SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૨૧ (૧) દુઃખાન્વિત-દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ : સાધુપણું ગ્રહણ કર્યા પછી આર્તધ્યાન નામના દુઃખથી અન્વિત જે વૈરાગ્ય છે, તે પ્રથમ પ્રકારનો દુઃખાન્વિત વૈરાગ્ય છે. આ વૈરાગ્ય આર્ત્તધ્યાનથી અન્વિત છે તે કેવી રીતે જાણી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે - જે સાધુ શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા નથી, તેઓ શાતાના અર્થી છે, અને શાતાનું અર્થીપણું એ આર્ત્તધ્યાન છે. આ આર્ત્તધ્યાન નામના દુઃખના પરિણામથી યુક્ત જે વૈરાગ્ય છે, તે દુઃખાન્વિત વૈરાગ્ય છે. כיס અહીં પ્રશ્ન થાય કે જે સાધુ શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા નથી, તોપણ જે કાંઈ અંશથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે, તે અપેક્ષાએ તેમનો વૈરાગ્ય સમ્યજ્ઞાનથી અન્વિત છે, તેમ કહીએ તો શું વાંધો છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે તાત્ત્વિક વૈરાગ્ય અર્થાત્ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય શક્તિનો અતિક્રમ કરીને પણ મોક્ષના ઉપાયમાં શ્રદ્ધાના અતિશયથી પ્રવૃત્તિ કરાવે છે. આશય એ છે કે જે મુનિને સંસારના સમ્યક્ સ્વરૂપનો બોધ છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય સર્વજ્ઞનું વચન છે, અન્ય નહિ; તેવો નિર્ણય છે, તેવા જ્ઞાનવાળા મુનિ શક્તિના અતિશયથી ભગવાને બતાવેલા શ્રુતધર્મમાં ઉદ્યમ કરે છે, શ્રુતધર્મના પરમાર્થને જાણવા માટે સર્વ ઉચિત પ્રયત્ન કરે છે, વળી શ્રુતધર્મના પરમાર્થને જાણીને તેને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે છે અને શ્રુતધર્મને સ્થિર કર્યા પછી તેને સમ્યક્ પરિણમન કરવા માટે પ્રયત્ન કરે છે; કેમ કે પારમાર્થિક જ્ઞાન આ પ્રકારની પ્રવૃત્તિમાં જ હિતની બુદ્ધિ પેદા કરાવે છે, અને આ પ્રકારની પ્રવૃત્તિથી વિપરીત પ્રવૃત્તિમાં અહિતની બુદ્ધિ પેદા કરાવે છે; તેથી જેઓ હિતની પ્રાપ્તિના કારણ એવા મોક્ષના ઉપાયમાં સમ્યગ્ ઉદ્યમ કરતા નથી, તેઓમાં સમ્યજ્ઞાન નથી, માટે તેમનો વૈરાગ્ય કાં તો મોહગર્ભિત છે કાં તો શાતાના અર્થી હોવાથી દુઃખગર્ભિત છે. ૨૧મી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy