SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ સાધુ સામર્થ્યાત્રિશિકા/બ્લોક-૨૫ ભાવાર્થ :જ્ઞાનાન્વિત વૈરાગ્યથી સાધુને સામર્થ્યની પ્રાપ્તિ - ભગવાનના વચનાનુસાર સર્વ નયોને ઉચિત સ્થાને જોડવાથી જે સમ્યજ્ઞાન થાય છે, તે સમ્યજ્ઞાનને કારણે ભવથી જેમનું ચિત્ત વિરક્ત થયેલું છે, તેવા જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા સાધુને સમગ્રપણું પ્રાપ્ત થાય છે અર્થાત્ સર્વથા મોહનું ઉમૂલન થવાથી મોહકૃત જે દુઃખ, તેના ઉચ્છેદની પ્રાપ્તિ થાય છે, કેમ કે સમ્યજ્ઞાનથી સહિત એવો વૈરાગ્ય દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્યની જેમ પાતશક્તિથી સમન્વિત નથી, પરંતુ જ્ઞાનાન્વિત વૈરાગ્ય પાતશક્તિનો પ્રતિબંધક છે. તેથી પ્રગટ થયેલો વૈરાગ્ય પાત પામ્યા વગર ઉત્તરોત્તર વૃદ્ધિને પામતો ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે. સાધુનું સમગ્રપણું એટલે સર્વથા સંગ વગરની વીતરાગભાવની પરિણતિ, જે કેવલજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા યોગનિરોધથી મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. દુઃખાવિત વૈરાગ્ય અને મોહાન્વિત વૈરાગ્ય શુભના ઉદયને કારણે ગુણવાનના પરતંત્રપણાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ : દુઃખગર્ભિત વૈરાગ્ય અને મોહગર્ભિત વૈરાગ્ય પ્રગટ થયા પછી પાતશક્તિથી યુક્ત હોવાથી નાશ પામે છે. તે રીતે નાશ પામેલો એવો દુઃખાવિત વૈરાગ્ય કે મોહાન્વિત વૈરાગ્ય જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ નથી, પરંતુ દુઃખાન્વિત કે જ્ઞાનાન્વિત વૈરાગ્યવાના યોગીઓને કોઈક રીતે શુભનો ઉદય વર્તતો હોય, અને તેના કારણે ગુણવાનને પરતંત્ર થવાનો પરિણામ થાય, તો ગુણવાનની પરતંત્રતાના કારણે દુઃખાન્વિત વૈરાગ્યવાળા જીવોમાં રહેલી વિષયોની અનુત્કટ અનિચ્છા સમ્યજ્ઞાનની પ્રાપ્તિથી ઉત્કટ અનિચ્છારૂપે પરિણમન પામે છે, અને દુઃખાન્વિત વૈરાગ્ય જ્ઞાનાન્વિત બને છે. તેમ મોહાન્વિત વૈરાગ્યવાળા જીવોને ભવની નિર્ગુણતાનું દર્શન હોવા છતાં તત્ત્વાતત્ત્વની વિચારણામાં જે મોહ છે, તે ગુણવાન પુરુષના પાતંત્ર્યથી ધીમે ધીમે ક્ષીણ થાય છે, અને એકાંત વાસના દૂર થાય છે, અને તેમનામાં સમ્યજ્ઞાન પ્રગટે છે; અને સમ્યજ્ઞાન પ્રગટ થવાને કારણે તેમનો મોહાન્વિત વૈરાગ્ય જ્ઞાનાન્વિત બને છે. 1રપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy