SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ સાધુસામથ્યાત્રિશિકા/શ્લોક-૨૨ ટીકાર્ય : સત્ર... તથતિ || આ વૈરાગ્ય હોતે છતે દુઃખગર્ભિત વૈરાગ્ય હોતે છતે, સ્વઈચ્છાના અલાભથી, સંસારમાં=વિષયસુખમાં, અનિચ્છા=ઈચ્છાના અભાવ સ્વરૂપ આત્મપરિણતિ, ગુણ્યદૃષ્ટિથી પેદા થયેલ દ્વેષ વગર=સંસારના બલવાન અનિષ્ટ સાધનપણાના પ્રતિસંધાનથી પેદા થયેલા ઢષ વગર, અનુત્કટ છે. આથી જ=ૌગુણ્યદષ્ટિથી પેદા થયેલ દ્વેષ વગર અનિચ્છા અનુત્કટ છે આથી જ, ચિત અને અંગતા ખેદને કરનાર છે=માનસિક અને શારીરિક દુઃખને ઉત્પન્ન કરનારી અનિચ્છા છે. જે કારણથી ઈચ્છાનો વિચ્છેદ બે પ્રકારનો છે – (૧) અલભ્ય વિષયપણાના જ્ઞાનથી, (૨) દ્વેષથી. પ્રથમ અલભ્ય વિષયપણાના જ્ઞાનથી થતો ઈચ્છાનો વિચ્છેદ, ઈષ્ટની અપ્રાપ્તિના જ્ઞાનને કારણે દુ:ખજનક છે, અને અંત્ય-દ્વેષથી થતો ઈચ્છાનો વિચ્છેદ, તેવો નથી દુ:ખજનક નથી. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. રેરા ભાવાર્થ :વૈરાગ્યનું સ્વરૂપ : વૈરાગ્ય એટલે વિરક્તભાવ અર્થાત્ સંસારના ભોગસુખોમાં ઈચ્છાનો અભાવ. આ ઈચ્છાનો અભાવ બે રીતે થાય છે – (૧) અલભ્ય વિષયપણાના જ્ઞાનથી અને (૨) દ્વેષથી. (૧) અલભ્યવિષયપણાના જ્ઞાનથી થતા દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપઃપોતાને સામાન્ય કોટિનું સુખ મળેલું હોય, અને વિશિષ્ટ કોટિનું સુખ અલભ્ય છે અને તે અલભ્ય વિષયને મેળવવાની ઈચ્છા છે અને તેનો ઉપાય સંયમ છે, આ પ્રકારની બુદ્ધિ થવાથી વર્તમાનમાં બાહ્ય સુખોનો ત્યાગ કરીને બાહ્ય સુખોની ઈચ્છાનો વિરામ કરે. આ પ્રકારની ઈચ્છાનો વિચ્છેદ પોતાને ઈચ્છિત એવા વિશિષ્ટ સુખના અલાભને કારણે થયેલ છે, માટે આ ઈચ્છાનો અભાવ અનુત્કટ છે; કેમ કે સંસારના ભોગો નિર્ગુણ છે, તેવો બોધ નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy