SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામર્થ્યવાસિંશિકા/શ્લોક-૧૯ અહીં પ્રશ્ન થાય કે સાધુએ કોઈ દોષ સેવ્યો નથી, છતાં સાધુને પાપની વૃદ્ધિ કેમ થઈ ? તેથી કહે છે – તનિમિત્ત .... પરિહાર્યત્વત્િ છે તેના નિમિત્તભાવતું સાધુ અર્થે પાક કરવામાં નિમિત્તભાવનું, સાધુથી અપરિહાર્યપણું છે. સાધુએ નિમિત્તભાવનો પરિહાર કર્યો નહિ, તેથી પાપની વૃદ્ધિ થઈ. માટે સાધુને સંકલ્પિત પિંડના ગ્રહણમાં દોષ છે, એમ અવય છે. ll૧૯ાા. ભાવાર્થ - શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અકૃત, અકારિત અને અસંકલ્પિત એવા પિડને ગ્રહણ કરતા સાધુ સમગ્ર ભાવને પામે છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – જે સાધુ મન, વચન અને કાયાથી શુદ્ધ છે અર્થાત્ પાકાદિ આરંભ કરવાને અનુકૂળ મનથી, વચનથી કે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી, તેવા સાધુ પિંડ ગ્રહણ કરે, અને તે પિંડની નિષ્પત્તિમાં ગૃહસ્થ સાધુ માટે સંકલ્પ કર્યો હોય તો તેનાથી સાધુને કઈ રીતે દોષ લાગે ? અર્થાત્ સાધુને દોષ લાગે નહિ; કેમ કે અન્યના પરિણામથી અન્યને પાપની પ્રાપ્તિ નથી, એ નિયમ પ્રમાણે ગૃહસ્થના સંકલ્પથી સાધુના સંયમજીવનમાં દોષની પ્રાપ્તિ થઈ શકે નહિ, અને સાધુ મન, વચન અને કાયાથી સંયમની શુદ્ધ પ્રવૃત્તિ કરે છે, તેથી સંકલ્પિત પિંડના ગ્રહણમાં સાધુને દોષ છે તે વચન સંગત નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પિંડ મારા માટે કરાયો છે તેવું સાધુને જ્ઞાન થાય, આમ છતાં સાધુ તે પિંડનું ગ્રહણ કરે તો “સાધુ પોતાના માટે કરાયેલો પિંડ ગ્રહણ કરે છે” એ પ્રકારનું જ્ઞાન થવાથી ગૃહસ્થ ફરી ફરી સાધુ અર્થે પાકપ્રવૃત્તિ કરે તેવો પ્રસંગ પ્રાપ્ત થાય, અને ગૃહસ્થના ફરી પાકપ્રસંગમાં સાધુ નિમિત્તભાવ પામે છે. તેથી સાધુ અર્થે જે બાહ્ય આરંભ-સમારંભરૂપ પાપની વૃદ્ધિ થાય છે, તેમાં સાધુ નિમિત્તભાવરૂપે છે. તેથી સાધુને પાપની અનુમોદનાની પ્રાપ્તિ છે. વસ્તુતઃ સાધુને પાકની પ્રવૃત્તિમાં થતા આરંભ-સમારંભમાં નિમિત્તભાવનું પરિહાર્યપણું છે અર્થાત્ સાધુએ તે પાકપ્રવૃત્તિમાં નિમિત્તભાવ ન થાય તેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy