SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/શ્લોક-૪ અન્વિત-સહિત છે, તેમ કહ્યું છે. સારાંશ - મિથ્યાદ્દષ્ટિ જીવો પુણ્યના ઉદયથી બાહ્ય સુખ ભોગવતા હોય ત્યારે પણ તેમનું જ્ઞાન અંતરંગ રીતે ચિત્તમાં ભોગકૃત ક્લેશના અનુભવરૂપ હોય છે, તેથી બાહ્યવૃત્તિથી સુખનો ભોગ પણ અંતવૃત્તિથી દુઃખરૂપ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવોને વિવેક હોવાને કારણે અંતરંગ રીતે સુખ અને દુઃખ બંનેનો અનુભવ હોય છે; કેમ કે તત્ત્વપ્રાપ્તિકૃત અંતરંગ સુખનો અનુભવ અને પ્રમાદકૃત દુઃખનો અનુભવ હોય છે. ત્રીજા પ્રકારના તત્ત્વસંવેદનજ્ઞાનવાળા જીવોને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિથી સર્વત્ર નિર્લેપ ચિત્ત હોય છે. તેથી તેવા સાધક મહાત્માઓને અંતવૃત્તિથી સુખનો અનુભવ હોય છે. ટીકામાં અષ્ટકપ્રકરણ-૯/૪ની સાક્ષી આપી તેનો ભાવાર્થ : કોઈ પુરુષ પોતાના ઇષ્ટ સ્થાને અશ્વ ઉપર જતો હોય, અને પોતે અશ્વ ઉપરથી પાત પામશે તો પોતાને અંગભંગાદિ દોષોની પ્રાપ્તિ થશે, અને જો પાત નહિ પામે તો ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિરૂપ ગુણની પ્રાપ્તિ થશે તેમાં તેને જેમ સંશય હોતો નથી; તેમ સમ્યગ્દષ્ટિ જીવોને પોતે ઈંદ્રિયોના વિષયો અને કષાયોને પરવશ થઈને પ્રવૃત્તિ કરશે તો કર્મબંધની પ્રાપ્તિ અને દુર્ગતિની પ્રાપ્તિ થશે, અને જો ઇંદ્રિયોના વિષયો અને કષાયોને પરવશ નહિ થાય તો સદ્ગતિની પરંપરા અને સર્વકર્મનો નાશ થવાથી પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ થશે તેમાં સંશય હોતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવોને ઇંદ્રિયોને અને કષાયોને પરવશ થવાનું લેશ પણ ઈષ્ટ નથી, પરંતુ સંયમની બલવાન ઈચ્છા છે; આમ છતાં બલવાન ચારિત્રમોહના ઉદયથી જનિત, ચારિત્રમાં પ્રવૃત્તિ કરવામાં અંતરાયભૂત એવા વીર્યંતરાય કર્મના ઉદયને કારણે તેઓ ચારિત્રમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. તેથી તેઓને પોતે જે કાંઈ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા નથી, તેના અનર્થોની પ્રાપ્તિ, અને જે કાંઈ યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે, તેના અર્થની પ્રાપ્તિથી યુક્ત એવું આત્મપારણામવાળું જ્ઞાન છે. ॥૪॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy