SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસાચ્ચઢાત્રિશિકા/પ્રસ્તાવના છે, અને તે સર્વવિરતિ ધર્મના સામર્થ્યની=ક્ષાયિકભાવરૂપ ચારિત્રની, પ્રાપ્તિ કઈ રીતે થાય તેનું સચોટ, તર્કસંગત, અષ્ટક ગ્રંથના ઉદ્ધરણોપૂર્વકનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સાધુસામગ્સ બત્રીશીમાં કરેલ છે. સાધુમાં ધર્મનું સમગ્રપણું છે અને તે પૂર્ણ ધર્મરૂપ સામર્થ્ય – (૧) ભગવાનના વચનાનુસાર યથાર્થબોધ હોવાને કારણે જ્ઞાનીભાવ, (૨) સર્વસંપન્કરી ભિક્ષાને કારણે ઉચિત યોગમાં પ્રવૃત્તિરૂપ ભિક્ષુભાવ, અને (૩) જગતના પદાર્થોનો યથાર્થ બોધ હોવાને કારણે વૈરાગ્યથી વિરક્ત ભાવસ્વરૂપ છે. પ્રસ્તુત બત્રીસીમાં (૧) વિષયપ્રતિભાસ જ્ઞાન, (૨) આત્મપરિણામવત્ જ્ઞાન અને (૩) તત્ત્વસંવેદન જ્ઞાન, એમ ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ; ત્રણ પ્રકારના જ્ઞાનને જાણવાનાં લિંગો (૧) સર્વસંપન્કરી ભિક્ષા, (૨) પૌરુષની ભિક્ષા અને (૩) વૃત્તિ ભિક્ષા, એમ ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ અને એ ત્રણ પ્રકારની ભિક્ષા કોને કોને હોય તેનું વર્ણન તથા (1) દુઃખાન્વિત વૈરાગ્ય, (૨) મોહાવિત વૈરાગ્ય અને (૩) જ્ઞાનાન્વિત વૈરાગ્ય,એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ બતાવેલ છે. ત્રણ પ્રકારના જ્ઞાનમાંથી તત્ત્વસંવેદન જ્ઞાન સાધુના સમગ્રભાવનું કારણ છે, તેમ સર્વસંપન્કરી ભિક્ષા સાધુના સમગ્ર ભાવનું કારણ છે, તેમ જ્ઞાનાન્વિત વૈરાગ્ય સાધુના સમગ્ર ભાવનું કારણ છે. પ્રસ્તુત બત્રીસીના છેલ્લા શ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્વયં કહ્યું છે કે “જે વિચારક જીવો સાધુની સમગ્રતાના કારણ એવા તત્ત્વસંવેદન જ્ઞાન, સર્વસંપન્કરી ભિક્ષા અને જ્ઞાનાન્વિત વૈરાગ્ય, આ ત્રણના પરમાર્થને જાણીને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે, તેઓ ક્રમે કરીને પરમાનંદ સ્વરૂપ મોક્ષના ફળને પામે છે.” પ્રસ્તુત બત્રીસીમાં પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજારચિત અષ્ટક પ્રકરણના અનેક ઉદ્ધરણો આપી ગ્રંથકારશ્રી મહોપાધ્યાયજી મહારાજાએ ત્રણ પ્રકારનાં જ્ઞાનોનું, ત્રણ પ્રકારની ભિક્ષાનું અને ત્રણ પ્રકારનાં વૈરાગ્યનું રસાળ, રોચક પદ્ધતિથી જે વર્ણન કરેલ છે, તેનો વાચકવર્ગને આ સાધુસામગ્સ દ્વાત્રિશિકાના ટીકા-ટીકાર્ય-શબ્દશઃ વિવેચનના વાચનથી સ્વયં ખ્યાલ આવશે કે ૩૨ શ્લોકની આ ધાત્રિશિકામાં કેવા કેવા રોચક અપૂર્વ તાત્ત્વિક પદાર્થોનું વર્ણન ગ્રંથકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy