગરનું છે,’ માટે દુર્વચ છે. ૭૪ તેની પુષ્ટિ કરતાં યુક્તિ આપે છે કે જો એવું ન માનો અર્થાત્ સંકલ્પવિશેષના વિરહવાળો પિંડ સાધુને અગ્રાહ્ય છે એ વચન દુષ્ટ નથી એમ માનો તો, તેવા સંકલ્પવિશેષનો વિરહ યાવદર્થિકપિંડમાં અને પુછ્યાર્થિકપિંડમાં છે અર્થાત્ સાધુ માટે જે કરાયેલો પિંડ હોય તે સાધુને ન કલ્પે એટલો જ અર્થ સ્વીકારીએ તો, યાવદર્થિકપિંડ કે પુણ્યાર્થિકપિંડ સાધુ માટે કરાયેલો નથી, તેમ સ્વીકારવું પડે. અને તેમ સ્વીકારો તો સંકલ્પવિશેષના વિરહવાળો એવો યાવદર્થિકપિંડ અને ક્યાર્થિકપિંડ સાધુને ગ્રાહ્ય છે, તેમ સ્વીકારવું પડે. વસ્તુતઃ શાસ્ત્રકારોએ યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ કર્યો છે. તેથી અર્થથી સાધુને આપવાના સંકલ્પથી કરાયેલો પિંડ સાધુને અગ્રાહ્ય છે, તેની પ્રાપ્તિ થઈ જાય છે. આમ છતાં યાવદર્થિકપિંડનો અને પુષ્પાર્થિકપિંડનો નિષેધ કર્યો, પછી ફરી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, તેમ કહેવું, એ અર્થ વગરનું છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. સારાંશ ઃ સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી નિષેધ કર્યા પછી વિશેષથી નિષેધની આવશ્યકતા રહેતી નથી. જેમ ‘અહીં કોઈ વૃક્ષ નથી' એમ સામાન્યથી નિષેધ કર્યા પછી ‘અહીં આંબાનું વૃક્ષ નથી' એમ કહેવાની જરૂર રહેતી નથી. તે રીતે યાવદર્થિકપિંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy