SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સાધુસામય્યદ્વાત્રિશિકા/બ્લોક-૭ પાપપ્રવૃત્ત્વાદિજનકતાવચ્છેદક અજ્ઞાનત્વાદિ ત્રણ જાતિઓ છે, તે જાતિઓનું અનુમાન કરવા માટે નિષ્કપાદિ ત્રણ લિંગો બતાવાયાં છે; કેમ કે અજ્ઞાનાદિ ત્રણે વ્યક્તિઓનું વેદન કરવામાં નિષ્કપતાદિ લિંગની અપેક્ષા નથી. આશય એ છે કે જીવોને વિષયપ્રતિભાસજ્ઞાન અજ્ઞાનરૂપે વેદના થાય છે, આત્મપરિણામવજ્ઞાન જ્ઞાનરૂપે વેદન થાય છે અને તત્ત્વસંવેદનશાન સત્વજ્ઞાનરૂપે વેદન થાય છે, અને આ ત્રણે જ્ઞાનો નિષ્કપતાદિ પ્રવૃત્તિનાં જનક છે. અજ્ઞાનવાળી વ્યક્તિ પાપમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની પ્રવૃત્તિમાં નિષ્કપતા હોય છે. તેથી જેમ વહ્નિનું કાર્ય ધૂમ છે, તે ધૂમને જોઈને વહ્નિનું અનુમાન થઈ શકે છે, તેમ અજ્ઞાનના કાર્યરૂપ નિષ્કપતા છે, તેથી નિષ્કપતાને જોઈને આ વ્યક્તિમાં અજ્ઞાન છે, તે પ્રકારનું અનુમાન થઈ શકે છે. માટે કયા જીવમાં અજ્ઞાન છે, કયા જીવમાં જ્ઞાન છે અને કયા જીવમાં સત્વજ્ઞાન છે, તેનો નિર્ણય કરવા માટે નિષ્કપ પાપપ્રવૃજ્યાદિ લિંગો બતાવાયેલાં છે; પરંતુ અજ્ઞાનાદિ વ્યક્તિઓનું વેદન કરવા માટે નિષ્કપાદિ પ્રવૃત્તિની અપેક્ષા નથી. માટે લિંગનિરપેક્ષ જ અજ્ઞાનાદિ ત્રણ પ્રકારના જ્ઞાનનું વેદન જીવને થાય છે. આથી ત્રણ પ્રકારના જ્ઞાનવાળા જીવો ક્વચિત્ કોઈ પ્રવૃત્તિ ન કરતા હોય તોપણ તે ત્રણે વ્યક્તિઓમાં જ્ઞાનનું વેદન જુદા પ્રકારનું છે, અને તે ત્રણે વ્યક્તિ જ્યારે કોઈ પ્રવૃત્તિ કરે ત્યારે તે પ્રવૃત્તિમાં નિષ્કપતાદિ ભેદોની પ્રાપ્તિ થાય છે. પૂર્વમાં સ્થાપન કર્યું કે અજ્ઞાનાદિ વ્યક્તિઓનું નિષ્કપતાદિ લિંગનિરપેક્ષ સ્વતઃ વેદન છે. તેનાથી જ્ઞાનના ત્રણ ભેદોની પ્રાપ્તિ છે, આમ છતાં – સામાન્ય રીતે : (૧) દર્શનમોહનીયના ઉદયથી જીવો નિષ્કપ પાપની પ્રવૃત્તિ કરે છે. (૨) દર્શનમોહનીયના ક્ષયોપશમવાળા જીવો જો ચારિત્રમોહનીયના ઉદયવાળા હોય તો સકંપ પાપની પ્રવૃત્તિ કરે છે અને (૩) જે જીવોને દર્શનમોહનીય અને ચારિત્રમાંહનીયનો ક્ષયોપશમભાવ વર્તે છે, તેઓ નિરવદ્ય પ્રવૃત્તિ કરે છે. તેથી કોઈને પ્રશ્ન થાય કે નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ કર્મના ઉદયને કારણે થાય છે, પરંતુ ત્રણ પ્રકારના જ્ઞાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy