SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સાધુસામગ્ગદ્વાત્રિશિકા/સંકલના દઢ ન હોય અને ગુણવાન પુરુષનો યોગ થાય તો ગુણવાન પુરુષને પરતંત્ર થઈને ગુણવાન પુરુષના આલંબનથી અસદ્ગહનું નિવર્તન કરી શકે છે, અને અસગ્રહનું નિવર્તન થાય ત્યારે તેમનો વૈરાગ્યભાવ જ્ઞાનાન્વિત બને છે. તેથી તેમનામાં જે દુઃખાન્વિત વૈરાગ્ય અને મોહાન્વિત વૈરાગ્ય હતો તે પણ અસદુગ્રહ મંદ હોવાને કારણે અને ગુણવાન પુરુષનો યોગ થવાને કારણે કલ્યાણનું કારણ બને છે. તે સિવાય અનિવર્તનીય અસદ્ગહવાળા જીવોનો દુઃખાન્વિત વૈરાગ્ય હોય કે મોહાન્વિત વૈરાગ્ય હોય તોપણ તે કલ્યાણનું કારણ નથી. આનાથી એ ફલિત થાય કે જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા જીવો ભગવાનના વચનને પરતંત્ર છે, અને ભગવાનના વચનાનુસાર ચાલનારા ગીતાર્થ પુરુષને પરતંત્ર છે, તેથી તેઓનો વૈરાગ્ય સાધુના સમગ્રભાવનું કારણ છે. વળી જે જીવોને દુઃખાન્વિત વૈરાગ્ય અને મોહાન્વિત વૈરાગ્ય થયો છે, તે જીવોને પણ ગુણવાન પુરુષનો યોગ થાય, અને પ્રકૃતિભદ્રક એવા તે જીવો ગુણવાનને પરતંત્ર થાય, તો તેમનો પણ વૈરાગ્ય ક્રમે કરીને સાધુના સમગ્રભાવનું કારણ છે, તેથી ગુણવાનનું પાતંત્ર્ય જ વૈરાગ્યના પ્રકર્ષ દ્વારા સાધુની પૂર્ણતાનું કારણ છે, એમ ફલિત થાય છે. વળી જે વિચારક જીવો સાધુની સમગ્રતાના કારણ એવા -- ૦ તત્ત્વસંવેદનજ્ઞાન, • સર્વસંપન્કરી ભિક્ષા અને • જ્ઞાનાન્વિત વૈરાગ્ય આ ત્રણના પરમાર્થને જાણીને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે, તેઓ ક્રમે કરીને પરમાનંદસ્વરૂપ મોક્ષના ફળને પામે છે. છબસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૨, ચૈત્ર સુદ-૧૩, મંગળવાર, તા. ૧૧-૪-૨૦૦૬, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy